Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA
Catalog link: https://jainqq.org/explore/005927/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ) 'ભવાંતનો ઉપાય ? સામા8િૉગ મગધસાણાજ્યનો ખજાનો પુણિયાજીનું સામાયિક સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ ( ભવાંતનો ઉપાય : સામાયિક યોગ. ૦ લેખિકા ૦. સુનંદાબેન વોહોરા * માંગલિક શુભાષિત * “સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે. અને પોતાનો | આત્મા પરમાત્માની તુલ્ય છે. એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે. આ યથાર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાત્વિક સમતા એ સામાયિકની ક્રિયાનો પ્રાણ છે.” સ્વ. અધ્યાત્મયોગી પૂ. પન્યાસજી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ દર્શનાબહેન દીલીપભાઈ શાહ 333, Gavain Court, Tallahasee, F.L. 32301, U.S.A. Th. : 850 656 8010 ૩૦૩, એફ.બી., ઈન્દ્રપ્રસ્થ, પ્રફ્લાદનગર, અમદાવાદ પ્રકાશન વર્ષ : પ્રથમ આવૃત્તિ: ૧૯૯૯, પ્રત : ૨૨૦૦ દ્વિતીય આવૃત્તિ: ૨૦૧૫, પ્રત : ૫૦૦ પ્રાપ્તિ સ્થાન ? સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ગુજરાત. ફોન : (૦૭૯) ૨૬૫૮૯૩૬૫ સમય : સાંજે ૫ થી ૭. શરીરને અસુખ ન પહોંચે તે માટે મન કુશળ છે. પણ આત્માને સુખ મળે એવું મન ક્યારે થશે? તે સામાયિક જેવા સમભાવયુક્ત વ્રતથી શક્ય છે. મુદ્રક : સ્નેહરશ્મિ કટારીઆ (મો) ૦૯૯૨૫૪ ૬૦૪૩પ Page #4 -------------------------------------------------------------------------- ________________ #ક ૐ અહમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજી હૈદ્રાબાદ સ્થિત, સામાયિકના બોધની મુદ્રામાં. ચરોષ Page #6 -------------------------------------------------------------------------- ________________ * ચિત્રબોધ છે મૃખપૃષ્ઠ પર ચિત્રમાં દર્શાવેલા ત્રાજવામાં એક બાજુના પલ્લામાં શ્રેણિક રાજાનો ખજાનો છે, બીજા પલ્લામાં પૂણિયાજી છે. જેમના સામયિકના ફળની માગણી કરવા શ્રેણિકરાજા પધારે છે, પૂણિયાજીનું પલ્લું ખજાનાની સામે ઊંચું થતું નથી. તેમાં સામાયિકની શુદ્ધિનું મૂલ્યાંકન છે. હકીકત એમ છે કે રાજગૃહીમાં પરમાત્મા મહાવીર પધાર્યા છે. શ્રેણિક પ્રભુના ભક્ત છે. ચારે ગતિઓનું પ્રભુ મુખે શ્રવણ કરી, હાથ જોડી પૂછે છે “પ્રભુ મારી ગતિ કઈ છે?' શ્રી પ્રભુ કહે, હે, શ્રેણિક! તે હિંસાના આનંદમાં નરક ગતિનું આયુષ્ય બાંધ્યું છે.” પ્રભુ! તમારો ભક્ત નરકમાં જશે? વળી ત્યાંના દુઃખો કેવી રીતે સહન કરશે? ઉપાય બતાવો.” છે! શ્રેણિક, આયુષ્યના બંધમાં ફેરફાર થતો નથી. છતાં શ્રેણિકની દૃષ્ટિને ખોલવા પ્રભુએ કેટલાક ઉપાય બતાવ્યા, તેમાંનો એક ઉપાય, શ્રી પુણિયાજીના એક સામાયિકનું ફળ મળે તો નરકગતિનું આયુષ્ય પરિવર્તન પામે તેમ જણાવ્યું. રાજા શ્રેણિક અતિ નમ્રભાવે શ્રી પૂણિયાજીના નિવાસે જઈને વિનયપૂર્વક પૂણિયાજીના એક સામાયિકનું ફળ માંગે છે. પૂણિયાજીને સામાયિકની ખોટ ન હતી, પણ ભાવાત્મક-આંતરિક અવસ્થાની શુદ્ધિ કેવી રીતે અપાય? રાજા શ્રેણિક એક સામાયિકના બદલામાં રાજગૃહનો પૂરો ખજાનો સ્વીકારવાની વિનંતી કરે છે. પણ પલ્લું નમતું નથી. તેથી શ્રેણિકની દષ્ટિ ખૂલે છે, સમજ પેદા થાય છે. સમતામાં આવે છે અને પ્રભુ ચરણે સમર્પિત થઈ ઉદય કર્મનો સ્વીકાર કરે છે. કર્મ પ્રમાણે નરકગતિ તો પામ્યા પણ પ્રભુભક્તિના નિમિત્તે તીર્થંકર પદવી પણ પામ્યા. તે સામાયિકનો મર્મ સમજ્યાં તેની ફળશ્રુતિ આ હતી. ધન્ય પુણિયાજી – ધન્ય રાજા શ્રેણિક. Page #7 -------------------------------------------------------------------------- ________________ * અંતરભાવ * દેવગુરુ કૃપા યુક્ત પૂ. ગુરુજનો પાસેથી તત્ત્વબોધ મળ્યો, મહાપુણ્યે તેઓની આજ્ઞા અને આશિષ દ્વારા જિજ્ઞાસુઓમાં વિનિયોગ થવાનો અવસર મળ્યો. લગભગ ૧૯૮૪ થી ૨૦૦૪ સુધી આફ્રિકાના, લંડનના અને અમેરિકાના કેટલાક સ્થળોમાં જિજ્ઞાસુ મિત્રોના સહકારથી સત્સંગયાત્રાનું આયોજન થતું. સાથે તત્ત્વના ચિંતનને લેખનમાં અવતરણ થવાનો યોગ થતો. લગભગ ૧૯૯૮માં હૈદ્રાબાદ પૂજયશ્રીની સ્થિરતા હતી. ત્યાં તેઓના સત્ સમાગમનો લાભ મળ્યો. તેઓશ્રીએ તે દિવસોમાં ખાસ સમય આપી જ્ઞાનસારના છઠ્ઠા શમાષ્ટક અને સાથે સામાયિક વિજ્ઞાનના માધ્યમથી બોધ આપ્યો. તેની કંઈ નોંધ કરી હતી. તેમાં અંતરમાં ઉદ્ભવેલા ભાવોનો ઉમેરો કર્યો અને લેખન શરૂ કર્યું તેમાંથી ભવાંતનો ઉપાય : સામાયિક યોગ પુસ્તકનું નિર્માણ થયું. વિધિ સહિત સામાયિક વ્રત જીવનનો અર્ક હતો. તેની શ્રદ્ધાએ પરદેશમાં જ્યાં જ્યાં નિવાસ થતો ત્યાં યજમાનને આ પ્રસાદિ અપાતી રહી, કેટલાકે તો સામાયિક વર્ધમાન અનુષ્ઠાન સ્વીકાર્યા. મોક્ષમાર્ગનું અનુપમ સાધન સેવાતું રહ્યું. લેખન પણ થતું રહ્યું. તેને વળી જિજ્ઞાસુઓએ સહકાર આપ્યો ૧૯૯૯માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. પ્રસ્તુત બીજી આવૃત્તિનો લાભ અમેરીકામાં વસતા દર્શના અને દીલીપભાઈએ લીધો છે. બંને આરાધકો છે, તેમની ભાવનાને સાથ આપી આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. જોકે છેલ્લા દસેક વર્ષથી નવું લેખન નહિવત્ થયું હતું. તે વળી આ રીતે કંઈક સાકાર પામ્યું. આ ભવાંતનો ઉપાય : સામાયિક યોગમાં” ૪૫ આગમોની જેમ ૪૫ વિષયોનું લેખન થયું છે. તેનું હાર્દ એક જ છે. આપણ સૌ આરાધકો આ અનુષ્ઠાનના માધ્યમ વડે પરંપરાએ મુક્તિ પામવા જેવી પાત્રતા કેળવીએ. સામાયિકના ભાવોને હૃદયાંક્તિ કરીએ તેના ૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોને ઝીલીને અલ્પકાળે પ્રભુના ચરણમાં આપણો વાસ થાય તેવી ભાવના રાખીએ. વિધિવત્ કરેલા સામાયિકથી હૃદયના ભાવોને પવિત્ર કરી, કર્મોને ઉપશાંત કરી, સમ્યકત્વને પ્રાપ્ત કરીએ અને ચારિત્રધર્મનું બળ મેળવીએ તેવી શ્રદ્ધાનો સંસ્કાર ધારણ કરી આ ભવને સાર્થક કરીએ. પૂ.શ્રીના બોધને સાર્થક કરવાનો અમૂલો અવસર સફળ કરીએ. વિશેષ ભાવના પાછળના ભાગના અનુભવેલા ભાવોમાં જણાવી છે. તે સૌ વાંચજો અને વિચારો. સૌના સહકાર બદલ અહોભાવ છે. પ્રથમ આવૃત્તિના સહયોગીઓને સ્મરણાંજલિ આપુ છું. પૂ. આચાર્ય ભગવંતોની શુભાશિષને હૃદયમાં ધારણ કરી બીજી આવૃત્તિ ભાવપૂર્વક તેમના ચરણે ધરું છું. શિવમસ્તુ સર્વ જગત . - સુનંદાબહેન * હણમુક્તિ : પ્રસ્તુત ગ્રંથમાં નીચેના મહાપુરુષોની પ્રેરણા મળી છે કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે તે સૌની પ્રત્યક્ષ-પરોક્ષ પ્રેરણા માટે અત્યંત ઋણી છું. સ્વ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી રચિત જ્ઞાનસારગ્રંથ. સ્વ. આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત પ્રશમરતિ ગ્રંથ. આ બંને ગ્રંથના વિવેચનકાર છે પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત મ.સા. સ્વ. પૂ. પચાસજી ભદ્રંકરગણિ રચિત આત્મોત્થાનનો પાયો. શ્રી અધ્યાયોગી પરમ પૂજ્ય વિજ્યકલાપૂર્ણસૂરી મ.સા. રચિત સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાન. અન્ય ગ્રંથોમાંથી રચિત સામાયિકધર્મમાંથી કથાઓ. - લિ. સુનંદાબહેન Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ - અર્પણ : સ્વ. પિતાશ્રી શાંતિલાલ મણીલાલ શાહ સ્વ. માતૃશ્રી શાંતાબહેન શાંતિલાલ શાહ સ્વ. પિતાશ્રી દામોદરદાસ સુરચંદ શાહ સ્વ. માતૃશ્રી સમરથબહેન દામોદરદાસ શાહ આપના દ્વારા મળેલા સુસંસ્કારો માટે અમે ઋણી છીએ, આપની પવિત્ર સ્મૃતિ માટે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરી આપના ચરણમાં અર્પણ કરીએ છીએ. દીલીપભાઈ શાંતિલાલ શાહ ૦ દર્શના દામોદરદાસ શાહ * અભિવાદન * દર્શન અને દિલીપભાઈનો લગભગ ૧૯૯૧થી પરિચય થયો. અમેરિકાના સત્સંગ પ્રવાસ દરમ્યાન ઓરલાન્ડો જવાનું થતું ત્યારે તેઓ તેમના રહેઠાણથી બસો પચાસ માઈલ દૂર ઓરલાન્ડો મિત્રને ત્યાં રહેવા આવતા. અને સત્સંગનો પૂરો લાભ લેતા, સમજાય તે બોધ આચરણમાં મૂકતા. આજ સુધી તેમણે મારી સાથેનો સત્સંગ અમદાવાદમાં ચાલુ રાખ્યો છે. સત્સંગના રંગથી રંગાઈને અમેરિકા છોડીને અમદાવાદ સ્થાયી થયા છે. દર્શનાબેને માસક્ષમણ જેવી અનેકવિધ તપશ્ચર્યાઓ મૌન સાથે કરીને જીવનને પાવન કર્યું છે. દિલીપભાઈએ પૂરો સાથ આપ્યો છે. વળી સાથે સાથે દર્શના બહેને સામાયિકનું અનુષ્ઠાન પૂરું કર્યું. અને દિલીપભાઈએ નિવૃત્ત થઈને શરૂ કર્યું. તે દરમ્યાન તેમના હાથમાં સામાયિક યોગનું પુસ્તક આવ્યું અને તેમને ભાવ થયો કે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવું. તેમની આ ભાવનાનો મેં સ્વીકાર કર્યો અને સહજ તેમના દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું તે માટે તેમનું અભિવાદન કરું છું અને હાર્દિકભાવે તેમની આરાધના ભવમુક્તિ માટે પ્રયોજાય તેવી પ્રાર્થના કરું છું. અમેરિકાની સત્સંગ યાત્રામાં આવા ભાવિકોનો પરિચય થયો અને આજ સુધી સ્થાયી રહ્યો તેનો આનંદ છે. સામાયિક યોગનું પુસ્તક ભવિજીવોને ઉપયોગી થશે તેવી ભાવના રાખું છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ '* સરુને વિનંતિ & '(રાગ-દેશ-મારી નાડ તમારે હાથ) સદ્ગુરુ મુક્ત થવાનો, અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. સગુરુ “મોહે કરી' બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો, લાયકાત ગુરુ નાલાયકમાં, લાવજો રે, સદ્ગુરુ ૧ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું. અંધકારમાં પ્રકાશને, પ્રગટાવજો રે. સદ્ગુરુ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો, વિશાળ દૃષ્ટિ કરીને, અમી વરસાવજો રે. સદ્ગુરુ ૩ ઉર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિદનો આવી નડે છે, આ અગવડની સરસ દવા સમજાવજો રે સદ્ગુરુ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદા ન્યારી, દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે સરુ પ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો, શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. સદ્ગુરુ ૬ જન્મ-મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા, “સંતશિષ્ય” ને એવું સ્વરૂપ સમજાવજો રે. સદ્ગુરુ ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ * શુભાશિષ અધ્યાત્મયોગી, પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી વિજ્યક્લાપૂર્ણસૂરી મ.સા. જ્ઞાન દ્વારા આત્માના પૂર્ણાનંદમય સ્વરૂપને જાણી, શ્રદ્ધાથી તેને નિશ્ચળ બનાવવાથી તેમાં જ તન્મયતા સિદ્ધ થાય ત્યારે અન્ય સર્વ સંકલ્પ-વિકલ્પો શમી જાય છે અને પરમ શાંતરસનો અનુભવ થાય છે. આત્માની આવી અવસ્થાને શમ અને સમાધિ કહે છે. શમ સમતાયોગરૂપ છે. આત્માના સહજ શુદ્ધ સ્વભાવમાં રમણતા કરાવી પરમ આનંદની અનુભૂતિ કરાવનાર છે. અધ્યાત્મ, ભાવના અને ધ્યાન આ ત્રણે યોગોનો જીવનમાં સતત અભ્યાસ કરવાથી આત્મામાં સમતાનો ઉઘાડ થાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ “સમ્યક જ્ઞાન અને સમ્યફ ધ્યાનની પરિપક્વ અવસ્થાને શમ' કહ્યો છે. આ અવસ્થામાં ચિત્ત વિકલ્પ રહિત બનીને આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન બને છે, તેના પરિણામે અવિદ્યાજન્ય ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાનો સર્વથા નાશ થવાથી સર્વત્ર “સમભાવ રહે છે. જૈનાગમોમાં સમતાભાવ રૂપ સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા છે (૧) સામ-સમાયિક (૨) સમ સમાયિક અને (૩) સમ્યક સામાયિક. (૧) સામ-સામાયિકમાં આત્માના પરિણામ મધુર હોય છે. મૈત્રી અને ભક્તિના ભાવથી ઓતપ્રોત બનતાં આત્માના પરિણામોમાં એક પ્રકારનું માધુર્ય...મધુરરસ પ્રગટે છે. જે સાકર અને દ્રાક્ષ કરતાં કોટિ ગણું અધિક હોય છે, તેવી પ્રતીતિ તેવા સાધકને થાય છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામ સ્વરૂપ છે. શત્રુ કે મિત્ર હોય, માન કે અપમાનનો પ્રસંગ હોય, સુખ કે દુઃખની પરિસ્થિતિ હોય, છતાં જેનું મન બન્ને સ્થિતિમાં સમભાવયુક્ત હોય. હર્ષશોક કે રાગ-દ્વેષથી પર હોય તે “સમછે. (૩) સમ્યક સામાયિકમાં આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે ગુણોનું પરસ્પર સંમિલન થાય છે. દૂધમાં સાકર ભળી જાય, એકમેક થઈ જાય, તેવી રીતે આત્મામાં રત્નત્રયી એકમેક થઈ જાય. એ જ સમ્યફ અર્થાતુ “સમ્મ' સામાયિક છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના બે સામાયિકનો જીવનમાં અવિરત અભ્યાસ કરતાં જયારે આત્મ સ્વભાવમાં તન્મયતા થતાં નિર્વિકલ્પ, ચિત્માત્ર સમાધિ સિદ્ધ થાય છે, ત્યારે ત્રીજું ‘સમ્મ’ સામાયિક પ્રગટે છે. આ ભૂમિકામાં સમતાનો અસ્ખલિત પ્રવાહ વહે છે, ચંદનની સુવાસની જેમ સમતા સહજપણે આત્મસાત્ બને છે. પ્રશાંતવાહિતા અને સહજ સમાધિ વગેરે નામોથી પણ આ ભૂમિકાને ઓળખાવવામાં આવે છે. સામાયિકનો પ્રાથમિક અભ્યાસ જીવનમાં સાવદ્યયોગ અર્થાત્ પાપપ્રવૃત્તિના ત્યાગ માટે જિનાજ્ઞા મુજબ પ્રયત્ન કરવાથી થાય છે. સમતાના અર્થી આત્માએ બાહ્ય અનુષ્ઠાનોની આરાધના સાથે જીવો પ્રત્યે દ્રવ્ય અને ભાવ કરુણાનો તથા શુભ ધ્યાનનો સતત અભ્યાસ કરવો જોઈએ. સર્વ યોગોમાં શુભ ધ્યાનની પ્રધાનતા છે. ધ્યાન એટલે અન્તર્મુહૂર્ત સુધી ચિત્તની એકજ વિષયમાં સ્થિરતા. ધર્મધ્યાન અને શુકલધ્યાન બન્ને પ્રશસ્ત ધ્યાન છે. પિંડસ્થ, પદસ્થ આદિ ધ્યાનોનો ધર્મધ્યાનમાં સમાવેશ થઈ જાય છે. ધ્યાન અને સમતા એકબીજાનાં પૂરક છે. ધ્યાનથી સમતા પુષ્ટ બને છે અને સમતાથી ધ્યાન પુષ્ટ બને છે. સર્વયોગોમાં સમતા શ્રેષ્ઠયોગ છે. બીજા સર્વ યોગોની સફળતા સમતા વડે જ છે. નિરંતર સમતાને લાવવા અને જીવવાનો નિરંતર પ્રયત્ન અને સતત સાવધાની એ જ સાધક જીવનનું લક્ષણ છે. સુશ્રાવિકા સુનંદાબેન તત્ત્વજ્ઞાનના રસિયા છે. દેશ પરદેશમાં તેમના તત્ત્વજ્ઞાનના કલાસમાં સેંકડો બહેનો જોડાય છે. અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોંશે હોંશે કરે છે. સામાયિક અંગેનું તેમના આ પુસ્તક સામાયિકના વિષયમાં અનેક માહિતીઓ પૂરી પાડી છે અને જીવનને સમતામય બનાવવાનો સુંદર બોધ-પાઠ આપે છે. સહુ વાચકોના જીવનમાં સામાયિક અંગેની જિજ્ઞાસા, શ્રદ્ધા અને વર્તના વધે અને તેમાં સફળતા મેળવે એ જ એક શુભેચ્છા. ૯ - વિજ્યકલાપૂર્ણસૂરિ ઈ.સ. ૧૯૯૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા %) ૧. શ્રી જ્ઞાનસારગ્રંથના શમાષ્ટકની વાચનાની સ્મૃતિનોંધ ૨. સામાયિકનું માહાભ્ય. ૩. સામાયિકઃ જિનશાસનનો અર્ક • ૪. સામાયિક માત્ર ક્રિયા નથી સાધના છે ... ૫. સામાયિકઃ વિશ્વવ્યાપી કલ્યાણનું ઘાતક ૬. સામાયિક: શૂન્યથી પૂર્ણનું સર્જન ૭. સમતારહિત કણનું સુખ અને મણનું દુઃખ? .. ૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સામાયિક ૯. સામાયિકની ઈમારતના પાયા છે : સમય-સમજ ....... ૧૦. સામાયિક ક્યારે કરવું? ......... ૧૧. સમભાવ રહિત દેહના નેહથી શું બન્યું? . ૧ર. સામાયિક અહં વિલય - મનોનિગ્રહ ૧૩. સામાયિક અખંડ આત્માની અખિલાઈનું અવતરણ ૧૪. સામાયિક સાધના માર્ગની સંપત્તિ ... ૧૫. સામાયિકઃ સર્વજ્ઞનું વચન પ્રમાણ. ૧૬. સામાયિક અંધકારથી અજવાળા તરફ ૧૭. સામાયિકઃ નિરાવરણ જ્ઞાનનો અભિગમ ૧૮. સામાયિકઃ ધર્મ અને કર્મના ભેદનું જ્ઞાન .. ૧૯. સામાયિક વ્રતનો મર્મ ૨૦. સામાયિક મનુષ્ય જીવનની ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ સાધન ૨૧. સામાયિક: આત્મપરિચય ... રર. સામાયિકઃ આજ્ઞાપાલકનું ઔચિત્ય ... ૨૩. સામાયિકના પરિણામ = ઉપશમ આણો ઉપશમ આણો .......... ૨૪. અનંતની અંધકારભરી ભીડથી મુક્તિ માટેની અંતિમયાત્રા ૯૭ ૨૫. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન અને અનુષ્ઠાન ૨૬. સામાયિકમાં પંચાવયવ અનુષ્ઠાન ૨૭. સામાયિકના અભ્યાસ દ્વારા શુક્લ પાક્ષિક જીવન ૧૦૯ o ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ” ૨૮. સામાયિકનું શિખર, પરમસમાધિ ... ૨૯. ઉપાસકનું અંતરનિરીક્ષણ . • ૧૧૪ ૩૦. સામાયિકનું તાત્ત્વિક સ્વરૂપ ૩૧. સામાયિકના સાધકની મનોદશા ... ૩૨. સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીની યાત્રા. ૩૩. સામાયિક - યોગી મહાત્માનું ૩૪. સામાયિકમાં શું કરશો? વિધિસહિત પ્રયોગ ૩૫. સામાયિક વડે વિદનનાશ.. ૧૩૪ ૩૬. સામાયિક તથા સર્વ અનુષ્ઠાન કે ક્રિયાનું માંગલિક સૂત્ર નવકારમંત્ર... ૧૩૬ ૩૭. સામાયિક વિધિની સ્થાપના પચિદિય સૂત્ર • ૧૪૩ ૩૮. ખમાસમણ સૂત્ર: વિનય મૂલો ધો • ૧૪૪ ૩૯. ઈરિયાવહી સૂત્રઃ શિવમસ્તુ સર્વ જગત (લઘુ પ્રતિક્રમણ) ન્મ ૧૪પ ૪૦. વિશેષ ભાવશુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર ૪૧. કાયોત્સર્ગસૂત્રથી દેહભાવના મમત્વના મોચનની પ્રતિજ્ઞા ... ૧૪૭ ૪૨. કાયોત્સર્ગની વિશેષતા - ૧૫૦ ૪૩. લોગસ્સ સૂત્રથી કાયોત્સર્ગમાં સ્થિરતા માટે તીર્થકરનું ધ્યાન-સ્તુતિ ... ૧૫૩ ૪૪. કરેમિભંતે સૂત્રથી સર્વ પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા ... ૧૫૫ ૪૫. બહુસો સામાઈયં કુજા.” - ૧૬૨ ......., - ૧૬૪ - ૧૭ર - ૧૮૩ • પ્રસંગોચિત છે. ૧. ચોવીસ તીર્થંકરનું સંક્ષિપ્ત સ્વરૂપ ૨. સામાયિકના વિશિષ્ટ દૃષ્ટાંતો ૩. પૂજ્ય શ્રી કલાપૂર્ણસૂરિજી રચિત . | સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાનમાંથી ૪. પૂ. શ્રી ભદ્રંકરવિજ્યજી રચિત આત્મોત્યાનના પાયો ગ્રંથમાંથી ૫. સારાંશ, ચૈતન્ય શક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ. ૬. સામાયિકથી અનુભવેલું કંઈક 9. શ્રતમ ... , ૧૮૦. પાપા - ૧૯૧ - ૧૯૪ ૨૦૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ * માંગલિક * करेमिभंते सामाइयं, सावज्जं जोगं पच्चकखामि હે ભગવંત હું સામાયિક કરવા ચાહું છું. અર્થાત સર્વ સાવધ પાપ વ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરું છું. समता सर्वभूतेषु संयमः शुभभावना । आर्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् । સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, સંયમ, શુભ ભાવના અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનો ત્યાગ એ જ સામાયિક વ્રત છે. जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इद केवलिभासियं ॥ સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે જેનો આત્મા સંયમ, નિયમ (વ્રત) અને તપમાં સારી રીતે આવેલો છે. તેને સામાયિક હોય છે. અર્થાતુ કે આત્માને સંયમ, નિયમ અને તપમાં લાવવો તેનું નામ સામાયિક છે. तस्माज्जगाद् भगवान सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसाने कदुःख नाशस्य मोक्षस्य । ભગવાને શારીરિક અને માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષના પરમ ઉપાય તરીકે સામાયિકને જ કહેલું છે.” जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ।। સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે જે ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિવાળો છે, તેને સામાયિક હોય છે.” તાત્પર્ય કે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ કેળવવો, મિત્રભાવ રાખવો એ સામાયિક છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૧. શ્રી જ્ઞાનસારગ્રંથના શમાષ્ટકની વાચનાની પ્રસાદિ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજ્યકલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યમાં વાચનાનું આ સંભારણું છે. હૈદ્રાબાદ તા. ૧૬-૧-૯૯ થી ૧૯-૧૯૯ શ્રી જ્ઞાનસાર ગ્રંથના શમાષ્ટકના પ્રથમ શ્લોક આધારિત વાચનાની નોંધને અત્રે ઉદ્ધત કરવામાં આવી છે. વિલ્પ વિષયોત્તીર્ણઃ સ્વભાવાલમ્બનઃ સદા | જ્ઞાનસ્ય પરિપાકો યઃ સ શમઃ પરિકીર્તિત - ૧. શમાષ્ટજ્ઞાનસાર અર્થ : વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય. હું કંઈક છું, કંઈક દાનાદિ કરું છું, વગેરે વિકલ્પ રહિત અત્યંત શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાનસ્વરૂપ એવી આત્માની આ દશાને સમભાવ કહે છે. જ્ઞાનનું પરિપક્વ થવું તે સમભાવ છે. સમભાવનું માહભ્ય સામાયિક દ્વારા સમજાવતા. સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર જ્ઞાન, જેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. જ્ઞાનથી મોહ નષ્ટ થાય, જીવ સંસારનાં દુઃખોથી મુક્ત થાય, માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાંખે તે તો મોતીનો ચારો ચરે તેમ, સાધક-જ્ઞાની સંસારના વ્યવહારિક પ્રયોજનને અગ્રિમતા ન આપે. તે તો જ્ઞાનીઓએ આપેલો બોધ ગ્રહણ કરે. કરેમિ ભંતેનું સૂત્ર કે નવકારનું એક પદ પણ આત્મજ્ઞાન કરાવે જે મોક્ષનું સાધન છે. આત્મજ્ઞાન જેવું ઉત્તમ સાધન બીજું કોઈ નથી. આત્મજ્ઞાન વિભાવ રહિત સ્વભાવની શુદ્ધિ કરાવે. દોષો નષ્ટ થાય, ગુણોની વૃદ્ધિ થાય, ચારિત્ર શુદ્ધ થાય, વિરતિધર્મમાં આવે. આ પ્રકારે જ્ઞાનનું ફળ વિરતિ છે, વૈરાગ્ય છે. આવું આત્મજ્ઞાન ગુરુમય વડે મળે તે માટે ગુરુનું બહુમાન તે, Page #17 -------------------------------------------------------------------------- ________________ અવંધ્ય કારણ છે. ગુરુના બહુમાન રહિત શાસ્ત્રનું જ્ઞાન જીવનું પતન કરાવે. આ જન્મે કે અન્ય જન્મે ગુરુ તીર્થંકરનો યોગ કરી આપે છે. માટે ગુરુમય સર્વોચ્ચ સાધન છે. ગુરુ પ્રત્યે બહુમાન વડે તેમનું વચન સાધકને પ્રેરક બને છે. તે શુભભાવના કે શુભોદયનું કારણ બને છે. પુણ્યનો અનુબંધ કરાવી પુણ્યમાં વૃદ્ધિ કરે છે. તે પુણ્યની મોક્ષમાર્ગે દ્ધિ પહોંચાડવાનું સાધન બને છે. રોગીને ધનવંતરી વૈદ્ય મળે, તેના રોગનું નિવારણ કરે તેમ ગુરુનું બહુમાન જીવના ભવરોગનું નિવારણ કરાવનારું ઉત્તમ તત્ત્વ છે. ગુરુનું બહુમાન ન હોય તો તેમનાં વચન માન્ય થતાં નથી પણ જીવ વિકલ્પ કરી અંતરાય બાંધે છે. કુંભાર લાકડી વડે ચાકડો ફેરવે, ઘડો આકાર પામે. એ જ લાકડી વડે ઘડો ફોડી શકાય. તેમ ગુરુના વચન વડે જીવ ઘડાય પણ જો વચન માન્ય ન કરે તો જીવન વ્યર્થ જાય. ગુરુના વચન આત્મભાવને પમાડવા માટે છે. કોઈ યોગ કે અનુષ્ઠાન, પરમાત્મા કે ગુરુની ભક્તિ વડે મુક્તિના ભાવને ભાવિત કરે છે. આવા બહુમાનનું સૂત્ર જ નવકારથી શરૂ થાય છે. “નમો અરિહંતાણં” આ સૂત્ર અહંકારને ગાળીને જીવને નમ્ર બનાવે છે. ધર્મનું મૂળ વિનય છે. કોઈ પણ શ્રેષ્ઠ તત્ત્વનો આદર તે સાધકની પાત્રતા છે. ગુરુ ગૌતમ સ્વામી વિનયના ગુણ વડે ભક્તિની ટોચે પહોંચ્યા જે ભક્તિ તેમને મુક્તિદાતા બની. આવા મહાન મહાત્માઓએ જે ગુણ વડે સિદ્ધિ પ્રાપ્ત કરી એ જ ગુણ વડે અન્ય જીવો પણ સાધ્યને સિદ્ધ કરી શકે. સામાયિકની સાધનાનું ફળ કેવળજ્ઞાન છે. શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ત્રણે ચક્રવર્તી હતા. અપાર ઐશ્વર્યના સ્વામી હતા. હજાર સુંદરીઓના પતિ હતા. છ ખંડની પૃથ્વીના અધિપતિ હતા. છતાં સર્વસંગ પરિત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે પ્રથમ (આજીવન) સામાયિક લીધું. કરેમિભંતે સૂત્રથી સ્વયં સર્વવિરતિને ગ્રહણ કરી. તે સમયે જ મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. તેમાં સામાયિકચારિત્રનો મહિમા છે. જેની ફળશ્રુતિ કેવળજ્ઞાન છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ગણધરોને પ્રથમ સર્વ-વિરતિ સામાયિક ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ આપ્યું, ત્યાર પછી ત્રિપદી આપી. પરમાત્માના વચનથી ગણધરો અપ્રમત્ત દશાને પ્રાપ્ત થયા. આપણા જીવનમાં ગણધરોના, પછી પરંપરાએ મળતા ગુરુવચનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ગુરુ દોષોને છોડાવી આત્મગુણો પ્રત્યે લઈ જાય છે. ભૌતિક જગતમાં આત્માના ગુણોના જેવું કશું જ ઉત્તમ કે પૂર્ણ નથી. પરંતુ જીવ ને મોહે અંધ કર્યો છે. મોહની આંખે જોવાથી જીવ બંધાય છે. મોહ શમે, જીવને ઉપયોગની સ્થિરતા આવે ત્યારે સામાયિકના પરિણામ યથાર્થ બને. સામાયિક ઉપયોગની સ્થિરતા માટે છે. જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન-શુદ્ધજ્ઞાનમય છે. જો સત્તામાં કેવળજ્ઞાન ન હોય તો તેને ઢંકાવાપણું નથી રહેતું કે પછી પ્રગટ થવાપણું નથી. