Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૃદંગ એક પ્રકારનું વાદ્ય છે. જે નીચે વિસ્તીર્ણ અને ઉપર સંક્ષિપ્ત હોય છે અને જે લેકમાં પ્રસિદ્ધ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગ્રેવયક દેના અવધિ કેવા આકારના કહ્યા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! પુપિની ચંગેરીને આકારના હોય છે. અર્થાત્ સૂતરથી ગુંથેલા પુષ્પોની શિખા યુક્ત ચંગેરીના આકારના હોય છે, તે જ રૈવેયક દેવના અવધિ જ્ઞાનને પણ આકાર હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અનુપાતિક દેવના અવધિજ્ઞાનને આકાર કે હાય છે.
શ્રી ભગવાન હે ગૌતમ! અનુત્તરૌપપાતિક દેવેના અવધિજ્ઞાનને આકાર જવનાલકના આકાર જે હોય છે જવનાલકને અર્થ છે-કન્યાચાળી.
અવધિના આકાર નિરૂપણથી ફલિત થાય છે કે ભવનપતિ અને વાનવ્યન્તરના અવધિ ઉપરની તરફ અધિક હોય છે, વૈમાનિકેન નીચેની તરફ અધિક હોય છે, તિષ્ક અને નારકના તિરછા અને મનુષ્ય તથા તિય ચિના વિવિધ પ્રકારના હોય છે.
કહ્યું પણ છે-“ભવનપતિ અને વાનવ્યન્તરના ઉપરની તરફ ઘણા હોય છે, શેષ અર્થાત વૈમાનિકના નીચેની તરફ અધિક હોય છે, નારકોના તેમજ તિકના તિરછા બાજુ અધિક હોય છે તથા ઔદારિક શરીરવાળાઓ અથત પંચેન્દ્રિય તિર્યંચના તેમજ મનુષ્યના વિચિત્ર-વિવિધ આકારના હોય છે.
હવે ચોથું અતરદ્વાર કહે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! નારક જીવ અવધિની અંદર અર્થાત મધ્યમાં હોય છે કે બહાર હોય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક જીવ અવધિની મધ્યમાં જ રહેનારા હોય છે, બહિર્વતી નથી હોતા કેમકે તેમના ભવન એ જ સ્વભાવ છે. તેમના અવધિ બધી ખાજીના ક્ષેત્રોને પ્રકાશિત કરે છે તેથી જ તેઓ તે અવધિના મધ્યમાં જ હોય છે. તેઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૧