Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમુદુધાતેને અભાવ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકના નારક અવસ્થા માં ભાવી આહારક સમુદ્રઘાત કેટલા છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! નાર ના નારક અવસ્થામાં ભાવી આહારક સમુઘાત પણ નથી. યુક્તિ પૂર્વવત્ અહીં પણ સમજી લેવી જોઈએ.
જેમ નારકેના નારક-અવસ્થામાં આહારક સમુદ્દઘાત નથી, એ જ પ્રકારે નારકમાં અસુરકુમાર આદિ ભવનપતિ-અવરથામાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય-અવસ્થામાં, વિકલેન્દ્રિય–અવસ્થામાં, તિર્યંચ પંચેન્દ્રિય–અવસ્થામાં વાવ્યન્તર-તિષ્ક–વૈમાનિક અવસ્થામાં નારકના અતીત અને ભાવ આહારક સમુદ્દઘાત નથી. યુક્તિપૂવત્ જ સમજવી જોઈએ.
પણ વિશેષ એ છે કે મનુષ્યાવસ્થામાં અતીત સમુદ્દઘાત અસંખ્યાત અને અનાગત સમુદ્રઘાત પણ અસંખ્યાત છે, કેમ કે પૃચ્છાના સમયે જે નારક વિદ્યમાન છે, તેમનામાંથી અસંધ્યાત નારક એવા છે કે જેઓએ પૂર્વકાળમાં ક્યારે ને કયારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરેલ હો, ચૌદ પૂર્વના ધારક હતા અને જેઓએ એકવાર અગર બે વાર આહારક સમુદુઘાત પણ કરેલ હતા.
એ કારણે નારકેની મનુષ્યાવસ્થામાં અસંખ્યાત અતીત સમુદ્દઘાત કહેલા છે. એજ પ્રકારે પૃચ્છા સમકાલિક નાટકોમાં અસંખ્યાત એવા છે જે નારથી નિકળીને અનન્તર ભવમાં અથવા પરંપરાથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને, ચૌદપૂર્વના ધારક થશે અને આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક સમુદ્દઘાત કરશે. એ કારણે નારકના મનુષ્યાવસ્થામાં ભાવી સમુદ્રઘાત અસંખ્યાત કહેલા છે એ જ પ્રકારે અર્થાત્ નારકોની સમાન અસુરકુ પારોથી લઈને વૈમાનિક સુધી વીસે દંડકના કમથી, સ્વ–પર સ્થામાં આહારક સમુદ્દઘાને મનુષ્યાવસ્થા સિવાય નિષેધ કહેવું જોઈએ.
વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકના મનુષ્યાવસ્થામાં અતીત આહારક સમુદ્રઘાત અનત કહેવા જોઇએ અને અનાગત પણ અનન્ત કહેવા જોઈએ, કેમકે અનન્ત જીવ એવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૭૩