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન પોતે જ અજ્ઞાન છે તેને આવરણ ન હોય. મોહે આ પાંચ જ્ઞાનને આવરિત કર્યા છે. સામાયિક એ સમતા છે, સમાધિ અવસ્થાનું દ્યોતક છે. યોગના આઠ અંગમાં આઠમું અંગ છે. સાત અંગ એ દશામાં જવાનાં પગથિયાં છે. ચિન્મય સમાધિ એ આત્માની જ અવસ્થા છે. તે અધ્યાત્મભાવના, ધ્યાન કે સમતા વગર સંભવે નહિ. વળી ધ્યાન કે સમતા અધ્યાત્મભાવના વડે પરિપકવ થાય. પદાર્થનું યથાર્થ જ્ઞાન ન હોવાથી જીવને પદાર્થમાં રાગાદિભાવ થાય છે. પર પદાર્થમાં કંઈ સુખ નથી એવી શ્રદ્ધા અધ્યાત્મભાવના વડે ટકે છે. સામાયિકના ત્રણ ભેદ સમ્યકત્વ, શ્રુત, ચારિત્રા ૧. સમ્યકત્વ સામાયિક - જિનવર કથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તથા સતદેવ, સત્વગુરુ, સધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા. શુદ્ધાત્માના લક્ષે પ્રવર્તન તે સમ્યકત્વ સામાયિક છે. આ સમ્યકત્વ પૂર્વના બળવાન આરાધક જીવને સ્વાભાવિકપણે કંઈ પણ નિમિત્ત વગર પ્રગટ થાય છે. તે સાધકાત્માએ પૂર્વે દઢપણે સર્વજ્ઞની કે ગુરુવચનની યથાર્થ શ્રદ્ધા કરીને સંસ્કાર દેઢ કર્યો હોય છે. તે સિવાય જીવોને સગુરુના યોગે, શાસ્ત્ર શ્રવણ વગેરે નિમિત્તથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગુશ્રદ્ધામાં ઉપયોગની ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતા તે સમ્યકત્વ સામાયિક છે. ૨. શ્રુત સામાયિક: ગીતાર્થ ગુરુજનોના અત્યંત બહુમાનથી તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયનથી, શાસ્ત્રના સૂત્ર અને અર્થ તથા તદુભયના સેવનથી શ્રુત સામાયિકની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગની એકાગ્રતા તે શ્રુત સામાયિક છે. ૩. ચારિત્ર સામાયિક :- વિરતિ રૂપ સામાયિક, બે પ્રકારે છે. ૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ ૧. સર્વવિરતિ ચારિત્ર સામાયિક મુનિજનોને હોય છે. સર્વસંગ પરિત્યાગી મુનિને સર્વ સાવદ્યપાપ વ્યાપારનો ત્યાગ હોય છે. તે મહાવ્રતી છે. ચારિત્ર આત્માનો વિશુદ્ધ પરિણામ છે. સર્વવિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા સર્વ વિરતિ સામાયિક છે. ૨. દેશવિરતિ વ્રતધારી શ્રાવકને હોય છે. સાવદ્ય પાપવ્યાપારનો અંશતઃ ત્યાગ હોય છે. તે અણુવ્રતી હોય છે. દેશ વિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા તે દેશ વિરતિ સામાયિક છે. અર્થાત્ સમતાના પરિણામયુક્ત ઉપયોગ હોય તો તે સામાયિક છે. ઉપયોગ સમતા યુક્ત હોય તો તે વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમય આત્મા જ સામાયિક સ્વરૂપ છે. આથી એમ જણાય છે કે આવા મહિમામય સામાયિકની પ્રાપ્તિ કે સામાયિકધર્મ દુર્લભ છે. આ ત્રણ પ્રકારના સામાયિકનું પરમભાગ્ય માનવને મળ્યું છે. આવો ખજાનો ગુમાવી દેવો તે નર્યું અજ્ઞાન છે. અનંત પુદ્ગલ પરાવર્તનકાલ સુધી જન્મમરણની પરિક્કમા થયા પછી મહાભાગ્યે ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં જીવ આવે છે અપુનબંધક અવસ્થામાં પહોંચે છે. કષાયોની અત્યંત મંદતા થાય છે. ત્યારે વળી ચરમયથાપ્રવૃત્તકરણ પછી વૈરાગ્યથી તીવ્ર પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાધક ગ્રંથિભેદ કરી સમ્યકત્વ કે શ્રુત સામાયિકની પ્રાપ્તિ કરે છે. આવું મૂલ્ય ચૂકવ્યા વગર અચિંત્ય એવું સ્વરૂપમય તત્ત્વ પ્રાપ્ત થતું નથી. શ્રુત તથા સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય: સર્વજ્ઞ પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન, તત્ત્વબોધ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રવણની તીવ્ર જિજ્ઞાસા, ધર્મારાધનામાં દઢ નિષ્ઠા. શત્રુ પ્રત્યે પણ સમભાવ, વિષય વાસના પ્રત્યે વૈરાગ્ય. આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા સહિત તેની પ્રાપ્તિની તીવ્ર અભિલાષા, દુઃખી જીવો પ્રત્યે કરુણા, ભવભ્રમણ પ્રત્યે ખેદ. દેહ અને આત્માની ભિન્નતાની સજગતા. તેના ભેદજ્ઞાન વગર દર્શનમોહ નષ્ટ નથી થતો. સમ્યકત્વ સામાયિકનું પાદચિન્હ ભેદજ્ઞાન છે. આવા ગુણોયુક્ત સાધક સમ્યકત્વ સામાયિકની પ્રાપ્તિ કરે છે. શ્રત સામાયિક તથા સમ્યકત્વ સામાયિક બંને જુગલબંધી જેવા છે. અન્યોન્ય સહાયક છે. આમ સામાયિકના પરિણામની શુદ્ધિ થતાં તે આત્માર્થી દેશવિરતિ સામાયિકની પાત્રતામાં આવે છે. સર્વવિરતિ સામાયિકનો અર્થી : સર્વ વિરતિ સામાયિકનો અર્થી સર્વસંગ પરિત્યાગી છે. તેની સમસ્ત ક્રિયાભાવના મોક્ષમાર્ગને અનુસરે છે. સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થતી રહે છે. જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અખંડ શ્રદ્ધાનો ધારક હોય છે. ગુરુની આજ્ઞાને આધીન વર્તે છે. અંતે એકાંત સાધનાનો ક્રમ સાધે છે. અંતે નિર્વિકાર સમાધિને પામે છે. નિઃસ્પૃહભાવે ધર્મકાર્યોમાં પ્રયત્નશીલ હોય છે. તેનાં તે સર્વ કાર્યો સામાયિક ચારિત્રને અનુરૂપ કે પૂરક હોય છે. સર્વ જીવની રક્ષાયુક્ત સર્વ વિરતિ સામાયિક છે. ઉપયોગ શૂન્ય સામાયિક માત્ર ક્રિયા છે. ઉપયોગપૂર્વક સામાયિક ભાવ સામાયિક હોવાથી તે આત્મજ્ઞાનને પ્રગટ કરનારું છે. આત્મામાં પ્રવેશ કરાવે તે સામાયિક છે. દેશવિરતિ સામાયિકનો અર્થી પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રોક્તવિધિયુક્ત આરાધન કરે છે. ગુરુનું બહુમાન પૂર્વક વંદન ધર્મશ્રવણ આરાધન કરે છે. નવકાર મંત્ર, જિનેશ્વર ભક્તિ, વિધિ સહિત પૂજા, દાનાદિ ધર્મ પાળે છે. આવશ્યક ક્રિયાઓ નિયમિત કરે છે. વ્રતાદિનું પાલન કરે છે. આરંભ સમારંભ કે પરિગ્રહનો સંક્ષેપ કરે છે. સાંસારિક પ્રસંગો કે વ્યવહારોને છોડતો જાય છે. ન્યાયનીતિપૂર્વક જીવન જીવે છે. મૈત્રી કે અનિત્યાદિ ભાવનાઓનું ભાવન કરે છે. આ પ્રમાણેના આચારો ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ વડે દેશવિરતિ સામાયિકની શુદ્ધિ કરીને સર્વ વિરતિ સામાયિકની ભૂમિકામાં પહોંચે છે. સામાયિક પદનું રહસ્ય : સામ, સમ, સમ્મ ત્રણે પ્રકાર આત્માના પરિણામ છે. ત્રણે શબ્દો અન્યોન્ય પૂરક છે. (૧) સામ : મધુર પરિણામ. મૈત્રીભાવથી ભરપૂર હોવાથી તેમાં મધુરતા હોય છે. સર્વત્ર સમાન વ્યવહાર, ભક્તિરસનું માધુર્ય હોય છે. ભક્તિરસના માધુર્ય જીવના પરિણામમાં સાકરની જેમ મધુરતા ટકાવે છે, તેથી શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ ટકે છે. તે શાંતિ અને નમ્રતાનો અધ્યવસાય છે. સર્વાત્માને સ્વાત્મ સમાન જાણે છે. પોતાના દુઃખ નિવારણની સાથે અન્યના દુઃખનું નિવારણ કરે છે. અન્યના અપરાધને ક્ષમા આપે છે. સમ ઃ તૂલ્ય પરિણામ; સમાન વ્યવહાર. સ્થિરપરિણામ સ્વરૂપ છે. રાગદ્વેષ રહિત અવસ્થા, શત્રુમિત્ર પ્રત્યે, સમાન વ્યવહાર, માનઅપમાન, કનક હો કે પાષણ હો, વંદક હો કે નિંદક હોય દરેક પ્રત્યે સમાન-તૂલ્ય ભાવ. મધ્યસ્થભાવ. માન અપમાન સમ ગણે, સમ ગણે ક્નક પાષણ રે, વંદક નિંદક સમ ગણે, ઈસો હોય તું જાણ રે. શાંતિનાથજિન સ્તવન આનંદધનજી. ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગમાં અજ્ઞાનવશ મોહવશ, રાગદ્વેષના પરિણામ થાય છે. શ્રુત કે સમ્યજ્ઞાનના અભ્યાસ વડે વિવેક જાગૃત થતાં પર પદાર્થોમાં થતી ઈષ્ટાનિષ્ટની કલ્પના દૂર થાય છે, તેથી ચિત્ત સમવૃત્તિ ધારણ કરે છે. ઘોડા જેવાં પ્રાણીને અલંકાર પહેરાવો કે કાઢો તેને તેમાં હર્ષ વિષાદ નથી, તેમ મુનિને ઈષ્ટ મળો કે અનિષ્ટ મળો સમવૃત્તિ છે. - શાસ્ત્રાનુસાર અભ્યાસને કારણે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાપાલનરૂપ પરમભક્તિ પ્રગટ થાય છે, જેથી યોગોની પ્રવૃત્તિમાં સૌમ્યતા આવે છે. સમરસભાવ પેદા થાય છે. ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ આ સામાયિકના પ્રાયે મુનિ અધિકારી છે, તે મૈત્રી આદિ ભાવનાથી ભૂષિત હોય છે. મુનિ પોતાની આત્મસત્તાને સમસ્ત જીવોથી અભિન્ન જાણે છે, તેથી ક્યારે પણ સંક્લેશ પરિણામ થતા નથી. સંસારમાં, જે કંઈ વિવિધતા કે વિચિત્રતા છે તે કર્મયુક્ત છે. પ્રત્યેક જીવ કર્મવશ શુભાશુભ ભાવ કે વર્તન કરે છે. આવા કર્માધીન જીવો પ્રતિ મુનિ મધ્યસ્થ છે. શાસ્ત્રના અધ્યયન દ્વારા, આત્મચિંતન, કે કર્મવિપાકના ચિંતન દ્વારા, અનિત્યાદિભાવના દ્વારા સમભાવ પેદા થવાનો સંભવ છે. સદ્ગુરુના બહુમાનપૂર્વક વિધિયુક્ત શાસ્ત્ર અધ્યયનથી ગૂઢ જ્ઞાન દ્વારા ચિત્ત સમભાવમાં આવે છે. સમ્મ સામાયિકઃ દૂધમાં સાકર ભળી ગયા પછી તેને છૂટી બતાવી શકાતી નથી તેમ સમ્મ પરિણામની ધારામાં રત્નત્રયનું એકીકરણ થાય છે. સામ અને સમ પરિણામરૂપ સામાયિકના અભ્યાસ-પરિણામથી સ્વભાવતન્મયતા થાય છે. તે ચિન્મય સમાધિ છે. સમતારૂપ પરિણામની ધારાનું સાતત્ય છે. મુનિ અવસ્થામાં આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. તે મુનિ આત્મસ્વભાવમાં.રમણતા, સ્થિરતા અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. પરભાવમાં જવું તે યોગીને દુઃખદાયક છે. વાસ્તવમાં આ ભૂમિકા યોગની સાતમી કે આઠમી દૃષ્ટિમાં હોય છે. તેઓ અંતરંગ સુખના ભોક્તા છે. બાહ્ય સુખ સામગ્રીમાં ઉદાસીન છે. કોઈ પદાર્થના કર્તા નથી પણ સાક્ષી છે. સ્વસ્વરૂપ પરિણામના કર્તા હોવાથી ભોક્તા છે. સર્વનું આત્મિક સુખ સમાન છે. જેમ મીઠાઈનો સ્વાદ સર્વને સમાનપણે આવે છે. તેમ સમફત્વનું સુખ સમાન છે. પ્રયોગ : શ્રાવકે દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે કરવા. દાનાદિ સદાચાર યુક્ત વ્યવહાર કરવો પરમાત્માના ગુણોનું ચિંતન કરવું. નિત્ય ધ્યાન ચિંતન કરવું. શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનું નિરંતર ચિંતન કરવું, સુવર્ણ માટી સમાન છે, તે પૃથ્વી તત્ત્વ છે તેમાં મોહ કરવા જેવો નથી તેમ ચિંતવવું. દોષોની નિરંતર ક્ષમાપના કરવી. વ્રત ધારણ કરવા. પરપદાર્થથી ભેદજ્ઞાન કરવું. સાધકની ભાવનાનો વિસ્તાર થતો જાય તેમ ચિંતન સૂમ બનતું ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ જાય. આ વિશ્વમાં કોઈ પદાર્થ મારો નથી. આ દેહ પણ મારો નથી. દેહ પડોશી છે. પડોશીનું દુઃખ જણાય પણ તન્મય ન થવાય. તેમ દેહના દર્દ ઉપયોગમાં જણાય પણ તન્મય ન થાય. આવું ચિંતન સમભાવ પેદા કરે. આમ ભાવના કરતો સાધક સર્વવિરતિના પરિણામનું ચિંતન કરે છે. અને ભવિતવ્યતાના યોગે યોગીપણું પામે છે. - જ્ઞાનનો પરિપાક : આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું પરિણમન તે સમતાયોગ છે. મહામુનિઓની એ અવસ્થા છે. સમતાયોગની આવી ઉચ્ચ દશા અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ વડે સાધ્ય બને છે. અધ્યાત્મયોગ ચિત્તવૃત્તિઓના શમનવાળો, નિર્મળવૃત્તિવાળો નિરંતર અધ્યાત્મયોગને સાધે છે. ભાવનાયોગઃ મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ વડે સમવૃત્તિવાળો હોય છે. તત્ત્વચિંતન યુક્ત હોય છે. ધ્યાનયોગઃ પ્રશસ્ત વિષયમાં સ્થિર દીપકની જેમ નિશ્ચલ ઉપયોગવાળો. આવો સમાયોગી કોઈ શુભાશુભ વિષયમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ કરી વિચલિત થતો નથી. કર્મથી ઉત્પન્ન થયેલા વિવિધ ભેદનો વિકલ્પ નથી તેવો એ યોગી જગતના જીવોને આત્મવત્ જાણે છે. સ્વરૂપમાં તે અભેદપણે રહે છે તેમ ચૈતન્યમાત્રમાં અભેદભાવે જુએ છે. કારણ કે તે વિશ્વનું અવલોકન ચર્મચક્ષુ વડે કરતો નથી. શુદ્ધ આત્મસ્વરૂપે વિશ્વ દર્શન કરે છે. આમ દ્રવ્યથી આત્મસ્વરૂપે અને પર્યાયથી સંસારકાલીન અવસ્થાઓની ભિન્નતાને જાણીને પોતે શમરસમાં નિમગ્ન છે. સમદર્શી યોગી માનવમાં ઉચ્ચતા કે નીચતાને જોતા નથી તેમ પશુ આદિમાં પણ ભેદ જોતા નથી. સર્વત્ર ચૈતન્યનો વિલાસ નિહાળી અવિચળ રહે છે. સમાધિદશાને પ્રાપ્ત કરનાર, આરાધન કરનારને બાહ્ય આચારાદિ હોય છે, પરંતુ જે સમાધિયોગમાં નિશ્ચલ થયો છે તે સમભાવ વડે સ્વરૂપ રમણતામાં લીન છે. સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને બાહ્ય પ્રવૃત્તિ, વિધિ, આચાર ઉદયબળ હોય છે, પરંતુ તે સર્વે ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમાધિયોગ પ્રત્યે લઈ જનાર હોય છે. જેથી અશુભ સંકલ્પોથી રક્ષા થઈ શુભસંકલ્પ દ્વારા આરાધનામાં દઢ રહે છે. અનુક્રમે સમાધિયોગને સાધતો અંતરંગ ક્રિયાવાળો યોગી સમસમતાયોગ દ્વારા જ વિશુદ્ધ થાય છે. ત્યાર પછી અસંગ-અનુષ્ઠાનની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. જે જિનકલ્પી મુનિઓને હોય છે. મૈત્રી આદિ ભાવના દ્વારા ધર્મધ્યાનની અવિરત ધારા ચાલે છે. ત્યારે પરહિતચિંતા જીવરક્ષાવાળા યોગીમાં પ્રેમ-કરુણાનો સ્ત્રોત વહે છે. નિઃસ્પૃહ યોગી વૈરાગ્યની ભાવનાથી નિરંતર આત્મધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેમાંથી જે સમરસ પેદા થાય છે તે સમસ્ત વિકારોનો નાશ કરે છે. ગ્રંથકાર જણાવે છે કે જ્ઞાન, ધ્યાન, તપ શીલાદિ દ્વારા જે મોક્ષરૂપ પરિણામ પ્રાપ્ત થતો નથી તે શમરસનો સ્વામી પ્રાપ્ત કરે છે. એ સમરસ શું છે.? અહો ! આત્માની રાગદ્વેષ રહિત પરમશાંત અવસ્થા, જે અવસ્થામાં વિશ્વને તત્ત્વપણે પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જોવાની, અનુભવવાની સિદ્ધિ છે. સામાન્ય માનવી આત્માની આ અખિલાઈને આંબી શકતો નથી. કારણ કે તે ફકત બાહ્ય અવસ્થા - પર્યાયને જાણે છે. પોતે પોતાની જાતને જ્ઞાની માને છે. ત્યારે તે અન્યને અજ્ઞાની માને છે. પોતે કંઈ ત્યાગમાર્ગે વળ્યો તો અન્યને મોહાંધ માને છે. પરંતુ શમરસના સ્વાદવાળો યોગી તો સર્વત્ર આત્માના ચૈતન્યસ્વરૂપનો ચાહક છે. તેથી અભેદ સ્વરૂપને જાણી શકે છે. સમતારસના યોગીના અસંખ્યાત આત્મ પ્રદેશો “શમ'થી ભરપૂર છે. કહેવાય છે કે એ સમતા રસમાં નિમગ્ન યોગીને મોક્ષના સુખની પણ અભિલાષા નથી. તેઓ સ્વયં મોક્ષસ્વરૂપ થયા છે. જે આત્મા આવા ઉપશમરસના સુખને આસ્વાદે છે, તેને આ જગતના જડ પદાર્થોની આસક્તિ સ્વયં દૂર રહે છે. રાગાદિનું વિષ આત્માના અમૃત દ્વારા નષ્ટ થઈને રહે છે. આવા આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભ્રામક સુખ, વિષ સમા વિષયોને ત્યજવા જ પડે. સંસારભાવ સચવાય અને મોક્ષ થવા કહેવું સંભવ નથી જ નથી. માટે દઢ મનોબળ Page #25 -------------------------------------------------------------------------- ________________ વડે ભૌતિક પદાર્થોના પ્રલોભનોથી, વિષયોથી ઈન્દ્રિયોને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સન્શાસ્ત્ર અને સંત-જ્ઞાની મહાત્માઓનો પરિચય આવશ્યક છે. કર્મગ્રસ્ત, દુઃખત્રસ્ત અને સંસારમાં વ્યસ્ત જીવો કેવા ભયાક્રાંત છે? તેનો ચિતાર નજરમાં રાખી, જગતના સ્વરૂપનો વિચાર કરવો, પ્રારંભમાં સુખના ભ્રમવાળાં પરિણામે દુઃખદાયક એવા વિષયો, કામનાઓ અને વૃત્તિથી સર્યું. પુરુષાર્થને ફોરવો. આત્મા સામર્થ્યવાન છે. સંતપુરુષોનો સાથ છે, તેમના બહુમાન વડે તમારા આત્માને ઓળખો. મુનિરાજો દેહને ગૌણ કરી સદા આત્માનું રક્ષણ કરે છે. તેમની પાસે શમ, સમતાનું મહાબળવાન સૈન્ય છે. જ્ઞાન ધ્યાન અને વૈરાગ્ય જેવાં બળવાન સેનાનીઓ છે. આવા યોગી, મુનિને, ઈન્દ્રિયો કે તેના વિષયો શું કરી શકે? સમતાનું આ પ્રભુત્વ મુક્તિદાતા છે. સામાયિકનું સમભાવનું સમતાનું સામર્થ્ય શાશ્વત સુખના સોપાન સિદ્ધ કરનાર છે. આ શમાષ્ટકનો સાર છે. - - - - - -- [ “પરહિતની વૃત્તિ અને પ્રવૃત્તિમાં સ્વહિતનું સંવેદન થવું. | | એ સાધના શુદ્ધ રીતે થઈ રહી છે, એનું પ્રમાણ છે. મારા પ્રયત્ન ! સિવાય મને કોઈ સુખી કરી શકે નહિ, એવા એકાંતવાદમાં ! જીવરાશિની હિતચિંતા કરનારા મહાન આત્માઓની અવગણના | થાય છે. તેમ જ મહાન આત્માઓનું અસ્તિત્વ જ નથી, અને છે ! તો તેઓ પોતા સિવાય અન્યનું કંઈ શુભ કરી શકતા નથી, એવી | 1 મિથ્યા માન્યતાનું પોષણ થાય છે.” 2 2 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨. સામયિકનું માહાભ્ય “સામાયિક તે હિ જ આત્મા” શ્રી ભગવતી સૂત્ર સામાયિકનો અર્થ. સમ-આય-ઈક = સામાયિક. સામાયિક શબ્દ, સમાય-કે સામાય પદને ઈક પ્રત્યય લાગવાથી સામાયિક થાય છે. સમાય એટલે સમનો લાભ - સમની પ્રાપ્તિ. સમ સ્વયં એવો મહિમાવાન શબ્દ છે કે તેને આત્મસ્વરૂપ માનવામાં આવે છે. આત્માના દરેક પ્રદેશ અજવાળતો સિદ્ધ કરતો આ ગુણ છે. એટલે તેમાં ઘણા ગૂઢાર્થ રહેલા છે. સામાયિકના ત્રણ પર્યાયવાચી શબ્દો છે. સામ, સમ, સમ્મ. • સામ = એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપમગ્નતા, અનાદિકાળથી આત્મા કર્યાવરણ વડે વિષમ છે, તેને દૂર કરી સમત્વમાં આવવું. મધુર પરિણામ. સમ = સમભાવ, મિત્રતા, નિર્દોષ બંધુત્વ, સર્વાત્મમાં સમદષ્ટિ રાખવી. રાગદ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયથી મનને શાંત કરવું. તુલ્યભાવ. સમ્મ = સમ્યગું દર્શન-જ્ઞાન-ચારિત્રનો સમન્વય સમ્યગુ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રને શુદ્ધ કરવું. ત્રણેનું ઐક્ય. આ પ્રકારના સમનો લાભ તે સામાયિક, આવો સમતાનો લાભ જેમાંથી મળે જેના વડે મળે તે સામાયિક સામ પરિણામ : મધુર પરિણામ-મૈત્રી ભાવના સમ પરિણામ : તુલા પરિણામ - સુખ દુઃખમાં તુલ્ય પરિણામ સમ પરિણામ ખીરખંડયુક્ત મિશ્ર પરિણામ = ગુણોનું ઐક્યા સમતા સર્વ ભૂતેષ સંયમ શુભ ભાવના : આત રૌદ્ર પરિત્યાગ અદ્ધિ, સામાયિકંવ્રતમ્. સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો, પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ૨૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ સંયમ કરવો. મૈત્રી આદિ સમભાવના સેવવી. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાવવું. જેથી સમભાવ વૃદ્ધિ પામે. આ સમાયિક વ્રતનાં લક્ષણો છે. આ લક્ષણો દ્વારા આત્મશક્તિ પ્રગટ થાય છે. શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે. સમ્યગુ દર્શનાદિનો લાભ થાય છે. નિર્જરાનો અમૂલ્ય લાભ થાય છે. રાગદ્વેષથી મધ્યસ્થભાવ થાય છે. આયાખલ સામાઈયઃ (આચારાંગ સૂત્ર) સામાયિક = સમભાવની સાધના તત્ત્વજ્ઞાનીઓએ આત્મા એ જ સામાયિક છે એમ કહ્યું છે. સામાયિકના આઠ રહસ્યો ૧. સદ્વર્તન. ૨. શાસ્ત્રાનુસારી. શુદ્ધ જીવન ગાળવાનો પુરુષાર્થ. ૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા. ૪. સર્વ જીવો પ્રત્યે બંધુતાની કે મિત્રતાની ભાવના. ૫. રાગ અને દ્વેષને જીતવાનો પ્રયત્ન. ૬. સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્રની સ્પર્શના. ૭. શાંતિની આરાધના. ૮. અહિંસાની ઉપાસના. ઉપરના આઠ પ્રકારનું રહસ્ય વિસ્તારથી જુદું લાગે છે. તાત્વિક દૃષ્ટિએ સમભાવની સાધનામાં સઘળો સમાવેશ થઈ જાય છે. આ આઠે પ્રકારને વિસ્તારથી સમજવા જરૂરી છે. ૧. સદવર્તન સતને પ્રગટ કરનારો માનવનો વ્યવહાર : તે વ્યક્તિ સાથે, કટુંબ સાથે, વડીલો સાથે, સમાજ સાથે અનેક ક્ષેત્રોમાં જરૂરી છે. ત્યાર પછી પરમાર્થ ક્ષેત્રે વીતરાગદેવની, ધર્મગુરુની આજ્ઞારૂપ વર્તનની ભૂમિકા આવે છે. જે વડે જીવ સતુને સ્વયં પ્રાપ્ત કરે છે. જેમાં દંભ, આડંબર કે માત્ર દેખાવ નથી તેવું સદ્વર્તન સત્પુરુષોના યોગબળ વગર ટકતું નથી. જે સદ્વર્તનમાં નિઃસ્પૃહતા, પ્રેમ, નિખાલસતા અને સહિષ્ણુતા જેવા ગુણો છે. તે દેવગુરુના અનુગ્રહ વડે સપ્રમાણ ટકે છે. ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારદૃષ્ટિએ ગૃહસ્થદશામાં પત્ની, ભગિની, માતા-પિતા, સંતાન કે કુટુંબના સર્વ આશ્રિતોની સાથે યોગ્ય રીતે વર્તવું તે સર્તન છે. પત્ની પ્રત્યે સ્નેહ હોય. સંતાનો પ્રત્યે વાત્સલ્ય હોય. વડીલો પ્રત્યે આદર હોય. ગુરુજનો પ્રત્યે સેવભાવ હોય, પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય. ધર્મ પ્રત્યે અનુરાગ હોય ત્યારે સર્તન સર્વાંગ બને છે. પુણ્યબળ ઓછું હોય કે મનોબળ ઓછું હોય તો સર્તન ટકતું નથી. ધર્મભાવના યુક્ત સર્તન બધી જ પરિસ્થિતિમાં ટકે છે. પરમાર્થદૃષ્ટિએ આત્મતત્ત્વની રુચિ, આત્મપરિણામરૂપ બોધ અને તે જ પ્રમાણેનો આચાર તે સર્તન છે. એ વડે જીવ શિવ થાય છે. પરપદાર્થ પ્રત્યે તુચ્છતા આવે, દૃષ્ટિ સ્વત૨ફ વળે, ત્યારે આત્મતત્ત્વની રુચિ થાય છે. તીવ્ર જિજ્ઞાસા થવી કે મારે આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી છે. ઃ ર. શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન : શાસ્ત્રાનુસારી અર્થાત્ જિનાજ્ઞાયુક્ત સાધકને આહારાદિમાં શુદ્ધિ જેમાં અભક્ષ્ય આહાર, વ્યસન, મહાવિગઈ, કંદમૂળ, રાત્રિભોજન ત્યાગ, અયોગ્ય સ્થાનોનો સંપર્ક વર્જ્ય. સાસાંરિક કાર્યાની પ્રવૃત્તિનો સંક્ષેપ, નિવૃત્ત જીવન, કષાયાદિની મંદતા, આવશ્યક ક્રિયાનો આદર, નિર્લેપ જીવન, ભેદજ્ઞાન સહિત કર્મનિર્જરા જેવા અંગોના સેવનથી શુદ્ધ જીવન શક્ય બને છે. જીવનમાં જે જે કાર્યો કરવાનાં હોય તે કરે પણ કર્તવ્ય બજાવવાના ભાવથી કરે. દરેક કાર્યે જાગૃત રહે કે કયાંય અનુચિત થતું નથી ને? ધાર્મિક અનુષ્ઠાનોમાં સઉલ્લાસ પ્રવૃત્ત રહે. ૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા : સામાયિક એ ગહન અને મહાન સિદ્ધાંત અનુષ્ઠાન અને શિક્ષાવ્રત છે. તેનું શાબ્દિક પ્રયોજન પણ સમભાવ છે. આત્મા સાથે વણાયેલો, સ્થપાયેલો અને ઐક્ય ધરાવતો એ ગુણ છે. તેથી સંસારી જીવમાં થતી અનેક પ્રકારની વિષમતા, વ્યાકુળતા કે ચંચળતાને સામાયિક સમાવે છે. વિષમતા એટલે રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અતિ, શોક-ભય, માન-અપમાન જેવા દ્વંદ્વથી જીવમાં જે વ્યાકુળતા પેદા થાય છે, તે સામાયિકની વિધિ, ક્રિયા, ભાવ કે શ્રદ્ધા શમાવે છે. વિષમતાનો અભાવ ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ એટલે સમતાનો અભાવ સર્વ પ્રાણીઓ વિષે સમતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે સમતા. પરપદાર્થોની માંગ પ્રત્યે સમતા, ચિત્તવૃત્તિઓના વિકારો પ્રત્યે સમતા કેવળ સમતા.. સમતા.... ૪. સર્વ જીવો પ્રત્યે બંધુતા કે મિત્રતાની ભાવના : સમાન્ય રીતે જ્યારે જીવો એકલી ક્રિયા કે ફકત સિદ્ધાંતને પકડે છે ત્યારે તે તે વિધાનો સાંકડાં થઈ જાય છે. વાસ્તવમાં વિધાનોની વિશાળતા સમગ્ર સૃષ્ટિ સાથે સંકળાયેલી છે. સામાયિકની ક્રિયામાંથી જ્યારે નિષ્ઠા જન્મે છે, ત્યારે જિનાજ્ઞા જીવમાં પરિણમે છે, તેથી સામાયિક કરનારના ભાવ વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવયુક્ત કે બંધુત્વયુક્ત હોય છે. સમભાવી આત્માને કોઈ શત્રુ હોતો નથી. શત્રુને ઉપકારી માની શત્રુતાને છેદી નાંખે છે. મિત્રતા અને બંધુતા એ સમગ્ર જીવરાશિ પ્રત્યેના ચૈતન્યની એકતા છે. જીવન એવું નિખાલસ હોય છે કે ક્યાંક વૈરવિરોધ થતો નથી. તેનું સામાયિક વૈરાગ્યથી વાસિત હોય છે. ૫. રાગ દ્વેષને જીતવાનો પ્રયત્ન : સામાયિક એ આત્મિકભાવની ક્રિયા છે. રાગ અને દ્વેષ વિષમભાવ છે. સાંયોગિક સંબંધના ભાવ છે. અજ્ઞાનવશ ગ્રહણ થયા છે. તેની વર્તમાન દશાનું ભાન સાધકને છે. તેથી તેના સામાયિકનું સર્વ પ્રયોજન રાગ-દ્વેષને દૂર કરી સમભાવમાં રહેવાનું છે અને નિર્જરાને પ્રગટ કરવાનું છે. ૬. સમ્યગ્રજ્ઞાન અને સમ્યગચારિત્રની સ્પર્શના સમભાવરૂપી સામાયિક આત્મશક્તિનો લાભ આપનારું અંગ છે. સામાયિકવિધિ ભાવથી ન થાય તો તે આત્મશક્તિના અંગનો હ્રાસ કરે છે. વિધિવત્ કરેલું સામાયિક સમતાભાવનું સહાયક છે. તેથી જીવમાં રહેલું જ્ઞાન સમ્યગું બને છે, અને આચાર પણ સમ્યગું બને છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પૂર્ણ મોક્ષમાર્ગનાં સાધન છે. ૭. શાંતિની આરાધના વિભાવદશા રહિત આત્મશાંતિની આરાધનાનું પ્રેરકબળ સામાયિક છે. સ્વભાવ રહિત સર્વ અવસ્થા વિભાવ જનિત છે, વિભાવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અશાંતિનું કારણ છે. આવી દુષ્ટ પરંપરાને તોડવા સામાયિક વડે થતો સમભાવ તરણોપાય છે. શાંતિચાહકે સામાયિક અવશ્ય કરવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૮. અહિંસાની ઉપાસના : અહિંસા સર્વ જીવ પ્રત્યેનું વાત્સલ્યદર્શી તત્ત્વ છે. અહિંસારહિત માનવ પશુતામાં આવશે. બાહ્ય અહિંસા જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા, અનુકંપા, વાત્સલ્યના ભાવનું સદાચરણ છે. ભાવ અહિંસા - અંતરંગ અહિંસા, રાગદ્વેષ રહિત આત્માની નિજી સંપત્તિ છે. શુદ્ધ અવસ્થા છે. એ અહિંસાની ઉપાસના સમભાવથી થાય છે, સર્વ જીવો સુખી થાઓ. કોઈ દુઃખ ન પામો એવી ભાવના નિરંતર કરવી. સંયમ અને તપ અહિંસાની ઉપાસનાનાં જ અંગો છે. અહિંસા સંયમ અને તપ ત્રણે મળીને ઉપાસના બને છે. વૃત્તિઓને ભોગવતો હોવાથી માનવ એ વૃત્તિઓને જ પોતાનું સ્વરૂપ માની લે છે. તેથી સ્વસ્વરૂપને જાણી શકતો નથી અથવા માને છે કે સ્વરૂપ જેવું કંઈ નથી જે કંઈ છે તે આ વૃત્તિમય છે. તેથી વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ છે. અને અસત્ મિથ્યાચરણ સેવન વાસ્તવિક લાગે છે. નિત્ય પરિવર્તન પામતા વ્યવહારને જાણે છે. પરિણામ મન, બુદ્ધિ, ઈન્દ્રિયોના વિષયોને બદલાતા જૂએ છે. છતાં તેની સમજમાં આવતું નથી કે આ બદલાતી અવસ્થાઓ હું નથી. જે બદલાય છે તે મારાથી ભિન્ન છે, વિજાતિય છે. અરે! સંપૂર્ણ સંસાર બદલાઈ જાય તો પણ સ્વરૂપ તો એવું જ અખંડપણે જ રહે છે. આ શ્રદ્ધા જો દઢ થઈ જાય તો જીવ મુક્ત છે. માટે એવા તત્વજ્ઞના સંપર્કમાં આવતો જન કે જન સમુદાય પણ ગત થઈ સ્વરૂપ લક્ષ કરે છે. તે તત્ત્વજ્ઞ-સમદર્શી લોક સંપર્કમાં હોવા છતાં જ્ઞાતા જ રહે છે. તેમને સર્વ પ્રાપ્ત જ છે કશું મેળવવાનું નથી. સામાન્ય માનવ વૃત્તિઓથી જૂના સંસ્કારથી બહાર નીકળતો નથી તે કર્મચક્રમાં ફસાઈ જાય છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય છે સહજ ધ્યાન, અવસ્થાનું જાગરણ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩. સામાયિક : જિનશાસનો અર્ક જિનશાસન = જિનાજ્ઞાનુસાર પ્રવર્તન. જિન : રાગદ્વેષને જીતે તે ‘જિન’. રાગ કે, દ્વેષના બળવાન નિમિત્ત છતાં જેઓ ત્યાં પણ મધ્યસ્થ રહ્યા છે તે જિન, તેમની આણ તે શાસન. જિનની આજ્ઞા માન્ય કરે તે જૈન, અથવા આવા જિનવરને જે પૂજે, માને, સત્કા૨ે તે જૈન. રાગ-દ્વેષ રહિત સમતામાં રહેનાર તે જૈન, અર્થાત્ આ શબ્દ સમતારૂપ છે. તેથી તે સામાયિકનો જ ઘોતક છે. સામાયિક ધર્મ જિન શાસનનો અર્ક છે. સામાયિક આત્મા છે. સ્વસ્વરૂપ છે. મોક્ષ પ્રાપ્તિ માટેની સર્વ ઉપાસના રાગાદિ રહિત શુદ્ધ અને સમતાયુક્ત અવસ્થામાં સમાય છે. સર્વોત્તમ સમતા એ ઉપાસનાનું હાર્દ છે, તેને વાસી ચંદન કલ્પની ઉપમા આપી છે. મહાત્મા-મુનિઓ કોઈ વાંસલાથી શરીરને છેદે કે કોઈ ચંદનનો શીતળ લેપ કરે. બંને પ્રત્યે સમાનભાવ રાખે, તે વાસી ચંદન કલ્પની ઉપમા પામે છે. અપકારી પ્રત્યે પણ ઉપકાર, સમભાવ, કરુણા એ મહામુનિઓનું હ્રદય છે. આવી પરમ સમતાનો સાધક સિદ્ધ દશાને પામે છે. માટે દરેક ભૂમિકાને યોગ્ય જે કંઈ ક્રિયા, આરાધના કે ઉપાસના થાય તે સર્વ સમતા-પરમ સમતાયુક્ત હોવી જોઈએ તે સમતાયુક્ત ઉપાસના કર્મક્ષયનું કારણ બને છે. વિષમતા વિહ્વળતા, વ્યાકુળતા સહિતની ક્રિયા ઉપાસના કે તપાદિ કર્મક્ષયનું કારણ બનતી નથી. દુઃખ ખરાબ છે, અપ્રિય છે, ક્યારે ટળે ? એવા અફસોસ કે આકુળતાથી દુઃખ ટળતું નથી. પૂર્વકર્મનો ઉદય છે. જાણીને, પુનઃ આવું દુઃખ ન પડે તેમ વિચારીને વર્તમાનમાં દુઃખના કારણરૂપ કષાયોના અને વિષયોના ભાવોને મંદ કરી ક્ષીણ કરી સમતામાં આવવું જોઈએ. તેને માટે ક્રોધના પ્રતિપક્ષ ક્ષમા કે મૈત્રીભાવને વિકસાવવો. માનના પ્રતિપક્ષ વિનય અને પ્રમોદને કેળવવા માયાના પ્રતિપક્ષ સરળતા કે કરુણાને કેળવવા અને લોભના પ્રતિપક્ષ સંતોષ કે મધ્યસ્થભાવને કેળવવો આમ થવાથી સહજ સમતાનો ભાવ ટકશે. કષાયો ક્ષીણ ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ થશે, પાપો નષ્ટ થશે. સૌની સાથે આત્મીયતા રાખવી તેને માટે વ્યવહાર ધર્મમાં હું સર્વનો અને સર્વ મારા છે. અને અશુભમાં જ્યારે કંઈ સાથ ન મળે. ત્યારે એમ ચિંતવવું હું એકલો આવ્યો છું. એકલો જવાનો છું. મારાં કરેલાં કર્મ હું ભોગવવાનો છું. આમ દ્વિપાંખી વિચારણાથી સમતા ટકે છે. નહિ તો વ્યાકુળતા થશે કે સૌ સુખમાં જ સગાં છે. દુઃખમાં કોઈ ભાગ પડાવતું નથી. આખો સંસાર સૌના પુણ્ય-પાપને અનુસરે છે. વાસ્તવમાં જિનશાસનમાં જીવ એકાંતે એકલો કે પરાયો નથી. અન્યોન્ય સંયોગોને આધીન સંબંધ થાય છે. સ્વાર્થને કારણે પરને એકાંતે પરાયા માનવાથી માનવ માનવતા રહિત બને છે. સ્નેહ અને લાગણીના દુકાળમાં જીવતો હોય છે. પરિણામે એવા જીવનમાં ધર્મ સંસ્કારનું બીજ પડતું નથી. પરને સ્વતુલ્ય માનવાથી ધર્મ સંસ્કારનું બીજ પડે છે. સર્વ જીવે પ્રત્યે આત્મદૃષ્ટિ રાખ્યા વિના આત્મા કદી ચિત્તશાંતિ કે સમાધિભાવ પામી શકતો નથી. આવા સમાધિભાવ માટે વૈરાગ્ય, વિશ્વમૈત્રી અને સમ્યજ્ઞાનાદિની આવશ્યકતા છે. જ્યાં સુધી ચિત્તમાં રાગાદિભાવ છે ત્યાં સુધી જીવ સમતામાં આવી શકતો નથી. વૈરાગ્યભાવ સમતાનો પર્યાયવાચી શબ્દ છે. જે વિશ્વમાં તારી નિરંતર યાત્રા થઈ રહી છે, તે વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે માનવીનું કર્તવ્ય છે. આવી સદ્વિચારણા સમ્યગ્જ્ઞાન વગર સંભવ નથી. મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે તો ત્યાં કાર્ય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. અને તે કાર્ય એટલે રાગાદિને દૂર કરવાનો બળવાન પુરુષાર્થ જોઈએ. સાધકને નિરંતર સ્મૃતિ ટકવી જોઈએ કે રાગાદિ દૂર કરવા જેવા છે. તેના વડે મનમંદિર દૂષિત થાય છે. મલિન ગૃહ, વસ્ત્ર, પાત્ર આદિ આપણને નાપસંદ છે, તેથી તેનો સંગ્રહ કરતા નથી તેમ રાગાદિ મારું અહિત કરનારા છે તેનો સંગ્રહ ન કરાય. રાગાદિ ઘણા પુરાણા છે, કેવળ વિચાર કરવાથી તે જતા નથી. વીતરાગ પરમાત્માની પૂજા, પ્રાર્થના કે ભક્તિ વડે તેને નાથી શકાય ૨૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ તેવા છે. વીતરાગ પરમાત્માની ભક્તિ અને સ્મૃતિ જો તીવ્ર બને, તો રાગાદિ દૂર થાય. રાગાદિ જ દુઃખના કારણ છે, તે દૂર કરવા જોઈએ તેવી સભ્ય શ્રદ્ધા સમ્યગૃજ્ઞાનને પરિણાવે છે. અને તે જ્ઞાન વીતરાગતા પ્રત્યે ઝુકે છે. રાગાદિ દૂર કરવાનો આ જ ઉપાય છે. આત્મરુચિ કે આત્મનિષ્ઠાથી વીતરાગની ભક્તિમાં ટકી શકાશે. આત્મનિષ્ઠા સ્વયં રાગાદિ રહિત ભાવ છે. આત્મનિષ્ઠા પ્રકાશમય છે. બહારના વિશ્વમાં જેમ અંધકાર અને અજવાળાનો ક્રમ છે, તેવું જીવનમાં છે. અજ્ઞાન તે અંધકાર છે. જ્ઞાન તે પ્રકાશ છે. રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ગુણોનો લાભ તે સ્વયં સામાયિક છે. જેમ જેમ સમપરિણામ વૃદ્ધિ પામે છે, તેમ તેમ જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે છે. આત્મશક્તિને પ્રગટ કરનાર, રાગદ્વેષથી મધ્યસ્થ રાખનાર નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, સમ્યગુશ્રદ્ધાનો સ્પર્શ કરાવનાર, સર્વ જીવરાશિ પ્રત્યે સમત્વની પ્રતિષ્ઠા કરાવનાર, દુર્ગતિને નિવારનાર, મુક્તિ સુધીની યાત્રાનો સાથી બે ઘડીનું શુદ્ધ સામાયિક છે. સમતા એ જનનીનો એવો ખોળો છે જ્યાં કેવળ વાત્સલ્ય અને રક્ષણ છે. બે ઘડીના સામાયિકથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચાડી, પરમ વિતરાગતા પ્રગટ કરનાર. અંતે કેવળજ્ઞાન પ્રગટ કરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થવાના મૂળમાં સામાયિક છે. સામાયિકનું અનુષ્ઠાન સીમાબદ્ધ નથી. તેથી જ અસીમ એવા ચૈતન્યની સ્પર્શનાનું સાધન મનાયું છે. એ ઉપરાંત સામાયિક જ આત્મા કહેવાય છે. ગમે તે મિથ્યા માન્યતાનું સેવન કે આગ્રહ અનુચિત ક્રિયા થવી તે સામાયિકના વિધાનથી બહાર છે. સામાયિકની વિધિ કરવાનું માહાભ્ય તેનાં સૂત્રો સૂચવે છે. સૂત્રો માં સમગ્ર વિશ્વ પ્રત્યેનો સદ્ભાવ અને આત્મ સ્વભાવને પ્રગટ કરનારા અર્થો ભર્યા છે. આ બે ઘડીનું શુધ્ધ સામાયિક જીવના અનાદિકાળના થયેલા પરિભ્રમણનો છેદ કરે છે, ભાવિ ભવભ્રમણ ટળે છે. જૈન દર્શનની કેટલીક વિશિષ્ટતામાં આ એક વિશિષ્ટતા છે. જેમાં આવાં વિધાનોનું ૩૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ સર્જન છે. માટે ગીતાર્થજનો કહે છે તું જો સમભાવ વડે સ્વરૂપમાં સંતુષ્ટ છું તો સમગ્ર સૃષ્ટિ તારા પ્રત્યે સંતુષ્ટ છે. માટે જનસમૂહને તુષ્ટ કરવાનું જવા દે અને તારી જાતને સમતામાં સ્થિર કર. કારણ કે જગતને રૂડું દેખાડવા તું પૂરી જિંદગી ખર્ચે તો પણ અસારમાં ઉભેલો જનસમૂહ ખુશ થવાનો નથી. માટે આ એક ભવ હવે તું સ્વયં તારામાં જ સંતુષ્ટ થા. જેથી તારું શુદ્ધ સ્વરૂપ જ વિશ્વ વ્યાપક થઈ વિશ્વકલ્યાણનું નિમિત્ત બનશે. “યદિ – સાખ્ય સંતુષ્ટો વિશ્વ તુષ્ટ તદા તવ તલ્લોસ્યાનું નૃત્યા, કિં સ્વમેવૈકં સમ કુરુ.” સામાયિક એટલે સમભાવ પરિણામ, આવા અચિંત્ય મહિમાવાન શુદ્ધ પરિણામની પ્રાપ્તિ માટે સર્વસાવદ્ય-હિંસાત્મક પાપવ્યાપારનો ત્યાગ કરી, વળી નિર્દોષ - નિરવધે સુકૃત્ય-યોગોનું સેવન કરવું જરૂરી છે. સમભાવનો આચાર મૈત્રી આદિ ભાવનાને ધારણ કે સેવન કરીને થાય છે. સાધકમાં જ્યારે વેર જેવા ભાવ કે સંસ્કાર નષ્ટ થાય છે ત્યારે મૈત્રી આદિ ભાવો સક્રિયપણે ધારણ થાય છે. એટલે સામાયિક કેવળ બે ઘડીની વિધિ માત્ર નથી પરંતુ નિર્દોષ અને નિષ્પાપ જીવનની પ્રતિજ્ઞા છે. જે જિનાજ્ઞાનું અનુસરણ છે. પ્રજ્ઞાવંત સાધકો તેવા નિરવદ્ય જીવનના સ્વામી છે. મન, વચન અને કાયા નિરંતર ક્રિયાશીલ હોય છે. તે ક્રિયા જો સ્વરૂપ લક્ષવાળી હોય તો ગુણકારી ગણાય છે. પરંતુ જો સ્વરૂપથી વિમુખ અને વિષય વિકાર, વિભાવની સન્મુખ હોય તો બાધક છે, અહિતકારી છે. તેથી ગુણકારી ક્રિયા આદરવા યોગ્ય છે. અને અગુણકારી ક્રિયા ત્યજવા યોગ્ય છે. અજ્ઞાનવશ જીવનો સ્વભાવ અન્યના સંબંધમાં આકર્ષિત થાય છે. તેથી તે વિભાવદશામાં પ્રવૃત્ત થાય છે, એવા અવળા પરિણામી જીવસ્વભાવને સ્વભાવ સન્મુખ કરવા આત્મલક્ષયુક્ત તે યોગોની સક્રિયા આવશ્યક છે. અજ્ઞાન અને મોહનું યુગલ જીવને મૂંઝવે છે. અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની છે. અજ્ઞાન અને મોહને મૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરે તે સાધક ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગી છે. અજ્ઞાન અને મોહનો સંપૂર્ણપણે નાશ કરે તે સર્વજ્ઞ છે. સંસાર, સંસારરૂપી ઉન્માર્ગ અને સાંસારિક સંબંધો કે સાધનો વડે જીવનો વૈભાવિક ભાવ પરિવર્તન પામતો નથી. તે માટે મુક્તિ, મુક્તિરૂપી સન્માર્ગ અને મુક્તિમાર્ગના મહાત્માઓનો પરિચય જરૂરી છે. તેઓના સમાગમમાં તત્ત્વરુચિ, તાત્વિક અભ્યાસની આવશ્યકતા સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રના સ્વગુણનો પુરુષાર્થ દઢપણે કરવો જરૂરી છે. | સામાયિકમાં પરિણામની સહજ સન્મુખ થાય છે ત્યાં સ્વાત્મા જ પરમાત્મા છે, શ્રદ્ધા દેઢ થાય છે, પરિણામની જેટલી તન્મયતા તેટલી સન્મુખતા. ત્યારે સ્વરૂપ રમણતા ટકે છે, તે જ સુખશાંતિ છે. પછી સાધકને કશું જ દુ:સાધ્ય નથી. અજ્ઞાનરૂપી અંધકાર ઉલેચાઈ ગયો પછી જીવને માર્ગ મળી જાય છે. દેવગુરુની કૃપા સ્વરૂપમય બની જાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં વિકલ્પો રહેશે. તેમાં શુભાશુભ, રાગદ્વેષાત્મક ભાવો હશે. તેથી સુખદુઃખના ભાવ ઉઠશે, તમે ઘેરાઈ જશો. તમે તેને બદલી શકતા નથી. કાંઠે ઉભા જોઈ શકો છો. તમે સ્વયંમાં રહો, જગત નિયમથી ચાલે છે તેમાં હસ્તક્ષેપ ના કરો. તમારે બહિર્મુખતામાંથી અંતરમાં જવાનું છે. અંતરમુખદશામાં અંતર બહાર પ્રવૃત્તિ તો ચાલશે પણ તમે જ્ઞાયક રહેશો. કર્તાપણું નહિ હોય. ગમે તેટલું સુંદર ભોજન કરવા છતાં તેમાંથી ઘણું મળ બની નીકળી જશે. છતાં તે ભોજનમાંથી જે સાત્ત્વિકતા મળી તે ઉપયોગી હતી. જીવનમાં એ જ કાર્ય કરવાનું છે. જે સ્વરૂપથી નિષ્ઠયોજન છે તે દૂર થઈ જશે. તાત્ત્વિકતા ટકી જશે. તમે તો જ્ઞાયકજ છો. જે કંઈ ઘટના ઘટે સાર ગ્રહણ કરો, નિઃસાર છૂટી જશે. તમારું શુદ્ધિકરણ દઢ થતું જશે. ૩૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪. સામાયિક માત્ર કિયા નથી સાધના છે. જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે. તેઓ દરેક વસ્તુની તુલના તત્ત્વથી કરે છે. ગીતાર્થજનોએ સામાયિકને આત્મા કહ્યો છે. “આયા ખલુ સામાઈયં” અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું તે સામાયિક છે. સ્વમાં જ તલ્લીન થવું તે નિશ્ચયથી સામાયિક છે. સામાયિકની વિધિ, ક્રિયાઓ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા તમામ નિમિત્તો વ્યવહાર સામાયિક છે. સાધુનું પૂરું જીવન જ સામાયિક છે. શ્રાવકધર્મમાં તે બાર વ્રત પૈકી નવમું વ્રત છે. અને શિક્ષાવ્રતમાં પ્રથમ છે. આ સામાયિક માત્ર ક્રિયા નથી પરંતુ ઉચ્ચ કોટિની સાધના છે. સમતારૂપ સાધના તે યૌગિક ક્રિયા છે. કારણ કે સમતાયુક્ત પરિણામની શુદ્ધિ તે મોક્ષમાર્ગમાં જોડનારી પરિણતિ છે. • સામાયિક મોક્ષમાર્ગમાં જોડનાર ધર્મમય પરિણતિ છે. • સામાયિક એવું ઉચ્ચ કોટિનું અનુષ્ઠાન છે કે તે સમ્યગુજ્ઞાન, સમ્યગ્ગદર્શન અને સમ્યગું ચારિત્રનું કારણ છે. • સામાયિક કુશલ અનુષ્ઠાન છે. ૦ સામાયિકનું સમત્વ ચિત્તના સંકલેશ પરિણામોનો નિરોધ કરનારું ઉત્તમ સાધન છે. સામાયિકના સાધકને સામાયિકમાં અનશન સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, જેવા તપ અંતર્ગત હોય છે. એ સામાયિકના ચાર પ્રકાર છે. ૦ શ્રુત સામાયિક સમ્યકત્વ સામાયિક • દેશવિરતિ સામાયિક ૦ સર્વવિરતિ સામાયિક આ ચાર સામાયિકની વિશાળતા છે, સાધક શક્તિ, સમય, પરિણામ પ્રમાણે સામાયિકમાં રહી શકે છે. આ સામાયિક જો સાધ્ય થાય તો તે દેહમાં શ્વાસના જેવું સ્થાન લે છે. દેહ અંતસમયે શ્વાસથી Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવતો જણાય છે તેમ યોગી સાધક સમતા વડે આત્મસ્વરૂપમય જણાય છે. આત્માને નિર્મળ પરિણતિમાં જોડવાનો અભ્યાસ તે સામાયિક યોગ છે. સર્વજીવમાં સમાનભાવના કેળવવાનો અભ્યાસ છે. સામાયિક ચારિત્રધર્મનું સૂચક છે. દેવાધિદેવ અરિહંત પરમાત્મામાં સંપૂર્ણ ચારિત્ર નિહિત છે. ગુરુતત્ત્વમાં સર્વવિરતિ ચારિત્ર, શ્રાવકમાં દેશવિરતિ ચારિત્ર છે. ધર્મ તો સ્વયંમેવ સામાયિક સ્વરૂપ છે. શ્રુત સામાયિક : અમુક સમય સુધી શાસ્ત્રપાઠ ભણવાનો નિયમ શાસ્રવાચન કે શાસ્રબોધ પણ તેમાં સમાય છે. શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુ ન હોય ત્યારે સાધકને બોધરૂપ આધાર છે. લાભ-અલાભ, માન-અપમાન, રાગ-દ્વેષ જેવા દ્વંદ્વોમાં સમભાવમાં રહેવું તે શ્રુત સામાયિક છે, શ્રુતજ્ઞાન દ્વારા ક્રિયામાં અપ્રમતતા તે સામાયિક છે. સમ્યક્ત્વ સામાયિક : આત્માના શ્રદ્ધાગુણની શુદ્ધિ છે. ચૈતન્યમાત્ર પ્રત્યે સમાનભાવ, રાગદ્વેષ રહિત શુદ્ધિ, જિનવચનની અપૂર્વ શ્રદ્ધા, વિકલ્પ રહિત ભક્તિ અને આજ્ઞાપાલન જેવા પ્રકારો સમ્યક્ત્વ સામાયિકમાં જાય છે. દેશવિરતિ સામાયિક : અર્થાત્ શ્રાવકાચારમાં આવતું નવમું વ્રત અથવા ગૃહસ્થજીવનમાં જે બે ઘડી - ૪૮ મિનિટનું સાવદ્યપાપના ત્યાગરૂપ નિયમ-પચ્ચખાણ તે સામાયિક છે. આ સામાયિકમાં શ્રાવક સાધુની જેમ સમય ગાળે છે. અર્થાત્ હિંસાદિ પાપવ્યાપારોને સ્થૂલપણે ત્યજે છે. આવો અભ્યાસ વારંવાર થવાથી જીવમાં સર્વવિરતિના ભાવની દઢતા આવે છે. સર્વવિરતિ સામાયિક : સંસારો ત્યાગ કરીને અણગાર બન્યા છે તેમને જીવનપર્યંત આ સામાયિક હોય છે. તેમાં નિરવધ યોગોનું પાલન પ્રતિજ્ઞારૂપ છે. જીવમાત્ર પ્રત્યે સમભાવ, સર્વજીવની રક્ષારૂપ ઉપયોગ તે સર્વવિરતિનું સામાયિક છે. શુદ્ધ આંતરપરિણતિ પ્રત્યે સતત્ જાગૃતિ તે મુનિનું સામાયિક છે. ગૃહસ્થ રોજે શક્ય તેટલીવાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરે તો તેની ચિત્તવૃત્તિઓ શાંત થાય છે; સ્વાધ્યાયાદિનો લાભ મળે છે. મધ્યસ્થભાવના કેળવાય છે. ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ આવા ઉત્કૃષ્ટ અમૃત ક્રિયાના પ્રયોજક શ્રી તીર્થકર દેવો છે, તેને સૂત્રબદ્ધ કરનાર શ્રી ગણધર ભગવંતો છે. આ જીવન તેનું પાલન કરનાર અને વિધિવત્ નિર્માણ કરનાર મુનિશ્વરો છે. સમયની મર્યાદામાં પાલન કરનાર ગૃહસ્થ છે. સુશ્રાવક, સુશ્રાવિકાઓ છે. જેમ ગ્રીષ્મઋતુમાં મુસાફરને માર્ગમાં વૃક્ષની છાયા શીતળતા આપે છે, તેમ સંસારથી સંતપ્ત ગૃહસ્થને બે ઘડીનું શુભભાવકપૂર્વકનું સામાયિક સમતા આપે છે. આત્માનો આંતરિક પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાનમય અંધકાર દૂર થાય છે. અધ્યાત્મમાર્ગમાં આરૂઢ થવા સન્મિત્ર છે. સમાધિ દશાનું બળવાન કારણ છે માટે “બહુ સો સામાઈયું કુજા” સામાયિકની ત્રીજી પ્રતિમામાં સૂચવ્યું છે કે પ્રમાદ વર્જીને સવાર-સાંજ ઉભયકાળ સામાયિક અવશ્ય કરવું. સામાયિકની વિશદતા અને વિવિધતા સામાયિકનો ફકત સામ શબ્દ જ અનેક ઉત્તમ પરિણામને પ્રગટ કરે છે. મૈત્રી આદિભાવોથી ભરપૂર એનું સામર્થ્ય છે. શ્રી આચારંગ સૂત્રમાં તેનું માહાત્મ બતાવ્યું છે કે સમસ્ત જીવરાશિને આત્મવતુ માનીને તેની રક્ષા કરવી જોઈએ. કોઈને પણ દુઃખ થાય નહિ તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સર્વ જીવોની રક્ષા દ્વારા સંયમની સુરક્ષા થાય છે, અને સંયમની રક્ષા વડે સ્વાત્માની રક્ષા થાય છે. તેથી સમસ્ત જીવો પ્રતિ મૈત્રી ભાવ વડે તેમની હિંસાનો ત્યાગ કરવો. તે સર્વેને પૂર્ણ પણે અભય કરવા, તેમાં આત્માને પણ અભયની પ્રાપ્તિ થાય છે.” જોકે સમસ્ત જીવો પ્રત્યે સમતાના પરિણામ છઘસ્થ-ગૃહસ્થને માટે સંભવ નથી. તો પણ શક્ય તેટલી હિંસા ત્યાગ અને અહિંસાનું સેવન કરવું જોઈએ. આ સામાયિક વિશાળતા અને વિવિધતાથી ભરપૂર છે. અર્થાત્ સામાયિકમાં શું નથી? ધર્મનાં સર્વ અવલંબનો, આરાધના, અનુષ્ઠાનો તેમાં સમાય છે. • સામાયિક રત્નત્રયરૂપ છે. • શ્રુત સામાયિકઃ સમ્યકજ્ઞાન સ્વરૂપ છે. ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૦ સમ્યકત્વ સામાયિક : સમ્યગુદર્શન સ્વરૂપ છે. સામાયિક અપેક્ષાએ તત્ત્વત્રય છે. દેવતત્ત્વઃ અરિહંત પરમાત્મા સંપૂર્ણ શુદ્ધ ચારિત્રયુક્ત છે. ગુરુતત્ત્વઃ ગુરુજનો સર્વવિરતિ ચારિત્રયુક્ત છે. ધર્મતત્ત્વઃ ધર્મ સમતારૂપ સ્વભાવથી સ્વયં સામાયિક સ્વરૂપ છે. આ તત્ત્વત્રય છે. ૦ સામાયિક પંચ પરમેષ્ઠીનું દ્યોતક છે. તત્ત્વત્રથીથી જોતાં દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ છે. ગુરુતત્ત્વમાં જોતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિહિત છે. ધર્મ તત્ત્વથી જોતાં ધર્મ મંગલ સ્વરૂપ અને જ્ઞાનાદિ ચાર પ્રકારે છે. (દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ) ૦ સામાયિકમાં છ આવશ્યક સામાઈયું : સામાયિક કરેમિતિઃ પ્રભુસ્તુતિ - ચઉવિસથ્થો. તસ્મભંતે ઃ ગુરુવંદન પડિક્કમામિ-પ્રતિક્રમણ અપ્રાણ વોસિરામિ -કાયોત્સર્ગ સાવજ્જ જોગ પચ્ચખ્ખામિ : પચ્ચખાણ સામાયિકમાં આરાધનત્રય : કરેમિ સામાઈયં = સુકૃતની અનુમોદના પડિક્કમામિ, નિંદામિ, ગરિહામી = દુષ્કૃત્યની નિંદા ભંતે = દેવગુરુની શરણાગતિ ૦ સામાયિકમાં પાંચ મહાવ્રત સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા. સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો છે, અર્થાત પંચમહાવ્રતધારીની જેમ સાવધપાપનો ત્યાગી અને નિરવદ્યયોગોના સેવનવાળો છે. ૦ સામાયિકમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સાધના થાય છે. શ્રાવક સામાયિકમાં હોય ત્યારે યત્નાપૂર્વક સર્વ વિધિ કરે છે, ૩૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ મન વચન કાયાના યોગો પાપવ્યાપારથી નિવૃત્તિ હોવાથી ગુપ્તિનો ધારક છે. ૦ સામાયિકમાં જિનાજ્ઞા આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જિનાજ્ઞા છે. મૈત્રી આદિ ભાવનામાં સામાયિક મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ, ભાવના જેના ચિત્તમાં ધારણ થઈ છે તે જ્ઞાની જીવ માત્ર પ્રત્યે સમતાયુક્ત હોય છે. તેવું સમભાવનું સામાયિક છે. ૭ અહિંસા આદિમાં સામાયિક. દ્રવ્ય અને ભાવથી અહિંસાનું પૂર્ણતયા પાલન કરનારનું ચિત્ત નિર્મળ હોય છે. નિર્મળતા આત્મજ્ઞાનને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન સમભાવરૂપ હોવાથી તે સામાયિકરૂપ છે. • અનિત્યાદિ ભાવનામાં સામાયિક અનિત્યાદિ ભાવનાના સેવનથી આત્મામાં વૈરાગ્ય ભાવના દેઢ થાય છે. વૈરાગ્યવાન જીવમાત્ર માટે અભયદાતા છે. સર્વ જીવો પ્રત્યે સામ્યભાવયુક્ત છે, તેથી તે ભાવના સામાયિકના પરિણામને સહાયક છે. ક્ષમાદિ દસ ધર્મમાં સામાયિક ક્ષમાદિ દસ ધર્મો યતિધર્મો છે. મુનિના પ્રાણ છે. મુનિ દેહ જતો કરે પણ અન્ય જીવને હાનિ ન કરે, એવો સમભાવ તે સામાયિક છે. ♦ મુનિઓના બાવીસ પરિષહજય સ્વયં સમતાભાવનું જ લક્ષ્યાંક છે. જે સમતાભાવને સ્વાભાવિક બનાવે છે તેથી તે સામાયિક છે. ૩૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ. સામાયિક : વિશ્વવ્યાપી કલ્યાણનું ધોતક સામાયિક શ્રાવકાચારના બાર વ્રતમાં નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. • શિક્ષા એટલે અભ્યાસ. ૦ આત્માની નિર્મળતાનો અભ્યાસ. ૦ પાપવૃત્તિઓના શમનનો અભ્યાસ. ૦ સમસ્ત જીવો પ્રત્યે સમભાવ કેળવવાનો અભ્યાસ. ૦ સાધુતા પ્રત્યે જવાનો અભ્યાસ. ૦ સાધક એ રીતે સાધુ થાય છે. સર્વાગી સમતાને આચરીને સાધુ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. શ્રાવક શક્ય તેટલી વાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરી આવો અભ્યાસ કરે તો તે સ્વયં શાંતવૃત્તિ અને શુદ્ધ દૃષ્ટિને પામે છે. વળી સામાયિક ધર્મની આરાધનાથી અભય અદ્વેષ અને અભેદ જેવા ગુણો પ્રગટ થાય છે. સર્વ જીવો પ્રત્યે સમભાવને કારણે અભય ગુણ વિકાસ પામે છે. જે અન્ય જીવને સુખ આપે છે તેને કોના તરફથી ભય હોય? એ જ સમભાવ સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત બનાવે છે, અને એ સમભાવ ચિત્તની પ્રસન્નતા જાળવતો હોવાથી દરેક ક્રિયામાં જીવનો ઉત્સાહ ટકે છે, પરંતુ થાક કે ખેદ વર્તાતો નથી. મહર્ષિઓએ સામાયિકને આત્મા કહ્યો છે. અને આત્મા સ્વયં ભય લેષ તથા ખેદ રહિત છે. તે દોષો પરાશ્રયી છે. આત્માના ગુણો સ્વાશ્રયી છે, તેથી અભય, અધેષ અને અખેદ એ સામાયિકનાં પરિણામો છે. આત્મજ્ઞાની સદા નિર્ભય છે; અજ્ઞાનીને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી મૃત્યુની ભ્રાંતિ છે. તેથી ભયભીત છે. સ્વરૂપના લક્ષ્યથી સર્વજીવ પ્રત્યે સામ્યભાવ હોવાથી જીવને અદ્વેષ છે. વળી આત્મા આત્મપરિણામે ટકે છે ત્યારે તે સમાધિને પામે છે તેથી અખેદ છે. આત્મામાં સમષ્ટિ પ્રત્યે વિશાળ દૃષ્ટિનું પ્રગટીકરણ સામાયિકના ભાવથી પ્રગટે છે. સ્વાર્થનાં સગપણ ટળે છે. સર્વત્ર આત્મીયતાનો અનુભવ Page #42 -------------------------------------------------------------------------- ________________ થાય છે. સ્વહિત કે સ્વસંરક્ષણની સંકુચિત વૃત્તિ નહિ પણ સર્વહિતાય અને સર્વના કલ્યાણનો ભાવ સામાયિકના પ્રયોગથી કેળવાય છે. વિશ્વના જીવો સાથે સંકેલશપરિણામ હોય, હિતની ઉપેક્ષા હોય તો જીવ સામાયિક વડે સમભાવને સાધી શકતો નથી. ગમે તેટલા જાપ કરે તો પણ કઠણ કર્મોને, ઘાતી કર્મના પહાડોને તોડી શકતો નથી. અપૂર્વ વિર્ષોલ્લાસ કે નિર્મળ અધ્યવસાય વડે કઠણ કર્મો નાશ પામે છે. તેવા અધ્યવસાવ વિશાળ ભાવના વગર સંભવ નથી. આવું તાત્ત્વિક સામાયિકરૂપી સાધન અને માનવભવમાં પ્રાપ્ત છે, તેથી માનવભવ દુર્લભ મનાયો છે. એ દુર્લભતાને ટકાવવી અને ક્ષુદ્રતામાં ન જવા દેવાની પૂરેપૂરી જાગૃતિ રાખવી. તે દુર્લભ એવા માનવભવની સાર્થકતા છે. આ સામાયિક ધર્મ બે ઘડીથી શરૂ થાય છે અને જીવનભરનું બને છે, તેમાં કેવળ સામાયિકની સર્વ અવસ્થાઓને જીવંત રાખવી તે સાર્થકતા છે. તે અવસ્થાઓ છે, સમત્વ, મધ્યસ્થતા, પરહિતચિંતા, સર્વ સંરક્ષણભાવ, સમભાવ, આત્મતુલ્ય મનોવૃત્તિ, પરમ સમતા, ઉદાસીનતા, નિર્વિકલ્પતા, સંકલેશ રહિત સમાધિભાવ વગેરે. તાત્વિક સમતા એ સામાયિકનો પ્રાણ છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે તે શ્રદ્ધા, આવું યથાર્થ દર્શન જ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે, તેમાંથી તાત્ત્વિક સમતા જન્મે છે. - જીવમાત્રમાં મોક્ષના કારણભૂત જ્ઞાનદર્શનાદિ ઢંકાઈને રહેલા છે તેવી ભાવના વડે જીવમાં તે ગુણો પરિપક્વ થાય છે. અને આત્મજ્ઞાન પ્રગટ થવામાં સહાયક થાય છે. જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પુલ પ્રત્યે મધ્યસ્થ ભાવ રાગાદિને શમાવે છે. વિષયાભિલાષ નબળા પડે છે. કષાયો ઘટે છે, પ્રમાદ શકે છે. યોગો શુભમાં પ્રવર્તે છે. આમ સમત્વ પેદા થાય છે. માનવજન્મ ધારણ કરીને પોતાના સુખ માટે ઘણાનું ઋણ લીધું છે. તે ચૂકવવા માટે સર્વ જીવોના હિતની ચિંતા છે. અન્યને દીધેલા દુઃખનું પ્રાયશ્ચિત છે આ ભાવમાં દઢતા સેવવી તે સમ્યકત્વ છે, એ સામાયિકનું અંગ છે. સામાયિક ધર્મમાં આવી વિશાળતા છે, જેમાં ૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવ્યાપી સર્ભાવ થવાનું સામર્થ્ય છે. “પ્રતિપધા શુભ શમન, નિશ્રેયસાધક શ્રમણ લિંગમ, ક્ત સામાયિક કમાં, વ્રતાનિ વિધિવત્ સમારો.” જન્મ જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ પુર:સર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી, અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નિરવદ્ય યોગોનું સેવન એટલે પાંચ મહાવ્રત વડે સંવર આરાધના છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે. મનુષ્યમાં રહેલી અધમવૃત્તિઓને નષ્ટ કરનારી છે. સમતા દુઃખોને દૂર કરે છે. અંતમાં મોક્ષના સુખ પહેલા જ પ્રશમરસનું સુખ પ્રાપ્ત કરાવે છે. સંવરનું યથાર્થ આરાધન તે સામાયિક આત્મકલ્યાણનું કારણ છે. મનને આત્મભાવમાં રોપવા માટે તેની ભૂમિ શુદ્ધ હોવી જરૂરી છે. આત્મપરિણતિમાં મગ્નતા આવે ત્યારે આત્મિક ગુણોનો ભંડાર ખૂલે છે ત્યારે ભય, ખેદ, મોહ, સંશય જેવા મનોવિકારોથી મન મુક્ત થશે. સમતાની ભૂમિકા દેઢ થશે. પછી સુખ જ સુખ છે. GO ૪૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૬િ. સામાયિક = શૂન્યથી પૂર્ણનું સર્જન વાસ્તવમાં જીવ એકલો નથી. પરંતુ પોતાનામાં રહેલું અહમ તેને એકલતાની વ્યથા ઊભી કરે છે. સૂના પડેલા એવા જીવનમાં તું પરમાત્માને પ્રવેશ કરાવી દે, તો તારી એકલતાની પીડા શમી જશે. ધર્મસત્તાના સર્વોપરિ અરિહંત પરમાત્મા છે. તેમને તારા જીવનના સખા બનાવી દે. કુટુંબના વડીલ બનાવી દે. તેમની સલાહ પ્રમાણે ચાલવાનો નિર્ધાર કરી લે. શુભભાવનાથી હૃદયને ભરીને હું તેમની પાસે માંગ. તેમનું અસ્તિત્વ તારી જૂઠી માંગને નકારી કાઢશે અને સને બંધાવશે. છતાં તને કંઈ ઓછું પડે તો ક્યાંય રોદણાં ન રોતો, સર્વેસર્વા અરિહંત પાસે રડવાથી રડવાનું બંધ થશે. અને જો તને એમ કરતાં આનંદ આવે તો નાચી ઊઠજે. પ્રભુને શુદ્ધ હૃદય આપવાનું કાર્ય સામાયિકના સાધકથી બને છે. જો સામાયિક ન થાય તો તે પ્રમાદ છે. જે ભવ દુઃખનું કારણ છે. અજ્ઞાન છે તો પણ જપો અરિહંતને જપો. મન ભરીને જપો. અને શૂનકારથી મુક્ત થાવ. અહંમના ભારને ત્યજીને હળવા બનો તો જીવન રસમય મધુર બનશે. અહંમથી જીવન ખીલતું નથી પણ શૂનકાર વ્યાપે છે. મનુષ્ય પોતાની જ અસત્ કલ્પનાઓથી પીડા પામે છે. જીવનમાં ગૂંચ પાડે છે, ગાંઠો બાંધે છે. તેથી જીવનમાં પ્રેમ કે નિર્દોષતા ટકતા નથી. કયાં તો કોઈની સાથે ગૂંચ પડે છે, ક્યાં ગાંઠ બંધાય છે. કેમ જાણે જીવન એને માટે મળ્યું હોય? ગાંઠવાળો દોરો સોયમાં પરોવાતો નથી, તો પછી ગાંઠવાળું મન પ્રભુમાં કેમ પરોવાશે ? ચિત્તની સ્વસ્થતા વગર આ ગૂંચ કેમ ઊકલશે, ગાંઠ કેમ છૂટશે ? શરીરમાં ક્યાંય ગાંઠ દેખાય ત્યારે કેવો ગભરાય? શસ્ત્ર વડે કપાવવા તૈયાર થાય ને? ભાઈ મનની ગાંઠ શરીરની ગાંઠ કરતાં ખતરનાક છે. તેને બોધના શસ્ત્ર દ્વારા કપાવી નાંખ. સામી વ્યક્તિના દોષને લક્ષમાં લઈને ગાંઠ ન બાંધીશ. તેના નાના સરખા ગુણને ૪૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ તો આ ગુણની અને કાગ જોઈને પુત્રવતુ ભાવ કરજે તો ગાંઠ નહિ બંધાય. અન્યના દોષને કાઢવાની પીડા અને શ્રમ ત્યજીને તું તારા હૃદયને પ્રેમથી ભરી દે, અને તેને જ કાર્ય કરવા દે, પછી તને સફળતા જ મળશે. પ્રવાસે જવા ઘરની બહાર નીકળવું પડે છે. પ્રેમ-મૈત્રીની યાત્રામાં પરમાંથી અંદરમાં જવાનું છે. આત્મા વગરનું શરીર શબ કહેવાય ગંધાવા માંડે, એ જ પ્રમાણે ગુણ વગરનું જીવન પણ શબવત્-પશુવત્ કહેવાય. વાસનાઓથી ગંધાય પરંતુ સંસારીપણામાં દેહનો અધ્યાસ જીવને શરીરના ધર્મથી સભાન રાખે છે, કે દેહ મારો છે. જો જીવન આત્માને આધારે હોય તો આત્માનું અહિત થાય ત્યાં જીવ તરત જ સાવધાન થાય. જો જીવનમાં ગુણની કિંમત નથી, તો તને ગુણવાનોની કિંમત ક્યાંથી થશે? પછી તુ અરિહંત અને સિદ્ધના ગુણ સુધી ક્યાંથી પહોંચશે? કાંટાળો માર્ગ છોડીને ભાઈ સરળ માર્ગ ગ્રહણ કર, તે ગુણગ્રાહકતાથી સંભવ છે. રાગી પર રાગ કેટલો જલદી થાય છે. કોઈને સૂચવવું પડતું નથી. વીતરાગી પર રાગ કરવાનું કેમ વિચારવું પડે છે? ઉત્તમ મનુષ્ય દેહ, સુખેથી ખાવા-પીવાનું પુણ્ય, પુણ્યયોગે ધર્મનો યોગ, આવું સુખ મળવા પાછળ અન્યનું લેણું આપણે માથે પડયું છે. બીજાનું આપણી પાસે જમા પડયું છે. આ જનમના આવા શુભયોગમાં નહિ ચૂકવીએ તો ક્યારે ચૂકવીશું? દેવાદાર થઈને જવું તે સજ્જનતા છે શું? વળી જતાં શું લઈ જવાનો? તારો જ પુણ્ય પાપના સંસ્કારોને? • તું મરણથી બચવા ગમે તેવા જોષ જોવડાવે. • રોગ મુક્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. ૦ ધન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. • સંતાન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. પણ તે તો સર્વ તારા પૂર્વસંચિત કર્મ પર આધારિત છે. એટલે એટલું વિચારી રાખજે કે જન્મ જોષ જોયા વગર જ લેવો પડે છે. આ નિરાધાર-અશરણ જીવનનો શૂનકાર ધર્મ વડે જ પૂરાય છે. ધર્મ જ રક્ષણ આપે છે. ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા, એટલે ભોંયરા બનાવવા માંડયા પણ ૪૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ કાળનો બોમ્બ પડશે ત્યારે શું બનાવશો ? કોનું શરણ લેશો ? ત્યારે મૂંઝાવું તેના કરતાં વેળાસર ચેતી જવું અને ધર્મનું શરણ ગ્રહણ કરવું. ઘણી સાધનસામગ્રી છતાં, ચારે બાજુ ઘણા લોકોનો પરિચય છતાં જીવ કેમ ભૂંઝાય છે ! એનું હૃદય રિક્ત કેમ છે ! તેને ભરવામાં શું ખૂટે છે ? કાચી માટીના કોડિયામાં તેલ, દિવેટ પુરાય અને જ્યોતની આંચ મળતાં પ્રકાશી ઊઠે છે. ભાઈ તારા આત્મામાં જ્ઞાન ક્રિયાનો યોગ છે તેમાં સદ્ગુરુના બોધરૂપી જ્યોતની આંચ આપે જીવનનો શૂનકાર ટળી જશે. તું સમષ્ટિને ચાહતો થઈ જઈશ. આવા શૂનકારને દૂર કરવાનું બળ સામાયિકવ્રતમાં પણ રહેલું છે. સામાયિક એટલે ઉપયોગની શુદ્ધિ. સાવધયોગોનો પરિહાર. નિરવધયોગનું સેવન. યોગ : મન, વચન, કાયા, જે પૌલિક સાધનો છે. દેહમાં રહેલા આત્માને જ્યારે પુદ્ગલના સંયોગથી વિશેષ સ્ફૂરણા થાય છે, ત્યારે આ ત્રણે સાધનો યોગ કહેવાય છે. તે દ્વારા જે પ્રવૃત્તિઓ થાય તેમાં પરિણામની શુભ કે અશુભ ધારા પ્રમાણે તે યોગો શુભ કે અશુભ ગણાય છે. એ યોગો જ્યારે સાંસારિક ભાવથી પ્રવર્તે ત્યારે સાવધ ક્રિયા યુક્ત હોય છે. તે અશુભયોગ છે એ યોગો જ્યારે આત્મલક્ષ્યના હેતુમાં સહાયક થાય છે ત્યારે શુભયોગ ક્રિયાયુક્ત હોય છે તેમાં શુભાશુભ આશ્રવ થાય છે. ઉપયોગ : આ યોગ સાથે આત્માનો ઉપયોગ જોડાય છે. વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ ક્રિયાદિને જાણે છે. પરંતુ મોહનીય કર્મયુક્ત ઉપયોગ તે તે યોગમાં જોડાય છે. ત્યારે તે ઉપયોગ શુભ કે અશુભપણે પ્રવર્તે છે. સામાયિક - સમભાવપણે પ્રવર્તતો ઉપયોગ ચારિત્રશુદ્ધિનું નિર્માણ કરતો યથાખ્યાત ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે, ત્યારે યોગોનું અસ્તિત્વ હોવા છતાં કષાયયુક્ત પરિણામ - ઉપયોગ ન હોવાથી ઈર્યાપથ આશ્રવ જ્ઞાનીને બંધન કરતા નથી. આમ યોગ શુભાશુભ આશ્રવનું કારણ છે. “કાયાવાડ્મનઃ કર્મ યોગઃ સ આસવઃ” - તત્ત્વાર્થાધિગમ સામાયિકની ફળશ્રુતિ યોગોનો વિરામ અને ઉપયોગની જાગૃતિ ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ - શુધ્ધિ છે. પૂર્ણતાની યાત્રાનું મુખ્ય સાધન શુદ્ધોપયોગ છે. ભૂમિકા પ્રમાણે શુભભાવયુક્ત ભક્તિ સત્સંગ આદિ હોય છે. સમ્યગૃષ્ટિ આત્મા જાણે છે કે અશુભરાગથી છૂટવા શુભરાગનું પ્રયોજન છે. તેનાથી સન્માર્ગે જવાની ફુરણા થાય છે. પરંતુ મોક્ષમાર્ગનાં સાધનો તો સમ્યગ્દર્શન અને સભ્ય જ્ઞાન છે. સાથે ચારિત્રની પૂર્ણ શુદ્ધિ થતાં પૂર્ણ - કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાષ્ટિ અશુભરાગમાં સુખ માને છે. શુભરાગમાં ધર્મ માની ત્યાં જ અટકે છે. અગારી - વતી શ્રાવક માટે દાનાદિ, વૃતાદિ, આવશ્યક ક્રિયાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહાર ધર્મ છે, અણધારી - સાધુજનો માટે સમિતિ-ગુમિ, જ્ઞાનાચારાદિ, મહાવ્રતાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહારધર્મ છે. એ બંને શુભરાગ છે. અગારી કે અણગારી ભૂમિકા પ્રમાણે જેટલો અંતર્મુખ થઈ, આત્મલક્ષમાં રહી, શુદ્ધોપયોગમાં ટકે તેટલો ધર્મ છે. મોક્ષમાર્ગની આરાધના છે. શૂન્યથી પૂર્ણની યાત્રા છે. દર્દીને તાવ આવે ત્યારે તાવ દૂર કરવાની દવા કરતાં સવિશેષ તાવ દરમિયાન જે પીડા વેઠવી પડે છે તેને દૂર કરવા દેવાની જરૂર છે. તે પ્રમાણે જે ઉપયોગમાં સ્વરૂપના આનંદનું વદન હોવા છતાં દુઃખનું વેદન કરે છે. તે દુઃખને - વેદનને દૂર કરવા અને સ્વરૂપ આનંદને મેળવવા ધર્મની આવશ્યકતા છે. શુભરાગમાં અટકવું તે ધર્મની આરાધના નથી. શુભભાવનાનું અવલંબન લેવું તે ધર્મની દિશા તરફ જવા માટે છે. આખરે નિરાલંબન સ્થિતિને સાધ્ય કરવા શુદ્ધોપયોગની મુખ્યતા છે. આ સમ્યગુદૃષ્ટિ આત્માની શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના આધાર પર તે ચારિત્રમોહનીયનો ક્ષય કરતો આત્મવિકાસમાં આગળ વધે છે. તે શૂન્યથી પૂર્ણતાને પામે છે. જો જીવ સન્માર્ગે છે તો યોગ એ દૈહિક છતાં પણ વરદાન છે. ઉપયોગ આત્મિક વરદાન છે. જો બંને સાવદ્ય પ્રવૃત્તિમાં છે તો શ્રાપ છે. માટે દેવ ગુરુની કૃપા વડે બંને વરદાનની યથાર્થતાને સમજવી અને સન્માર્ગે જવા અથાગ પરિશ્રમ કરવો. જો તું યોગી બને તો જીવનને ઉપયોગી જરૂર બનાવજે. સનાતન સ્કૂરિત એવા જ્ઞાનાદિ ઉપયોગથી જીવનને ભરી દે, તે શૂન્યથી પૂર્ણની યાત્રા છે. ४४ Page #48 -------------------------------------------------------------------------- ________________ સમતારહિત : કણનું સુખ અને મણનું દુઃખ ? જો જીવનમાં સમભાવ નથી તો વિષમતાનું દુઃખ જ છે. મરૂભૂમિમાં ગ્રીષ્મઋતુના તાપથી તપ્ત કોણ નહી હોય? તેમ સંસારમાં સમભાવ રહિત વિષયજવરના દાહમાં કોણ તપ્ત નહિ હોય? સાંસારિક એક કણના સુખ માટે મણનું દુઃખ શા માટે ઉત્પન્ન કરવુ? તે સમજવું જરૂરી છે. બીજી રીતે વિચારીએ તો સમભાવની એક શુદ્ધ પળ અનંત કર્મોનો નાશ કરી સુખનો માર્ગ ખોલી દે છે. પરંતુ મતિજ્ઞાનનો ઉપયોગ અજ્ઞાનરૂપે પ્રવર્તીને પુદ્ગલમાં રસ અને સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે એ પુદ્ગલ - કાર્મણ વર્ગણા આત્મપ્રદેશને આવરે છે. આત્મશક્તિરૂપ આત્મા જ સ્વયં વાઘ મટી બકરી બની જાય છે. એ કર્મબંધને અટકાવવા સામાયિકધર્મ છે. કર્મબંધનું કારણ મમત્વ છે. તે સમત્વ ભાવથી નષ્ટ થાય છે. સમત્વભાવ સામાયિકની નીપજ છે. એ ભાવની પ્રાપ્તિ માટે દ્રવ્ય સામાયિક બતાવ્યું છે. વિધિ સહિત કરેલું દ્રવ્ય સામાયિક સમત્વ ભાવમાં લઈ જાય છે. વળી સામાયિક ચારિત્રગુણની અવસ્થા છે દ્રવ્યથી ચારિત્ર નિયમ અને પ્રતિજ્ઞારૂપ છે. ભાવથી આત્મસ્વરૂપમાં નિરંતર રમણતારૂપ છે. સવિશેષ ભાવ સામાયિકનો મર્મ આત્મસ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઉદાસીનપણે લીન થઈ રહેવું તે છે. આવું સામાયિક સકળ કર્મનો ક્ષય કરવાને સમર્થ છે. દ્રવ્ય સામાયિક બાહ્ય પ્રવૃત્તિરૂપ છે. ભાવસામાયિકમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ છે. ગુપ્તિ છે. મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન આત્મલક્ષી હોય છે. તેથી આત્મગુણોનો વિકાસ થાય છે. ભાવ સામાયિકનું આવું રહસ્ય છે. તે સહજ શાંતિ અને સમતાને પ્રગટ કરનારું છે. સમતા જ સમતા. યોગીઓ માટે મોક્ષના સુખ કરતાં પણ પ્રશમરસની નિમગ્નતાનું સુખ પ્રત્યક્ષ છે. કણથી મણ જેવું નહિ પણ અધધધ. સંસારી માટે કણનું સુખ અને મણનું દુઃખ છે. • સર્વ પ્રાણીઓને વિષે સમતા. ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૦ સર્વ કષાયોથી મુક્તિરૂપી સમતા. • ઈન્દ્રિયોના વિષયોની વિષમતા રહિત સમતા. ૦ પર પદાર્થો પ્રત્યેથી ઈચ્છા રહિત સમતા. ૦ સર્વ ચિત્તવૃત્તિઓના શમનથી સમતા. ૦ સર્વ સંજ્ઞાથી સ્વાતંત્ર્યરૂપી સમતા. ક્યાંય દુઃખનો અંશ ન મળે. એવી આ સમતા યોગીઓને આત્મસાત્ છે. પોતાને પીડા આપનારને પણ પીડા ન કરે તેવો પ્રશાંત યોગી હોય છે. એવા યોગીઓનું અવલંબન ભવપાર કરવાનો પ્રબળ સહારો છે. - મહાત્માઓ કલ્યાણકારી પરોપકાર કરતા જ રહે છે. એમનાથી તે થઈ જાય છે, તેથી પરોપકાર કર્યા પછી તે ગાજતા નથી. ગાજ્યા વગર વરસે તેવા પ્રશાંત છે. તેમનાં વચન મર્માળા હોય છે. જો જીવ રાગાદિનું કૌવચ પહેરીને તેમની પાસે ન જાય તો તે તેમના વચનથી જરૂર વીંધાય છે અને સતપંથને પકડી લે છે. આ જ સુખી થવાનો ઉપાય છે. અસંતોષની અંતરદાહ - અગન જાળ બળતી હશે તો વિપુલ સંપત્તિ પણ તને સુખ નહિ આપે. જો અન્યના સુખમાં તું સુખી તો તને સુખ શોધતું આવશે. અગર દુઃખ જ તારો મિત્ર રહેશે. કેવળ પાપ છે, ત્યાં દુઃખ છે. એમ ન માનતો, પણ પ્રેમ નથી ત્યાં દુઃખ છે. જીવનમાં યૌવન અને સૌંદર્યનો એક સમય આવે છે, તેમ સંયમ અને શીલનો સમય પણ આવે છે. હવે જો તેનો સંસ્કાર દેઢ થયો હોય, જીવનના પ્રારંભના પવિત્ર દિવસથી વિકસતો તે સંસ્કાર અંત સમયે પૂર્ણતા આપે છે. માનવજીવન પામીને તને માનસરોવરના હંસરૂપે મોતીનો ચારો ચરવાનું આમંત્રણ છે. બીજી બાજુ ઉન્માર્ગ ભર્યો ભૂંડની જેમ કાદવમાં રહેવાનો યોગ પણ સંભવ છે પસંદગી તારે હાથ છે. માનવજીવનમાં અંતરયાત્રા કર્યા વગર આંતરિક શક્તિ જાગૃત થતી નથી. સંકલ્પબળ વડે જીવનમાં સફળતા મળે છે. સદ્ગુરુના ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ સહયોગથી થતી અંતરયાત્રા તારા કઠોર હૃદયને પણ પીગળાવશે. બરફની કઠોરતા જરા માત્ર ગરમીના સ્પર્શથી પીગળે છે ના? લોઢું પાણીના કોમળ સ્પર્શથી કાટથી પીગળે છે ના? પછી ભાઈ તું સદ્ગુરુના સહારાથી કેમ નહિ પીગળે ? પ્રભુ મહાવીરના કોમળ શબ્દ સ્પર્શથી ઈન્દ્રભૂતિ ગૌતમની બરફ જેવી કઠોરતા ઓગળી ગઈ. પોતે જ કરુણાના સાગરરૂપે પ્રગટ થયા. આમ ક્ષણનું સુખ શાશ્વત બને છે. - શરીરના મધ્યસ્થાનમાં હૃદય છે, એ હૃદયમાં જો સમતા છે તો માનવી દુઃખના ઝંઝાવાતો, કે સંઘર્ષોના જ્વાળામુખીનો ભોગ બનતો નથી. શરીરના મધ્યસ્થાનમાં જેમ હૃદય છે, તેમ સંસારના મધ્યસ્થાનમાં પુણ્ય છે, જો પુણ્ય હાજર છે તો તેને કોઈ પીડા નથી પણ પુણ્ય વરસાદ જેવું છે ક્યારે કઈ દિશા પકડે તે કહેવાય નહિ. સંસારમાં જીવને કોઈ દગો ક્યારે દે? વ્યાપારમાં ખૂબ નુકશાન થાય ક્યારે? વૃદ્ધાવસ્થામાં યુવાન પુત્રનું મરણ થાય ક્યારે? યુવાન પતિ કે પત્નીને અસાધ્ય રોગ થાય ક્યારે? અરે તું જ પોતે રોગથી ઘેરાઈ જાય ક્યારે ? તારું પુણ્ય ખૂટે ત્યારે, પુણ્ય દગો દે ત્યારે. પછી તું તેને ઈશ્વર રૂઠયો કહે. પ્રારબ્ધ વણસ્યુ કહે, કુદરતનો કોપ કહે, તે સર્વેનું પરિણામ સ્વીકાર્યા વગર અબજપતિ કે અજબપતિ (યોગીઓ) સંન્યાસી કે સંસારી, કોઈનો પણ છૂટકો નથી. એવા કપરા સંયોગોમાં ટકી જવાનું બળ જ્ઞાનીના વચનમાં જેને શ્રદ્ધા છે, જેની પાસે તત્ત્વનો બોધ છે, તે સમતાને સહારે ટકી જાય છે. આ સમતા કલ્પનાથી આવતી નથી. પણ સત્પુરુષોના પરિચયથી તેમના પાવન પ્રસંગોની પ્રેરણાથી પામી શકાય છે. દીવાલ પર લાગેલી બીલી જેમ થેલીનો ભાર ઝીલી શકે છે તેમ સમતા કર્મનો ભાર સહી લે છે. જિનાગમ પણ સૂચવે છે કે ગુણશ્રેણિએ આરૂઢ થતાં કે ઉચ્ચ ભૂમિકામાં સ્થિર થવા મહાત્માઓ શ્રુતજ્ઞાનનું આલંબન લે છે. વળી એ સાધનામાં કોઈ ભૂમિકાએ દશા મંદ પડે તો ઉપયોગ ચલિત થાય ४५ Page #51 -------------------------------------------------------------------------- ________________ છે. જયારે સામાન્ય સાધક અસત્સંગમાં છે, વિપરીત નિમિત્તોને આધીન છે, તેને વિષમતા થવાની છે. • રોગ, શોક, સંતાપ જેવા નિમિત્તોમાં વિષમતા આવશે તો પણ, • ધન માલ લૂંટાઈ જતાં વિષમ સંયોગો આવે તો પણ, ૦ સંસારમાં દુઃખદાયક પ્રસંગો આવે તો પણ ૦ અરે પુણ્યયોગનો પથારો પથરાઈ જાય તો પણ, ૦ ચારે બાજુ આફતનાં વાદળો ઘેરાય તો પણ, હે સાધક! તું સત્સમાગમમાં રહેજે સદાચાર સેવજે. સતુશાસ્ત્રના બોધનું અવલંબન લેજે. સત્ પુરુષના ચરિત્રોને સ્મરણમાં લેજે. તેમા દઢતાથી ટકી રહે છે. તો સામાયિકથી માંડીને શાશ્વત પદથી પહોંચવું કઠિન નથી. પ્રારંભમાં વિષમતાથી છૂટી સમતામાં આવવું કઠણ છે તો પણ સત્પુરુષના અનુગ્રહે, દેવગુરુ કૃપાએ, કઠણ હોવા છતાં, દુર્લભ હોવા છતાં સુલભ થશે. આત્મબોધ એવી મુડી છે, કે તે તેને સાચવી લેશે, દુન્યવી ધન સાચવવા તારે કેટલી વ્યવસ્થા કરવી પડે છે ! કેટલો ભય સેવવો પડે છે. પણ આત્મધન સમતાથી રક્ષિત છે, તે ઉપર કહ્યા તેવા ઝંઝાવાતોથી પણ તારું રક્ષણ કરશે. માટે એકવાર સામાયિક ધર્મને ગ્રહણ કર. તે સાધક ધન્ય છે, તે જ યથાર્થ જ્ઞાની છે, જેણે સધર્મ પરિણામ પામ્યો છે. મોહ જનિત અસત્નો કે તેના અંશનો ત્રિકાળ અભાવ સ્વીકારી, તેનું અંશ માત્ર ચિંતન કરતો નથી. પરંતુ નિરંતર પોતે સચિત્ આનંદ સ્વરૂપ છે તેને જુએ છે અને જાણે છે. આમ મનુષ્ય પોતાના મિથ્યા ભાવોનું વિસ્મરણ કરી યથાર્થ સ્વરૂપમાં સર્વકાળ માટે જાગૃત રહે છે, ત્યારે તેનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે. શુદ્ધ હૃદયકમળમાં સર્વ સુખનો વાસ છે. મનશુદ્ધિ કર્યા વગર મોક્ષ મેળવવા તપ કરે તે વ્યર્થ છે. કદાચ કાયાથી આરંભ થતો હોય પણ જો મનશુદ્ધિ હશે તો જીવ મોક્ષનો અધિકારી થશે. મનશુદ્ધિ પછી વચનશુદ્ધિ થાય છે, ત્યાર પછી કાયસ્થિરતા સરળ છે. ૪૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૮િ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સામાયિક દ્રવ્ય = સામાયિક બાહ્યવિધિથી લેવાનું છે. તે સમયે સર્વે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. સામાયિકમાં જરૂરી ઉપકરણો રાખવાં, તે પણ શોભાયમાન કરીને તેના વિકલ્પમાં ન પડવું. બાહ્ય પદાર્થોનો ત્યાગ અને સર્વ જીવોનો મૈત્રીભાવ તે દ્રવ્ય સામાયિક છે. ક્ષેત્ર = સામાયિક માટે પવિત્ર અને એકાંત સ્થાન પસંદ કરવું. છેવટે ઘરમાં પણ શાંતિ મળે તેવા સ્થાને કરવું. બાહ્ય વસ્તુની લેવડદેવડ કરવી નહિ. જે ક્ષેત્રમાં જે સ્થાને જે આસને સામાયિક લીધું હોય તે સ્થાને જ વિધિ પૂરી કરવી. કાળથી = સામાયિકમાં રહેવાનો સમય ૪૮ મિનિટ પૂરો હોવો જોઈએ. ગમે તે સમયે સામાયિક થઈ શકે. ઠંડી કે ગરમી સમતાથી આકુળતાનો ભાવ ન કરવો. પરંતુ બને તેટલા સામાયિક કરવા. ભાવથી = સમભાવમાં રહેવું. અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. ખાસ મૈત્રી આદિ ભાવનામાં મનને રોકવું. આર્તિ રૌદ્રધ્યાન ન કરવું. સમ્યગુજ્ઞાની અજ્ઞાન અને મોહને જાણી ભેદજ્ઞાનથી વર્તે છે. દેશવિરતિ કે સર્વવિરતિધર અજ્ઞાન અને મોહને નષ્ટ કરવાનો મહાપુરુષાર્થ કરે છે. કેવળજ્ઞાની પરમાત્માએ અજ્ઞાન અને મોહને સંપૂર્ણપણે નાશ કર્યો છે. તે ભાવ સામાયિક છે. મોહનીય ર્મનો ઉદય આત્મસ્વરૂપનો અસ્ત - આત્મસ્વરૂપનો ઉદય મોહનીયર્મનો અસ્ત.” પરને ગમે તેટલું જાણે પણે સ્વને ન જાણે તો તે જ્ઞાની નથી. પર પદાર્થ જાણવામાં ગૂંચાયેલો જોય-જ્ઞાની થશે, પણ તેની મુક્તિ નથી. આત્મજ્ઞાની સ્વને સંપૂર્ણ જાણે છે. એટલે પર પદાર્થ તેના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય પણ તેમાં એકતા ન હોવાથી, તે જ્ઞાની મુક્ત થાય છે. જ્ઞાન અને આનંદ અભેદ છે. જ્ઞાનાનંદ પૂર્ણ તત્ત્વ છે. શેયાનંદ પુણ્ય તત્ત્વ છે. જ્ઞાન દ્વારા જણાયેલા જોયમાં એકવ થવું તે જોયાનંદ ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ છે, તે ક્ષણિક છે. પૂર્ણજ્ઞાનાનંદ સ્વરૂપના સ્વામી વીતરાગ પરમાત્મા છે. કોઈને હરાવ્યા વગર વિજેતા છે. કારણ કે તેમની જીત આંતરિક છે. ભગવાનનું સામર્થ્ય જ એવું છે કે હરાવવા આવેલાને જીતી લે અને તેમને પણ જીતાડી દે. આત્મા પોતે જ આવો ઐશ્વર્યમય હોવા છતાં આશ્ચર્ય એ છે કે પોતે જ પોતાને ભૂલી ગયો છે. પાણી વચ્ચે મીન પ્યાસી ? “પાની બિચ મીન પિયાસી, મોહિ સૂનસૂન આવૈ હાંસી, ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂઠા, ક્યાં મથુરા ક્યાં કાશી ? ક્યાં સમેતશિખર ક્યાં શત્રુંજય ?'' જ્ઞાનસ્વરૂપ એવા આત્માના મૂળમાં જ્ઞાન છે, તેના ફળમાં પણ જ્ઞાન છે. એ જ્ઞાનનું કાર્ય દુઃખનાશ છે. આનંદની પ્રાપ્તિ છે. એ આત્મા સ્વસંવેદ્ય છે. આત્મ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આત્માને આપણે ખારો કે કડવો નહિ કહી શકીએ. કે લાલ-લીલો કહી નહિ શકીએ. તે પ્રમાણે પુદ્ગલને આપણે જ્ઞાન કે આનંદ સ્વરૂપ કહી નહિ શકીએ. દરેક દ્રવ્યનું આવું સ્વતંત્ર સ્વરૂપ છે. પણ આત્મા વેદકગુણવાળો હોવાથી, જ્ઞાનાદિના વેદનથી તે સ્વસંવેદ્ય છે. તો પછી આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે કેમ રહેતો નથી ? હે સુજ્ઞ ! અજ્ઞાનાવસ્થામાં પણ જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. પણ વિપરીત જાણે છે. જાણીને પરમાં ભાવ કરે છે. જીવમાત્રનું જ્ઞાન અલ્પાધિક ખુલ્લું જ છે, પરંતુ વેદનમાં શુદ્ધતા જોઈએ તે મોહનીયકર્મથી આવરાઈ ગઈ છે તેથી શુદ્ધાત્માનું વેદન થતું નથી. જ્ઞાન, દશ્ય જનિત છે, સુખ વેદનરૂપે છે. શુદ્ધ ધ્યાનને અગ્નિ સમું કહ્યું છે, જે કર્મ મળનો નાશ કરે છે. નિર્વાણ પછી ધ્યાન દશા સમાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનને તો સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન દશામાં કે અજ્ઞાન દશામાં જ્ઞાન તો આત્મા સાથે જ રહે છે. પૂર્ણજ્ઞાન પ્રગટ થતાં જેમ એક પરમાણુ પણ અજ્ઞાત નથી રહેતું તેમ વીતરાગતા પ્રગટ થતાં તે શુદ્ધપ્રેમ તત્ત્વરૂપે વિલસે છે, ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જીવસૃષ્ટિનો એક પણ જીવ એ પ્રેમતત્ત્વમાંથી બાદ રહેતો નથી. જેને સામાયિક આત્મસ્વરૂપે લાધ્યું છે તેને જ્ઞાન અને પ્રેમ અભેદપણે હોય છે. સામાયિક દ્રવ્ય અને ભાવથી વિચારીએ તો બાહ્ય વિધિ આદિ સહિત દ્રવ્ય સામાયિક છે. શ્રુત સામાયિક દ્રવ્ય સામાયિક છે. ભાવશુદ્ધિ, સમતારૂ૫ અધ્યવસાય, આત્મા સાથે ઉપયોગનું ઐક્ય, તે ભાવ સામાયિક છે. તે ભલે ભૂમિકા પ્રમાણે હોય. પરંતુ ભાવ સામાયિક સાધ્ય છે. એનો અર્થ એવો ન કરવો કે ભાવ શુદ્ધ થશે પછી સામાયિક કરીશું. સામાયિક સાત્ત્વિક જીવનનું અંગ છે. કાચ એ કાચ છે. હીરો પણ કાચ છે. બંને પૃથ્વીતત્ત્વ છે. કટ ગ્લાસ જેવો કાચ કાચ જ કહેવાય છે. હીરો કદાચ જરા દોષયુક્ત હોય તો પણ કાચ કરતાં તેની કિંમત વધુ રહેવાની. સામાયિક દોષ રહિત હોવું જ જોઈએ પરંતુ સાવધપાપની પ્રવૃત્તિ કરતાં, ભલે થોડા પ્રમાદ સહિત તે ક્રિયા થાય તો પણ સાવધપાપની નિવૃત્તિ હિતકારી છે. વળી પ્રમાદ મુક્ત થવા પ્રયત્ન કરવો જરૂરી છે. માટે સામાયિક કરવું જરૂરી છે. કારણ કે તે મુક્તિનું સોપાન છે. મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન, સમ્યમ્ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે. સમ્યગુજ્ઞાન માટે સલ્ફાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગું ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે. સમ્યગુધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સુધીના સઘળા તપ છે. આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. ત્યારે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. સમ્યગ શ્રધ્ધા રહિત જ્ઞાન સમ્યગુ બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગું ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ અરેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે. ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ સામાયિક દ્વારા શ્રેષ્ઠ દૃશ્ય અને શ્રવણનું પ્રાગટ્ય વિશ્વ વિષયોના વિકારમાં આક્રાંત થઈ વિશ્રાંતિ પામતું નથી. સુખ સામગ્રી મેળવીને, કે ભોગવીને પછી દુઃખી શા માટે? કારણ કે બાહ્ય વસ્તુથી વાસ્તવમાં આત્મવેદનમાં સુખ કે તૃપ્તિ ઉપજતી નથી. વળી પુરાણા કાળથી સંસ્કારમાં વિકૃતિની ભેળસેળ થઈ છે. આથી જેમ સૂર્યના તાપથી ઉત્પન્ન થતાં વાદળાં સૂર્યને ઢાંકે છે, વળી એ જ તાપ વડે વાદળાં વરસી જાય છે. અને સૂર્ય આડે આવતાં વાદળાં હટી જવાથી સૂર્ય પ્રકાશિત થાય છે. તેમ આત્માના સુખની આડે અજ્ઞાનનો અંધકાર પથરાઈ ગયો છે તે આત્મશક્તિ વડે જ દૂર થઈ શકે તે શક્તિ એટલે ચિત્તસમાધિ. ચિત્તસમાધિ એ સહજ અવસ્થા છે. પણ જીવ તેનાથી દૂર જઈ પડયો છે, વિસ્મૃત થયો છે, દુન્વયી પદાર્થોમાં જેની રુચિ છે, તેની પ્રીતિ છે, પ્રીતિ છે ત્યાં સ્મૃતિ છે. જીવને કંઈ કહેવું પડતું નથી, કે ઈન્દ્રિયોને શું ગમે છે? જાણે કે તે સહજ હોય તેમ ઈન્દ્રિયોને વિષયો મળી જાય છે. - પાંચે ઈન્દ્રિયોમાં ચક્ષુ અને શ્રવણ વિશેષ કાર્યકારી છે. તે બેની પ્રાપ્તિ સંજ્ઞીપણામાં હોય છે. કથંચિત આ બંને ઈન્દ્રિયો બોધ-સમજ પેદા કરી શકે છે. ચક્ષુ એટલે દશ્યનો સંબંધ, શ્રાવ્ય એટલે શ્રવણનો સંબંધ. આ દશ્ય અને શ્રાવ્યનો વિષય બહાર છે તો જીવ બંધાય છે. દેશ્યમય વિશ્વ ચક્ષુ વડે દેખાય છે, પછી તે બંધ હોય. ખુલ્લી હોય કે સ્વપ્નમાં હોય તે દેશ્યને જુએ છે. જગતના તમામ પદાર્થો નામ-રૂપથી ખ્યાતિ પામે છે. વસ્તુ કે વ્યક્તિને નામ હોય છે, તે શબ્દ વડે સંબોધાય છે. આ દેશ્ય અને શ્રાવ્ય, રૂપ અને શબ્દમાં પ્રાણીમાત્ર પ્રભાવિત છે. અને તેમાં રાગદ્વેષ કરી બંધાય છે. આ બંધનથી છૂટકારો થાવા કાંટાથી કાંટો નીકળે તેમ વિશ્વમાં દુન્યવી દશ્યની સામે અલૌકિક - લોકોત્તર રૂપનું નિર્માણ થતું આવ્યું છે. દુન્યવી શબ્દની સામે દિવ્યનાદનું નિર્માણ થતું આવ્યું છે. જિન પ્રતિમા અને જિનવાણી સર્વોચ્ચ દેશ્ય અને શ્રાવ્ય તત્ત્વો છે. અનાદિકાળથી આજ સુધી દેહ સંબંધી રૂપ અને શબ્દથી આત્મા પર Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્વયં બંધાતો આવ્યો છે, એ બંધનથી મુક્તિ પણ વિશ્વમાં સાધ્ય છે. આથી પ્રારંભમાં દુન્યવી દેશ્ય અને શ્રવણની સામે પારમેશ્વરી/અલૌકિક દેશ્ય અને શ્રવણ પ્રગટ થતાં આવ્યાં છે. તેના ધારક તીર્થંકર પરમાત્મા છે, જેમના દેહના દર્શનમાં પણ એવી અલૌકિકતા છે કે જીવ મુગ્ધ થઈ દુન્યવી રૂ૫/દ્રશ્યનું વિસ્મરણ કરી શકે છે. વળી તે રૂપને નિહાળીને તે પોતામાં રહેલા અરૂપી એવા આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો જિજ્ઞાસુ બને છે. તીર્થકરની દિવ્યવાણી/આત વચનનું શ્રવણ તેને બાહ્ય શબ્દાકારથી પાછો વાળે છે, અને અંતરના નાદને સાંભળતો કરે છે. આ વસ્તુનાં બે પાસાં છે. દુન્યવી દશ્ય અને શબ્દથી જીવ રાગાદિ વડે બંધાય છે, અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રથમ શુભરાગ પેદા કરે છે, પછી અદશ્યને દશ્ય બનાવે છે, અને અંતરનાદ વડે શબ્દાતીત અવસ્થાને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. જેમ રોગ છે તો તેનો ઉપાય શોધાય છે. તેમ આત્માને બંધન છે તો મુક્તિના સાધનનું પણ નિર્માણ થયેલું છે. તીર્થકરના દેશ્યથીરૂપથી આત્મા જાગૃત થાય છે. તીર્થકરના સ્મરણ વડે ચિત્તને સમાધિમાં લાવે છે. અર્થાત્ તીર્થકર નામકર્મના પુણ્યાતિશયો વિશ્વમાં સમવસરણાદિ અલૌકિક દૃશ્ય સર્જે છે, જે વિશ્વમાં સર્વ પ્રાણી માટે આકર્ષણ પેદા કરે છે. અને તેમની દિવ્યદેશનાના શ્રવણથી જીવો શાંતિ, પરમ સમાધિ પામે છે. આવી અલૌકિકતાનું હાર્દ એ છે તે પરમપુરુષોએ સમસ્ત વિશ્વના જીવ પ્રત્યે કેવળ કલ્યાણ કામના કરી હતી. આત્માના એકએક પ્રદેશને તે ભાવનાથી ભરપૂર કર્યો હતો. તેથી કલ્યાણકારી, સહજ અને સર્વોચ્ચ પુણ્યના સ્વામી થઈ વિશ્વના જીવોને દુન્યવી દશ્ય અને શ્રાવ્યથી બચાવી શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં. એવા પુણ્યાતિશયોના મૂળમાં સામાયિક છે. આવા મહિમાવાન તત્ત્વોની ઉપાસના કર્તવ્ય છે. ૫૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની ઈમારતના પાયા છે : સમય અને સમજ સમયનું મૂલ્ય સમજવું હોય કે માનવજન્મની પળેપળ કીમતી છે તો સમયને સુધારી લેવો. સમયની બરબાદી તે જીવનની આબાદીની નાલેશી છે. સમજ છે તો સમયનું મૂલ્ય છે. સમજ નથી તો જીવનનું અવમૂલ્યન છે. વિષમદૃષ્ટિવાળા માટે જીવનમાં રસકસ નથી. સમદૃષ્ટિવાળા માટે જીવન પૂરેપૂરું રસમય છે. જીવનના સંયોગોરૂપી જીવનયુદ્ધમાં આંતરિકબળથી જે જીતે છે તે યોગી છે; તેમનું જીવન અમૃતરસથી ભરેલું છે. - સમજણભર્યા વ્યવહાર, ધર્મ કે પુરુષાર્થથી જીવન ઉપવન બને છે. પરંતુ અજ્ઞાનભર્યો પુરુષાર્થ મળેલા ઉપવન સમા જીવનને વેરાન બનાવે છે. સમજણનો અભાવ મંગલમય જીવનને જંગલમય બનાવે છે. માટે સૌ પ્રથમ મળેલા આ જીવનમાં સન્માર્ગની દિશા પકડી પછી તે દિશામાં યોગ્ય રીતે પગલાં માંડવાં. જ્યાં કંઈ પણ ક્ષતિ લાગે ત્યાં આગવો આગ્રહ ત્યજી સતુનું અવલંબન લઈ જીવનનાવ ચલાવવી, સંસ્કારવશ દોષ પ્રગટ થશે; પણ ત્યારે દોષને તટસ્થપણે જોવા, પ્રભુનામનો પક્ષ લેવો. માણસમાં પાપ કરવાની શક્તિ છે. તેના કરતાં પ્રભુના નામમાં પાપના પક્ષાલનની વિશેષ શક્તિ છે. આ પંચમકાળ છતાં માનવને ભવપાર કરવાનાં સાધનો મળે તેવો અનુગ્રહ છે. યુગાવતારી પુરુષોનું યોગબળ સહાયક તત્ત્વ છે, તેઓ યુગના પ્રવાહને યોગ્ય વળાંક આપી પંથની કેડીને કંડારતા રહે છે. સાધકો એ કેડીએ ચાલીને પોતાનું શ્રેય કરી લે છે. તારામાં જો સાત્વિકતા છે શક્તિ છે, તો તું પણ પરહિતની ભાવનાને સેવજે. તેમ કરવા તત્પર રહેજે. એ યુગાવતારી પુરુષોની કેડીએ ચાલવાનો પ્રયાસ કરજે. હે સુજ્ઞ! તને મળેલા તન, મન, વચન અને ધનનો સદ્વ્યય કરજે. સમતામાં ટકવા માટે તે જરૂરી છે. તનથી સેવાકાર્ય કરજે, Page #58 -------------------------------------------------------------------------- ________________ મનથી સર્વના સુખમાં સદ્ભાવ કેળવજે, વચનનું સૌંદર્ય સાચવજે, વદન કદાચ સૌંદર્યવાન નહિ હોય તો પણ તારા વચન અને વર્તનની સુંદરતાથી તે સૌને અને પ્રભુને પ્રિય બનીશ. જો તારી પાસે ધન છે તો તેનો ઉપયોગ કરી કૃપણતાના શ્રાપથી બચી જજે. ગૃહસ્થજીવનમાં સમતાના ઈમારતના આ સર્વ પાયાનાં સાધનો છે. તું એવો દાવો જતો કરી દે કે હું બુદ્ધિમાન છું, મને સુખ ભોગવવાનો જન્મસિદ્ધ હક્ક. વાસ્તવમાં માનવનો જન્મસિદ્ધ હક્ક સર્વને સુખ પહોંચાડવાનો છે. તેવી સમજ કેળવી લે તો તારામાં સામાયિક ક્નમ લેશે. ભાઈ ! તું જાણે છે કે દરિયાનું ખારું પાણી સૂર્યના કિરણથી તપીને વાદળાં બની વરસે છે. તે જળ મીઠું હોય છે. જમીનમાં બી-કણરૂપે દટાય છે, પછી મણરૂપે બહાર આવે છે. • મેંદી રંગ આપે છે પણ તે પહેલાં પથ્થર પર પીસાય છે. ૦ શેરડીનો મીઠો રસ સંચામાં પીલાયા પછી મળે છે. અને તું કહે છે, મને બધા સુખ આપવા તત્પર રહે અને હું કંઈ ન કરું, આ કેવળ તારી અણસમજ છે. સમજદાર માનવ કહે છે, બસ મારામાંથી પ્રેમ, કરુણા કોમળતા વરસો, વરસો... તેમાં જ તારા જીવનની પ્રસન્નતા ભરી છે. તારું હૈયું પ્રેમથી પરિપૂર્ણ છે. અહીં સમતાનું સામ્રાજ્ય ભોગવવાનું છે. સમતાના ક્ષણનું સુખ શાશ્વતું છે. તારા હૈયામાં પ્રેમ છે તો ભલે ને હૈયુ નાનું હોય છતાં તે એવું વિશાળ થઈ શકે છે કે એક વ્યક્તિથી માંડીને સમષ્ટિ એમાં સમાય છે. પછી તારી દૃષ્ટિ જ વિશાળ બને છે. દરેક પળે દરેક ક્ષેત્ર તું સૌમાં પ્રભુ જુએ છે. પ્રભુ સૌમાં છે તેમ જુએ છે. સર્વત્ર પ્રભુ છે તેમ જુએ છે, પછી ક્યાં રોષ, ક્યાં તોષ કરીશ? ક્યાં દોષ કરીશ? કોને દોષ આપીશ? બસ સમતા જ સમતા. પાપ અને પ્રેમ એક સ્થાને નથી રહેતાં કદાચ પ્રારંભમાં પ્રેમમાં કંઈ મિશ્રતા હશે તો પણ મૂલ્ય પ્રેમનું જ થશે. ધર્મ એક સાહસ છે તો પ્રેમ પણ સાહસ છે. રાગની ભયંકર શૃંખલાને તોડવી ફોડવી અને પવિત્ર પ્રેમતત્ત્વમાં પ્રવેશ કરવો તે સાહસ નહિ તો બીજું શું? એ ૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ માર્ગે જતાં અહંકાર બુદ્ધિમાં ભળીને તને ભોળવશે. પણ એકવાર તારું ભાવભીનું હૈયું પ્રેમમય બન્યું પછી તને અન્યભાવ અને અન્યભવ ગમશે નહિ. આવી સમજ એ જીવનની ધન્ય પળ છે. કર્મોની વિચિત્રતાથી જગતમાં શારીરિક, માનસિક, પારિવારિક, અનંત પ્રકારનાં દુ:ખોથી જીવો ગ્રસિત હોવાથી વ્યાકુલ હોય છે. તેઓ દુઃખથી છૂટવા ઈચ્છે છે છતાં દુઃખની મિત્રતા તેમને છોડતી નથી છતાં તેઓ તેનો ઉપાય સંસારના અભિગમથી શોધે છે, કે જ્યાં . દુઃખ મુક્તિનો ઉપાય નથી. કોઈ વિરલ જીવો જ દુઃખ ટળવાનો યથાર્થ ઉપાય શોધે છે. કારણ કે દુ:ખથી મુક્ત થવાનું યથાર્થ કા૨ણ ન મળે તો ઉપાય પણ યથાર્થ ન જ મળે. અજ્ઞ જીવો જાણતા જ નથી કે શરીરની વ્યાધિ માત્ર ઔષધથી મટતી નથી. મનનું દુ:ખ બાહ્ય સાધનથી મટતું નથી. પરિવાર વધવા કે ઘટવાથી પારિવારિક દુ:ખ જતું નથી. માટે સુજ્ઞ જીવોએ જાણ્યું કે આવા દુઃખથી મુક્ત થવાનો ઉપાય બીજો જ છે. દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાન ટળે જ્ઞાન પ્રગટે ત્યારે જીવને આત્મસ્વરૂપનો પરિચય થાય. તેથી તે જ્ઞાન વડે જ્ઞાનની પરિપકવતા વડે સમતાને સાધ્ય કરે છે. સમતા સુખનો મૂળ ઉપાય હોવાથી યોગીઓ શમરસમાં નિમગ્ન થઈ આત્માનંદને પ્રાપ્ત કરે છે. પ્રશાન્તાત્મસ્વરૂપની ખુમારી સાશ્ચર્ય ઉપજાવનારી છે. પરમપુરુષદશાના વર્ણનમાં કહે છે કે “જેને કંચન કાદવ લાગે છે, રાજગાદીનાં પદહિણાં છે. રાગ-સ્નેહ તો ભાવમરણ સમાન છે. માન મોટાઈ તો માટીની ગાર જેવી છે. સિદ્ધિ જેવા જોગને વિષ સમાન માને છે. ઐશ્ચર્ય અશાતા-અસુખ સમાન લાગે છે. પૂજ્યતા, માન સત્કાર અનર્થકારી લાગે છે. કાયા તો રાખનો ઢગલો જાણે છે. ભોગવિલાસ તો ઝાળ જેવો લાગે છે. ગૃહવાસ તો હથિયારના તીક્ષ્ણ ભોંકાવા જેવો લાગે છે, આરંભનાં કાર્યો તો મૃત્યુ સમાન જાણે છે. કીર્તિ આદિ તો મેલ જેવાં ભાસે છે. પુણ્યના યોગ વિષ્ટા જેવા નિરર્થક લાગે છે.” પરમદશાનું વર્ણન આવું છે. જો કે પ્રશાંતાત્મા યોગીને કંઈ વિકલ્પ નથી પરંતુ તેમની ખુમારી આ પ્રકારે હોય છે. કારણ કે પદ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧ દર્શનાદિ ત સુખને હાથી જે સ થાય તેઓ અસંગ થયા છે મૌન થયા છે અને નિર્વિકલ્પ થયા છે. આથી સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે સમરસીભાવ રાખવો, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અજન્મા, અમરણા અને અસંગરૂપ છે. આવી પ્રતીતિમાં સમ્યગુદર્શન થાય છે. તે સમ્યગુદર્શનાદિ શુદ્ધ ચારિત્ર વડે જીવકર્મનો ક્ષય કરી શાશ્વત સુખને પામે છે. સંસારસુખની સ્પૃહાથી જે સંવેગ અને નિર્વેદ પામે છે તે જ્ઞાનીને સમાધિ પ્રાપ્ત થાય છે. જેમ આકાશને વિષે પર પદાર્થોને પ્રવેશ નથી તે પદાર્થોના પરિણમનથી તે રહિત છે, તેમ સમાધિયુક્ત જ્ઞાની પુરુષો સર્વ પ્રકારે અન્ય ભાવ - પ્રતિભાવથી રહિત રહે છે. પરંતુ સંસારમાં પ્રવૃત્તિ વ્યવહાર એવો છે જીવને સમભાવથી ચલિત કરે છે. જેની પાસે સત્પુરુષનું બળ છે, તે કઠિનતામાં ટકી શકે. સ્વરૂપ નિષ્ઠા