Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે ? શુ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! પ્રાણાતિપાતક્રિયાથી વિરતજીવને આરંભિકા ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી, તાપ એ છે કે પ્રમત્ત સયતને થાય છે, અપ્રમત્ત સયતને નથી થતી.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન! શું પ્રાણાતિપાતથી વિરતજીવને પારિચારિકી ક્રિયા
થાય છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ! આ અર્થે સમર્થ નથી—પ્રાણાતિપાતથી વિતજીવને પારિત્રહિકી ક્રિયા નથી થતી, કેમકે તે પગ્રિહથી સર્વથા નિવ્રુત્ત હાય છે, પરિગ્રહથી નિવૃત્ત ન હોય તા સમ્યક્ પ્રકારથી પ્રાણાતિપાતથી વિત નથી થઈ શકતા.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન શું પ્રાણાતિપાતથી વિતજીવને માયાપ્રત્યયા ક્રિયા થાય છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ! પ્રાણાતિપાતથી વિતજીવને માયાપ્રત્યયા ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી, કેમકે અપ્રમત્તને પણ કષાયના કારણે આ ક્રિયા લાગે છે. શ્રી ગૌતમસ્વામી---હે ભગવાન્ ! પ્રાણાતિપાતથી વિરતજીવને શું અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ! એ અર્થ સમથ નથી. પ્રાગાતિપાતથી વિતજીવને અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થઈ શકતી, કેમકે અપ્રત્યાખ્યાન ક્રિયાની વિદ્યમાનતામાં પ્રાણાતિપાત વિરતિનુ થવુ અસભવિત છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવાન મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા સબ ંધી પૃચ્છા ? અર્થાત્ પ્રાણાતિપાતથી વિરતજીવને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ! આ અસમથ નથી—પ્રાણાતિપાતથી વિતજીવને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાના સંભવ નથી, કેમકે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની વિદ્યમાનતામાં પ્રાણાતિપાત વિરતિનું થવું તે અસંભવિત છે.
પ્રાણાતિપાત વિરતિના સમુચ્ય જીવ અને મનુષ્યના ભેદથી બે પદ્મ થાય છે. તેમાંથી જીવ સામાન્યના વિષયમાં જેવુ કથન કરેલું છે, તેવુ' જ મુનુષ્યના સમ્બન્ધમાં પણ કહેવુ જોઇએ એજ વાત આગળ કહે છે
પ્રાણાતિપાત વિરત સમુચ્ચય જીવને આરભિકી ક્રિયા આદિના થવાથી અથવા નહિ થવાથી ના સમ્બન્ધમાં જે કથન કરાયું છે તે જ પ્રાણાતિપાતથી વિરત મનુષ્યના સમ્બન્ધમાં પણ થાયેાગ્ય કહેવુ જોઈએ અને પ્રાણાતિપાતવિરતના સમાન જ મૃષાવાદ વિરત, અદત્તાદ્વાન વિરત, મૈથુન વિરત તેમજ અપરિગ્રહ વિરત તથા માયા વિરત અર્થાત્ જે અઢારે પાપસ્થાનથી વિત છે, એવા સમુચ્ચ જીવ અને મનુષ્યને યથાયેાગ્ય આર ભિકી ક્રિયા માદિ કહેવી જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૫૧