Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી તમામ–હે ભગવન ! નારકે આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! (૧) બધા નારક આહારક હોય છે. (૨) અથવા ઘણા નારક આહારક હોય છે. અને એક કોઈ અનાહારક હોય છે. (૩) અથવા ઘણા નારક આહારક હોય છે અને ઘણું અનાહારક હોય છે.
એ પ્રકારે વૈમાનિ કે સુધી કહેવું જોઈએ, અર્થાત અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યન્તર, તિક અને વૈમાનિક સુધી (૧) બધા આહારક હોય છે (૨) અથવા ઘણું આહારક હોય છે અને કોઈ એક અનાહારક હોય છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાઆહારક હોય છે. પણ પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે એકેન્દ્રિય જીવોનું કથન સમુચય જીના સમાન સમજવું જોઈએ, અર્થાત્ જેમ સમુચ્ચય જીવ ઘણું આહારક અને ઘણું અનાહારક કલા છે, તેમજ એકેન્દ્રિયનું પણ સમજવું જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! સિદ્ધ જીવ આહારક હોય છે અથવા અનાહારક હોય છે? શ્રી ભગવાનહે ગૌતમ ! સિદ્ધ જીવ આહારક નથી હોતા પરંતુ અનાહારક હોય છે.
વિગ્રહગતિથી ભિન્ન સમયમાં બધા સંસારી જીવ આહારક હોય છે અને વિગ્રહગતિ ક્યાંક કયારેક કંઈ જીવની થાય છે. યદ્યપિ વિગ્રગતિ સર્વકાળમાં મળી આવે છે, પણ પ્રતિનિયત ઈવેની જ થાય છે. એ કારણે આહારકને ઘણા કહ્યા છે. અનાહરક સિદ્ધ પણ સદા વિદ્યમાન રહે છે અને તેઓ અભવ્ય જીથી અનન્ત ગણા છે. સદેવ એક-એક નિગદના પ્રતિસમય અસંખ્યાતમે ભાગ વિગ્રહગતિ પ્રાપ્ત કરીને રહે છે, તેથી જ અનાહારની પણ ઘણી સંખ્યા કહી છે. નારક ક્યારેક કયારેક બધા આહારક હોય છે, એક પણ નારક અનાહારક નથી હોતો, કેમકે નારકેના ઉપપાતને વિરહ થાય છે. ના રકેના ઉપપાતને વિરહ બાર મુહને જ થાય છે. અને એ કાળમાં પૂર્વોત્પન્ન તેમજ વિગ્રહગતિને પ્રાપ્ત નારક પણ આહારક થઈ જાય છે.
તે સમયે કેઈ ન નારક ઉત્પન્ન નથી થતું, તેથી જ અનાહારક કેઈ પણ નથી થતા. આ પ્રથમ ભંગ.
ઘણું નારક આહારક અને કેઈ એક અનાહારક આ બીજો ભંગ છે, તેનું કારણ આ રીતે છે-નારમાં કદાચિત એક જીવ ઉત્પન્ન થાય છે, કદાચિત છે, કદાચિત્ ત્રણ, કદાચિત ચાર, યાવત્ સંખ્યાત અગર અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે એક જીવ ઉદ્યમાન થાય છે અને તે વિગ્રહગતિને પ્રાપ્ત થઈ જાય છે, અને બીજા બધા પૂર્વોત્પન્ન નારક આહારક થઈ જાય છે, તે સમયે આ બીજો ભંગ સમજવો જોઈએ.
તીજો ભંગ- ઘણા આહારક અને ઘણા અનાહારક. આ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે ઘણા નારક ઉત્પન્ન થઈ રહ્યા હોય અને તેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થાય. આ ત્રણના સિવાય અન્ય કોઈ ભંગનો નારકમાં સંભવ નથી થતું. એજ પ્રકારે અસુરકુમારેથી લઈને રતનિતકુમાર સુધીમાં તથા હીન્દ્રિથી લઈને વૈમાનિકે સુધીમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૧