થવામાં અનેક અંતરાયો છે. છતાં પણ સાધકે સ્વરૂપનિષ્ઠા માટે ભૂમિકા પ્રમાણે સદાચાર, સત્સમાગમ સલ્ફાસ્ત્રાદિનું સેવન કરવું જોઈએ. તે માટે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય થવા પ્રયત્ન કરવો જોઈએ. તો સમય અને સમજ કાર્યકારી બને છે. સામાયિક માટે શ્રેષ્ઠ સ્થળ ઉપાશ્રય છે. પૂર્વકાળમાં શ્રેષ્ઠિઓ, રાજા, મહારાજાઓ, પોતાના વૈભવ પ્રમાણે દહેરાસરે અને ઉપાશ્રયે જતાં. જેથી તેમની પદ્ધતિથી અન્ય જીવોની ધર્મભાવના જાગૃત થતી. ઉપાશ્રયમાં સહેજે વાતાવરણની શુદ્ધિ થતી. દહેરાસરમાં પૂજા ભક્તિ થાય. ઉપાશ્રયમાં સદ્ગુરૂબોધનું શ્રવણ થાય. સામાયિક ઘરમાં શાંત અને શુદ્ધ સ્થાને સ્થિરતાથી થઈ શકે છતાં પણ ઉપાશ્રયમાં વિશેષ લાભ છે. વળી જ્યાં સત્સંગ સ્વાધ્યાય થતાં હોય ત્યાં શુભ ભાવનું વાયુમંડળ પણ જીવને શુભ ભાવની ધારામાં પ્રેરક બને છે. અશુભ વૃત્તિઓ સહેજે શમે છે. ગુરુ નિશ્રાનો લાભ મળે. ઘરમાં જીવને અન્ય અવાજ કે પ્રવૃત્તિઓ ચંચળ કરે છે. જ્યારે તીર્થ જેવા કે અન્ય પવિત્ર સ્થાનમાં સાધક શાંત ચિત્તે સાધના કરી શકે છે. ઘરમાં કંઈ નિમિત્ત મળતાં ચિત્ત ચલાયમાન થાય છે. પ્રવૃત્તિમાં વૃત્તિ જોડાય છે તેથી સાવધ યોગોથી નિવૃત્તિમાં બાધા પહોંચે છે. ૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રિયો કોઈ વિષયમાં પ્રવૃત્ત થઈ જવા સંભવ છે. પવિત્ર સ્થાનમાં બધું સંયમ પ્રેરક હોય તેથી સહેજે શુભ ભાવની ધારા ટકે છે. આર્તધ્યાન - અશુભ ધ્યાનથી દૂર રહેવાય છે. આમ ઘર અને ઉપાશ્રય કે પવિત્ર સ્થાનનું અંતર સમજીને પ્રમાદ ત્યજી તે રીતે સામાયિક જાગૃતિપૂર્વક કરવું. મન, વચન, કાયાના બત્રીસ દોષ ઉપરાંત અન્ય વિકલ્પોને પણ દૂર કરવાનાં છે. ધન ક્યારે કમાવું? અરે ! આ કાળમાં તો બાળક ગર્ભમાં આવે ત્યારથી ધનની વ્યવસ્થા કરવી પડે છે. એમ સામાયિક તો જન્મોજન્મના સંસ્કાર માંગે છે, એટલે સામાયિકને આત્મા કહ્યો છે. તેનું વિસ્મરણ થયું છે. માટે યથાશક્તિ આ અનુષ્ઠાન કર્યા જ કરવું. હે ચેતન ! વિચાર કે હવા ક્યારે લેવી? ધન પ્રાપ્તિ ક્યારે કરવી? જો કે એની રાત-દિવસ જરૂર છે. તેમ તારા સૂતેલા આત્માને જાગૃત થવા સામાયિકની જરૂર છે. બે ઘડી બેસીને, શાસ્ત્ર અધ્યયનથી શ્રુત સામાયિક, હરતાં-ફરતાં, ઉઠતા-બેસતા સમતામાં રહેવા પ્રયત્ન કર. સંયોગાધીન અશુભના યોગમાં સમતા રાખ. આમ વિવિધ પ્રકારે સામાયિકનું આયોજન કર્યા જ કરવું આખરે એ સામાયિક સમ્યકત્વનું પ્રદાન કરી શાશ્વતપણે પ્રગટ થઈ અનંતકાળનું સુખ આપશે. તારે જેવું અને જેટલું સુખ જોઈએ તેટલા સામાયિક કરવા. odi – – ટ – – – – – – – – – – – – – – – – – – – – i “જેમની મહા કરુણાના અવલંબને ભવ્ય જીવો આત્મજ્ઞાન | પ્રાપ્ત કરે છે, તેમનામાં સર્વથા અકર્તુત્વનો આરોપ તે અવળી ! | મતિ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રવચનોના નિઃસીમ ઉપકારોમાં ઔપચારિકતાનો આરોપ તે એકાંત નિશ્ચયવાદનો કદાગ્રહ છે. તે કદાગ્રહ સ્વકર્તુત્વાભિમાનના મિથ્યા ગર્વમાં ફસાવનારો હોવાથી | | સર્વથા ત્યાજ્ય છે.” ૫૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સામાયિક ક્યારે કરવું ? ભાઈ ! તું સામયિક કરવાનો ક્યો સમય પૂછે છે? સામાયિક એ તો તારો આત્મા છે. સુખ માટે કયો સમય નક્કી કરવાનો હોય? આપણું મન શરીર સુખમાં સહજ પ્રવૃત્ત થાય છે. આગ જુએ અને પગ ઊપડે, દોડે, મુખ પર માખ બેસે હાથ ઊંચકાઈ જાય. નાની પણ રજકણ આંખમાં પ્રવેશ કરવા જાય આંખ બંધ થાય. અને એ મન આ કષાય, વિષય, દોષો અને આત્મ અહિત સામે હાથ, પગ કે આંખ કશાનો ઉપયોગ કરતું નથી? હા, કષાયાદિની ક્ષીણતા માટે હાથ પગની જરૂર નથી; કેવળ સમજની, બોધની, સમ્યગુબુદ્ધિની જરૂર છે. જે સામાયિક દ્વારા સરળતાથી સાધ્ય છે. માટે સામાયિક અવશ્ય કરવું. તું કહેશે વખત આવે બધું થશે. પણ ભાઈ તારી સિલકમાં શ્વાસ આયુ કેટલા છે કે તું આવો વિશ્વાસ કરીને બેઠો છું તે શું યુવાનોને કાળને ઝપાટે ઝડપાયેલા જોયા નથી ? હજી થાય છે, યુવાન છું, પણ ભાઈ તને ખબર છે ને કે શેરડી બે-ત્રણ વાર પીલાય પછી રસકસ રહે ખરો? તું બાળપણમાં રમકડાં રમ્યો, યુવાનીમાં સ્ત્રી આદિમાં ભમ્યો. પ્રૌઢતામાં ધનાદિમાં જામ્યો, આમ બે-ત્રણ વાર પીલાયા પછી સાંઠ પછી તારામાં ધર્મ કરવાનો રસ કસ કેટલો રહેશે? વળી આ દેહ (આયુ) તને સિત્તેર એંસી સુધી પહોંચાડતા તારા કેટલાય ગાભા કાઢી નાંખશે? સર્પને દૂધ પાવ તોયે તેના મુખમાંથી ઝેર જ નીકળે, અમૃત ના જનીકળે; કારણ કે ત્યાં અમૃતની સરવાણી નથી. તેમ ભાઈ સંસારના કષાયાદિમાંથી તને ધર્મ કે ધર્મનું સુખ ક્યાંથી સાંપડશે? કષાયાદિના પહાડ અને વિષયોના વિષમય ઝાડ તારા અમૃત સમા આત્માને કઈ દિશાએ લઈ જશે? ચેતી જા. અને વિચાર કે તે શું મેળવ્યું? - યમરાજ બાળ નચિકેતાની મૃત્યુજીતની આત્મજ્ઞાનની દૃઢ જિજ્ઞાસાથી પ્રસન્ન થયા અને બાળકને કહ્યું કે તું ધરતી પર જા તને ૫૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તીપદ, પુત્ર, પરિવાર, ઐશ્ચર્યનું વરદાન આપું. બાળ નિચિકેતા પૂછે છે તે સર્વે અંતવાળા છે? અંતવાળા પદ પદાર્થો લઈને હું શું કરું? મારે અનંતની અખિલાઈને આંબવી છે, જે આત્મજ્ઞાનથી પ્રાપ્ત છે તેમ તમે કહો છો, તો પછી મારે કંઈ પણ અનિત્ય શા માટે ગ્રહણ કરવું? ચક્રવર્તીના સુખ પણ મર્યાદાવાળા છે ને ? માટે મારે તો મૃત્યુ જીતાય તેવું આત્મજ્ઞાન જોઈએ. માટે શક્તિ છે તો સાધના કરી લો તે પછી જો અશક્તિ આવે તો સમતા સહજ બનશે. જીવનમાં શક્તિની જરૂર છે તેના કરતાં આત્મશાંતિની વધુ જરૂર છે. માટે શક્તિ પર વિશ્વાસ રાખવા કરતાં શાંતિની ઉપાસના કરો. રાવણ-દુર્યોધનમાં શક્તિ ક્યાં ઓછી હતી? પણ સમવૃત્તિસંતોષના અભાવે રણમાં રગદોળાઈ ગયા. શક્તિ બાહ્ય નિમિત્તોનું કારણ બને છે, શાંતિ અંતરંગ અવસ્થા છે, શક્તિ વધારવા બહાર દોડવું પડે છે, શાંતિ માટે અંતરમાં છુપાઈ જવાનું છે. આવો બોધ જેને પરિણમે છે. તે પ્રાજ્ઞ છે. પ્રજ્ઞાનું અવતરણ સમતામાં થાય છે. તે સામાયિક દ્વારા પ્રાપ્ત થાય છે. આયુ પૂર્ણ થતાં દેહ અગ્નિસંસ્કાર પામશે ત્યારે તને કંઈ તેમાં દેખવા, દાઝવાપણું નથી. પણ અત્યારે તું જો કષાયાદિથી સળગેલો છું તું આત્માથી અળગેલો રહેવાનો છે. જે આત્મામાં રાગ નથી માંગ નથી. બસ છે તો સમતા, પ્રશાંતવાહિતા, જે સામાયિક ધર્મથી સાધ્ય છે. પ્રાથમિક ભૂમિકાના સાધકને સૌ પ્રથમ માનસિક ક્રિયા, ધ્યાન કે ચિંતન જેવું સાધન ઉપયોગી ન થાય કારણ કે સામાન્ય રીતે જીવોનું મન ખૂબ ચંચળ હોય છે તેમાં કાયિક કે વાચિક ક્રિયાનો સંયમ ન હોય તો માનસિક ક્રિયા હિતાવહ થતી નથી, અને એળે જાય છે. કારણ કે ત્રણે યોગની મહદ્અંશે અશુદ્ધ પ્રવૃત્તિનો દીર્ઘકાળનો અભ્યાસ છે. તે કોઈ પ્રબળ ધર્મઅનુષ્ઠાન રહિતપણે વર્તવાથી છૂટે નહિ. કારણ કે પ્રત્યેક ગતિમાં ધર્મબુદ્ધિને અભાવે શરીર મળ્યું હિંસાદિમાં પ્રવર્તન કર્યું. વાણી મળી વ્યકત થવા જેવી ત્યારે તેમાં માયા, દંભ અને અસત્યને ભેળવી વાણીને લૂષિત કરી. મન મળ્યું તો અનેક પ્રકારનું નિરર્થક ૬૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ દુર્ગાન કર્યું. જેમ જેમ ઈન્દ્રિયોની વૃદ્ધિ થઈ તેમ તેમ પાપોની પ્રવૃત્તિ વધી. કોઈ પુણ્યયોગે સમૃદ્ધિ મળી ત્યારે મોહથી ઘેરાઈ ગયો. આમ અનંત ભવો થતાં ધર્મબુદ્ધિ જાગી નહિ! સર્વજ્ઞ વીતરાગને ઓળખ્યા નહિ. નિગ્રંથ ગુરુજનોનો સમાગમ કર્યો નહિ. દયારૂપ ધર્મને આચર્યો નહિ તેથી દુન્યવી દુઃખો પામ્યો, તેને સહન કર્યા. પણ તપાદિમાં કષ્ટ માની આરાધન ન કર્યું. ઘણી મહેનત કરી ધનાદિ મેળવ્યા, પરંતુ ભોગબુદ્ધિને કારણે દાનાદિ કરી ન શક્યો. શારીરિક વાસનાઓનો ભોગ બન્યો અને રોગને નોતર્યા પણ સંયમમાર્ગે ન વળ્યો. મનુષ્યને એમ કહેવામાં આવે કે તું પશુ થાય તો ત્યાં ધર્મ-કર્મ નહિ, તપ તિતિક્ષા નહિ, સંયમ-નિયમ નહિ સ્વતંત્ર જીવન. જે ઈન્દ્રિયને જે સુખ મળે તે ભોગવવાનું કંઈ વિચાર નહિ કરવાનો. તો પણ મનુષ્ય પશુ થવા કેમ તૈયાર નથી? તેને પશુની પરતંત્રતા ખબર છે બુદ્ધિહીનતા ખબર છે, છતાં તે મનુષ્યપણાનો સઉપયોગ કરતો નથી. સદાચાર પામતો નથી એટલે મનુષ્ય છતાં જીવન તો પશુ જેવું કરી નાંખે છે. આ ત્રણે યોગો સામાયિકમાં દુઃખમુક્તિના નિમિત્ત બને છે. માટે કાલ કરે સો આજ કર. આજ કર સો અબઘડી કર. “શું કરું #તાં નથી કાંઈ ક્રતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો; વાતો #તાં વેળા શુભ જાયે વહી રે.. રાત્રે રોજ વિચારો આજ માયા શું અહીં રે;” સામાયિક શ્રાવક-સાધક-ગૃહસ્થ માટે અવશ્ય કરવા યોગ્ય કરણી છે, વ્રત છે, તપ છે, સંયમ છે, સામાયિકમાં શું નથી? માટે “બહૂ સો સામાઈયં કુક્કા” કહયું છે, પૂછવા જેવું નથી, અને છોડવા જેવું નથી. આદરવા જેવું ઉત્તમ કાર્ય, શ્રેષ્ઠ કાર્ય, કર્મ મુક્તિનું સાધન સામાયિક છે. | સામાયિકની પ્રક્રિયા, કાળ નિર્ગમનમાં તમે જે કંઈ કરો અંતર્મુખ થવા માટે છે. બહાર જવું હોય તો ઘણાં સાધન અને સમય જોઈએ. તમારે અંતરમાં જવું છે શું જોઈએ? સામાયિક કર્યા પછી સ્વાધ્યાય કર્યા પછી આનંદની સરવાણી ફૂટતી નથી? તો સામાયિક શરીરે કર્યું. સ્વાધ્યાય હોઠે કર્યો. તમે ક્યાં હતા? Page #65 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખ થવા માટે ચિંતનની ભૂમિકા છે. ચિંતન પણ છૂટી જ્યારે કેવળ ભાવાત્મક ભૂમિકા આવે છે ત્યારે અંતર્મુખતા આવે છે. પછી દેહ પર કે દેહને નામે જે બને છે તે તમને આકુળતા કે આકર્ષણ પેદા નહિ કરે. “દેહદૃષ્ટિથી હું પરમાત્માનો સેવક છું. ચૈતન્ય દૃષ્ટિથી હું આત્મા છું. આત્મદૃષ્ટિએ હું પરમાત્મ સ્વરૂપ છું.” માટે દેહને ભોગનું નહિ પણ યોગનું સાધન બનાવવું. સ્નેહનું નહિ પણ વૈરાગ્યનું સાધન બનાવવું. અગર ચારગતિના પરિભ્રમણની તૈયારી રાખવી. દેહનો નેહ કોઈને પણ સુખદાયી બન્યો નથી કારણકે તે જન્મ, જરા, મૃત્યુ અને રોગ વડે પૂરો થાય છે. | વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં | પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી ! જીવ અનેક ઈચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય? જ્યાં જીવ મનને આધીન આત્મા પણ ! મનને આધીન. શરીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને ! - અસુખ પડે તેમ મન થવા ન દે. અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહિ તે મનની કુશળતા I છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમાં ! એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે ! | લાખ અને હાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. | અરે ચપ્પ કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા ! | મન પાસે છે, તેથી તો એ શસ્ત્રોનો ઉપયગો કર્યા છતાં આપણને ! રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી | બચાવી શકાય કે નહિ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ? | દર Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સમભાવ રહિત દેહના નેહથી શું બન્યું ? સંસારી જીવ ક્ષુદ્ર વસ્તુઓનું મૂલ્ય આંકેછે પણ આત્માનું સામર્થ્ય તેની સમજમાં આવ્યું નથી, એટલે દેહાદિ જડ એવી વસ્તુમાં રાગ કરી આત્માનું અવમૂલ્યન કરે છે. આત્મા દ્રવ્યથી અચિંત્ય અને પરમશુદ્ધ, ક્ષેત્રથી પોતાના જ અસંખ્યાત પ્રદેશની મર્યાદામાં રહેનારો, કાળથી જન્મ મરણરહિત અવિનાશી, ભાવથી નિર્વિકલ્પ ગુણોથી ભરપૂર. છતાં તે શાથી અસામર્થ્યવાન કે અલ્પ સામર્થ્યવાળો થયો છે ? તેનું અનંત સામાર્થ્યબળ ક્યાં દટાઈ ગયું ? તે સામર્થ્ય પ્રગટ થવા માટે સામાયિક બળવાન સાધન છે. સંસાર એ અનેક વિષયોના વિષથી આક્રાંત થયેલું વન છે. તેમાં પ્રલોભનો અનેક છે. જેમ વન ચંદનવૃક્ષોથી ભરેલું છે, તેની સુવાસથી પ્રેરાઈને સર્પો વૃક્ષની આસપાસ વીંટળાઈ વળે છે, ત્યારે ચંદનની સુવાસમાં વિષ ભળે છે. પરંતુ એ જ વનમાં મોર પણ રહે છે. સર્પ અને મોરનું પેઢીઓ જૂના વાઘ બકરી જેવા સગપણ હોય છે. મોરનો ટહુકારો સાંભળે અને સર્પ બધા અદૃશ્ય થઈ જાય. આ પ્રમાણે વિષયોના વિષ સામે આત્માસંયમનો ટહુકાર વીતરાગની ભક્તિનો રણકાર, વૈરાગ્યનો પડકાર સાંભળે તો વિષ ઊતરી જાય છે. આત્માનું આવું સામર્થ્ય દેહના સ્નેહમાં અટકી ગયું છે. દેહની શોભા આત્મા વડે કે આત્માની શોભા દેહ વડે ? ભાઈ, આત્માની શોભા આત્મા વડે જ છે. છતાં આત્મા શરીરમાં હોય તો જ શરીરની શક્તિ પણ પ્રગટ થાય છે. તારા પગ માંડ આઠથી દશ કે બાર ઈંચના પણ જો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી હોય તો તે કરી શકે. તો પૃથ્વી મોટી કે તારું ચાલકબળ મોટું ? ઊંચામાં ઊંચો પર્વત ચઢયા પછી તારામાં હજી ઊંચે ચઢવાની તાકાત છે, તો એ પર્વત ઊંચો કે તારો આત્મા ઊંચો ? મોહનીયકર્મની સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમની છે, તેનો પાર કેમ આવે ? અરે ! એ તો કર્મની પ્રકૃતિ છે ભલેને સિત્તેર કોડાકોડી હોય તો પણ અંતવાળી છે. આત્માનો અંત નથી, તેથી તે ૬૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મોનો ક્ષય આત્મજ્ઞાન વડે થઈ શકે છે. આત્માના આવા સામર્થ્યનું દર્શન વિવેકચક્ષુ - દિવ્યચક્ષુ વડે થઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાની યથાર્થતા કે સુમેળ તે વિવેક ચહ્યું છે. દેહનો નેહ એ વિવેક ચક્ષુ વડે છૂટે છે. જડ અને ચૈતન્યના, હિતાહિતનો, સત્યાસત્યનો નિશ્ચય કરવો તે સમ્યગુજ્ઞાન છે. પરમાત્મા કથિત તત્ત્વની યથાર્થતા તે સમ્યગુશ્રદ્ધા છે. તે તત્ત્વોનો અનુભવ કરવો તે ચારિત્ર છે. તે ચારિત્ર સામાયિકથી શરૂ થાય છે, જીવનભરનું સામાયિક આદરનાર સાધુ-સાધ્વી છે. સમયની મર્યાદામાં સામાયિક કરનાર શ્રાવક-શ્રાવિકા છે. પુણિયા શ્રાવકે સમયની મર્યાદામાં રહી સામાયિક કર્યા તે પણ ભવતારક બન્યા. દેવોને પણ પ્રભાવિત કરનારા ઠર્યા. ભગવાન મહાવીરે આ જીવન સામાયિક ધર્મ પાળ્યો તે પણ સિદ્ધિગતિને પામ્યા. ત્રણે લોકને પૂજનીય બન્યા. આજીવન સામાયિકના સાહજિકતાવાળા મહાવીર ભગવાને શ્રેણિકને નરકાયુથી રક્ષણ મેળવવા પુણિયાજી પાસે ફકત એક સામાયિકનું ફળ લેવા સૂચવ્યું હતું. આથી સમજાશે કે સામાયિકના બે ઘડીના શુદ્ધ સમભાવી પરિણામનું શું માહાભ્ય છે કે સામાથ્ય છે? એ સામાયિક જીવનનાં બીજાં ઘણાં મૂલ્યો સહિત છે. અનાસક્તિ, સ્વૈચ્છિક ગરીબી, પ્રામાણિકતા, મૈત્રી આદિ ભાવનાઓ, અતિ નમ્રતા ધર્મશ્રદ્ધા, આવાં ઘણાં આત્મિક મૂલ્યો સહિતના સામાયિકનું સામાÁ અલૌકિક છે લોકોત્તર છે. દેહદૃષ્ટિના શમન પછી અંતરાત્મ દૃષ્ટિ વિકસે છે, જો કે ત્યારે સૂક્ષ્મ સંસ્કાર પ્રત્યે જાગૃત રહેવું પડે છે. કર્મ કરતાં આત્મા બળવાન છે. અનંતકાળના પરિભ્રમણમાં અનેક પ્રકારનાં દુઃખો ભોગવ્યા છતાં આત્મા એવા જ સામાર્થવાળો આજે અડીખમ છે. સર્વથા કર્મનો નાશ કરવા સમર્થ છે. સર્પનો એક ફૂફાડો ટોળે વળેલાને વિખેરી નાંખે છે. તેમ જ્ઞાનીઓ એક શ્વાસપ્રશ્વાસમાં અનંત કર્મોને ખપાવી દે છે. પરંતુ એ આત્મા પ્રત્યે દૃષ્ટિ જવી જોઈએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧ર સામાયિક : અહં વિલય - મનોનિગ્રહ આરંભ અને પરિગ્રહનો નિકટનો મિત્ર મોહ છે. મૂચ્છ છે. જેમ જેમ મોહ ઘટે, મમત્વ ઘટે તેમ તેમ તે પદાર્થોમાં રહેલો પોતાનો અહંભાવ મંદપરિણામ પામે. દીર્ઘકાળથી પરિચયવાળો તે અહંભાવ એકાએક નિવૃત્ત થતો નથી અને અહંના વિલય વિના આરંભ પરિગ્રહના સાધનોની કે પુદ્ગલની પરવશતા છૂટતી નથી. સામાયિક એ સાધનામાર્ગ છે. તેમા અહવિલય અને મનોનિગ્રહ અત્યંત જરૂરી છે. દઢપ્રહારી જેવા મહા અપરાધીએ પણ દરેક દરવાજે ઊભા રહી તાડન પિડન સહી અહવિલય કે મનોનિગ્રહ કરી ખૂની મટી મુનિ બન્યો. મોહથી ગ્રસ્ત મરુદેવા માતા, પુત્ર વિરહથી આંસુ વહાવી આંખે અંધાપો આદર્યો. તેમણે પુત્ર ઋષભનું ભગવર્જન્ય ઐશ્ચર્ય સાંભળી મનોનિગ્રહ કર્યો, અને યોગની સ્થિરતા કરી અંતર્મુહૂર્તમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી. - અહંના પાયા ઉપર પુલની ઈમારતી ઊભી છે. અંહનો વિલય થવાથી ઈમારતના પાયા હચમચી જાય છે. તમે તટસ્થપણે આંતર નિરીક્ષણ કરશો તો તમારા મન પર આ અહંના પડઘા તમને સંભળાશે. પળે પળે “હું. માટે સામાયિકના અનુષ્ઠાનની સૌથી પ્રથમ શરત છે સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ એટલે પુદ્ગલ પ્રત્યેથી મુક્તિ, પરિગ્રહથી વિરમવું. જેના પરિણામે તેમાં પ્રવર્તતો અહં વિલય પામે છે. જો કે અનાદિકાળનો આ અહં એકાએક વિલય પામતો નથી. તે માટે તનથી, મનથી ગુરુને અર્પણ થવું, આધીન થવું. ગુરુના પારતંત્રમાં વરૂપનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. ક્રેમિ ભંતે સામાઈયં / તસ્સ ભતે પડિક્કમામિ - ગુરુની નિશ્રા શીળી છાયા છે. કદાચ શિક્ષા આપવામાં ગુરુ કઠોરતા વાપરે તો પણ પેલી શ્રદ્ધા ત્યાં ચંદનનું કામ કરશે. તેને ગુરુનાં વચનો મંત્રરૂપ લાગશે, ગુરુનો ચરણ સ્પર્શ પૂજા સમાન લાગશે. અને ગુરુની સ્મૃતિ એનું ધ્યાન હશે. એવા ભાવે ગુરુની સેવા વડે પૂર્વ ૬૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ સુધીના જ્ઞાનની ક્ષિતિજો ખૂલી જાય છે. ધૂણી ધૂણીને ગોખવાની જરૂરત નહિ. અને જરા પ્રમાદ થયો, ખામી થઈ, “તસ્ય ભંતે પડિક્કમામિ' કરી જ લેવું. ગુરુએ આપેલી આજ્ઞા, મંત્ર, શિક્ષા, બોધ સર્વે વિષય કષાયોના દાવાનળ સામે શીતળ જળની વર્ષા છે. તમને અંતરમાં વિષય કષાયો પીડે, તમે ગુરુના સ્મરણ કે મંત્રમાં મનને યોજી દો, તમે સુરક્ષિત થશો. જ્યાં સુધી તમે પરિપકવ ન થાય ત્યાં સુધી તમારે કર્યા જ કરવું. ગુરુ શરણં ગુરુ સેવા શરણં ગુરુ આજ્ઞા શરણં. તમારે આત્માને દેહભાવથી મુક્ત કરવો છે, તો તમારે અહવિલયની જેમ મનોનિગ્રહ કરવો પડશે. મનના બે દોષ છે. જો તે પરિચિત વસ્તુ જુએ કે સાંભળે તો કહેશે આ કથા, આ સિદ્ધાંત તો મેં સાંભળ્યો છે. હવે જો કોઈ નવી તાત્ત્વિક વાત આવશે તો કહેશે કે આમાં આપણું કામ નહિ. “ચીલે ચીલે ચાલ્યા જાઉં, નિશદિન એને ફાવે, ભાળ્યાથી અદકું ભાળે તો પાછાં પગલાં માંડે.” ભક્તિ માર્ગે જતાં કઠણ હૃદય દ્રવતું નથી. જ્ઞાન માર્ગે જતાં મગજ ખૂંપતું નથી. ક્રિયા માર્ગે જતાં કાયાને રૂચતું નથી. વિષય વાસના બૂરી છે જાણવા છતાં મન, કાયા, વળી વળીને ત્યાં દોડે છે, પુરાણો અભ્યાસ છે ને? ભાઈ ! આ તારી કહાની છે, તે પીડામાંથી મુક્ત થવા જ ગુરુજનોની જરૂર છે. તે તને મનોનિગ્રહનો ઉપાય બતાવશે, જેનાથી રાગદ્વેષ દૂર થશે. મનની સપાટીથી મનને તમે સંયમમાં લઈ જવા માંગશો, તેને પસંદ નહિ પડે. મનથી ઉપરની એક અવસ્થા જાગૃત ચેતનાની છે, તે સ્તરેથી તમે મનને આજ્ઞા આપો. મનોસંયમ સરળતાથી સાધ્ય થશે. જેમ એક શિષ્ય બીજા શિષ્યને કહેશે તો તે કહ્યું માને કે ન માને, પરંતુ જો ગુરુ આજ્ઞા હશે તો તે જરૂર આધીન થઈને વર્તશે. આપણે વ્રત પચ્ચખાણ બધું જ લગભગ મનની સપાટી પર રહીને કરીએ છીએ, સામાયિક આદિ પણ એ સપાટીથી કરીએ છીએ એટલે Page #70 -------------------------------------------------------------------------- ________________ તે તે ક્રિયાઓ ભાવપ્રધાન કે ગુણસાધક બનતી નથી. તેમાં મનના દોષો, એમાં પ્રમાદ, અશુદ્ધિ, વિકલ્પો વડે છિદ્રો પડે છે. એ મન જ્યારે ચેતનાના પ્રદેશોમાં વિલય પામે ત્યારે તે દોષો પણ વિલય પામે છે, એટલે જે કંઈ આરાધના થાય છે તે ચેતનાના સ્તરે થવાથી આત્મવિકાસ ઝડપી બને છે. ચેતના એટલે જ્ઞાન તે તમને સ્વરૂપ પ્રત્યે દોરશે. મન પૌદ્ગલિક સંસ્કારવાળું છે, તે તમને શરીરના સુખ પ્રત્યે દોરશે. શરીરના ગુણધર્મો સમજાવશે કે રસનાને સ્વાદ જોઈએ. આંખને દશ્ય જોઈએ. એ એનો ગુણધર્મ છે. જીભ ને આંખ કશું કહેતા નથી. આ સર્વે મનની રમત છે. જ્ઞાન-ચેતના કહે છે, શરીરને ધર્મો નથી, એ પડન અને સડનવાળું છે. તમે સંયમમાં આવી જાવ ત્રણે યોગ ચેતનાને અનુસરશે, એ ગુમિ છે. પૌદ્ગલિકષ્ટિ પુદ્ગલમાં રમણતા કરાવે છે, ત્યાં રમણ કરવા જેવું કંઈ છે નહિ. પણ જીવ એનો પરિચયી હોવાથી એને ચેતના પ્રત્યે જવાનું અપરિચિત લાગે છે. ચેતના સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરે તો સ્વરૂપ રમણતા થાય. સામાયિકની સમતા ધર્મસ્વરૂપ રમણતાનો પરિચય કરાવે છે. વાસ્તવમાં પરપદાર્થમાં રમણતા હોય નહિ, એ તો સંયોગ સંબંધ છે ત્યાં મમત્વ હોય. તાદાભ્ય સંબંધ સ્વાભાવિક સંબંધમાં જ હોય. જ્યાં નિર્મમત્વ હોય. સ્વભાવમાં જવાનું, સ્થિતિ થવાનું, રમણતાનું સાધન, અંતર્મુખતા છે, પૌદ્ગલિક રમણતા બહિર્મુખતા છે. સાધક ઊઠે, બેસે, હરે, ફરે, આહાર લે, બધે જ અંતર્મુખતા હોય. એક શિષ્ય ગૌચરી લઈને આવ્યો. ગુરુજી પાસે મૂકી. ગુરુજીએ તેના સામું જોયું. તેના મુખ પર લોહી નીકળતું હતું. બેટા ! તારા મુખ પર કંઈ વાગ્યું છે? શિષ્યને ખબર નથી. તે શૂન્યમનસ્ક ન હતો. પણ ગુરુના ગુણોના ચિંતનમાં, આજ્ઞાની મસ્તીમાં, સ્વાધ્યાયના ચિંતનમાં હતો. તેના મુખ પર કંઈ બન્યું તેમાં ઉપયોગ ન ગયો. તે અંતર્મુખ હતો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સામાયિક : અખંડ આત્માની અખિલાઈનું અવતરણ સમતા એ જ આત્મા છે, અર્થાત્ એમાં સમતાનું સાતત્ય છે. હરેક અવસ્થામાં ઉપયોગ સમતાયુક્ત છે. એ સમતા સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનવશ જીવમાં વિષમતા પેદા થતા સમતા ખંડિત થઈ જાય છે. જેમ એક કાચની બરણી આખી છે, તે તૂટી જતાં તેનો ઉપરનો તે ભાગ, વચ્ચેનો ભાગ અને તળિયાના ભાગના આકારો ભિન્ન ભિન્ન જણાય છે. તેમ જીવની સ્વભાવરૂપ સમતા જ્યારે અજ્ઞાનના ઉદય વશ ખંડિત થાય છે ત્યારે રાગદ્વેષ, તેમાંથી ક્રોધાદિ કષાયો તેમાંથી હાસ્ય, ભય, શોકાદિના કષાયો નીપજે છે. આમ એક અખંડ તત્ત્વ ખંડિત થાય છે. છતાં સમતા એ આત્માની અવસ્થા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ છે. એટલે તે સમતાની અવસ્થા ખંડિત થવા છતાં આત્મા સ્વસ્વરૂપે ત્રિકાળી અખંડ દ્રવ્ય છે. આ પ્રમાણે વીતરાગતા જેવા ગુણો માટે સમજવું અને તેને ઉપાદેય કરવા. જેમ સમતા અને આત્મા અભિન્ન છે, તેમ જ્ઞાન અને આનંદ પણ અભિન્ન છે. સમતા વિષમતાથી તિરોહિત થાય છે, તેમ જ્ઞાન અને આનંદ મોહથી તિરોહિત થાય છે. જ્ઞાન અને આનંદ આત્માના જ છે, આત્મામાં જ છે, પણ જીવની દશા કસ્તુરી મૃગ જેવી થઈ છે. “જિમ તે ભૂલો મૃગ દશદિશિ ફરે, લેવા મૃગવદ ગંધ, એમ જગ ઢૂંઢે બાહિર ધર્મને, મિથ્યા દૃષ્ટિ રે અંધ.'' મહામહોપાધ્યાયજી જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના જ્ઞાનવડે આનંદનું વેદન કરવાને બદલે જ્ઞેય-પરપદાર્થોને જોવા જાણવામાં આનંદ શોધે છે. આત્મસાધક અંધકારને આવકારતો નથી, તે પ્રકાશપુંજનો ચાહક છે. જીવનનો શુદ્ધિ રહિત આત્મવિકાસ શક્ય નથી. આત્મવિકાસ કે અધ્યાત્મનો પંથ અખિલાઈના સ્પર્શની સાધના છે. તેને ક્ષુદ્રતામાં અંક્તિ ન કરવો. જીવન શુદ્ધિ વડે અખિલાઈને આંબવા દૃઢ સંયમ અને પુરુષાર્થ જરૂરી છે. સામાયિક ધર્મ કર્મજનિત ખંડિત અવસ્થાથી મુક્ત કરે છે. કર્મજનિત અવસ્થામાં પુણ્યયોગે થતી પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ અંતે અપ્રાપ્તિરૂપ ન ૬૮ - Page #72 -------------------------------------------------------------------------- ________________ છે. કર્મસત્તાથી મુક્ત આત્મા પ્રાપ્તની પ્રાપ્તિ કરે તે તેની અખિલાઈ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કર્યજનિત નથી સ્વગુણ વિકાસને આધારે છે. તે પ્રાપ્તિની ભલે સાદિ હોય પણ તે અનંત છે. સાદિ અનંત છે. આત્માની ત્રિકાળી ધ્રુવ અવસ્થાને લક્ષમાં રાખે તો તેને દેહાદિ કેવા અનિત્ય અને અપૂર્ણ છે તેનો ખ્યાલ આવે. સાચા પુરુષાર્થની દિશા પકડાય. ભલે સાધનામાં ક્રમિક વિકાસ હોય. નિત્યાનિત્યના ભેજવાળો હોય. પર્યાયાવસ્થા માત્ર ખોટી નથી. અવસ્થાનું બદલાવું ન હોત તો મિથ્યાદેષ્ટિ પલટાઈને સમગુ દૃષ્ટિ કેવી રીતે થાય ! આવરણ દૂર થઈને નિરાવરણ કેવી રીતે થવાય? જે જે સ્થાને જે પ્રયોજન છે તેમાં સમજ - બોધની જરૂર છે. ધર્મમાં સદાયે ભાવ-ભાવનાનું પ્રધાનત્વ છે. સંસારમાં સદાયે દ્રવ્યનું પ્રધાનત્વ છે. આત્મા સ્વયં ભાવ સ્વરૂપ છે. સંસારી અવસ્થામાં આત્મા દ્રવ્ય સ્વરૂપે જણાય છે. આત્મસ્વભાવનું પ્રધાનત્વ સાધનાને દઢ કરે છે. પરમાત્મસ્વરૂપ સ્વભાવની અખિલાઈ પ્રગટ કરે છે તેથી તે સર્વોચ્ચ અવલંબન મનાય છે. આત્મા પરપદાર્થને જાણે એ જ્ઞાન લક્ષણરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપમય રહે. સ્વરૂપને અનુભવે તો સ્વભાવ રૂપ છે. જ્ઞાન દર્શનને ટકાવી રાખે છે, દર્શન જ્ઞાનને સમ્યગુ રાખે છે. એ દર્શન - દૃષ્ટિ મુક્તિદાતા છે. “સંયોગમાં વિયોગનું દર્શન” “ઉત્પાદમાં વ્યયનું દર્શન" “સર્જનમાં વિસર્જનનું દર્શન આમ જ્ઞાતાદૃષ્ટાભાવે રહી સંતો સિધ્ધાવસ્થાને પામે છે. બુંદ સમાના સમુદ્રમેં, જાનત હૈ સબ કોય, સમુદ્ર સમાના બુંદમેં, જાને વિરલા કોય.” ૬૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સામાયિક : સાધના માર્ગની સંપત્તિ સામાયિક દ્વારા અંતર્મુખ થયેલો સાધક આત્મ પરિચયી થાય છે, તે દ્વારા તે આત્મદર્શન પામે છે. બહિર્મુખ જીવને અધ્યાત્મભાવના અંતર્મુખ બનાવી સ્વસ્વરૂપમાં ભેળવી દે છે. જગતના પદાર્થો મેળવવામાં, જગતને રૂડું દેખાડવામાં માનવ નિજભાવને ભૂલી ગયો છે. એટલે જિનપદનો તેનો અધિકાર તિરોહિત થયો છે. અધ્યાત્મ કોઈ મનની કલ્પનાની સહેલ કે કોઈ લટાર નથી, પરંતુ પોતાના જ અખંડ સ્વરૂપને આંબવાની સાધના છે. અધ્યાત્મ ક્ષેત્રે પાપગ્રસ્ત કે ભયગ્રસ્ત મનથી કામ થતું નથી. નિરવ, નિષ્પાપ જીવન અધ્યાત્મ - પરમાર્થના પંથ માટે અનિવાર્ય છે. પાપના ભારથી લદાયેલું મન, વિષમતાથી આકુળ મન, અશરણતાથી મૃતઃપ્રાય મન, સામાથ્યવાન, અવિનાશી, અમૃતના કુંભ જેવા, અચલ આત્માને ક્યાંથી આંબી શકે? - આત્મવિકાસનો પંથી અને પનારે પડતો નથી તેની યાત્રા સતુ પ્રત્યે છે. તે એની સંપત્તિ છે. એક રાજાએ આવેશમાં આવી મુખ્યમંત્રીને કહ્યું કે એ સંતને ફાંસીએ લટકાવો. મંત્રી કહે, મહારાજ એ સંત છે તે ફાંસીએ હસતાં હસતાં ચઢી જશે, એ આત્માના અમરત્વને જાણે છે. આત્મા એને માટે મોટો મહારાજ છે. વળી એ જાણે છે કે તે સ્વયં સતુમાર્ગનો પંથી છે. અસતુને નહિ અનુસરે. રાજા : તો પછી તેને દુઃખ આપવા શું સજા કરવી? મંત્રી તેને પાપ કરવાની ફરજ પાડો, તે સ્વયં દેહ ત્યજી દેશે. એમનું પ્રેમ તત્ત્વ વિશદ અને અનોખું હોય છે, તેમનો પ્રાણ સમભાવ છે. જંતુ ખાતર પણ દેહ ત્યજી દેશે. પાપ નહિ આચરે. સંતનો આવો પરિચય પામીને રાજા દ્રવી ગયો. સંતની ક્ષમા માંગી. નિરવદ્ય જીવન, નિષ્પાપ જીવન નિર્ભયતા બક્ષે છે. ધર્મની યથાર્થ વિધિ જીવને ધાર્મિક બનાવે. ભક્તિ જીવને ભક્ત ૭૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ બનાવે, નીતિપાલન સજ્જન બનાવે, પરંતુ અધ્યાત્મ આત્માને સ્વયં પરમાત્મા બનાવે. ભૌતિક પદાર્થ કે વિજ્ઞાનમાં આ વિચારનો વિકાસ સંભવ નથી. માટે આત્માને જાણવાનો પરિશ્રમ કરવો જોઈએ. સાંસારિક સુખની ગૌણતા કરવી જોઈએ. સર્વસ્વ પામવા માટે સંસારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સંસારમાં જીવે અનેક પ્રકારના મૃગજળ રચ્યા છે. તે ભ્રમણાથી તેને મુક્ત થવું જોઈએ. મૃગજળ કેટલા છે જાણો છો ? દેહસુખ, ધન, ધાન્ય, ગૃહ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પરિવાર, સગા, સ્વજન, કુળ, જાતિ, સમાજ, યશ, કીર્તિ આવા ઘણાં મૃગજળની પાછળ આપણે દોડીએ છીએ. પણ જો હવે સમજાયું હોય કે એ નરી ભ્રમણા છે, તો સર્વ બાધક કારણોનો ત્યાગ કરવો અને અધ્યાત્મના પંથે પ્રયાણ કરવું. એ પંથે જતાં અંતરમાં તીવ્ર વૈરાગ્ય, જિજ્ઞાસા, બહાર સત્તમાગમ, સદ્ગુરુનો યોગ. ત્યાર પછી આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અધ્યાત્મપદની આરાધના માટે વેદાંતમાં પણ પટ સાધન સંપત્તિ’ બતાવી છે. ૧. શમ : વિષય સમૂહમાં જતાં મનને વારંવાર દોષ દૃષ્ટિ જાણીને તેમાંથી નિવૃત્ત થયું. પોતાના ચિત્તને આત્માના લક્ષ્યમાં સ્થિર કરી સમત્વમાં રાખવું. ર. દમ ઃ કર્મેન્દ્રિયો - દ્રવ્યેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો - ભાવેન્દ્રિયોનો સંયમ રાખવો. ૩. ઉપરતિ : અંતરવૃત્તિઓ બાહ્ય વિષયોમાં એકત્વ ન કરે તેવી સ્થિતિ. ૪. તિતિક્ષા : પ્રતિકાર રહિત, ચિંતા કે સંતાપ કર્યા વગર બધાં કષ્ટોને સમતાથી સહન કરવાની શક્તિ. ૫. શ્રદ્ધા : શાસ્ત્રવચન - પ્રભુવચન, ગુરુવચનમાં અતૂટ શ્રદ્ધા. ૬. સમાધાન : સમાધિ, બુદ્ધિને સર્વ પ્રકારે બ્રહ્મમાં જ સ્થિર કરવી. આ સંપત્તિ લોકોત્તર છે. ૭૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સામાયિક : સર્વજ્ઞનું વચન પ્રમાણ જીવ ક્યાં તો ઉન્માર્ગે છે, કયાં તો સન્માર્ગે છે. સંસારનો રાહ ઉન્માર્ગ છે. સર્વજ્ઞનો માર્ગ સન્માર્ગ છે. સઘળી પરિસ્થિતિમાં સમતા ધારણ કરવી તે સંતોનો માર્ગ છે. તેનું અનુસરણ તે સાધના છે. સૂર્ય ઊગે તે પૂર્વ દિશા જ હોય, તેમ સર્વજ્ઞના વચન તે સત્ શાસ્ત્ર. સંતસદ્ગુરુ સમજાવે તે સન્માર્ગ, આ શ્રદ્ધાથી આત્માના જ્ઞાન દર્શન વિકાસ પામે છે. “તરૂવર, સરવર, સંતજન ચોથા વરસે મેહ, પર ઉપકારને કારણે, ચારે ધરીયો દેહ.” તરૂવર - વૃક્ષો ફળ આપે છે પોતે આરોગતા નથી. સરવર - તૃષા છિપાવે છે, પોતે જળપાન કરતું નથી. સંતજન - પોતે કષ્ટ સહન કરે પણ જંતુ માત્રની રક્ષા કરે. મેઘરાજ કશા જ ભેદ વગર વરસે. જાણે કે પર ઉપકાર એ જ એમનો પ્રાણ હોય ! તેમ સંતો પણ નિઃસ્પૃહ ભાવે બોધની વર્ષા કરતા હોય છે. - સંતવાણી આચાર સહિત હોવાથી સ્વના જ્ઞાનનો ક્ષયોપશમ થઈ વૈરાગ્યને દઢ કરે છે, અન્યને સન્માર્ગે જવા ઉપકારી છે, જો એ વાણી આચાર રહિત હોય તો કદાચ જ્ઞાનાવરણીય કર્મનો આંશિક ક્ષયોપશમ થાય પરંતુ મોહનીય કર્મનો ક્ષયોપશમન થાય. માટે શુદ્ધાચાર એ સંતોનું જીવન છે. એવા સંતોનું અવલંબન - આજ્ઞા વડે સન્માર્ગ સાધ્ય બને છે. સંતના પક્ષે શુદ્ધાચાર છે તો શિષ્યના પક્ષે વિનય અને વિવેક છે. ભલે શિષ્યમાં કંઈ જ્ઞાન ન હોય પરંતુ દેવગુરુની આજ્ઞા - આદેશમાં તેને રુચિ છે, શ્રદ્ધા છે. સમર્પણ છે. તેને સન્માર્ગ સાધ્ય છે. | સર્વજ્ઞ પરમાત્માનો બોધ છે કે તું અનાદિકાળથી દેહમાં રહ્યો પણ જડ નથી બન્યો, જીવરૂપે જ રહ્યો છું. ભલે તું કર્માધીન રહ્યો પણ જીવસ્વરૂપે જ છું. માટે તું જીવને વળગી રહે તો શિવ થઈશ. રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો, તેણે સીતાને અનેક પ્રલોભનો આપ્યાં, પરંતુ સીતા રાવણની ન થઈ. રાવણ રૂપવાન Page #76 -------------------------------------------------------------------------- ________________ હતો. લંકાનગરી સુવર્ણની હતી. અંતઃપુર સુખ સામગ્રીથી ભરેલું હતું છતાં સીતાએ રામને જ સર્વસ્વ માન્યા. રાવણનો ત્રાસ સહન કર્યો. રામે પણ અતિ કષ્ટ સીતાને શોધીને જીવ સટોસટ યુદ્ધ કર્યું, સીતાને રાવણના સકંજામાંથી મુક્ત કરી. તેમ જીવ દેહના ઈન્દ્રિય જનિત સુખોના પ્રલોભનોમાં ન પડે, સંયમનું થોડું કષ્ટ સહન કરે તો સ્વભાવરૂપ ધર્મરાજા તેને સંસારના દારૂણ દુઃખમાંથી છોડાવે. માટે તારે સર્વજ્ઞના વચનને પ્રમાણ માનવું કે તું દેહ નથી પણ આત્મા છું. જગતમાં જીવો પોતાના નામ અને રૂપનો ગર્વ સેવે છે, તેમના ગર્વને ગાળવા અરિહંત તીર્થંકરના બાર પુણ્યાતિશયો યુક્ત નામનો મહિમા જાણે, તેમના રૂપને જુએ કે સાંભળે તો તેને સમજાય કે તેનું નામ આ જગતમાં જાણવાવાળા કેટલા? અને જાણીને પણ શું લાભ ? ક્ષણિક રાગ કરે કે દ્વેષ ! આવી ક્ષુદ્રતાવાળા નામનો ગર્વ શું? વળી તારું રૂપ ૫ વર્ષે ૧૫ વર્ષે ૨૫ વર્ષે ૫૦ વર્ષે અને ૭૦૮૦ એ તો કેવું બદલાઈ જાય ! તને જ આશ્ચર્ય થાય કે ક્યાં યુવાનીનું રૂપ અને ક્યાં આ બુઢાપો ? પ્રભુનું રૂપ કેવું ! “ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિ તણા ગુણ લઈ ઘડીયું અંગ લાલરે." આવા ઉત્તમ પદાર્થોથી પણ ઉત્તમ, ચંદ્રથી શીતળ, સૂર્યથી પણ પ્રકાશિત, સાગરથી પણ ગંભીર. કહે ભાઈ ! હવે તારા રૂપ અને ગુણનો ગર્વ કરવા જેવો છે? પુણ્યના શુભયોગમાં મળેલી સામગ્રીમાં ગળાબૂડ થયેલા જીવોએ પ્રભુના આઠ પ્રતિહાર્યની રચના જાણવા જેવી છે. ક્યાં તારી મુદ્ર સામગ્રી અને ક્યાં આઠ પ્રાતિહાર્યો? પુણ્યમાં રાચનારા કરોડપતિને પોતાનું સુખ સારું લાગે છે, વસ્તુ સસ્તી લાગે છે. રોડપતિને પોતનું દુઃખ સારું લાગે છે. વસ્તુ બધી મોંઘી લાગે છે. - એક કરોડપતિ એના સુખમાં મસ્ત છે. તેને પેલો રોડપતિ આવીને કહે કે “સાહેબ હમણાં તો અનાજ બહું મોંઘું છે. કરોડપતિ એને કહે છે કે અનાજ મોંઘુ છે તો લીલા સૂકા મેવા અને ફળ ખાજે. અમે સાંજે ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ અનાજ ખાતા નથી. ફળ ખાઈએ છીએ. (પચતું નથી) આમ શ્રીમંતાઈના ગર્વમાં એ જવાબ આપે છે, પણ એને ખબર નથી કે આ પણ જવાનું છે. અથવા માટે જવાનું છે. એ જતાં શોક મળવાનો છે. પ્રભુના અષ્ટપ્રતિહાર્ય પ્રભુના પુણ્યાતિશયો છે, પ્રભુએ ઉત્કૃષ્ટ સંયમ આરાધ્યો, અન્ય જીવોને આત્મવત્ જાણ્યા, પાળ્યા અને તેનો બદલો મળ્યો, ત્યારે નિઃસ્પૃહ રહ્યા. એ પુણ્યાતિશયોનો લાભ જગતજીવો પાસે ધરી દીધો. આવી ઉદારતા સંયમ-સામાયિકનો પરિપાક છે. સામાયિકની સમતા જીવમાં આવું ઐશ્વર્ય પેદા કરે છે. પરમાત્માએ પ્રથમ અનુકંપા-કરુણા અપેક્ષાએ મૂક જીવો પ્રત્યે કરી, પછી આભાસી સુખમાં ભ્રમિત થયેલા જીવો પછી ભલે તે ચક્રવર્તી હોય કે સમ્રાટ હોય તેમને ઢંઢોળ્યા. “બુઝો બુઝા' સંસાર દુઃખથી ભરેલો છે. શોકથી ગ્રસ્ત છે. આમ સુખિયા/દુઃખિયા સૌ જીવોના દુઃખને દૂર કરવા પ્રભુનું ઐશ્વર્ય પ્રગટ થયું. તે આઠ પ્રાતિહાર્યોના ઘટનાથી સમજાય છે : શોકગ્રસ્ત જીવોને શોકમુક્ત કરવા જાણે વિશાળ અશોકવૃક્ષની છાયા પ્રસરી ગઈ. તેની છાયાનું તેમણે સેવન કર્યું. તે શોકમુક્ત થયા. પેલો શ્રીમંત પોતાની શ્રીમંતાઈમાં ખોવાઈ ગયો છે તેને તો ભાન પણ નથી કે અનાજ મોંધું હોય તો ફળ પણ મોંઘા હોય ! એવો દયાંધ માનવ અન્યને છત્રી કે છત્ર શું આપવાનો છે? પરમાત્માના પુણ્યબળે ત્રણે લોકમાં દુઃખના તાપથી બચવા ત્રણ છત્ર ધરી દીધા. જેણે એ છત્રની છાયા સ્વીકારી તે સુખી થયા. સાચી દિશા - સન્માર્ગ પામ્યા. | હે સર્વજ્ઞ ! આપના જ્ઞાનપ્રકાશના સમગ્ર આભામંડલ પાસે સૂર્યનું તેજ પણ ઝાંખું લાગે. એવા પ્રખર પ્રકાશને આ પામર કેમ કરીને સહી શકે ? આપે નિષ્કામ કરુણાશીલ થઈને તે તેજ પુંજને સંતરીને વર્તુળાકારે ભામંડલમાં મંડિત કર્યું. જેથી ભવ્યાત્મા સમગ્ર રૂપને, નિહાળીને ધન્ય થઈ ગયા અને સ્વરૂપદર્શનના માર્ગે વળ્યા. આપના નામ-રૂપનો આ મહિમા જાણી દેવેન્દ્રો-માનવો પણ ૭૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ નાચી ઊઠયા. તેમણે વાજિંત્રોના સૂર રેલાવ્યા. દેવદુંદુભિના નાદ છેડયા. જગતના જીવોને સંદેશો મળ્યો. જાગો, નાચો, આ પ્રભુના સમવસરણમાં પધારો. જીવને ચારગતિમાંથી ઉગારો. અવસર પામી આળસ ન કરો. દેવદુંદુભિના નાદમાં ઘેલા બનેલા દેવોએ અત્યંત સુવાસ સભર સુરપુષ્પોની વૃષ્ટિ કરી. ભક્તિનો ચમત્કાર સર્જી દીધો. સૌના હૈયાને સુવાસિત કરી દીધા. સ્વર્ગથી પણ અધિક એવું સુરમ્ય વાતાવરણ, જાણે સાક્ષાત્ સિદ્ધશિલાનું પ્રવેશ દ્વાર, હોય તેવું નિર્માણ કર્યું. એ વાતાવરણમાં દેવદેવીઓ ચામર લઈને નાચવા લાગ્યા. તેમની પાસે સંયમની શક્યતા નથી તેથી ભક્તિના રસમાં રસમય થઈ પ્રભુને સમર્પિત થયા. આ સર્વ પ્રકારોથી ગુંજતું સમવસરણ જેમાં ચતુર્વિધ સંધ વિરાજમાન છે. ત્યાં પ્રભુ સમચતુઃસ્ત્ર સંસ્થાનયુક્ત આસનસ્થ થઈ, બારે પર્ષદામાં, ચારે દિશામાં અમદષ્ટિ વરસાવી. ચોમુખ વડે દેશના આપી. દિવ્યધ્વનિ દ્વારા પ્રભુએ બોધનો ધોધ વરસાવી દીધો. “રૂડી ને રઢિયાળી વીર તારી દેશનારે” પ્રભુના એકએક વચન સન્માર્ગે લઈ જનાર છે. રોહણક ચોરના દૃષ્ટાંતથી સમજી શકાશે. જેમ કોઈ એક મજૂર માથે ભાર ઉપાડીને દસ કિ.મી. ચાલ્યો, પછી કોઈ વ્યક્તિને આગળનો માર્ગ પૂછે છે. પેલી વ્યક્તિએ જાણ્યું કે આ મજૂરને જવાનું છે ગાંધીનગર અને એ આવ્યો છે સાણંદ. તેના મુખમાંથી અનુકંપાથી અરર...શબ્દ નીકળે છે કે અરે બિચારો ભાર ઊંચકીને ખોટી દિશામાં આવ્યો છે. તેમ કરુણાસાગર પરમાત્મા જાણે છે કે જગતના જીવો ખોટો કર્મનો ભાર ઊંચકીને ખોટી દિશામાં અવળો પુરુષાર્થ કરે છે. એટલે કરુણા વડે કહે છે. હે મહાનુભાવો! જાગો. આ સંસાર દુઃખથી ભરેલો છે. તમે સન્માર્ગે ચાલ્યા આવો, અહીં સુખ છે. ૭૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૬સામાયિક = અંધકારથી અજવાળા તરફ : સુપ્રભાત : બહુ પુણ્યરાશિથી મળેલો સંસ્કારીગોત્ર સહિત આ માનવદેહ સ્વયં સુપ્રભાતનો અવસર છે. કાળના વ્યવહારથી રાત્રિનો અંધકાર દૂર થવો અને સૂર્યના તેજ કિરણોનું પ્રગટવું પ્રભાત છે. આમ રાતદિનના આવાગમનનો ક્રમ નિરંતર ચાલ્યા કરે છે. વાસ્તવમાં માનવે વિચારવાનું છે કે અજ્ઞાનરૂપી અંધકાર-રાત્રિ દૂર થવાનો આ અવસર છે. મોહનિદ્રામાંથી જાગૃત થવાનો આ અવસર છે. તું તારી વીતેલી જિંદગી પર એક નજર તો નાંખી જો, તું પચાસ સાંઠ વર્ષનો થયો હોય તો તેના દસકાના ભાગ પાડ અને જો, દરેક દસકો વ્યર્થ ગયો છે કે સાર્થક થયો છે. જો એ દસકાઓના ગાળામાં કોઈ આત્મલક્ષ કે તે અંગેનાં સાધનોનું સેવન થયું નથી તો વ્યર્થ છે. તારા ઉપર પ્રભુની કૃપા ઊતરી હોય અને તું આત્મારાધનામાં પ્રવૃત્ત હોય તો તે તારે માટે સુપ્રભાત છે. પ્રસ્તુત ગ્રંથ સામાયિકના મહિમાનો છે. તેથી આપણે તેના આધારે જીવનમાં પ્રભાતના અજવાળાની જેમ આત્મપ્રકાશ પ્રાપ્ત કરવાનો છે. સુપ્રભાત એટલે સમ્યગુ પ્રકાશ જેના વડે અધ્યાત્મની યાત્રા સહજ થાય. સામાયિક જેવા અનુષ્ઠાનમાં અજ્ઞાન-મોહનિદ્રા દૂર કરવાનો ધર્મ સમાયેલો છે. જીવનકાળમાં કે આજના દિવસમાં તારા મન, વચન કે કાયાના યોગ વડે કંઈ પણ અપકૃત્ય થયું હોય તો તું પાછો વળ અને પ્રાયશ્ચિત (પડિક્કમામિ) કરીને તે અપકૃત્યને ટાળી દે. સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિવાળો થા, તો પગલે પગલે શ્વાસે શ્વાસે પુણ્ય છે. દષ્ટિમાં સમભા છે તો તું મરણકાળે ધર્મના શરણવાળો દુઃખથી મુક્ત થઈશ. જો તારામાં સમભાવ નથી તો “પગ મૂક્તાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” તને આરાધનાનો અવકાશ ન હોય. એવો કોઈ કઠણ ઉદય હોય તો પણ ઘડી આધી ઘડી આત્મહિત માટે મેળવજે. સમય પાણીની ૭૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ જેમ વહ્યો જાય છે, તેમ માની દેવગુરુ જેવા પવિત્ર તત્ત્વનું અનુસંધાન કરજે, તારું પુણ્ય જાગી ઊઠશે. આજ કરીશ કાલ કરીશ, એમ પ્રમાદ ન સેવતો કારણ કે સંસારના માયા પ્રપંચનો પાર નથી. તારી જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી, તૃષ્ણા અનંત છે, માટે હવે સંક્ષેપ કર તો જિંદગી સુખરૂપ થશે. જે દિવસે પ્રભાતે તારામાં પરોપકારવૃત્તિના પરહિત ચિંતાના ભાવ જાગે તે દિવસ તારે માટે મંગળ પ્રભાત છે, પવિત્ર છે, તારું જીવન ધન્ય છે, તેમ માનજે. સમભાવમાં ટકી જીવન ક્લેશરહિત, પવિત્રતામાં, ઉદારતામાં, સંપ અને સંતોષમાં વિતાવજે. જેથી સંસારયાત્રા નિર્વિઘ્ને સમાપ્ત થાય. હરપળે કાળ તો આયુષ્યને ગ્રસે છે. તેમાં ક્ષણ પણ અન્ય પ્રત્યે દુર્ભાવ કે સ્વ પ્રત્યે પ્રમાદ કરવા જેવો નથી. “તરવાર બહાદુર ટેક્વારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી, તે કેશરી સમ દેખિયા. એવા ભલા ભડવીર, તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈને.' અનાદિકાલીન કાળમાં દિવસરાત્રિનું ચક્ર ચાલ્યા કરે છે. કેલેન્ડરનાં પાનાં રોજ ફેરવાતાં જાય છે. જીવ જન્મ મરણના ફેરા ફર્યા કરે છે. આ ધરતી પર કેવાય અધિરાજ અને સમર્થ પુરુષો આવ્યા, વિદાય થયા જગતમાં કયા ખૂણે ઉત્પન્ન થયા તેનો તાગ કોણ કાઢી શકે ? આમ કાળના અવિરત પ્રવાહમાં માનવદેહને ધારણ કરી, તેને યોગ્ય અવસર જાણી, આત્મસ્વરૂપને ભજી લેજે. આત્મદશા અચળ, સુખદ અને શાશ્વત છે તેવી દૃઢ શ્રદ્ધા રાખજો. એકાંતમાં બેસીને આત્મભાવના દેઢ કરજે. ૭૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સામાયિક : નિરાવરણ જ્ઞાનનો અભિગમ વર્તમાન આપણું જ્ઞાન મોહથી આવરાયું છે. તેથી આંશિક જ્ઞાનનો ક્ષયોપશમ છતાં આપણી જીવનરેખા અજ્ઞાનથી અંક્તિ થયેલી મનાય છે. કારણ કે જ્ઞાન અંશે પ્રગટ છતાં વીતરાગતાનો અંશ નથી, પરપદાર્થોમાં આપણા રાગાદિભાવ આત્મગુણરૂપ વીતરાગતાને રૂંધે છે. માટે જીવે વૈરાગ્ય ગુણને કેળવીને જ્ઞાનના આવરણને ટાળવાનું છે, તે અભિગમ સામાયિક ધર્મથી મળે છે. સામાયિક એટલે સમભાવ જેમાં વૈરાગ્ય ગુણ નિહિત છે. વિતરાગતા અને સમભાવ એક સિક્કાની બે બાજુ જેવા છે. તે સામાયિકમાં અંશે પ્રગટ થઈ યથાખ્યાતચારિત્ર સુધી પહોંચી નિરાવરણ/ કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. જીવ સાથે ભળી ગયેલી કર્મ પ્રકૃતિમાં મોહનીયની પ્રબળતા છે. જો કે જ્યારે પ્રકૃતિઓ દબાય છે કે ઉપશમ થાય છે. ત્યારે પ્રથમ મોહનીયકર્મ પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે. કારણ કે જ્ઞાનનો ક્ષયોપશમ તો જીવ માત્રને હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો સંપૂર્ણ ઉદય હોય તો જીવ જડ જેવો થઈ જાય. પૂર્ણ અંધકાર વ્યાપી જાય. માટે મોહનીયકર્મનો ક્ષયોપશમ થવો તે એક સાધના છે, અને મોહનીયનો સંપૂર્ણ ક્ષય થવો તે સાધ્યની સિદ્ધિ છે. મોહનીયનો સંપૂર્ણ ક્ષય થતાં સર્વથા આવરણ દૂર થઈ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની યાત્રાના મૂળમાં સર્વાત્મમાં સમદષ્ટિરૂપ સામાયિક રહ્યું છે. આત્મજ્ઞાનનો ઉદય એટલે મોહનીયનો અસ્ત, મોહનીયનો ઉદય એટલે આત્મજ્ઞાનનો અસ્ત. સામાયિક દ્વારા જીવ જ્યારે સાવદ્ય પાપવ્યાપારથી નિવર્તે છે, નિરવદ્ય યોગોનો સેવન કરે છે, ત્યારે આંતરશુદ્ધિની ભૂમિકા રચાય છે. એ આંતરશુદ્ધિ એટલે જ્ઞાન અને આનંદ જે આત્મામાં રહેલા છે તેની જ રમણતા છે. તે વિકસીને સચ્ચિદાનંદરૂપે પ્રગટ થાય છે. સંસારી જીવો પાસે આ આત્મશુદ્ધિ નથી તેથી સુખ કે આનંદ ૭૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ પરપદાર્થમાં ભોગવવા માટે આકુળ થાય છે, તલસે છે. વળી એ પરપદાર્થોમાં આત્મવત્ ભાવ કરે છે. તે પદાર્થોનું સેવન કરીને, સાવદ્ય પાપ વ્યાપાર કરીને બંધાય છે, અને સુખદુઃખ ભોગવે છે. વ્યવહારમાં પારકી વસ્તુ લેનાર ક્ષુદ્રવૃત્તિવાળો કહેવાય છે. તેમ પરમાર્થમાર્ગમાં પણ પરપદાર્થોમાંથી પરભાવમાં જવું તે પારકી વસ્તુ લેવા બરાબર છે, તે અજ્ઞાનતા છે. તે જ મોહની અવસ્થા છે. મોહજનિત અવસ્થાથી નિવર્તિવા માટે નિંદામિ ગરિહામિ જેવા ઉપાયો દર્શાવ્યા છે. જ્યાં સુધી આત્મા એહિ જ સામાયિક ભાવની શ્રદ્ધામાં આવતો નથી ત્યાં સુધી તેને પર વસ્તુનું સાચું સ્વરૂપ શું છે, તેમાંથી શું મળે છે? તેનો વિચાર થતો નથી. સ્વ શું છે, આત્માનું સાચું સ્વરૂપ શું છે, તેનું ભાન નથી થતું. જીવની આવી મૂઢદશાનું નિવર્તન આત્મસ્વરૂપના લક્ષે ટળે છે. તે માટે મોહનીયના નાશનો ઉપાય કરવાનો છે. તે સિવાયનો શ્રમ પુણ્ય સુધી લઈ જશે. પરંતુ મોહક્ષયનો શ્રમ મોક્ષનગરે પહોંચાડે છે. સામાયિકની ફળશ્રુતિ મૈત્રી આદિ ભાવનાઓ વડે વૈરાગ્ય - વીતરાગતા છે. તે મોહરૂપી અંધકાર દૂર કરવાનો ઉપાય છે. શાસ્ત્રની સ્મૃતિ તે જ્ઞાન નહિ અભ્યાસ છે. જેટલી વીતરાગતા તેટલું જ્ઞાન નિરાવરણ. મતિશ્રત જ્ઞાનના ઉપયોગ વડે શાસ્ત્રજ્ઞાન દ્વારા તે કેવળજ્ઞાનને જાણે છે, આત્માના સુખ કે આનંદનો અનુભવ કેવળજ્ઞાન કરી શકે, કારણ કે તે નિવારણ જ્ઞાન છે. જ્ઞાન સ્વયં આત્માનું અસ્તિત્વ પ્રસિદ્ધ કરે છે, પરંતુ વિભાવજનિત જ્ઞાન તે અસ્તિત્વની શ્રદ્ધાને પ્રસિદ્ધિ આપતું નથી. કારણ કે મોહનીય કર્મનું બળ જીવને આવરણ કરે છે. મોહનો અનુભવ ઉપયોગમાં થાય છે. તેની ચેષ્ટા શરીર દ્વારા થાય છે. સામાયિક દ્વારા આત્માનો સ્વીકાર કરીને પર પદાર્થમાં સુખ બુદ્ધિનો ત્યાગ કરી આત્માના આનંદને અનુભવવાનો છે. પરપદાર્થના મોહમાં આત્મા રાંક બને છે. પરાધીન બને છે. પણ જ્યાં આત્માનું વિરૂપ સ્વીકાર્યું કે તું રંક મટી રાજા બને છે. આ નિરાવરણ જ્ઞાનનો અભિગમ છે. ૭૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સામાયિક : ધર્મ અને કર્મના ભેદનું જ્ઞાના ધર્મ સ્વભાવ છે, કર્મથી ક્રિયા છે, જો જીવ ધર્મમાં છે તો તેનું કર્મ બહારમાં બંધનરૂપ નથી. પણ જીવ જો ધર્મમાં નથી તો તેની સર્વ ક્રિયા બંધનરૂપ છે. જીવ કાં તો સન્માર્ગે હોય છે. કાં તો ઉન્માર્ગે છે. જીવ કાં તો ધર્મથી રક્ષિત છે, કાં તો કર્મથી ગ્રસિત છે. ધર્મ માર્ગે જીવ સ્વાધીન સુખ પ્રાપ્ત કરે છે. કર્મમાર્ગે જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. ઈન્દ્રિયોનાં સુખોની પ્રાપ્તિ થાય તો પણ તે પરાધીન છે. સામાયિકનો અભિગમ જીવને સાવદ્ય પ્રવૃત્તિથી/વૃત્તિથી અર્થાત્ કર્મથી દૂર કરે છે, અને પ્રત્યાખ્યાન વડે ધર્મમાં પ્રવેશ કરાવે છે. એ ધર્મ ઈરિયાવહી સૂત્રમાં જીવ માત્રના રક્ષણથી/હિતથી/દયાથી પ્રારંભ થાય છે. તેની પૂર્ણતા લોગસ્સ સૂત્રમાં “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ”માં પ્રસિદ્ધ કરી છે. સ્વભાવધર્મમાં જતાં પહેલાંની ભૂમિકા દયારૂપ ધર્મ છે. જે સાધકમાં કોમળતા, કરુણા, સંતોષ, સત્ય, શીલ, સજ્જનતા, જેવા ગુણો છે તે સ્વ-પર દયાનો ઉપાસક છે. સર્વજીવહિતચિંતાથી ધર્મ અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. એટલે દયાને ધર્મનું મૂળ કહ્યું છે. જો જીવ પરહિતચિંતારૂપ ધર્મને સ્વીકારતો નથી તો તેના ભાગ્યે કર્મની વિચિત્રતા લખાયેલી છે. ક્યારેક રજ માત્ર સુખ અને પાછળ દુઃખનો ઢગલો. આજે એવામીઠાઈ અને ક્યારે સૂકા રોટલાના પણ ફાંફાં. યશ અપયશની રમત ચાલ્યા કરે. દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને દુઃખ સાથી બનીને રહે છે. સામાયિક જેવા અનુષ્ઠાનમાં અભ્યાસ કે બોધ વડે સમજાય છે કે મને આ માનવદેહ મળ્યો છે. તે પૂર્વેનું પણ હાલમાં વર્તતું રહસ્ય શું છે ! જો પૂર્વના પુણ્યથી આ દેહ મળ્યો છે તો આ જન્મમાં મેં શું કર્યું છે કે મને હવે પછીના જન્મમાં આવો દુર્લભ દેહ અને ધર્મમાર્ગ મળે ! જો આ જન્મમાં એવું કંઈ કર્યું નથી તો આ જન્મ પણ ધર્મ વગર દુઃખ અને પછીના જન્મની વાત તો જ્ઞાની જાણે. ૮O Page #84 -------------------------------------------------------------------------- ________________ સામાયિક તને ધર્મપ્રાપ્તિનો અવકાશ આપે છે. તે સમયમાં કરેલા સન્શાસ્ત્રનો અભ્યાસ તને જાગૃત કરે છે. અહો ! પૂર્વે થયેલા મહામાનવોએ મળેલા માનવ જન્મને કેવો સાર્થક કર્યો? સુખોનો ત્યાગ કરી સંયમ માર્ગે ચાલી નીકળ્યા. અને શાશ્વત સુખને પામ્યા. સામાયિક ધર્મના પ્રવેશ માટે સાધકને પ્રથમ અવલંબન સતુદેવ, સતુગુરુ (નિર્ગથગુરુ) અને સધર્મ છે. તે તત્ત્વત્રયના અવલંબને સામાયિક ધર્મનું તને પ્રદાન થાય છે. | સર્વથા સર્વ કર્મનો ક્ષય કરી જેઓ પરમપદને પામ્યા છે. તે વિતરાગ સર્વજ્ઞદેવે નિરૂપણ કરેલા ધર્મનાં સાધનોમાં સામાયિક વ્રત સાધકને મળ્યું છે. તેમના માર્ગે ચાલનાર પંચમહાવ્રતધારી મહા સંયમી નિગ્રંથ ગુરુની નિશ્રામાં સામાયિક વ્રતની ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. દયારૂપ ધર્મ એ તો વીતરાગની પરમ કરુણાના સ્ત્રોતની પ્રસિદ્ધિ છે. આ ત્રણે અવલંબન સામાયિક ધર્મને પુષ્ટ કરનારા છે. સામાયિકના સમભાવમાં દયાધર્મની મુખ્યતા છે. - ઉત્તમ ગૃહસ્થ, સામાયિક આદિ વ્રતને નિયમથી સેવે છે. સામાયિક કયાં સુધી કરવાનું? તું યથાખ્યાત ચારિત્રને પામે ત્યાં સુધી સામાયિક વિકસિતપણે તારી સાથે રહેશે. માટે અપ્રમત્તભાવે તેની સાધના કરવી. આ જન્મમાં ભલે તું ગૃહસ્થ ધર્મમાં સમયની અવધિથી સામાયિક કરતો હોય તો પણ તે વડે તારા ગુણોનો ખજાનો ભરાશે, તે સમય આવે ખૂલશે. જ્યારે તારો જન્મ જ ધર્મયુક્ત કુળમાં થયો છે, તો પછી દયા ધર્મની મુખ્યતા રાખવી. એમ વિચારીને તારું મન દયાથી ભરપૂર હશે. ઉદારતાથી ભાવિત હશે. તારાં વચન મિતભાષી અને સત્ય હશે. તારી કાયા સુદઢ અને સંયમી હશે. તો તે જીવન સાર્થક છે. સામાયિકભાવને પુષ્ટ કરનારા જિનભકિત, આવશ્યક ક્રિયાઓ, તીર્થયાત્રા, દાનાદિ ધર્મો વગેરે અંગભૂત સહાયક તત્ત્વો છે, એનો સાધક સદા સમભાવના પરિણામવાળો હોવાથી પ્રસન્ન હોય છે. દુર્ગતિનો Page #85 -------------------------------------------------------------------------- ________________ નિવારક બને છે. કથંચિત ઈન્દ્રિયનાં સુખો, ધન ધાન્યની પ્રાપ્તિ એ શુભ કર્મની મહત્તા ભલે હો, તેનો સદ્ધપયોગ કરજે, પણ ખરી મહત્તા જન્મોજન્મના સાથી તરીકે ધર્મસત્તાની છે. તે દયા, શાંતિ, ક્ષમા અને સમતામાં રહેલી છે. ધર્મસત્તાની મહત્તાના મૂળમાં આત્મપરિણામની શુદ્ધતા છે. સહજ સ્વરૂપનું ભાન થવું તે ધર્મ છે. સંસારના અનેક પ્રકારના સંગ પ્રસંગથી જીવને પોતાના સહજ શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થયું છે. જેમ જેમ સંગ પ્રસંગનો ત્યાગ કરશે તેમ તેમ કર્મસત્તા શિથિલ થશે. કર્મવશ પ્રવર્તતી વિચિત્રતા જાણીને જીવે પ્રથમ અને મુખ્ય નિર્ણય આત્મહિત અને કલ્યાણનો કરવો. અને ત્રણેયોગનું પ્રવર્તન ઉદયાધીન થતું હોય તો પણ તે યોગોને નિરવદ્ય પ્રત્યે દોરવા. અસક્ષણે થતી યોગોની પ્રવૃત્તિને પ્રથમ સંકેલવી. તે માટે પ્રમાદ અને ઈન્દ્રિયવશતા ત્યજવી. સ્વચ્છેદાદિનો ત્યાગ કરવો. આમ કરવામાં જીવની નબળાઈ હોય તો સદ્ગુરુ આજ્ઞાએ કે સત્સંગમાં પ્રવર્તવું. સત્સંગમાં બાધક થતા પરપદાર્થના પરિચયનો સંક્ષેપ કરવો. કોઈ મહાપુણ્ય સત્સમાગમ મળી જાય તો બધા જ વિકલ્પો ત્યજી, દૈહિક બુદ્ધિ ત્યજી એ યોગને આરાધી લેવો. એ સત્સમાગમથી જે બોધ પ્રાપ્ત થયો હોય તેને બહુ મૂલ્યવાન જાણી અંતરમાં તેનો વાસ કરવો. આમ ધર્મારાધના વડે સમક્તિ પ્રાપ્ત થાય છે. જો બોધવચનને આદરપૂર્વક આચરે નહિ તો કર્મજન્ય પરાધીન દશાનો યોગ થાય. તેમાં જીવનું કલ્યાણ ન થાય. કર્માધીન જીવ ઉદયમાં આવતા સંસ્કારને વશ થાય છે. તેથી નિમિત્તે કરી હર્ષ કે શોક કરે છે. નિમિત્ત કરી રાગદ્વેષ કરે છે. નિમિત્તે કરી કષાયને આધીન થાય છે. તે માટે તે જીવે તે પ્રકારના સંગનો ત્યાગ કરવો. સત્સંગ જેવા નિમિત્તામાં રહી ક્ષણે ક્ષણે કે પ્રસંગે સ્વાત્મા પ્રત્યે ઉપયોગને વાળી લેવો. જોકે અનાદિની જીવને વિપર્યાસ બુદ્ધિ હોવાથી શીધ્રતાએ ધર્મભાવરૂપ વૈરાગ્ય કે ઉપશમાદિ ભાવો થવા કઠિન છે. છતાં પણ સત્સંગના યોગે તે ભાવોની વૃદ્ધિ કરવી. સત્સમાગમ ન હોય ત્યારે Page #86 -------------------------------------------------------------------------- ________________ સલ્ફાસ્ત્રનો આધાર લેવો પવિત્ર ક્ષેત્રમાં ઉપાસના કરવી. તે સિવાય આ દુસ્તર સંસારમાં ધર્મપ્રાપ્તિની પ્રથમ ભૂમિકામાં કઠિનતા લાગવાની. છતાં સમજણ પછી સરળતા સંભવ છે. પૂર્વના આરાધક જીવોને કે જેમની અંતર્મુખ દૃષ્ટિ છે તેઓને પણ પૂર્ણતા પામતા સુધી સતત સાવધાન રહેવાનો વીતરાગનો બોધ છે. કારણ કે અનાદિનો પરપરિચયી આત્મા નિમિત્ત મળતા ચૂકી જાય છે, અને સેવેલો દીર્ઘકાળનો વૈરાગ્ય પણ વ્યર્થ જાય છે તેવાં દૃષ્ટાંતો છે. માટે ધર્મની આ ભૂમિકાએ કે જ્યાં હજી કેવળ ભાવનારુચિનું જ બળ છે, આત્મ શકિતએ હજી બળ નથી ત્યાં સુધી આરંભપરિગ્રહનો અલ્પાધિક ત્યાગ કરી ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્રનો પરિચય રાખવો. તું ગમે તે ભૂમિકામાં હોય તો પણ કર્મના પ્રતિબંધ માટે અને ધર્મની વૃદ્ધિ માટે આત્મ હેતુભૂત સંગ વિના અન્ય સંગનો તું સંક્ષેપ કરજે. અને ક્રમે કરી સર્વસંગ પરિત્યાગની ભાવના કેળવજે. તે સિવાય આ પરમાર્થ માર્ગને પામવો કઠિન છે, સ્વભાવધર્મ પામવો દુર્લભ છે. મનને અશુભ કે સાવદ્ય પાપ વ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાંચન વિગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યવ્ય અને ધ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઉંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેના દર્શન કરો. તે ધર્મનું લક્ષણ છે. પર્યાયના પરિવર્તનથી બોધ પામો પરમાણુના પુંજ એવા આ દેહમાં અનેક પરમાણુંઓનો ભેદ સંધાત વિખરાવું -મળવું થાય છે. ૦ યુવાનીની પર્યાય બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. ૦ તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. • ઘડો લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો. ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૯.| સામાયિક વ્રતનો મર્મ : સામાયિક ચારિત્રનું અંગ છે, તેની પ્રસિદ્ધિ શ્રાવકના નવમા વ્રતથી પ્રારંભ થઈ. ગુણસ્થાનક પ્રમાણે વિકાસ પામી, પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. પ્રથમ ભૂમિકામાં વ્રતપણે આચારમાં આવે છે. અંતમાં વિતરાગતામાં પરિણમી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. એ જ એ વ્રતનો મર્મ છે. વ્રતનો અર્થ છે પુગલના પરિચયનો સંક્ષેપ કરવો. પાપાદિ પ્રવૃત્તિઓથી અટકવું. પછી તે સમિતિ કે ગુપ્તિ દ્વારા, પરિષહ કે ક્ષમાદિ ધર્મ દ્વારા, ચારિત્ર કે બાર અનુપ્રેક્ષા દ્વારા હો, પણ અટકો, આશ્રવનો નિરોધ અને સંવરની આરાધના એ આ વ્રતનો મર્મ છે. અહીં મુનિધર્મની મુનિના સામાયિકની વિશેષતા છે. જ્યારે શ્રાવક માટે પરિમાણ, મર્યાદા) વિરમણ (પાછા વળવું) સંક્ષેપ કરવાની પદ્ધતિ છે. શ્રાવક કે મુનિ કોઈ પણ વ્રત વગર ન હોય. મનાદિ યોગોનો સ્વૈરવિહાર ન હોય. પરંતુ યથાર્થ સંયમ હોય. આંતરિક દોષોની ક્ષીણતા હોય. બહારમાં સુઘડતા વધતી જાય. ક્રિયાદિ વધતાં જાય અને આંતરિક અવસ્થા એની એ જ રહે તો વતી અને અવ્રતીમાં શું અંતર રહે? વતી વાસ્તવમાં પાંચમા ગુણસ્થાનકે છે. એટલે તે ગૃહસ્થ છતાં સાધુ જીવનના ધ્યેયવાળો છે. આંતરિક રીતે અનાસક્ત થતો જાય છે. બહારમાં પદાર્થોનું કે પ્રસંગોનું પરિણામ (સંક્ષેપ) કરતો જાય છે. જેથી મનોયોગ શુભધ્યાનમાં ટકી શકે, વચનયોગ હિત અને મિત છતાં મર્યાદિત હોય. કાયયોગની નિરર્થક પ્રવૃત્તિ વર્ષ હોય. આમ ગૃહસ્થ-વ્રતી થયો એટલે તેનું બધું જ અલ્પ, અલ્પભાષી, અલ્પ આરંભી, અલ્પ પરિચયી, પરપદાર્થોમાં અલ્પ આવકારી. એનું સામાયિક કેવું હોય ! સર્વજ્ઞ વીતરાગ ભગવાન મહાવીર જેમનું સામાયિક પૂર્ણ હતું. છતાં શ્રેણિકને પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ કેવું ઉચ્ચકોટિનું છે તે સમજાવ્યું. તેના કારણમાં કંઈ એકલું સામાયિક વ્રત જ નહોતું, પરંતુ બીજા વ્રતોનું પણ બળ તેની સાથે Page #88 -------------------------------------------------------------------------- ________________ હતું, બધું જ અલ્પ હતું તેથી સામાયિકમાં તેમની યોગ-ઉપયોગની સ્થિરતાનું બળ હતું. વતીમાં આંશિક શુદ્ધિ થતી જાય છે. અને તેના લક્ષમાં શુદ્ધસ્વરૂપ રહ્યું છે. એટલે પેલી આંશિક શુદ્ધિમાં તે પેલી અશુદ્ધતા જોઈ શકે છે અને ચારિત્ર શુદ્ધિ દ્વારા એ અશુદ્ધિને દૂર કરે છે. આંશિક જ્ઞાન અને દર્શનની શુદ્ધિનું માહાભ્ય એવું છે કે તેને આગળનો માર્ગ બતાવે છે. “એક ડગલું બસ થાય.” વતીના હૃદયમાં વ્રતનો મર્મ બરાબર જડાઈ ગયો છે, એટલે તે પરદોષદર્શનને ટાળે છે. તે પ્રત્યે સાવધાન છે. પેલી શુદ્ધિ અંશે તેને વિભાવદશાનું ભાન કરાવે છે. તેથી વ્રતની વિભાવદશા ઘટતી જાય છે, અને સ્વભાવદશા ખૂલતી જાય છે. આંશિક શુદ્ધિ દર્પણ બની જાય છે. આ વાસ્તવિક સામાયિકના વ્રતનો મર્મ છે. ચોથા ગુણ સ્થાનકથી સાધકની આવી દશાનો પ્રારંભ થાય છે. શાસ્ત્રાનુસાર દેશવિરતિપદે વ્રતનો પ્રારંભ થાય છે. તે પહેલા વ્રત એટલે વૃત્તિ સંક્ષેપ, અનાસક્તિ, પરિગ્રહને સંકોચવો તે તો સાધકને ધર્મની રુચિ સાથે જ શરૂ થાય છે. ગુણસ્થાનક આવે પછી વ્રત કરીશું તેમ નથી પણ ગુણસ્થાનકની પરિપાટિને પહોંચવા માટે પાત્રતા માટે તે અભ્યાસ જરૂરી છે. જેટલા પાપ વૃત્તિ અને પ્રવૃત્તિથી દૂર થાવ તેટલો લાભ છે. વળી વ્રતી નિઃશલ્ય છે. “નિઃશલ્યો વ્રતી” તત્વાર્થાધિગમમાં આચાર્યશ્રી કહે છે કે વ્રતી શલ્યદોષ રહિત હોય. તે દોષ ત્રણ પ્રકારના છે. દોષ ઘણો ઊંડો ગાઢ તે શલ્ય. ૧. માયાશલ્ય ૨. નિદાનશલ્ય ૩. મિથ્યાત્વ શલ્ય તમને ખબર છે હમણાં શારીરિક ચિકિત્સા કરાવવા માટે લોકો જાગૃત થયા છે. કંઈ રોગ નથી પણ વર્ષમાં એક વાર શરીરની ચિકિત્સા કરાવવી. (હેલ્થ ચેક અપ) અને કંઈ રોગનું ચિહ્ન ન હોય તો જીવને નિરાંત થાય. ધન ખર્ટે પણ કંઈ હતું નહિ, ભાઈ એ જ સારું છે ને? પણ તમે આ જીવની - આત્માની કંઈ ચિકિત્સા કરાવી? ભલે તેમ કહો કે આમ તો અમારામાં કંઈ દોષ નથી. છતાં જેમ શરીરની ૮૫. Page #89 -------------------------------------------------------------------------- ________________ ચિકિત્સા કરાવો છો, તેમ આત્માની વર્ષે એકવાર કરાવી તો જુઓ. કોની પાસે જાણો છો ? સદ્ગુરુ - સંતો પાસે. સંતો તમારા હિતનું હશે તેનો આચાર બતાવશે. અહિતનું હશે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપશે. દોષ જોશે તો તે નીકળે તે માટે ઠપકો આપશે. જો તમને આવા સંત-જ્ઞાની મળી જાય તો ચરણ પકડી લેજો અને તમે સંત થઈ જાવ ત્યાં સુધી તેની આજ્ઞામાં રહેજો. કારણ આ શલ્ય છૂપા શત્રુ જેવા છે. વળી કંઈક મીઠાશ આપે છે. એટલે જીવ તેની મોહિનીમાં ફસાય છે. વ્રતી કદાચ બહાર વ્રત પાળતો હોય પણ જો તેના અંતરમાં દોષ હશે તો ઘણા સમયના આદરેલ વ્રત પણ વ્યર્થ જવા સંભવ છે માટે નિઃશલ્યો વ્રતી થવું. માયાશલ્ય : ચિત્તમાં કપટ અને બાહ્યાડંબરમાં નિર્દોષતાનો દેખાવ તે માયાશલ્ય, માયાશલ્ય રહિત, ચિત્તની સરળતા, મનની મીઠાશ, વાણીમાં મધુરતા, શરીરની ચેષ્ટા સૌમ્ય, અને મન નિષ્કપટ, એમ માયારહિત વ્રતી હોય છે. વ્રતીની ચર્યા નિર્દોષ હોવાથી એને કંઈ કરવામાં અને કહેવામાં ભેદ નથી. વિચાર અને આચારનો ભેદ નથી. વાણી અને વર્તનનો ભેદ નથી. એની કિતાબ ખુલ્લી છે, તેને કંઈ છુપાઈને કરવાનું નથી. એ વ્રતી અનંત સંસારના સંક્ષેપની રીત જાણે છે. તેથી માયાના દોષથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. તે તેના વ્રતનો મર્મ છે. ઃ નિદાનશલ્યથી મુક્ત વ્રતી : નિદાનશલ્ય એટલે ધર્મઅનુષ્ઠાન તપાદિના બદલામાં દુન્યવી સુખની લાલસા-માંગણી. વ્રતી બાહ્ય વ્રત તપાદિનો આરાધક છે. સાથે સાથે અંતરમાં ધન-વૈભવ કે અન્ય પ્રકારના સુખની આકાંક્ષાઓથી મુક્ત છે. પુણ્યયોગે એવો સંયોગ થાય તો પણ તેમાં એકતા થતી નથી. અને વ્રતાદિના બદલામાં કંઈ પણ પૌદ્ગલિક પદાર્થ મેળવવા ઈચ્છતો પણ નથી. દોષ, આસક્તિ કે બાહ્ય રિદ્ધિસિદ્ધિ મેળવવાના નિદાનથી મુક્ત છે. મિથ્યાત્વ શલ્ય રહિત વ્રતી : અઢાર પાપસ્થાનકમાં ૧૭ ૮૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાપસ્થાનકોનું મૂળ ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યું છે તે મિથ્યાત્વ જાય તો પેલાં ૧૭ પાપ પલાયન થાય છે. મિથ્યાત્વ શલ્યઃ મિથ્યાત્વઃ વિપર્યાયબુદ્ધિ. વિપરીત વર્તન કે શ્રદ્ધાનું. જ્યાં સુખ નથી ત્યાં સુખનો ભાવ કરી તેમાં પ્રવૃત્ત થવું. પ્રભુના દર્શાવેલા માર્ગથી વિપરીત ચાલવું. આત્મા-પરમાત્મા પ્રત્યે અનાદર થવો. જગતના જીવો સાથે અસમાનભાવ રહેવો. એકાંત આગ્રહ કદાગ્રહને જ સાચું માનવું. આમ જીવ મિથ્યાભાવરૂપી દોષમાં ફસાયેલો છે. છતાં તેમાં દોષ માનતો નથી તે મિથ્યાત્વ શલ્ય છે. તેવી સર્વભાવોથી મુક્ત સામાયિક વ્રતનો આરાધક નિઃશલ્યો વતી છે. અને એ જ આ વ્રતનો મર્મ છે. સામાયિકનો આરાધક મિથ્યાત્વભાવથી મુક્ત છે. સત્નો આરાધક છે. વ્રત પંચમગુણસ્થાનકનું અધિષ્ઠાન છે. બારવ્રત પૈકી સામાયિક એક વ્રત છે. વ્રતીનું જીવન આરંભ, સમારંભ કે પરિગ્રહથી સંક્ષિપ્ત બને છે. સંસારના પ્રકારો, પ્રસંગો, વ્યવહાર, વ્યાપાર ગૌણ બને છે, અલ્પ બને છે. ન છૂટકે તેવા પ્રકારોમાં પ્રવર્તે છે. અવ્રતની હાનિ તે જાણે છે. સર્વવિરતિનું માહાભ્ય સ્વીકારે છે. બંનેની મધ્યમાં છતાં, અહિત ત્યાજ્ય બને છે. હિત તરફનું પ્રયાણ દઢ બને છે. વ્રતનો મર્મ અહીં ચરિતાર્થ થાય છે. ચારિત્ર મુક્તિસુખનાં પાદ ચિહ્નથી તેનો ઉપયોગ નજરાય છે. પરિભ્રમણની નિવૃત્ત કેમ થાય તેને માટે એ ઝૂરે છે. માટે વ્રત એ જીવનું એક મહાન પરિબળ છે. કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા રહિત છે. તે શલ્ય-દોષરહિત નિર્મળ ચારિત્રનું નિર્માણ કરે છે. સામાયિક એ આત્મા છે, તો આત્મા જ સ્વયં અનંત ગુણોનો ખજાનો છે. એ જ સંપત્તિ છે. રત્નત્રય વડે એ સંપત્તિ પ્રગટે છે. જમીનમાં દાટેલા ચરૂ જેવી છે. સંશોધનથી તે પ્રગટ થાય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, સત્ય, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આવા અનેક પ્રકારો વડે આ સંપત્તિ આત્મામાં સ્થાન ધરાવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ | ૨૦. સામાયિકઃ મનુષ્ય જીવનની ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ સાધન વચનો સાથી, દેહ આ ઉત્ક્રાંતિનો અભિગમ આંતરિક છે. બહાર નથી. બહાર ઘણી પદ્ધતિથી ક્રાંતિ થઈ પણ તે શાંતિ-સુખ રહિત છે. એટલે માનવ પાસે સાધન સામગ્રી વધી અને શાંતિ ખોવાઈ ગઈ. સામાયિક એવું સાધન છે કે જ્યાં ઉત્ક્રાંતિ પછી શાંતિ છે. ભલે એ બહારમાં પ્રદર્શિત ન થતી હોય. વિરલ જીવો જ એના ચાહક હોય. મનુષ્યપણું પામીને ધર્મ પ્રાપ્તિના યોગ-સંયોગ ત્યજીને જેટલો સમય આયુષ્યનો તેટલો સમય પરિવારાદિની ઉપાધિનો હોય તો આ મનુષ્યપણું મળ્યાનો કંઈ હેતુ નથી. નિરર્થકતામાં એક ભવનો ઉમેરો થશે. જીવને સફળતા માટે જે જે યોગ મળ્યા છે તેનો સદ્ધપયોગ કરીને વિશેષ નિવૃત્તિ મેળવી મિથ્થા પરિચય ત્યજી દેવા. આ જીવનો જેટલો સમય સામાયિક અને પૌષધમાં પસાર થાય છે તેટલો જ સમય સફળ થયો માનવો. તે સિવાયનો સમય સંસાર-ફળની વૃદ્ધિ કરનારો માનવો.” આપણે દેહ નથી, દેહમાં રહેનારા દેહી છે. અબજો વર્ષો અનેક યુગ (આરા) વ્યતીત થયા પછી આવો ઉત્તમ માનવ દેહ દીર્ઘકાળની ઉત્ક્રાંતિ પછી મળ્યો છે. તેને ઈન્દ્રિયોના વિષયોને હવાલે કેવી રીતે મુકાય? કષાયોના ઘરે ગીરો કેવી રીતે મુકાય? મિથ્યા માન્યતાના ભ્રમમાં ભ્રમિત કેમ થવાય? આ મનુષ્યદેહનો એક સમય પણ પૂર્ણતાની પ્રાપ્તિ જેટલો મૂલ્યવાન છે, પરંતુ જો તે નિરર્થક ગયો તો તેનું ફૂટી બદામ જેટલું પણ મૂલ્ય નથી. હે સુજ્ઞજનો તેનો ઉપયોગ કરી લો. અવતાર માનવીનો ફરીને નહિ મળે અવસર ચૂકી ગયા પછી ફરીને નહિ મળે.” કહેવાય છે કે ભૌતિક વિજ્ઞાન ઘણું વિકાસ પામ્યું છે. ભલે, પણ હજાર વર્ષ થયા નવું હાડકું કે નવું લોહી શોધાયું નથી. માણસના શરીરની રચના એની એ જ છે. ત્યાર પછી મનની વાત લઈએ. લાખ વરસ પહેલાંનો માનવ કામ, ક્રોધ, લોભ, માયા, ઈર્ષા કે સ્વાર્થવાળો હોય! આજે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકયુગમાં પણ માનવી એ કામાદિ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિવાળો ! કંઈ પણ યોગ્ય બદલાવ વગરનો ? એ જ જર્જરીત મન ? તો પછી ઉત્ક્રાંતિ કોને કહેવી ? મન - ચિત્તનું બદલવું તે ઉત્ક્રાંતિ છે, જેમાં શાંતિનું પ્રદાન છે. તે સાધના વગર શકય નથી. સાધના એટલે સામાયિક, ધ્યાન, તપ કે જે વડે તમે બદલાવ છો. તમે સામાયિકમાં ભગવાનને વચન આપો છો કે હું પાપવ્યાપાર નહિ કરું, એમ બદલાવ છો. કંઈ ભૂલ થશે તો નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ, કરીને બદલાઈશ. આ મલિન ચિત્તથી મુક્ત થઈશ. જીવો પ્રત્યે સમભાવ કેળવીશ. સર્વ જીવોની વિરાધનાથી સાવધાન રહીશ. શલ્ય રહિત-માયા વગેરે રહિત થવા પ્રયત્ન કરીશ. કાઉસગ્ગ ધ્યાન વડે ચિત્તને પૂર્ણપણે બદલવા પ્રયત્ન કરીશ. આ ઉત્ક્રાંતિકાળ છે. આ અંતરંગ અવસ્થા હોવાથી પૌદ્ગલિક ભૂમિકાવાળો જીવ ત્યાં સુધી પહોંચી શકતો નથી. માનવદેહની વિશિષ્ટતા એ છે કે તેની પાસે અદ્ભુત વિચારશક્તિ છે. અલબત્ત વિકસતા વિજ્ઞાન સાથે મનુષ્યનું વિચારબળ વિકસ્યું. પણ આંતરિક શુદ્ધિની ઉત્ક્રાંતિમાં તે આગળ વધ્યો ? એ જ લોભ, સ્પર્ધા, ઈર્ષા જેવા દુષ્ટ ભાવો પોષાતા જ રહ્યા ? આંતરિક ઉત્ક્રાંતિ સમભાવ દ્વારા શકય છે. જ્યાં આવેશો, સ્વાર્થ કે ઈર્ષા જેવાં તત્ત્વો વિલીન થાય છે. તે માનવજીવનની શાંતિ સહિતની ઉત્ક્રાંતિ છે. ૮૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ ર૧.| સામાયિક : આત્મપરિચય સર્વજ્ઞ પરમાત્માએ જે બોધ આપ્યો તે સર્વે આત્મ હિતાર્થે આપ્યો છે. તે વિષે દર્શાવેલા વિધિ વિધાનો બહિર્મુખતા ટાળી અંતર્મુખ થવા માટે છે. તે કારણે પરભાવ/પરવસ્તુના ત્યાગી થવું, અને આત્મપરિચય કરવો. પૌદ્ગલિક પદાર્થોનો પરિચય પરમાર્થમાર્ગથી વિરુદ્ધ છે. પૌલિક પદાર્થોની મોટાઈ તેટલી આત્મપરિચયની ઓછાઈ છે. આત્મપરિચય જેટલો ગહન છે, તેટલો સુખદ છે, તેથી બહુ મૂલ્યવાન પણ છે. મૂલ્યવાન વસ્તુનો પરિચય કરવા પૌદ્ગલિક તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. આત્મપરિચયનો રસિયો જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીન થાય છે. યોગ્યતા પ્રમાણે ભક્તિમાં મગ્ન રહે છે. આત્મપરિચયી સંતોનો સમાગમ કરે છે. તેમના બોધેલાં વચનોનું અનુપ્રેક્ષણ કરે છે. જેને સત્ની પ્રાપ્તિ થઈ તેવા સત્પુરુષ જ આત્મપરિચયનો ઉપાય બતાવી શકે. સુલભબોધી - સત્પાત્ર જીવ તેવા સત્પુરુષના સમાગમમાં તેની આજ્ઞાએ વર્તે છે. તે આત્મપરિચય પામે છે. જ્ઞાનીની આજ્ઞા જીવને સ્વાધીન સુખ પ્રત્યે લઈ જાય છે. એવું આરાધન કરનાર એકનિષ્ઠ થઈ તન, મન અને ધનથી આજ્ઞાને આધીન રહે છે. સાંસારિક પદાર્થોની આસક્તિ ત્યજી, જ્ઞાનીની ભક્તિમાં તત્પર રહે છે. તે આત્મપરિચય પામવાનો અધિકારી છે. આત્મપરિચય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનો પરિચય પરપદાર્થના સંયોગ અને તેની અવસ્થાથી ભિન્ન કેવળ જ્ઞાતા સ્વરૂપે રહેવું. અસંગ અને અમૂર્ત એવો આત્મપરિચય સત્સંગના યોગે સમજાય છે. તેમાં દઢ થવા લોકસંજ્ઞા, વ્યવહાર, કે પરિચયની મંદતા કરવી. એકાંતે નિવૃત્તિ સ્થાને સર્વસંગથી વિરામ પામી શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. ભાવનાની શુદ્ધિ દ્વારા આત્મપરિચય થાય છે. તપ, જપ, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ સર્વ અનુષ્ઠાનથી પ્રથમ ચિત્તશુદ્ધિ થાય છે, થવી જોઈએ ત્યાર પછી અંતર્મુખતા થાય છે. ત્યારે આત્મપરિચય, આત્મગુણોનો પરિચય થાય છે. આત્મલક્ષ્ય ૯૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ કરેલાં સઘળાં સાધન જીવને હેય ઉપાદેયનો વિવેક આપે છે. એટલે સાધક સંસારગત પદાર્થોનું મમત્વ અલ્પ કરે છે, અને સત્સંગનો પરિચય વિશેષ રાખે છે, જે આત્મ પરિચયનો ઉપાય છે. દેહમમત્વ અને દેહાભિમાન જીવનો પુરાણો દીર્ઘકાળનો સંસ્કાર છે. તે એકાએક ક્ષીણ થતો નથી. સત્સંગ અને સત્સમાગમના યોગે તેમાં મંદપણું આવે છે. પોતાપણાનો અહંકાર ઘટે છે, ત્યારે અંતરવૃત્તિ પ્રત્યે લક્ષ જાય છે. પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય પ્રાપ્ત થાય છે ત્યારે આત્મભાવમાં રહેવું વિકટ થાય છે. એમ જાણીને સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થવા તે પ્રયત્નશીલ છે. દેહનું અવિનાશીપણું જાણવા છતાં, તેનું અનિત્યપણું લક્ષ્યમાં આવતું નથી. વળી નિત્ય એવા આત્મા પ્રત્યે પણ લક્ષ્ય જતું નથી. દેહભાવનો સંસ્કાર દઢ થયેલો છે, તેથી પુનઃ પુનઃ નિત્ય એવા આત્માનો મહિમા જાણી તે પ્રત્યે વૃત્તિને વાળવી. જેથી આત્મગુણનું આરાધન આત્મપરિચયમાં પરિણમે. આત્મપરિચય એટલે ઉદય કર્મના સાક્ષી રહેવું પણ ભોક્તા ના થવું. જેમ જેમ અંતરવૃત્તિની વિશેષતા થાય છે તેમ તેમ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું તેવું દર્શન દઢ થાય છે. આત્મપરિચયની લગની લાગે છે. તેમ તેમ એકાંત દુરાગ્રહ ઘટતા જાય છે, મત પંથનો આગ્રહ ઘટતો જાય છે. પરભાવ પરકથામાં નિરસતા આવે છે. સ્વદોષ દર્શનની સ્પષ્ટતા થાય છે. ચિત્તની વક્રતા દૂર થાય છે. પાંચ વિષયની વૃત્તિ સમજાય છે. ભૌતિક પદાર્થોની અનિત્યતા સમજાય છે. વૈરાગ્યભાવ પુષ્ટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે છે. તેમના બોધ વચનમાં અપૂર્વ શ્રદ્ધા દઢ થાય છે. આત્મવિચાર વડે આત્મપરિચય વૃદ્ધિ પામે છે. આત્મવિચાર વડે આત્મજ્ઞાન બળવાન થાય છે. ત્યારે પરપરિચયથી સ્વાત્મબુદ્ધિ ક્ષીણ થાય છે. ૯૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ રર. સામાયિક ઃ આજ્ઞાપાલકનું ઔચિત્ય : સામાયિક લીધું કે ઉચ્ચર્યું કયારે કહેવાય ? કરેમિભંતે સામાઈયું, હે ભગવન ! હું સામાયિક કરું છું, આપે દર્શાવેલા બોધ પ્રમાણે સાવધ પ્રવૃત્તિઓનો સામાયિકના સમય સુધી ત્યાગ કરું છું. આ આજ્ઞાપાલનનું ઔચિત્ય છે. અર્થાત્ સ્વ-પર હિતાર્થે જીવવું તે ઔચિત્ય છે. આજ્ઞાપાલક મુખ્યત્વે સિદ્ધાંતથી જિનાજ્ઞાનો ધારક છે. અને પ્રત્યક્ષ ગુરુઆજ્ઞાનો ધારક છે. આણાએ ધમ્મો આણાએ તવો આજ્ઞા એ ધર્મ અને આજ્ઞાએ જ તપ.'' આજ્ઞાનો અર્થ પરમપવિત્ર પુરુષોના પગલે ચાલવું. તેમણે જીવનનો જે રાહ બતાવ્યો તેમાં શ્રદ્ધાપૂર્વક, વિકલ્પરહિત ચાલવું, સમર્પિત થઈને રહેવું. આ નિશ્ચિંત સાધના છે. શિષ્ય વિચારે કે ગુરુ જે દશામાં છે, તેનાથી હું ઘણી નીચી ભૂમિકાએ છું. છતાં મને કેટલું આપી રહ્યા છે ? અગર તો હું આ વિકટ માર્ગે ચાલવાનું સાહસ ક્યાંથી કરું ? આટલા જન્મોમાં કે આ જન્મમાં મેં મારી તાકાત પર શું મેળવ્યું ? પાંચ ડગલાં ચાલ્યો અહંકારે ત્રણ ડગલાં પાછો વાળ્યો, છતાં સદ્ગુરુના યોગે ચાલતો જ રહ્યો. આજ્ઞાપાલનને શરીર કરતાં ભાવ સાથે વિશેષ સંબંધ છે. તમારી ઈચ્છાઓ કે આકાંક્ષા ત્યાં ગૌણ બને છે. કેવળ આજ્ઞાપાલનનો ઉત્સાહ એવો છે કે ગુરુની આજ્ઞા મળે કે શિષ્ય નાચતો-કૂદતો થઈ જાય. કોઈ શિષ્યને આજ્ઞા મળી કે આશ્રમમાં રસોડું સંભાળવું. તે કંઈક શાસ્ત્રાભ્યાસી હતો, છતાં તેને વિકલ્પ ન ઊઠયો કે રસોડામાં શું સાધના કરવાની ? ઘરે શું ખોટા હતા ? ગુરુઆજ્ઞાનું બહુમાન હોય, કેવું કામ સોંપ્યું તેનો વિકલ્પ નહિ. પાંચ વર્ષ પૂરા પ્રેમથી રસોડું સંભાળ્યું. ગુરુ આજ્ઞાનું માહાત્મ્ય ધારણ કર્યું. ભવિષ્યમાં તે ઉત્તરાધિકારી તરીકે નિમાયો. આણાએ ધમ્મો - કર્તવ્યમાં છે. એકવાર આશ્રમમાં એક જંગલવાસી યુવાન આવ્યો. અણપઢ હતો પણ આશ્રમના વાતાવરણથી પ્રભાવિત થયો. ગુરુ પ્રત્યે મનમાં ૯૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ અહોભાવ જાગ્યો. એક ખૂણામાં બેસી ગયો. ગુરુજીના નજરે પડયો. ગુરુના આદેશથી તેને અન્ય શિષ્યોએ સ્વીકારી લીધો. શરીરે બળવાન હતો, ભાગ્ય જાગ્યું હતું. આશ્રમનું અને અન્ય આશ્રમવાસીઓનું કામ કરે. રોજે ગુરુના દર્શનમાં પોતાને ધન્ય માને. શાસ્ત્રવાચના વખતે એક છેડે બેસી રહે. પાંચ વર્ષે એક દિવસ ગુરુ કહે બેટા ! આ ટોપલામાં પાણી ભરી લાવ. (તમે શું કરો ? ગુરુજીની ભૂલ થતી હશે ટોપલામાં પાણી ન રહે. ઘડો લઈને જાવને ?) પેલો તો નાચતોકૂદતો તળાવે પહોંચ્યો. ગુરુજીએ મને આ કામને પાત્ર માન્યો. આ ઉલ્લાસમાં જ્ઞાનવરણ ક્ષીણ થતું ગયું. તળાવે ત્રણ કલાક પાણી ભરવામાં ગાળ્યા. પાણી ટોપલામાં રહે નહિ. પણ એક ભાવ ગુરુઆજ્ઞા છે. ટોપલામાં પાણી ભરાશે. ગુરુ પ્રત્યેના ઉપકારક ભાવમાં જ્ઞાનાવરણ ક્ષીણ થતું ગયું. ત્રણ કલાકે ગુરુ તળાવકિનારે આવ્યા બૂમ પાડી. તે દોડતો અને રોતો આવ્યો. ‘હું પાત્ર નથી.’ પાણી ટોપલામાં ભરાતું નથી. અને ગુરુએ તેના માથે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. ‘‘ઉઠ બેટા.’’ તારી સાધના પૂરી થઈ. આશ્રમમાં ગયો અને ગુરુએ કલમ-તાડપત્રી આપ્યાં. તે શિષ્ય શાસ્ત્ર લખવામાં, જ્ઞાન પચાવવામાં નિપુણ થયો. આણાએ તપ. વિકલ્પરહિત પરિશ્રમ. આજ્ઞાકારને ધડ પરથી શીશ કપાય તેમ અહંકારનો નાશ કરવાનું તપ હોય છે. વિનીત શિષ્ય જ આજ્ઞાપાલનમાં રહી શકે છે. તેના બદલામાં તેને નિજપદની પ્રાપ્તિ થાય છે. “સેવે સદ્ ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.'' - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમદ્ રાજચંદ્ર ૯૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ ર૩.સામાયિકના પરિણામ = ઉપશમ આણો ઉપશમ આણો આચારાંગસૂત્રમાં ગ્રંથકાર દર્શાવે છે કે સામાયિક એટલે આત્મા અર્થાત્ સામાયિક આત્માનો અંગભૂત ગુણ છે, તો પછી એવું શું બન્યું કે આત્મા અનાત્મપણે જીવતો આવ્યો? પૂર્વે અનંતવાર દુર્લભ એવો માનવજન્મ મળવા છતાં કંઈ પણ સાર્થકપણું કાં ન થયું? અથવા પરિભ્રમણ કાં ન ટળ્યું? બીજું કંઈ કારણ નથી, આત્મા જ આત્માને ભૂલી ગયો, ક્યાં ગયો? સ્વરૂપમાં રહેવાને બદલે દેહમાં અને વિષયોમાં તદાકાર બની ગયો. પરિણામે પરિભ્રમણ, દુઃખ, જન્મ-મરણ, શોક, સંતાપ અને ક્લેશ પામ્યો. - હવે જીવને આ પ્રશાંતભાવનું સ્થાન એવો સામાયિક પરિણામ પ્રાપ્ત થાય તો તેને પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ડાયાબિટીસના દર્દીએ દેહના નેહ ખાતર મીઠાઈ-પકવાન આદિનો ત્યાગ કરવો પડે તેમ ભવરોગના દર્દીએ ઈન્દ્રિયોના લોભામણા પ્રલોભનો (પકવાન્ન)નો ત્યાગ કરવો પડે, તું દેહને રક્ષણ આપવા કંઈ પણ કરે તો તેમાંથી શાશ્વતપણું પ્રગટ થવાનું નથી. તો હવે એકવાર આત્મપરિચયી થા, તેનો નેહ કર. તેની જ રક્ષા કર. તું સ્વયં રક્ષિત થવાનો છું. સમતા સ્વરૂપ આત્મામાં એકવાર ડૂબકી માર પછી જો તને સુખ ના મળે તો કોઈ સત્પુરુષ પાસે જજે. અરે ! પણ તને ત્યાં સુખ મળવાનું જ છે પછી શંકા શાને? હા. તારે તેને માટે વિષયો સાથેના પુરાણા સંબંધો ત્યજવા પડે. તારા જ સમતા અમૃતસાગરમાં જ તલ્લીન થઈ જા. પછી પેલા પૌલિક પદાર્થોના કોઈ રસ કે લાલસા પેદા નહિ થાય. છતાં કદાચ તારો ઉદય હશે અને તે પદાર્થોનો તને સંયોગ થશે તો પણ તે તેનો સાક્ષી બની રહેશે. અને તેમાંથી તારી સુખબુદ્ધિ છૂટી જશે. સામાયિક પરિણામ દ્વારા તારામાં જ્ઞાનાદિ ગુણોનું ઉત્તમ સર્જન થયું પછી દર્શન મોહ જેવાં કારણોનું વિસર્જન થયું સમજજે. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ તને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ પ્રદાન કરશે. મોહજનિત સુખાભાસથી તું મુક્ત થઈશ. ઉપશમભાવનો સ્વામી થઈશ. Page #98 -------------------------------------------------------------------------- ________________ સમતાનો પર્યાયવાચી શબ્દ શમ-પ્રશમ છે. આત્મા શમરસથી છલકાઈ જાય છે ત્યારે અહો તેનું સામર્થ્ય જુઓ. આવશ્યકસૂત્રમાં તેનું માહત્મ્ય બતાવ્યું છે. “જગત્ સ્વભાવ જેને સુપરિચિત છે, જે નિઃસંગ છે. નિર્ભય છે, સ્પૃહારહિત છે, અને વૈરાગ્ય ભાવનાથી ભૂષિત છે, આવો આત્મા ધર્મધ્યાનના અભ્યાસ વડે કરુણારસ કે પ્રશમરસથી ભરપૂર હોય છે.’ જ્ઞાનસારમાં કહ્યું છે કે “સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જે મુનિને સાધ્ય થયો છે તેની તુલના કરવા માટે આ જગતમાં કોઈ પદાર્થ નથી. જેઓનું ચિત્ત રાતદિવસ શમના સુભાષિત વડે સિંચાયેલું છે તેને રાગાદિ વિષનું ઝેર સ્પર્શતું નથી.” .. ઉપશમ આણો ઉપશમ આણો, ઉપશમ તપમાંહી રાણો રે, વિણ ઉપશમ જિનધર્મ ન સોહે, જિમ જગ નરવર કાણો રે. આવા ઉપશાંત રસ વડે આત્માનુભવની પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આની પાત્રતા માટે ત્રણ ઉપાયો છે. ૧. ગુરુ ચરણનું શરણ, સેવન. ૨. જિનવચનનું શ્રવણ, શ્રધ્ધાન. ૩. સમ્યક્ત્વનું ગ્રહણ, આચરણ. સામાયિકમાં ભગવંતોએ આત્મા જોયો, જાણ્યો અને અનુભવીને, ગ્રહીને પ્રગટ કર્યો, ભવ્યાત્માઓને એ જ પ્રણાલિ આપી. હે જીવો ! તમે રાગાદિભાવ રહિત, પાપાચાર રહિત, નિર્દોષ એવા સામાયિક ધર્મને ગ્રહણ કરો તમારો આત્મા સમભાવરૂપે પ્રગટ થશે. તે સમભાવ જીવને શિવરૂપે પ્રગટ કરશે. જીવ શિવ થાય એટલે દેહાતીતદશાને પ્રાપ્ત કરે. અને સંપૂર્ણ રીતે દેહત્યાગ કરીને શાશ્વત સુખને પામે છે. તને તેમાં આશ્ચર્ય લાગે છે તો સાંભળ. જીવ બંગલા વગર જીવી શકે છે ? ‘હા’. જીવ ગાડી, વાડી કે લાડી વગર જીવી શકે છે. હા, તો પછી વિશ્વાસ રાખ અથવા તેનો અર્થ જ એ કે જીવ દેહ વગર જીવી શકે ૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ છે. દેહનો નેહ તને ભ્રાંતિ ઊભી કરે છે. તેથી તારે પ્રથમ તો સર્વજ્ઞના વચન પર વિશ્વાસ રાખવો જોઈએ. વળી દેહથી આત્મા લક્ષણે ભિન્ન જ છે. તેને તેની પ્રતીતિ થાય છે તો પણ તું સ્વીકારતો નથી. જ્યારે દેહમાંથી આત્મા જતો રહે છે, ત્યારે દેહ અહીં શબ થઈને પડ્યું રહે છે. સાથે જતું નથી, તે જ બતાવે છે દેહ/જીવ ભિન્ન જ છે. તેને એક જેવા લાગે છે તે તારું અજ્ઞાન છે અને તેથી તું દેહની સર્વ ક્રિયાને આત્મવત્ માને છે, તેથી દેહનો નેહ છૂટતો નથી. આત્માને આત્મારૂપે માનવો, સમતા સ્વરૂપ માનવો એ જીવનનું સત્ત્વ છે. તિજોરીમાં નાણાં છતાં તું ભિખારી? કારણ કે તે વિષે તારું અજ્ઞાન છે. તે સ્વયં પૂર્ણ સ્વરૂપ આત્મા છતાં અપૂર્ણ, હિન અને દીન કેમ? જેનું જીવન હિનસત્ત્વ હોય તેનું મરણ તો દયનીય જ હોય. જીવન દરમ્યાન સેવેલા જ્ઞાન અને સમતા મરણ વખતે સમાધિ ટકાવે, જે સમાધિ સદ્ગતિ અપાવે અને પરંપરાએ પંચમગતિનું કારણ બને. જીવન દરમ્યાન વિષમતા સેવીને તું સમાધિ મરણ ઈચ્છે છે? અરે! તને બસો રૂપિયામાં વીસ હજારનો હાર ક્યાંથી મળશે? તને ખબર છે કે શરીરનો રંગ બદલાતો નથી. પફ પાઉડર થોડીવાર તારા મુખને ઊજળું બનાવે પણ વ્યર્થ. એવી વ્યર્થ મહેનત શા માટે કરે છે? મનનો રંગ બદલી શકાય છે તે તું વિચારતો નથી. જે નિત્ય નથી તેને નિત્ય રાખવા તું પ્રયત્ન કરે છે. જે બદલાતું નથી તે બદલવા પ્રયત્ન કરે છે. જેમાં કેવળ નિષ્ફળતા મળે છે. તો હવે એક દાવ લગાવ જે નિત્ય છે તેને અનિત્યના પિંજરથી મુક્ત કરવા પુરુષાર્થ કર. જે બદલાય છે તેવા મનને આત્મભાવે સત્સંગના રંગે રંગી લે. ઉપશમ ભાવે મઢી લે. છત્રીની ફેકટરીઓ વરસાદને રોકી ન શકે. ફકત એક છત્રી વરસાદથી તારા શરીરને ભિજાતું બચાવે. તેમ તું ગમે તેવા દેહ ધારણ કર તે તને જન્મ, મરણથી બચાવી નહિ શકે. પરંતુ તે દેહને તું ધર્મનું સાધન બનાવે તો દેહ વગર પણ તું સંપૂર્ણ સુખ પામી શકે. ૯૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ ર૪ અનંતની અંધકારભરી ભીડથી મુક્તિ માટેની અંતિમ યાત્રા જેમાં સામાયિકની સિદ્ધિ છે. પ્રાણી માત્ર આલોકની યાત્રા કરી ચૂક્યો છે. જીવ કંઈ ઉત્પન્ન થતો નથી. અનાદિ અનંત તેનું સ્વરૂપ છે. તેનું જીવત્વ પારિણામિક ભાવે છે તેથી તે ક્યારે પણ જડત્વ પામ્યો નથી. પામશે નહિ. જીવ ઉત્પન્ન નથી થયો પણ તેની યાત્રાનો પ્રારંભ સાપેક્ષપણે વિચારીએ તો તે ઘટના આશ્ચર્યજનક છે. વળી આપણી મર્યાદિત બુદ્ધિ, કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં પ્રકાશ્ય તેનું માપ કેવી રીતે કાઢી શકે ! એટલે આપણે આપણા જીવના કે સૌના જીવના સ્વરૂપને કેવળીગમ જાણી શ્રદ્ધાગમ બનાવવું, એ શ્રદ્ધાને શ્રુતગમ્ય બનાવવાથી સ્વરૂપની સાચી સમજ પેદા થાય છે. | સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશ્ય છે કે જીવ સોયના અગ્રભાગ જેટલી જગામાં અત્યંત સૂક્ષ્મ શરીર ધરીને અનંત જીવો સાથે દીર્ઘ કાળ રહ્યો છે. ત્યાંથી ખસ્યો ત્યારે પણ અનંત જીવો સાથે રહ્યો પણ તે અનંત જીવોનું શરીર (સાધારણ વનસ્પતિ - કંદમૂળ) ચરમચક્ષુ ગ્રાહ્ય હતું. એ અનંતની સંખ્યામાંથી વળી અસંખ્યાતા શરીરો મળીને એક સાથે રહ્યો. (પૃથ્વી આદિમાં) ઘણા કાળે અથડાતો કૂટાતો સંખ્યાતા શરીરો સાથે રહ્યો, (વૃક્ષાદિમાં) જયારે જંતુ જેવા સ્થાને આવ્યો ત્યારે શરીરની રચના તો કુંથું-કીડી જેવી નાની પણ એક સાથે ઘણા શરીરધારીઓના રહેવાને બદલે એક સ્વતંત્ર જગા રોકતો હરતો ફરતો થયો. પછી તો ઈન્દ્રિયોનો અને શરીરનો વિકાસ કરતો કરતો હાથી ઘોડા સસલા જેવાં શરીર પામ્યો. હવે ભીડમાંથી છૂટી સ્વંતત્ર શરીરવાળો, પણ સમૂહ જીવન જીવનારો બન્યો. વિકાસના ક્રમથી ઉત્ક્રાંતિ પામ્યો અને મનુષ્ય થયો. ઈન્દ્રિયોનો વિકાસ, બુદ્ધિ પ્રતિભામાં પણ વિકસ્યો. પરિવારમાં બંધાઈને રહ્યો. પરંતુ મૂળ સ્વરૂપ સિદ્ધત્વ હોવાથી કોઈ મહાપુણ્યશાળી મહાત્માઓ પારિવારિક સંબંધોથી મુક્ત થઈ ભીડ છોડી એકાંતને ઈચ્છવા લાગ્યો. અસંગ થવા લાગ્યો. અને તેમણે પોતાના અનુભવથી પ્રસિદ્ધ કર્યું કે Page #101 -------------------------------------------------------------------------- ________________ જીવ એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે. કર્મના ભારે પુનઃ પુનઃ જન્મ મરણ કરે છે. તેમણે કર્મનો ભાર જ ઉતારી નાખ્યો. એટલે જન્મમરણનો દોર કપાઈ ગયો. જોકે અનંત શરીરની ભીડમાં છતાં જીવ શરીરથી અને પોતાના અસ્તિત્વથી સ્વતંત્ર હતો. પરંતુ કર્મથી પરતંત્ર હોવાથી તેનું વાસ્તવિક એકાકી સ્વતંત્રપણું પ્રગટ થતું ન હતું. એ સ્વતંત્રતા સિદ્ધ અને સાધ્ય કરવા એ મહાત્માઓએ સંસારના નિમિત્તોને, પરિચયોને ગૌણ કર્યા. અને ચક્રવર્તી જેવા પદ ત્યજીને સંયમ માર્ગે વળ્યા. એ સંયમભાવની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારા તત્ત્વોમાં/સાધનોમાં સામાયિકની મુખ્યતા રહી છે. શ્રાવકાદિ કે સાધુગણો સામાયિકના પરિણામ વડે અન્ય સાધનોની