Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન -હે ગૌતમ ! સંયત જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. કેવલી સમુદ્દઘાત અને અગત્વ અવસ્થાની અપેક્ષાએ અનાહારક સમજવા જોઈએ અને અન્ય સમયમાં આહારક. સમુચ્ચય સંયત જીવની જેમ સંયત મનુષ્ય પણ કદાચિત્ આહારક હોય છે, કદાચિત્ અનાહાર હોય છે, પણ બહુત્વની વિવક્ષાથી ત્રણભંગ થાય છે, તે આ પ્રકારે
(૧) બધા સંયત આહારક હોય છે. આ પ્રથમ ભંગ થયે. આ ભંગ ત્યારે ઘટિત થાય છે, જ્યારે કઈ પણ કેવલી સમુદ્દઘાત અવસ્થામાં નથી હોતા અને અગી અવસ્થામાં નથી હોતા.
(૨) ઘણું સંયત આહારક અને એક કઈ અનાહારક, આ બીજો ભંગ છે. આ ભંગ ત્યારે ઘટે છે. જ્યારે એક કેવલી સમુદ્દઘાતાવસ્થામાં હોય છે અગર શેલેશી પ્રાપ્ત હોય છે.
(૩) ઘણા સંયત આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ છે. આ ભંગ ત્યારે બને છે કે જ્યારે ઘણા કેવલી સમુદ્રઘાતાવસ્થામાં હોય અથવા શેલેશી અવસ્થામાં હેય.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સંયત જીવ આહારક હોય છે. કે અનાહારક?
શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ આહારક, કદાચિત અનાહારક હોય છે. એકત્વની વિવક્ષામાં અસંખ્યાતના સમ્બન્ધમાં સર્વત્ર-એક આહારક, એક અનાહારક, આ એક વિકલ્પ જ કહે જોઈએ. બહત્વની વિવક્ષામાં અસંતના સમ્બન્ધમાં અસંયત છે તેમજ અસંયત પૃથ્વીકાયિક આદિમાં, પ્રત્યેકમાં ઘણા આહારક અને ઘણ અનાહારક, આ એકજ ભંગ જાણવું જોઈએ. તેના ઉપરાન્ત અસંયત નારક આદિ સ્થાનમાં પ્રત્યેકમાં ત્રણ ત્રણ ભંગ કહેવા જોઈએ, એ અભિપ્રાયથી કહ્યું છે-બહત્વની વિવેક્ષાથી સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય નારથી લઈને વૈમાનિક સુધી ત્રણ ત્રણ ભંગ થાય છે. આ ત્રણ ભંગ પહેલાના સમયે જ સમજી લેવા જોઈએ.
સંયતાસંયત અર્થાત્ દેશવિરત જીવ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે એકત્વની વિવેક્ષાથી પણ અને બહત્વની વિવફાથી પણ આહ રક હોય છે, અનાહારક નથી હતા. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય જ સંયતાસંયત હોય છે. અન્ય જીવોમાં સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ ઉત્પન્ન નથી થતું અને સંયતાસંયત સમુચ્ચય જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આહારક જ હોય છે, અનાહારક નથી હોતા, કેમ કે અન્તરાલ ગતિમાં તથા કેવલી સમુદ્દઘાત આદિ અવસ્થાઓમાં દેશવિરતિ પરિણામ થતું નથી.
ને સયત–ને અસંવત-ને સંયતાસંયત જીવ અને સિદ્ધ એકત્વની અપેક્ષાથી પણ અને પૃથકત્વની અપેક્ષાથી પણ આહારક નથી થતા પણ અનાહારક જ થાય છે, કેમ કે સિદ્ધ સર્વથા અશરીરી હોવાને કારણે બહાર નથી હોતા.
હવે કષાયદ્વારના આધારથી આહારકત્વ આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સકષાયી જીવ આહારક છે કે અનાહારક છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪૪