Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વર્ષોમાં અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વર્ષમાં સહસ્ત્રાર દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી ભગવદ્ ! આનત દેને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય અઢાર હજાર વર્ષ વ્યતીત થતાં અને ઉત્કૃષ્ટ ઓગણીસ હજાર વર્ષ યતીત થતાં આનત દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! પ્રાણત દેને કેટલે કાળ વીતતાં આહારની ઈચ્છા થાય છે?
શ્રીભગવાન હે ગૌતમ! જઘન્ય ઓગણીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષ વ્યતીત થતાં પ્રાણત દેવને આહારની અભિલાષા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આરણ દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય વીસ હજાર વર્ષ વ્યતીત થતાં અને ઉત્કૃષ્ટ એકવીસ હજાર વર્ષ વીતતાં આરણ દેવેને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અશ્રુત દેને કેટલા કાળમાં આહાર કરવાની ઈચ્છા થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એકવીસ હજાર વર્ષ વીતતાં અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ થઈ જતાં અશ્રુત દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અધસ્તન-અધતન ગ્રેવેયકના દેવોને કેટલા કાળમાં બાહારની ઈચ્છા થાય છે ? - શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય બાવીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ તેવીસ હજાર વર્ષમાં અધસ્તન-અધસ્તન દૈવેયકના દેવને આહારની ઈચ્છા થાય છે.
એ પ્રકારે પ્રત્યેકમાં એક એક હજાર વર્ષની વૃદ્ધિ કરીને નવ પ્રિય અને સવર્થ સિદ્ધ પર્યન્ત પાંચે અનુત્તર વિમાનમાં આહારની અભિલાષા કહેવી જોઈએ. તેને સ્પષ્ટ કરે છે
શ્રી ગૌતમસ્વામ- હે ભગવન ! અધસ્તન મધ્યમ ઐયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય તેવીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ વીસ હજાર વર્ષમાં અધતન મધ્યમ ગ્રેવેયકના દેવને આહારની ઈચ્છા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસ્તન ઉપરિતન વેયકના દેને કેટલા કાળમાં આહારની ઈચ્છા ઉત્પન થાય છે.?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય વીસ હજાર વર્ષમાં અને ઉત્કૃષ્ટ પચીસ હજાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૨૦