Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિન્તુ વર્તમાન કલિક ભાવની પ્રરૂપણાની અપેક્ષાથી નિયમથી દ્વિીન્દ્રિય શરીરને જ આહાર કરે છે. યુક્તિ પૂર્વની જેમ સમજવી જોઈએ. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૂર્વોક્તયુક્તિના અનુસાર એકેન્દ્રિય શરીરનો પણ આહાર કરે છે. દ્વિીન્દ્રિયેના, ત્રીન્દ્રિયોના, ચતુરિન્દ્રિયના અને પદ્રિયેના શરીરને પણ આહાર કરે છે, કિન્તુ વર્તમાન ભાવની પ્રરૂ પણાની અપેક્ષાએ, જે જીવની જેટલી ઈન્દ્રિયો હોય છે, તે જીવ તેટલી જ ઇન્દ્રિયોવાળા શરીરને આહાર કરે છે. શેષ કથનનેરયિકોની સમા નજ સમજી લેવું જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમા નિક પણ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે દ્વીન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. ત્રીન્દ્રિયશરીરને પણ અહાર કરે છે. ચતુરિયા શરીરને પણ આહાર કરે છે. અને પચન્દ્રિય શરીરને પણ આહાર કરે છે. કિન્તુ વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી પંચેન્દ્રિય શરીરેનો જ આહાર કરે છે કેમ કે એ બધા પંચેન્દ્રિય હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારક જીવ શું માહારી અર્થાત્ રૂવાડા દ્વારા આહાર ગ્રહણ કરનારા છે? અથવા પ્રક્ષેપાહારી અર્થાત્ કવલાહારી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક માહારી છે, પ્રક્ષેપાહારી નથી, કેમકે તેમના વૈક્રિય શરીર હોય છે, અને તેમને સ્વભાવ એ પ્રકાર હોય છે. કિન્તુ લેમાહાર પણ પર્યાપ્ત નારકને જ જાણે જોઈએ અપર્યાપ્ત નહીં.
નારકની સમાન પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિ કાયિક તથા અસુરકુમારથી લઈને વૈમાનિકે સુધી બધા દેવ પણ માહારી હોય છે, કલાહારી નથી હોતા. એકેન્દ્રિય જીનાં મુખ નથી હતાં, તેથી જ તેમનામાં પ્રક્ષેપાહારને અભાવ હોય છે. દેવ વૈક્રિયક શરીરવાળા હોય છે, તેથી જ તેવી જાતના સ્વભાવથી જ તેમાં કાલાહારને અભાવ છે, પણ કંદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને ૫ ચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય માહારી પણ હોય છે અને કાલાહારી પણ હોય છે, તેમનામાં બન્ને પ્રકારના આહારને સંભવ હોય છે. સૂપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨૪