Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાય જ પ્રાપ્ત થનાર નથી, પણ જે અસુરકુમાર તે ભવના પછી પરંપરાથી નરકમાં જશે, તેના ભાવી વેદના સમુદ્દઘાત થાય છે. તેમાંથી પણ જે એકવાર જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થશે. તે અસુરકુમારનાં જઘન્ય પણું સંખ્યાત વેદના સમુદ્દઘાત થશે, કેમકે જઘન્ય સ્થિતિક નરકમાં પણ સંખ્યાત વેદના સમુદ્રઘાત થાય છે, કેમકે નારકને વેદનાની બહુલતા હોય છે, કેટલીક વાર જઘન્ય સ્થિતિક નરકમાં જતાં અસંખ્યાત વેદના સમુદ્રઘાત થશે અને અનન્તવાર નરકમાં જાય તે અનન્ત વેદના સમુદ્રઘાત થશે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! એક-એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં, સંપૂર્ણ અતીત કાળની અપેક્ષાથી કેટલા વેદના સમુદ્રઘાત અતીત થયા છે ?
શ્રીભગવાન હે ગૌતમ! એક એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં અતીત કાળમાં જ્યારે તે અસુરકુમાર હતા ત્યારે અનન્ત વેદના સમુદ્રઘાત અતીત થયા.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં કેટલા વેદના સમુદ્દઘાત ભાવી હોય છે?
શ્રીભગવાન–હે ગૌતમ! કેઇના હોય છે, કોઈને નથી લેતા. જેમના હેય છે. તેમના જઘન્ય એક, બે અગર તો ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સ ખ્યાત, અસંખ્યાત અથવા અન ત હોય છે.
તેમનામાંથી જે સંખ્યાત વાર પુનઃ અસુરકુમાર અવસ્થામાં ઉત્પન થશે, તેને સંખ્યાત ભાવી વેદના સમુદ્રઘાત થશે. જે અસંખ્યાત વાર ઉત્પન્ન થશે તેને અસંખ્યાત અને જે અનન્તવાર અસુરકુમારના રૂપમાં ઉત્પન્ન થશે તેમની અપેક્ષાથી અનન્ત ભાવી વેદના સમુદ્યાત થશે. જેમ અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં વેદના સમુદ્દઘાત કહ્યા છે, એ જ પ્રકારે અસુરકુમારના નાગકુમાર અવસ્થામાં પણ યાવતુ વૈમાનિક અવરથામાં પણ અનન્ત વેદના સમુદ્દઘાત અતીત થયેલા છે. ભાવી સમુદ્રઘાત કેઈન થાય છે, કોઈના નથી થતા તેના જઘન્ય એક, બે અગર ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત થાય છે.
જે પ્રકારે અસુરકુમારના ન ર–પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં વેદના સમુદ્દઘાતનું નિરૂપણ કરાયું છે, એ જ પ્રકારે નાગકુમાર આદિના વેદના સમુદુઘાતનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ.
તાત્પર્ય એ છે કે અસુરકુમારના અસુરકુમાર રૂપ સ્વસ્થાનમાં કેટલાં તીત-અનાગત વેદના સમુદ્રઘાત છે, તથા નારક આદિ પરસ્થાનેમાં કેટલા વેદના સમુદ્દઘાત અતીતઅનાગત છે, તે જેમ ઉપર બતાવેલ છે, એ જ પ્રકારે નાગકુમાર આદિથી લઈને વૈમાનિકે સુધી પણ રવસ્થાન અને પરસ્થાનમાં વેદના સમુદ્રઘાત સમજી લેવા જોઈએ. અર્થાત વીસે દંડકેને લઈને નાગકુમારાદિ બધાના વેદના સમુદ્દઘાતનું નિરૂપણ જાણી લેવું જોઈએ. એ પ્રકારે ગ્રેવીસ દંડકમાંથી પ્રત્યેક દંડકના વિસે દંડકાને લઈને કથન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫૭