Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર્ષમાં અધિસ્તન ઉપરિતન ગ્રેવયાના દેવને આહારની અભિલાષા થાય છે.
શ્રીગૌતમસવામી–હે ભગવન્! મધ્યમ અધતન (મધ્યમ ત્રિકના નીચેના) યકના દેવે ને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય પચીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ છવ્વીસ હજાર વર્ષ વ્યતીત થઈ જતાં મધ્યમ અધસ્તન પ્રેયક દેવાને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે !
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન !મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રીભગવાન–હે ગૌતમ ! મધ્યમ મધ્ય ગ્રેવેયકના દેને જઘન્ય છવ્વીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ સત્યાવીસ હજાર વર્ષમાં આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મધ્ય ઉપરિતન વેધકના દેવોને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રી ભગવા—હે ગૌતમ ! જઘન્ય સત્યાવીસ હાર અને ઉત્કૃષ્ટ અઠવ્યાવીસ હજાર વર્ષમા
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ઉપરિતન અધતન (ઉપરના ત્રિકથી નીચે) રૈવેયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય અઠયાવીસ હજાર અને ઉત્કૃષ્ટ એગણત્રીસ હજાર વર્ષોમાં ઉપરિતન--અધસ્તન શૈવેયકના દેવેને આહારની અભિલાષા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઉપરિતન મધ્યમ ગ્રેવેયકના દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વર્ષોમાં..
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઉપરિતન ઉપરિતન ગ્રેવેયકના દેને કેટલા કાળમાં આહારની ઇચ્છા થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય ત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વર્ષોમાં ઉપરિતન ઉપસ્તિન વેયક દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વિજ્ય, વેજ્યત, જયન્ત અને અપરાજિત વિમાનના દેવને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે!
શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્ય એકત્રીસ હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષ વ્યતીત થતાં વિજય આદિ વિમાનના દેવોને અહારની અભિલાષા ઉત્પન્ન થાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન સર્વાર્થસિદ્ધ વિમાનના દેને કેટલા કાળમાં આહાર ની ઈચ્છા થાય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨૧