Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાવત્ શું કન્દ્રિય શરીરેનો આહાર કરે છે? શું ત્રીન્દ્રિય શરીરને બહાર કરે છે? ચતુરિન્દ્રિય શરીરને આહાર કરે છે? અથવા પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! પૂર્વભાવ પ્રજ્ઞાપના અર્થાત્ અતીતકાલીન પર્યાની પ્રપણની અપેક્ષાએ નારક જીવ એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે, યાવત્ હીન્દ્રિય શરીરને પણ, ત્રીન્દ્રિય શરીરને પણ, ચતુરિન્દ્રિય શરીરને પણ અને પંચેન્દ્રિય શરીરેને પણ આહાર કરે છે, કિંતુ પ્રત્યુત્યન અર્થાત્ વર્તમાનકાલિક ભાવની પ્રરૂપણાની અપેક્ષાથી નિયમથી નારક પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે. અર્થાત જ્યારે આહાય. માણ પુદ્ગલેના અતીત ભાવ (પર્યાવ)ને વિચાર કરાય છે, ત્યારે તેમનામાંથી કેઈ ક્યારેક એકેન્દ્રિયના શરીરના રૂપમાં પરિણત હતા, કેઈ દ્વીન્દ્રિય શરીરના રૂપમાં, કોઈ ત્રીન્દ્રિયશરીરના રૂપમાં કેઈ ચતુરિંદ્રિય શરીરના રૂપમાં અને કેઈ પંચેન્દ્રિયશરીરના રૂપમાં પરિણત હતા. એ પૂર્વ ભાવને જે વર્તમાનમાં આક્ષેપ કરીને વિપક્ષા કરાય તે નારક જીવ એકે ન્દ્રિય શરીરને પણ તેમજ શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેનિદ્રયશરીરને પણ આહાર કરે છે, કિન્તુ જ્યારે જુસર નયની દષ્ટિથી વર્તમાન ભવની વિરક્ષા કરાય છે, ત્યારે જુસૂવનય ક્રિયમાણને કુત અર્થાત્ કરાઈ રહેલને કરાયેલા, આહાર્યમાણને અદ્ભુત અને પરિણયમાનને પરિણત માને છે, તેથી જ સ્વશરીર રૂપ પરિણમ્યમાન (પરિણત થઈ રહેલ) પુદ્ગલેને પણ પરિણત સ્વીકાર કરે છે અને આ હીયમાણ પુહૂગલે તેઓ કહે વાય છે જે સ્વશરીરના રૂપમાં પરિણત થઈ રહેલ હેય. એ પ્રકારે જુસૂત્રનયના મતથી
વશરીરને જ આહાર કરાય છે. નારકનાં શરીર પંચેન્દ્રિય શરીર છે, કેમ કે, તેઓ પંચન્દ્રિય શરીરવાળા હોય છે. એ અભિપ્રાયથી એ કહેવું છે કે નિયમથી પચેન્દ્રિય શરીરને આહાર કરે છે.
જેવું નારકના વિષયમાં કહેલું છે, તે જ પ્રકારે અસુરકુમારે, નાગકુમારો, સુવર્ણ કુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે. દિકુમારે, પવનકુમારે અને સ્વનિતકુમાર અર્થાત્ દશે ભવનપતિના વિષયમાં કહેવું જોઈએ
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્પૃથ્વીકાયિક શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે? અથવા ઢીદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચન્દ્રિય શરીરેને આહાર કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નારકના સમાનજ પૃથ્વીકાયિક પણ એકેન્દ્રિય શરીરને આહાર કરે છે, ઠન્દ્રિય શરીરને ત્રીન્દ્રિય શરીરને, ચતુરિન્દ્રિય શરીરને અને પંચેન્દ્રિયશરીરેનો આહાર કરે છે, પરંતુ પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપના અર્થાત્ વર્તમાન કાલિક ભાવનીપ્રરૂપણની અપેક્ષાએ નિયમથી એકેન્દ્રિય શરીરેનેજ આહાર કરે છે, એ વિષયમાં યુક્તિ પૂર્વના જેમ સમજી લેવી જોઈએ. પૃથ્વીકાયિક એકેન્દ્રિય હોય છે, તેથી જ તેમનાં શરીર એકેન્દ્રિય શરીર છે. એ જ પ્રકારે દ્વીન્દ્રિય જીવ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયશરીરેને આહાર કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨૩