Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 396
________________ માધાર્મિક દ્વારા ઉત્પન કરાયેલી વેદના પરસ્પર ઉત્પન્ન કરેલી વેદનાના કારણે પ્રાયઃ ઘણા નારક સદા વેદના સમુદ્રઘાતથી સમવહત રહે છે. વેદના સમુદ્ધાતવાળા નારકોની અપેક્ષાએ અસમવહત (કેઈ પણ સમુઘાતથી રહિત) નારક સંખ્યાતગણ અધિક છે, કેમકે ઘણા અધિક નારક વેદના સમુદ્રઘાતના વિના પણ વેદનાનું છેદન કરતા રહે છે. હવે અસુરકુમારેનું અલપ બહુત્વ પ્રદર્શિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વેદના સમુદ્ષાતથી સમવહત, કષાયસમુઘાતથી સમવહત, મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત, અને અસમવહત પૃથ્વીકાયિકોમાંથી કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન ગૌતમ! તૈજસ સમુદ્દઘાતથી સમહત અસુકુમાર સહુથી ઓછા છે, કેમ કે- અત્યન્ત તીવ્ર કે ઉત્પન્ન થાય ત્યારે જ કદાચ કઈ અસુરકુમાર તેજસ સસુદ્દઘાત કરે છે. તેથી જ તૈજસસમુદ્રઘાતથી સમવહન અસુરકુમાર બધાથી ઓછા છે તેમના કરતાં મારણાન્તિક સમુદ્દઘાતથી સમહત અસુરકુમાર અસંખ્યાત ગણા છે, કેમકે મારણાંતિકસમુદ્રઘાત મરણકાળમાં જ થાય છે. તેના કરતાં વેદનાસમુદ્રઘાતથી સમવહત અસુરકુમાર અસંખ્યાતગણું છે. કેમકે પરસ્પરના સંગ્રામ વિગેરેમાં ઘણા અસુરકુમારે વેદનાસમુઘાતથી સમવહત હોય છે. તેના કરતાં કરાયણમુદ્દઘાતથી સમવહત અસુરકુમાર સંખ્યાતગણ છે. કેમકે-કેઈ ને કોઈ કારણથી ઘણું અસુરકુમારે કષાય સસઘાતથી યુક્ત મળી આવે છે, તેમની અપેક્ષાએ વૈક્રિયસમુદ્રઘાતથી સમવહત સંખ્યા તગણ હોય છે, કેમકે પરિચારણું વિગેરે અનેક પ્રયજનથી ઘણા અસુરકુમાર ઉત્તર વેકિય કરતા રહે છે. તેમના કરતાં પણ અસમવહત અસુરકુમારે અસંખ્યાત હેવ છે કેમકે એવા અસુરકુમારો ઘણા છે જેઓ સુખમાં મગ્ન રહે છે. અને કઈ પણ સમુદ્રઘાતથી સમવડત નથી હોતા. આ અસુરકુમારે અસંખ્યાતગણ છે. અસુરકુમારેના કથન પ્રમાણે જ નાગકુમારે, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને રતનિતકુમાર પણ સમવહત અને અસમહત સમજી લેવા. હવે પૃથ્વીકાયિકનું અલ્પ બહુ કહેવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! વેદના સમુદ્રઘાતથી સમવહત, કષાય મુદ્દઘાતથી સમવહત, મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત અને અસમાવહત પૃથ્વીકાચિકેમાં કેણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ! મારણાનિક સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિક બધાથી ઓછા છે, કેમકે આ સમુદ્રઘાત મરણના સમયે જ થાય છે અને તે પણ કોઈને થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૮૨

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448