Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ જ પ્રકારે મનુષ્ય, તિર્યચિની મનુષ્યાણ વિષે પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ જે વિશેષણ દ્વારા તિર્યંચ જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિને બન્ધ કરે છે, તે જ વિશેષણવાળી તિર્થ ચિની, મનુષ્ય અને મનુષ્યાણી પણ ઉત્કૃષ્ટ કાલિક જ્ઞાનાવરણની સ્થિતિને અન્ય કરે છે.
જે વિશેષણોથી યુક્ત નારક જીવ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય કરે છે, તેજ વિશેષણ વાળા દેવ અને દેવીને પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મ બંધ થાય છે.
જેવા જ્ઞાનાવરણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક કહ્યા છે, એજ પ્રકારે આયુકર્મ સિવાય શેષ બધાં કર્મોના અર્થાત્ દર્શનાવરણીય, મેહનીય વેદનીય, નામ, ગોત્ર અને અન્તરાય કમેની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક પણ સમજી લેવા જોઈએ
શ્રીગૌતમસવામી–હે ભગવન્! ઉત્કૃષ્ટ કાલની સ્થિતિ વાળા અયુકર્મને શું નારક બાંધે છે? શું તિર્યંચ બાંધે છે શું તિય ચિની બાંધે છે ? મનુષ્ય; માનુષી, દેવ અગરદેવી બાંધે છે?
શ્રી ભગવાન–હે ગોતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને નરયિક નથી બાંધતા કિન્ત તિર્યંચ બાંધે છે, તિર્થ ચિની નથી બાંધતી, મનુષ્ય બાંધે છે, અને માનુષી પણ બાંધે છે. દેવ નથી બાંધતા અને દેવી પણ નથી બાંધતી. એ પ્રકારે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આયુકર્મના બન્ધની પ્રરૂપણામાં નારક તિર્થ ચિની, દેવ અને દેવીને નિષેધ કરેલ છે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક આદિમાં ઉત્પત્તિ નથી થતી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! કેવા પ્રકારના તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયકર્મા ને બન્ધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે કર્મભૂમિમાં જન્મેલ અથવા કમ ભૂમિમાં જન્મેલાની સમાન હોય, સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હાય. બધી પર્યાપ્તિથી પર્યાપ્ત હેય સાકાર ઉપ
ગ વાળા હાય. જાગૃત હાય. કૃતજ્ઞાનમાં ઉપયોગવાળા હોય; મિથ્યાદડિટ હોય, પરમ કૃષ્ણ વેશ્યા વાળા હોય, અને ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામથી યુક્ત હય, તેજ તિર્યંચ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આયુકર્મને બન્ધ કરે છે.
ઉપસંહાર કરતાં કહે છે.-હે ગૌતમ ! જે તિર્યંચ આ વિશેષણોથી યુક્ત હોય છે. તેજ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુષ્યકર્મના બન્ધક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન! કયા પ્રકારે મનુષ્ય ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા આ યુકર્મને બાધે છે ?
શ્રી ભગવાન - હે ગૌતમ! અગરતો કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અથવા કર્મભૂમિમાં ઉત્પન થયેલના સદશ હોય, સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હાય, સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત હેય, સાકાર ઉપગવાળા હોય, જાગૃત હોય, શ્રુતજ્ઞાનમાં ઉપગવાળા હોય, સમ્યગ્દષ્ટિ હોય અગર મિથ્યાષ્ટિ હોય, કૃષ્ણલેશ્યાવાળા અથવા શુક્લલશ્યાવાળા હોય, જ્ઞાની હોય કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૬૫