Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજ્ઞાની હેય, ઉત્કૃષ્ટ સંકલષ્ટ પરિણામવાળા હોય અથવા અસંકિલષ્ટ પરિણામવાળા હોય, તમાગ્ય અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા હોય, એવા મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુકમ બન્ધ કરે છે.
ઉપસંહાર કરતાં કહે છે, હે ગૌતમ! જે મનુષ્ય આ પ્રકારની વિશેષતાઓથી સંપન્ન હોય છે, તેજ ઉત્કૃષ્ટ આયુને બંધ કરે છે.
શ્રી ગૌતમસ્વામી-કેવા પ્રકારની માનુષી ઉત્કૃષ્ટ કાલની સ્થિતિ વાળા આયુષ્યકર્મને બન્ધ કરે છે?
શ્રીભગવાન–હે ગૌતમ! જે મનુષ્ય સ્ત્રી કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ હોય, અથવા કર્મભૂમિમાં ઉત્પન્ન સદશી હોય, સંઝિની હેય, પંચેન્દ્રિય હોય, સમસ્ત પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, સાકારો પગ વાળી હય, જાગૃત હોય, શ્રુતજ્ઞાનમાં ઉપગવાળી હોય, સમ્યગ્દષ્ટિ હોય, શુલલેશ્યા વાળી હોય, તપ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામ વાળી હોય અથવા પિતાને ગ્ય વિશુદ્ધપરિણામ વાળી હોય, એવી માનુષી ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આયુષ્યકર્મને બાંધે છે.
ઉપસંહાર કરતાં કહે છે– ગૌતમ ! જે મનુષ્ય સ્ત્રીમાં એ પ્રકારની વિશેષતાઓ હોય છે, તેજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને બાંધે છે.
અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધક જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બન્ધકના સમાન સમજવા જોઈએ. એ સૂત્ર ૧૩ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્યતિવિરચિત
પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાનું
ત્રેવીસમું પદ સમાપ્ત . ૨૩
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૬૬