Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રીભગવાન-હે ગૌતમ ! પ્રતિસમય, નિરન્તર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. શ્રીગૌતમરવામી- હે ભગવન્ ! પૃથ્વીકાયિક શા આહાર કરતા રહે છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! જેવુ' નારકોની ખામતમાં કહ્યું છે, તેવું જ સમજવુ, યાવત્ પૃથ્વી ાયિક કેટલી દિશાઓથી આહાર કરતા રહે છે ?
શ્રીભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! અગર વ્યાઘાત ન હોય અર્થાત્ અલેકા કાશના કારણે જ રેકાણુ ન આવ્યું હોય તા નિયમથી છએ દિશામાં સ્થિત અને છએ દિશાએથી આગત દ્રવ્યેને પૃથ્વીકાયિક આહાર કરે છે. યદિ વ્યાઘાત થાય અર્થાત્ લાકના નિષ્કુટ પ્રદેશમાંના કારણે રૂકાવટ થાય તો કદાચિત ત્રણ દિશાઓથી, કદાચિત્ ચાર દિશાએથી અને કદાચિત્ પાંચદિશાએથી આગત દ્રવ્યાના પૃથ્વીકાયક આહાર કરે છે.
પણ નારકાથી પૃથ્વીકાયિકામાં વિશેષતા એછે કે પૃથ્વીંકાયિકાના સંબન્ધમાં બાહુલ્ય કારણ નથી કહેવાતુ’–એકાન્ત શુભાનુભાવ અથવા અશુભાનુભાવ રૂપ માહુલ્ય કારણ પૃથ્વી કાયિકામાં મળી આવતાં નથી. વની અપેક્ષાએ કૃષ્ણ, વાદળી, લાલ, પીળે અને સફેદ, ગધથી સુગંધ અને દુર્ગંધવાળા, રસથી કિત, કટુ, કષાય. અમ્લ અને મધુર રસવાળા, સ્પથી કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પ વાળા, દ્રબ્યાના પૃથ્વીકાયિક જીવ આહાર ક૨ે છે. તે આહાર કરાતા પુદૃગલચૈાના આગળના રગ આદિ ગુણ નષ્ટ થઈ જાય છે, અને નૂતન ગુણ ઉત્પન્ન થાય
ખાકી મધુ કથન નારકોના સમાન સમજવું જોઈએ, અર્થાત્ વ ગુણ, ગન્ધ ગુણ, રસગુણ અને સ્પર્ધા ગુણને ખડલીને નવીન વર્ણાદિ ઉત્પન્ન કરીને પોતાના શરીરક્ષેત્રમાં અવગાઢપુદ્દગલાના સમસ્ત આત્મપ્રદેશ દ્વારા આહાર કરે છે. સ આત્મપ્રદેશાર્થી તમને પરિણત કરે છે. સમસ્ત આત્મપ્રદેશથી ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. વારવાર આહાર કરે છે. પરિણત કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લે છે. કદાચિત્ પરિણત કરે છે અને ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે પુદ્ગલાને આહારનારૂપમાં ગ્રહણ કરે છે. તેમનામાંથી. ભવિષ્ય કાળમાં કેટલા ભાગના આહાર કરે છે. અને કેટલા ભાગનું આસ્વાદન કરે છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ! આહારનારૂપમાં ગ્રહણ કરેલા દ્રબ્યાના અસખ્યાતમા ભાગ ના આહાર કરે છે અને અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. શેષ દ્રવ્ય વિના આસ્થાદાન કરીને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ પૃથ્વીકાયિક પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે ખષાના આહાર કરે છે અથવા બધાના એક ભાગના આહાર કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૦૮