Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિય તિયાને શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે?
શ્રી ભગવાનન્હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંને દેશાવધિ હોય છે. સર્વાધિ નથી હોતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્યને શું દેશાવધિ હોય છે અથવા સર્વાવધિ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! મનુષ્યને દેશાવધિ પણ હોય છે અને સર્વાવધિ પણ હોય છે, કેમકે તેમના પરમાવધિ પણ હોઈ શકે છે.
વનવ્યન્તર, તિકે અને વૈમાનિક નારકેની સમાન દેશાવધિ જ હોય છે, સર્વાવધિ નથી લેતા.
હવે છઠ્ઠા અને સાતમા દ્વારને કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના અવધિ શું આનુગામિક હોય છે, અનાનગામિક હોય છે, વધમાન હોય છે, હાયમાન હોય છે, પ્રતિપાતી હોય છે, અપ્રતિયાતિ હોય છે અવસ્થિત હોય છે અથવા અનવસ્થિત હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકને અવધિ આનુગિક હોય છે, અનાનુગામિક નથી હતું વર્ધમાન નથી હતું, હાયમાન નથી હોતું, પ્રતિપાતી નથી હોતું પણ અપ્રતિપાતી હોય છે. અવસ્થિત હોય છે, અનવસ્થિત નથી હોતા.
એ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમાર, ઉદધિકમાર, દ્વીપકુમારે, દિશાકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારોને પણ અવધિ આનુગામિક, અપ્રતિપાતી અને અનવસ્થિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પંચેન્દ્રિય તિયાને અવધિ શું આનુગામિક થી લઈને અવસ્થિત સુધી હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમપંચેન્દ્રિય તિર્યંચાનું અવધિ આનુગામિક પણ હોય છે, અનાનુગામિક પણ હોય છે, વર્ધમાન પણ હોય છે, હીયમાન પણ હોય છે, અવસ્થિત પણ હોય છે અને અનવસ્થિત પણ હોય છે. મનુષ્યનું અવધિ પણ આ પ્રકારનું હોય છે.
વાનવ્યન્તર, તિકો અને માનિકનું અવધિ આનુગામિક, અપ્રતિપાતી અને અનવસ્થિત હોય છે, અનાનુગામિક. વર્ધમાન, હીયમાન પ્રતિપાતી અને અનવસ્થિત નથી હતા. આ પ્રકારે ફલિત થાય છે કે નારક, ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત અવધિવાળા હોય છે. તેઓ અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અનવસ્થિત અવધિવાળા નથી હોતા, કેમ કે તેમના ભવને એજ સ્વભાવ છે પંચેન્દ્રિય તિર્યને આઠ પ્રકારનું અવધિ થાય છે સૂ૦ ૩
અવધિ પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૩