શુદ્ધિ કરે છે. સામાયિકના પરિણામનું ફલક ખૂબ વિસ્તિર્ણ છે. જેનાથી સંસારભાવ, રાગાદિ ભાવ જીર્ણ અને શીર્ણ થાય છે. સામાયિક સાધન છે અને સાધ્ય છે. વિધિ તરીકે સાધન છે અને પરિણામપણે સાધ્ય છે. અનંતની ભીડમાંથી છૂટી એકાંતવાસ સમતાના પરિણામ વડે સેવ્ય બને છે. જીવમાત્ર સાથે મૈત્રી, કરુણા, વાત્સલ્ય, સમાનતા આવે ત્યારે એકાંતવાસ પણ સુખદ બને છે. પૂરા વિશ્વ સાથે પ્રસન્નતાના ભાવનું ઝરણું વહેતું રહે છે. - રાગદ્વેષનો અભાવ થતાં સામાયિકના અભ્યાસ વડે જ્યારે સ્વાભાવિક ધર્મ પરિણમે છે, ત્યારે સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોથી આત્મ વાસિત બને છે. વળી સાવદ્ય પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. અને નિરવદ્ય યોગોનો લાભ થાય છે, જેના વડે સ્નત્રય પુષ્ટ અને શુદ્ધ થતું જાય છે. એ ત્રણે ગુણો મોક્ષ ફળદાતા છે. રાગાદિ વિષમભાવોથી વિરમી સ્વરૂપમાં રમણતા કરવી તે સમતા છે. આ સમતા યોગીઓનો સામાયિક ધર્મ છે. શ્રાવક માટે વ્રત છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સર્વપ્રાણીઓમાં આત્મ સમાનભાવ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે એવો વિશ્વાસ એ સત્યનું દર્શન છે. યથાર્થ શ્રદ્ધાન છે, તાત્ત્વિક સમતા છે. સામાયિકની યથાર્થ વિધિ છે. સ્વાર્થ જનિત દુર્ભાવ દૂર થઈ આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા જન્મે છે. આવું અચિંત્ય સામાચ્યું છે જેનામાં છે તે આત્મા સમતાનો સ્વામી છે. તે ૯૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ધર્મ છે. આવા તાત્ત્વિક સામાયિકની પરિણતિના કારણે માનવજન્મ દેવોને પણ દુર્લભ મનાયો છે. તે જન્મ વિષમતાને પનારે ન પડે તેવી સાવધાની રાખવાની છે. તે સામાયિક બે ઘડીથી માંડીને જીવનભરનું હોય તેમાં ખાસ આત્મા વડે જીવવાનું છે. અર્થાત્ આત્મસ્થપણે જીવવાનું છે. જીવ માત્રમાં સમ્યગુજ્ઞાનાદિ રહેલા છે. તેથી તેમનું બહુમાન રહેવું તે સામાયિક ધર્મનું અંગ છે. તેથી કોઈ પણ જીવ દુભાય ત્યારે સાધકને વીજળી જેવો આંચકો લાગે, તેની વેદના જલદ બને ત્યારે તે સમતાની પરિણતિની નિશાની છે તેમ માનવું. સર્વ જીવોમાં સમાનભાવની એ પ્રતીતિ છે. માટે ઉત્તમ ક્ષમા મુનિઓનો ધર્મ માનાયો છે. સામાયિક ધર્મ માત્ર જાણવાનો વિષય નથી, પણ આચરણનો અને અંતર અવલોકન વિષય છે. જીવમાં જીવત્વ જોવાથી સમતા આવે છે. સંસારી જીવોમાં કર્મકૃત વિચિત્રતા છે તેવું ભાન સમતા લાવે છે. જીવમાં ગુણો જોવાથી પણ સમતા આવે છે. સમગ્રજીવરાશિનું જીવત્વ સમાન છે. વળી કર્મકૃત વૈષમ્ય સમાન છે. જીવોમાં આત્મિક ગુણો સમાન છે, પછી જીવે અન્યોન્ય અસમાનતા શા માટે આચરવી? આવું ચિંતન નિરંતર કરવાથી જીવમાં સામાયિક ધર્મ પરિણામ પામે છે. જીવનો પારિણામિક ભાવ જીવનું સહજપણું પ્રગટ કરે છે. જીવન ઔદયિક ભાવ કર્મની પરાધીનતા સૂચવે છે જીવનો ક્ષાયિકભાવ સ્વભાવ પ્રગટ કરે છે. ત્રણે ભાવોનું ચિંતન કરી મનને નિર્મળ બનાવવું જોઈએ. ઉપયોગને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા એ સંવર સામાયિક છે. ભય, દ્વેષ કે ખેદનો અભાવ તે કર્મની નિર્જરારૂપ સામાયિક છે. સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો આધાર સામાયિક પરિણામ છે. આત્મામાં વિશાળતા, ગંભીરતા અને ઉદારતા આવે ત્યારે આત્માના અધ્યવસાય સ્વાભાવિક રૂપ બને છે. ૧૦ સર્વ જીવોમાં ઐક્ય દૃષ્ટિ વિશાળતા લાવે છે. ૦ આત્મદ્રવ્ય ઐકાલિક ધ્રુવપણે છે તેવી વિચારણા ગંભીરતા લાવે છે. ૯૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ ♦ સર્વ ગુણાત્મક ચૈતન્યની વિચારણા ઉચ્ચતા લાવે છે. • આ સર્વેનું મૂળ સામાયિકધર્મ છે. વ્યવહારમાં પણ જેની અનિવાર્યતા છે ત્યાં સહકાર કેળવવો પડે છે. ઉપર ચઢવા કે ઊતરતા નિસરણીની આવશ્યકતા સ્વીકારવી પડે છે. તે પ્રમાણે જીવનના સંબંધોમાં સમતાયુક્ત વ્યવહારની આવશ્યકતા છે. અણગમાના અંશ વગરનો પરિસ્થિતિનો સ્વીકાર તે સમતા છે. તેના અભ્યાસ માટે અવલંબનની આવશ્યકતા છે. જો જીવનનું લક્ષ્ય શાંતરસ કે સામાયિક હશે તો દુઃખને પચાવવું સહજ બનશે; અને તેમાંથી નવી શક્તિનું નિર્માણ થશે. પુનઃ પુનઃ તેમ કરવાથી પૂર્ણ પ્રકાશનો અધિકાર જામશે. મનુષ્યનું જીવન એટલે પરમાત્મા બનવાની કાચી સામગ્રી, એને સામાયિક જેવા ધર્મ દ્વારા વ્યવસ્થિત કરવાની છે. જે જે જ્યાં યોગ્ય છે તે કરવાનું છે. સ્વભાવમાં સ્થાપિત થવાનું છે. સામાયિક ધર્મ એટલે સાત્ત્વિક - તાત્ત્વિક અને યથાર્થપણે જીવન જીવવાનો, મુક્ત થવાનો અભ્યાસ. સામાયિક ધર્મ વડે સર્વત્ર આત્મતુલ્ય ભાવનાથી હૃદય ભરપૂર થાય ત્યારે ચિત્તની પ્રસન્નતાનું સુખ અવર્ણનીય છે. સંસાર છતાં જાણે કંઈ લેવાદેવા નહિ. મુક્તિ, મુક્તિ, મુક્તિ. નિકૃષ્ટ ભૂમિકાએ નિગોદમાં એક જ ક્ષેત્રમાં સૂક્ષ્મ શરીર ધારીને ભીડાઈને રહ્યો હતો. ઉત્કૃષ્ટ ભૂમિકાએ એક જ અવગાહનમાં અનંત સિધ્ધના જીવો અશરીરપણે હોય છે. એક અવસ્થા અત્યંત અંધકારમય અને બીજી અવસ્થા અત્યંત સ્વયં-પ્રકાશમય. એકની અવસ્થા અત્યંત દુઃખદાયક છે. સિદ્ધની અવસ્થા અનંત અત્યંત સુખદાયક છે. બંને અવસ્થાની વચમાં જે કાળ-ગાળો ગયો તેની કલ્પના અકલ્પ્ય છે. કેવળીગમ્ય છે. મહા ઉત્ક્રાંતિ છે. જીવને આવાં રહસ્યો સમજાય, તેનો બોધ પરિણામ પામે તો આ સંસારમાં ઘડી એક રહેવું તેને માટે મુશ્કેલ બને ખરું ! માટે જ્ઞાનીઓ કહે છે હે ભવ્યાત્માઓ ! તમે મૈત્રી આદિ ભાવનાઓનું નિત્ય ભાવન કરો તો સમભાવ તમારા ચિત્તનું પરિણામનું રસાયણ બનશે. અનિત્યાદિ ભાવના વડે, વૈરાગ્ય વડે, વાત કરો. જેથી ૧૦૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની સમતૂલા જળવાશે, સમાધિભાવ સાધ્ય બનશે. ભક્તિ વડે જીવને મધુ૨ પરિણામમાં સ્થાયી કરો. જીવન આનંદપ્રદ બનશે. સત્સંગ વડે જીવને સંસારના મોહથી અસંગ બનવું સરળ બનશે. આવા સર્વ ઉપાયોનું મૂળ સમભાવ છે. જે સામાયિક જેવા પરિણામથી સરળ અને સુગમ છે. અનાદિકાળથી ભીડમાં રહીને તે શું મેળવ્યું ? કદાચ તને ભૂતકાળની ભૂતાવળનું ભાન (જ્ઞાન) ભલે ન હોય પણ વર્તમાન નો વિચાર કર કે તેં શું મેળવ્યું છે ! ‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગૃહો. વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હો.'' ઘણા કષ્ટો સહ્યા પછી મળેલા આ નરદેહનો ઉપયોગ એક માત્ર આત્મરક્ષણનો છે. રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો. આ વચનને હ્રદયે લખો.'' - શ્રીમદ્ રાજચંદ્ર હે ભવ્યાત્મા તને ખબર છે કે નદીને કિનારાની મર્યાદા હોય છે. સરોવરને પાળની મર્યાદા હોય છે. ગાડીને બ્રેકની મર્યાદા હોય છે. ખેતરને વાડની મર્યાદા છે. તારા જીવનને મર્યાદા છે ? આ મર્યાદા એટલે જ સામાયિક. સામાયિકના વિરતિ આદિ ભેદોનો ક્રમશઃ વિકાસ છે. તને ખબર છે દેવલોકમાં સુખ છે. ત્યાં સમ્યગ્દષ્ટ આત્માઓ છે. તેમની પાસે ભક્તિની ભાવના છે. પરિગ્રહના પાપવ્યાપાર નથી તો પછી તેમનો મોક્ષ કેમ નહિ ? અરે જો દુઃખ ભોગવીને કર્મ ખપતા હોય તો નારકીનો કે પશુનો મોક્ષ થાય. પણ એ સ્થાનોમાં સામાયિક - વિરતિ ધર્મ નથી. પાપ વ્યાપારને અટકાવે. પ્રવેશેલાને નષ્ટ કરે તેવું સામર્થ્ય સામાયિક - ચારિત્ર ધર્મમાં છે. તે દેવલોકના સુખમય સ્થાનોમાં નથી કે નારકના દુઃખમય સ્થાનોમાં નથી કે પ્રાકૃતિક જીવનવાળા તિર્યંચલોકમાં પણ નથી. અહો ! એક માનવ દેહમાં રહેલા શુદ્ધાત્માનો ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ આ પરમધર્મ છે. માટે તો માનવ દેહ સ્વભાવે સપ્તધાતુવાળો છતાં શુભદેહ મનાયો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભળ ચક્રનો આંટો નહિ એકે ટળ્યો ?' - શ્રીમદ્ રાજચંદ્ર સોયના અગ્રભાગ જેટલી જગામાં રહ્યો. અતિ ભીડ ભોગવી. તું માનવના શુભદેહ સુધી પહોંચ્યો ત્યાં તને એકાંતની સાધના અને યાત્રા મળ્યા છે કેવળ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારા છે. પૂર્ણ શ્રદ્ધાથી એ એકાંતને સાધ્ય કરી સંસારની યાત્રા પૂર્ણ કરી દે. પછી ભલે તું અનંત સિદ્ધાત્માઓ સાથે હોય ત્યાં સુખ પણ અનંત. – – – – – – – – – – – – | મન, વચન, કાયાના યોગની શુભ પ્રવૃત્તિ ઃ જેના સંસારનો | ! અંત નજીક છે તેવો હળુકર્મી ભવ્યાત્મા મન, વચન તથા કાયાના ! યોગની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે અશુભ કર્મોનો અનુબંધ શિથિલ થઈ જાય છે. વળી પુનઃ | પુનઃ ધર્મ અનુષ્ઠાનના બળ વડે કર્મોનો પણ ક્ષયોપશમ થાય છે, છે ત્યારે આત્મશક્તિના બળ વડે તે સમ્યકત્વ - સામાયિક ધર્મની | પ્રાપ્તિ કરે છે. ! આ પ્રમાણે દાનાદિ ક્રિયાઓ, તપશ્ચચરણ, દુઃખના સમયે | વૈરાગ્ય જેવા ભાવથી, અન્યના ગુણાદિની અનુમોદનાથી, અનેક | | પ્રકારના ધર્મ અનુષ્ઠાન વડે સાધક તત્ત્વદેષ્ટિને પ્રાપ્ત કરીને સામાયિક ! ધર્મ પ્રાપ્ત કરે છે. | સામાઈય સામગિ, દેવા વિચિંતતિ હિય ય મર્જામિ, જઈ હોઈ મુહમેગં, તા અખ્ત દેવત્તણે સુલતું. દેવતાઓ ચાહના કરે છે કે અમને સામાયિકની સામગ્રી | એક મુહૂર્ત માત્ર જો મળે તો અમારું દેવપણું સુલભ - સાર્થક | થાય. 6---------------------- ૧0૨. Page #106 -------------------------------------------------------------------------- ________________ રપ. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન અને અનુષ્ઠાન : સામાયિક ધર્મના પવિત્ર પ્રવાહના સ્રોતનું મૂળ શ્રી તીર્થકર પરમાત્મા છે. જેમણે તપ, ત્યાગ, સંયમ જ્ઞાન અને અંતરંગ શુદ્ધિ વડે સામાયિક ધર્મનો સાક્ષાત્કાર કર્યો. અને સર્વપ્રથમ ઉપદેશ પણ સામાયિક ધર્મનો આપ્યો. જે આગમ ગ્રંથોમાં યથાર્થરૂપે વિદ્યમાન છે. જેના અધ્યયન-ચિંતન દ્વારા સાધક આત્મિક આનંદનો અંશ પ્રાપ્ત કરી શકે છે. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. આવશ્યકનું મૂળ છે. પાપવ્યાપારથી મુક્ત કરતું જિનશાસનનું અંગ છે. સામાયિક દ્વારા પેદા થતો સમભાવ આધિ, વ્યાધિ, ઉપાધિનું શમન કરનાર ઔષધ છે. જૈનદર્શનના ચાહક કે વાહક દરેક ફિરકા-સંપ્રદાયને સામાયિક ધર્મ સર્વગ્રાહી છે. ભલે તેના વિધિવિધાનમાં અંતર હોય પણ તેનું મૂળ તત્ત્વ સર્વને માન્ય છે. એનો અર્થ જ એ છે કે સામાયિક શ્રેષ્ઠ અધિષ્ઠાન અને અનુષ્ઠાન છે. શ્રુતજ્ઞાનનો સાર સામાયિક છે. (ચારિત્ર છે) જીવના મોહરૂપી અંધકારને દૂર કરી મોક્ષમાર્ગનાં દર્શન કરાવે છે. સામાયિક દ્વારા સાધકની સાધના (મોક્ષ) ફલવતી થાય છે. યથાખ્યાતરૂપી ચારિત્ર સામાયિક દ્વારા પ્રથમ રસમાં લીન મહામુનિ સ્વયં જ્ઞાતા દ્રષ્ટા થાય છે. સામાયિક મંત્રસ્વરૂપ છે, અર્થાત રાગાદિ પાપવ્યાપારયુક્ત વિભાવના વિષનો નાશ કરે છે. સર્વજ્ઞ તીર્થકરે ઉપદેશેલો સામાયિક ધર્મ સ્વયં જિનાજ્ઞા છે. કારણ કે સામાયિક ધર્મ વડે આશ્રવનો નિરોધ થાય છે. સંપૂર્ણ સંવર અને નિર્જરા દ્વારા ક્રમશઃ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. દુષ્કૃત્ય ગહ, સુકૃત અનુમોદના અરિહંતાદિનું શરણ ત્રણે કર્તવ્યો સામાયિકમાં સમાય છે. નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ = દુષ્કૃત્ય ગહ ભંતે : અરિહંતાદિના શરણનો સ્વીકાર. કરેમિ સામાઈયઃ સુકૃતનું સેવન - અનુમોદન. ૧૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિઃ શ્રુત સામાયિક જ્ઞાનસ્વરૂપ ચૌદપૂર્વનું બીજ અને સાર છે. અને ચારિત્ર સામાયિક ક્રિયા સ્વરૂપ છે. સામાયિક સમતાભાવનું અનુષ્ઠાન છે. સમતાભાવ વગર અન્ય અનુષ્ઠાનો નિરર્થક થાય છે. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. સમભાવ સ્વરૂપ સામાયિક આકાશની જેમ સર્વ ગુણોનો આધાર છે. સમસ્ત કાલમાં અને ક્ષેત્રોમાં સામાયિક સૂત્ર દ્વારા પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષિત થાય છે, અને અન્યને દીક્ષિત કરે છે. રત્નત્રયીમાં સમસ્ત ગુણોનો સમાવેશ થાય છે. તેથી રત્નત્રયીરૂપ સામાયિકમાં સર્વ ધર્મ અનુષ્ઠાન સર્વ યોગ અને સર્વ ગુણો સમાવિષ્ટ થાય છે. સામાયિક ધર્મનો અધિકારી કોણ : સાવધ પાપક્રિયાઓનો ત્યાગ અને નિરવદ્યધર્મમાં ઉપયોગવંત આત્મા સામાયિક સ્વરૂપ કહેવાય છે. સંસારી અવસ્થામાં જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસિત છે. અજ્ઞાનવશ રાગ દ્વેષના દોષવાળો છે, તેવો જીવ પણ જો સાવધ પાપવ્યાપાર ત્યજી અહિંસાદિ ધર્મોનું સેવન કરી સ્વભાવમાં રમણ કરે તો તે દર્શનાદિ ગુણો વડે ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે. એવી વ્યક્તિને સામાયિક પરિણામ હોય છે. સામાયિક ધર્મ બહુમુલ્ય છે. તેનો અધિકારી આત્મા સંયમ, તપ, નિયમ, ત્યાગ, તીતિક્ષામાં સદા નિમગ્ન હોય છે. સર્વાત્મમાં સમદષ્ટિવાળો હોય છે. રાગાદિ સર્વ વિભાવ પર નિયંત્રણવાળો છે. મન, વચન, કાયાના યોગ પર ઉપયોગના ક્વચથી રક્ષા કરે છે. તેથી કર્મોના પ્રવાહનો સંવર થાય છે. પૂર્વકૃત કર્મોનો ક્ષય થાય છે. ક્રમશઃ પરમ પદને પામે છે. સામાયિક અધિષ્ઠાન યુક્ત આત્મા વૈરાગ્ય વાસિત હોય છે. હરેક પરિસ્થિતિમાં નિરંતર સમતાયુક્ત હોય છે. આવા સમતાભાવના સતત અભ્યાસ દ્વારા મુનિ સચ્ચિદાનંદની મોજ માણે છે. તેને મોક્ષ તો હથેળીમાં હોય છે. તેથી તેની અભિલાષાથી પણ તે મુક્ત છે. નિશ્ચયનયથી સામાયિક સ્વયં શુદ્ધાત્મા છે, તેમાં કંઈ આગળપાછળ વિકલ્પ નથી. કેવળ શુદ્ધાત્મામાં રમણતા તે તેની અવસ્થા ૧૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ છે. એકાંત વાસી મુનિઓની વિશિષ્ટ ભૂમિકા છે. નિશ્ચયદૃષ્ટિ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ (પરિણામ)ને એક માને છે. સામાયિક પરિણામવાળો જીવ સામાયિક પ્રાપ્ત કરે છે. વ્યવહારદૃષ્ટિઃ વ્યવહારનયઃ તપ, સંયમ, ચારિત્રાદિ ક્રિયાના પ્રારંભને અને દીર્ઘકાલ પછી સામાયિકની સમાપ્તિને માને છે. સામાયિક રહિત જીવ ક્રમશઃ સામાયિક પ્રાપ્ત કરે છે. જેમ મિથ્થામતિ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. હે મહાનુભાવ! આવું અનુપમેય અનુષ્ઠાન આત્મસુખવૃદ્ધિદાયક સામાયિક અત્યંત દુર્લભ છે. આવા સામાયિકનો સવિશેષ અધિકારી માનવ છે. માનવજન્મની દુર્લભતા પાંચ ઈન્દ્રિયોને કારણે નથી. તે તો તિર્યંચ પંચેન્દ્રિયને પ્રાપ્ત છે. પરંતુ સર્વ વિરતિ આદિ સામાયિક પરિણામ માનવ જન્મમાં જ થાય છે. તેથી તેને મંગળ કહીને દુર્લભ કહ્યો છે. એવો દુર્લભ જન્મ મળ્યા પછી જો તે સામાયિક ધર્મને પ્રાપ્ત ન કરે અને સંસારના ભ્રામક સુખભોગમાં પડી જાય તો આવું અમૂલ્ય જીવનધન નષ્ટ થઈ જાય છે. - તૃષાતુર માનવને જળની પ્રિયતા છે. ક્ષુધાતુર માનવને ધાન્યની પ્રિયતા છે. ધર્મ જિજ્ઞાસુને તત્ત્વ રુચિ પ્રિય હોય છે. તે જિજ્ઞાસુના હૃદયમાં ધર્મભાવના વૃદ્ધિ પામે છે. તેથી તે જીવનને પવિત્ર બનાવે છે. સામાયિક જેવા ધર્મની પ્રાપ્તિને તે સદ્ભાગ્ય માને છે. તે વિતરાગ પ્રતિમાના દર્શન વડે કૃતાર્થ થાય છે તેથી તેનો મોહ શાંત થાય છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન તેને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. ત્યારે તે પુણ્યાત્મા સ્વકાળે મિથ્યાત્વની ગ્રંથિને ભેદીને, તોડીને સમ્યકત્વના ગુણને પ્રાપ્ત કરે છે. તે પછી ક્રમશઃ મુક્તિ સુધી પહોંચે છે. ધર્મશ્રવણ : સામાયિક ધર્મમાં પ્રવેશ માટે ધર્મશ્રવણ ઉત્તમ આલંબન છે. સંસારનું અને મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવે છે. તેના બોધસ્વરૂપે તે વિભાવદશાથી આશ્રવને રોકીને સંવરભાવ વડે સામાયિક ધર્મને પામે છે. ક્રમશઃ આત્મસ્વરૂપને પામીને કૃતાર્થ થાય છે. - પૂર્વ આરાધના : કોઈ જીવ પૂર્વનો આરાધક હોય પછી ભલે ૧૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ તે અન્યદર્શની હોય પરંતુ તેને એ સંસ્કારના બળે ભાવશુદ્ધિ થતાં સમ્યકત્વ પ્રગટ થાય છે. અને તે સંયમની શ્રેણી પર આરૂઢ થાય છે. કર્મના ઉપશમાદિ : દેવગુરુના અનુગ્રહે કોઈ ભવ્યાત્માને કોઈ શુદ્ધ અવલંબન દ્વારા અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિનો ક્ષય ઉપશમાદિ થતાં સમ્યત્વ - સામાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. ટ – – – – – – – – – – – – – – – – – – – – – | વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં | પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી જીવ અનેક ઈચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય? જ્યાં જીવ મનને આધીને આત્મા પણ | મનને આધીન. શરીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને | અસુખ પડે તેમ મન થવા ન દે. અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહી તે મનની કુશળતા છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમા | એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે | લાખ અને હાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. ' અરે ચપ્પ, કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા | | મન પાસે છે, તેથી તો તે શસ્ત્રોનો ઉપયોગ કર્યા છતાં આપણને ! - રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી ! | બચાવી શકાય કે નહિ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ? | ૧૦૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સામાયિકમાં પંચાવયવ અનુષ્ઠાન ધર્મ અનુષ્ઠાનના અનેક ભેદોમાં પંચાવયવ - પાંચ પ્રકાર અનુષ્ઠાન દર્શાવ્યા છે. જે મોક્ષની સિદ્ધિને અર્થે છે. ૧. પ્રણિધાન : સાધ્ય - ઉદ્દેશ ૨. પ્રવૃત્તિ : સાધન - વિધિ - ક્રિયા ૩. વિઘ્નય : બાહ્ય - અંતર દોષોનો પરિહાર ૪. સિદ્ધિ : કેવળજ્ઞાનાદિ - પૂર્ણતા ૫. વિનિમય : પોતાને પૂર્ણતા પ્રાપ્ત થયા પછી એ સાધનો વડે અન્યને માર્ગદર્શન કરવું. વિસ્તારથી વિચારતા આ પાંચ અનુષ્ઠાનમાં શુદ્ધ સામાયિકનું નિરૂપણ કર્યું છે. ૧. પ્રણિધાન સાધ્ય : મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે છતાં જો તેની પાસે કોઈ ઉચ્ચ ધ્યેય સાધ્ય કે સાધના નથી તો તેના નામકરણમાંથી મનુષ્ય નીકળી જશે અને કેવળ પ્રાણી શબ્દ રહેશે. જે કેવળ દેહ અને દેહના સુખની આજુબાજુ ફરીને જીવનને વ્યર્થ બનાવશે. મનુષ્ય જીવનનું ધ્યેય મુક્તિ હોય. જૈનદર્શનના વીતરાગી સર્વજ્ઞ દેવોએ સામાયિક ચારિત્રવડે પૂર્ણ આત્મવિકાસને સાધ્ય કર્યો, અનંત ગુણોને પ્રગટ કર્યાં. ત્યાર પછી તીર્થની સ્થાપના કરી પાત્ર જીવોને સામાયિક ધર્મ આપ્યો કે જે વડે તે જીવો પણ પૂર્ણતાની સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ધ્યેય કે સાધ્યમાં જેવી પ્રીતિ તેટલો પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે સાધ્ય સિદ્ધ થાય છે. : ૨. પ્રવૃત્તિ સાધન ઃ મુક્તિ માર્ગ ખૂબ વિશાળ છે તેની પ્રાપ્તિના અનેક સાધનો પૈકી મુખ્ય સાધન શુદ્ધ ઉપયોગ છે. તેનું સામાયિકની સાધના વડે કે સાધન વડે પ્રાગટ્ય થાય છે. આથી સર્વ વીતરાગી સર્વજ્ઞ પરમાત્માઓ/મહાત્માઓ સર્વ વિરતિ-સામાયિક ચારિત્ર ગ્રહણ કરી તર્યા છે, અને તરશે. તેઓનો સર્વ પ્રથમ ઉદ્ગાર છે કે ઃ કરેમિ સામાઈયં (હું સમભાવમાં રહીશ) સર્વાં મે અકરણિજ્યું પાવકમાં: - હું કોઈ પણ પ્રકારનું પાપ ૧૦૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ નહિ કરું. અર્થાત્ સર્વ પાપથી મુક્ત થઈ આત્મસ્વભાવમાં/શુદ્ધભાવમાં રહીશ. ૩. વિનય : સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકવંતનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, તે શું છે? પાપ વ્યાપરનો ત્યાગ કરવાનો નિયમ કેવળ આસન પર બેસી જવું એટલો નથી, પણ દસ મનના, દસ વચનના, બાર કાયાના, આવ બત્રીસ દોષો અર્થાત સર્વ પ્રકારના દોષોનો ત્યાગ કરવાનો છે. સંસ્કાર અને કર્મના ઉદયથી દોષો થાય ત્યારે પરાક્રમ વડે તેનો પરિહાર કરવાનો છે. જેમ જેમ દોષોનૅ જય થાય છે તેમ તેમ આત્મવિકાસ ઝડપી થાય છે. શ્રાવક-શ્રાવિકાને સામાયિકનો સમય મર્યાદિત છે, સાધુ-સાધ્વીને આ જીવન સામાયિક ચારિત્ર છે. ૪. સિદ્ધિઃ બે ઘડીના શુદ્ધ સામાયિકથી સાધક અનુક્રમે શુદ્ધિના શિખરે પહોંચી શાશ્વત સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત સંસારથી મુક્ત થાય છે. - પ. વિનિમય ઃ જ્ઞાનીજનોની પ્રાપ્તિ કરુણા - ઉદારતા એ છે કે તેઓ જેવું સુખ પામ્યા તેવું જગતના સર્વ જીવો પામો. ધનીમાં અને જ્ઞાનીમાં આવું આસમાન-જમીન જેવું અંતર છે. ધન ધનપ્રાપ્તિ, પછી પણ સાંકડો થતો જાય છે. જ્ઞાની પૂર્ણતાની પ્રાપ્તિ પછી ઉદાર થઈ જાય છે કે સવી જીવ કરું શાસન રસી” “આત્મ સમ કરોમિ'. ૧૦૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સામાયિકના અભ્યાસ દ્વારા શુકલ પાક્ષિક જીવન જ્ઞાનસારમાં ગ્રંથકાર કહે છે કે જગતમાં સુખી જીવ સૌને જાણે છે, તેમ સચિત્ત - આનંદ સ્વરૂપ આત્મા વિશ્વના તમામ જીવોને સતુ-ચિત-આનંદ સ્વરૂપ માને છે. તેથી તેઓ કોઈ જીવને ઊંચ કે નીચ, શત્રુ કે મિત્ર માની રાગાદિભાવ કરતા નથી. તેમને તેવા ભાવ થતાં નથી તે જ તેમના આત્મિક સુખનો આવિર્ભાવ છે. સ્વની ચેતન સૃષ્ટિમાં રાગાદિનો વિલય થતાં દૃષ્ટાને સૃષ્ટિના ચૈતન્યમાં પૂર્ણતાનાં દર્શન થાય છે તે આખરે સ્વયં સમદર્શિત્વને પામે છે. આ પૂર્ણતાના દર્શન કરવાનો શુભારંભ ગુણદર્શનથી થાય છે. જીવમાત્રના આત્મપ્રદેશે અનંત ગુણરાશિનું દર્શન સર્વજ્ઞ પરમાત્માએ કર્યું, ભવ્યાત્માઓને તે પ્રત્યે નિર્દેશ આપ્યો, તો શું આપણે તે અનંતગુણ પૈકી એક ગુણનું દર્શન ન કરી શકીએ ? હા, તે માટે જીવે સ્વયં ગુણદૃષ્ટિને કેળવવી જોઈએ. આ ગુણદૃષ્ટિ જ તારા રાગાદિભાવને નષ્ટ કરવા સમર્થ બનશે. પછી તારા ક્લેશ, સંતાપ પણ દૂર થશે. તે સાધક સમત્વ પામીને સ્વરૂપમાં સમાઈ જાય છે. આત્માના ગુણરૂપી સમૃદ્ધિમાં નિજનું સ્વામિત્વ છે. અને પુણ્યથી મળેલી બાહ્ય સામગ્રી-સમૃદ્ધિ તે ઉધાર નાણાં જેવી છે. સમગ્રેજ્ઞાન - દર્શન - ચારિત્ર શીલ, ક્ષમાદિ, ભક્તિ જેવા ગુણો તાસ પોતાની સ્વાભાવિક સમૃદ્ધિ છે. જો તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન થયો તો પતન છે. પ્રાપ્તિ કરીને જતન ન કર્યું તો ગુણોનું વમન છે. આખરે તારે રડવું પડશે કે ! ભમતાં મહાભવસાગરે પામ્યો પસાથે આપના, દર્શન જ્ઞાન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વશથી કહું છું ખરું. કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ?' આવો રડવાનો વારો આવે તે પહેલા જ ચેતી જા કે હું સ્વયં ગુણનો સાગર, ગુણોના ઐશ્વર્યનો સ્વામી, સ્વાભાવિક સુખનો સ્વામી, ૧૦૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ મારે બાહ્ય પદાર્થોની ભીખ કેવી! આવા દેઢ વિશ્વાસથી સાધક સોપાન માંડે છે ત્યારે તે સ્વરૂપના શિખરે પહોંચે છે. જ્ઞાનની પરિપકવતામાંથી જ્યારે સમત્વ પેદા થાય છે, ત્યારે ચક્રવર્તી જેવા અનહદ ઐશ્વર્યના અધિપતિને તૃષ્ણા સતાવતી નથી, પણ તૃષ્ણાનો નાશ થાય છે. ઘાણીમાં પિલાતા પ્રશમાત્મા મુનિરાજોને દુઃખના ઢગલા પણ ચલાયમાન કરતા નથી. જેની પાસે સામાયિક જેવો ધર્મ નથી. સમત્વ જેવું સામર્થ્ય નથી તેવો રાંક, પામર, પ્રાણી તૃષ્ણાથી ઘેરાઈ જાય છે, અને નિમિષમાત્રમાં તો તેનું સામર્થ્ય હણાઈ જાય છે. - ધનની ઈચ્છાવાળો ધનવાનની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ જોઈ પોતાને એવી સમૃદ્ધિ મળે તેવી ઈચ્છા રાખે છે. ગુણગ્રાહક સાધક ગુણવાન જુએ અને ગુણ ગ્રહણ કરી લે છે. આવી ગુણ ગ્રહણ શક્તિ જ દોષોને નષ્ટ કરે છે. તેને માટે બીજા ઉપાયોની જરૂર નહિ પડે. ગુણવાનના ગુણોના સ્મરણનો આનંદ તમારામાં ગુણ પ્રગટાવ્યા વગર નહિ રહે અને જ્યાં ગુણો પ્રગટયા કે જેમ દિવડા પ્રગટવાથી મળતો પ્રકાશ પદાર્થનું દર્શન કરાવે છે. તેમ તમારા ગુણોનો દીપક તમારા સ્વરૂપનું દર્શન કરાવશે. અને દર્શન કહો, આનંદ કહો, અનુભૂતિ કહો, શુક્લ પાક્ષિકને અહીંથી પરમાર્થનો પાવક પંથ પ્રારંભ થાય છે. કરુણાશીલ સત્પુરુષોએ કેવો સરળ માર્ગ સમજાવી દીધો? પણ જીવોની કઠિણાઈ એ છે, પૌલિક પદાર્થોનું પ્રલોભન ત્યજી શકતો નથી. પરભાવ, પરવૃત્તિને શમાવી શકતો નથી. એથી આકુળ થઈ સુખના પ્રયત્ન છતાં દુઃખ પામે છે. કારણ કે જે વસ્તુ સ્વયં સુખજનક નથી તે સુખનો જન્મ કેવી રીતે આપે? માટે આત્માનું સુખ આત્માની સમશ્રેણિમાં છે. તેવો અટલ વિશ્વાસ કરી, ગુણ ગ્રહણતામાં લાગી જા. જેમ કણમાંથી મણ પેદા થાય છે તેમ ગુણમાંથી પૂર્ણાનંદ પ્રગટ થાય છે. પરમાત્માએ દર્શાવેલા સામાયિક જેવા ધર્મનો આરાધક થઈ તું શુકલપાક્ષિક થા. આગમનો આવિષ્કાર છે કે શુકલપાક્ષિક જીવનો સંસાર સંક્ષેપ થાય છે. તે સમ્યકત્વરૂપ સામાયિક ધર્મ પામવાનો ૧૧૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ ન કહીની ચાવી થતાનો અભિલાષી છે. ધન ધાન્યાદિક પદાર્થો મેળવીને, તેની રક્ષા માટે તારે કેવા કલેશ, ભય અને ચિંતા સેવવાં પડે છે ? તે મેળવવા કેવો તનતોડ પરિશ્રમ કરવો પડે છે? છેવટે ખાલી હાથે વિદાય? પરંતુ સમતા જેવા ગુણોને પ્રાપ્ત કરીને તારે સર્વ કલેશોથી દુઃખથી મુક્ત, તંદથી મુક્ત, સ્વમાં લીનતા કરવાની છે. પ્રારંભમાં અનાભ્યાસને કારણે તને તારા જ વિચારોનો સાથ ન મળે તો પણ મૂંઝાતો નહિ. તું પ્રભુના પંથમાં વિશ્વાસ મૂકી દે પછી તને સઘળી સાનુકૂળતાઓ મળી આવશે. તારું જ પુણ્ય તારું માર્ગદર્શક બનશે. જે પુણ્ય તને પૌલિક સુખોમાં પરાધીનતા પ્રત્યે લઈ જતું તે પરિવર્તન પામશે. અને આશ્ચર્યજનક સમત્વ તારામાં પ્રગટ થશે. જે તારી પૂર્ણતાનો પાયો બનશે. પૂર્ણતાના અખૂટ ખજાનાને ખોલવાની ચાવી સામાયિકમાં છે. ભગવાન મહાવીર જ્યારે કેવળજ્ઞાન પામ્યા, તીર્થની સ્થાપના સમયે ગણધરોને સર્વવિરતિ આપી સામાયિકનું પ્રદાન કર્યું. ત્યારે જેઓ ઉચ્ચભૂમિકાએ હતા તેમણે આજીવન સામાયિક ગ્રહણ કહ્યું (સાધુ-સાધ્વી) જે ગૃહસ્થ જીવનમાં રહ્યા તેમણે મર્યાદિત સમય માટે સામાયિકનો નિયમ લીધો તે શ્રાવક શ્રાવિકા ગણાયાં. આમ ભગવાને દાન દીધેલા સામાયિક ધર્મને જે સર્વથા કે દેશથી આચરે તે પ્રભુના શાસનના વારસદાર કહેવાયા. જે આ સામાયિક ધર્મને આચરે નહિ તે પ્રભુના શાસનના વારસદારો નથી. આ કળિકાળમાં મોક્ષના દ્વાર સુધી લઈ જનારું સાધન સામાયિક છે. એ દ્વાર ખૂલે કે અંદર પ્રવેશ કરી લેવો સરળ છે, મોહનો ઉપશમ થતાં દ્વારની નજીક પહોંચાય છે. મોહનો ક્ષય થતાં મોક્ષભૂમિમાં પહોંચાય છે, વચ્ચેના ગાળામાં દ્વાર પાસે ટકવા માટે સામાયિક ધર્મ છે. આ દેહમાં રહેલા આત્મામાં જો સામાયિક ધર્મ પ્રગટે તો આ દેહ જ મહાવિદેહની પ્રતીતિ કરાવે અને તે પ્રતીતિ સમ્યકત્વ પ્રગટ કરે છે. જે આ કાળમાં મુક્તિનું બીજ છે. શુકલ પાક્ષિક એનો અધિકારી છે. સમયે ૧૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૨૮. સામાયિકનું શિખર, પરમસમાધિ : વ્રતરૂપ સામાયિકમાં પ્રવેશ કરનાર સાધકનું લક્ષ્ય પરમસમાધિ છે. તે વર્તમાનમાં તળેટીમાં ઊભો છે. સંયમના પાલનથી સોપાન ચઢતો ચઢતો તે શિખરે પહોંચે છે, જ્યાં એ પરમ સમાધિમાં લીન થઈ શાશ્વત સુખને પામે છે. અર્થાત્ પરમાત્મસ્વરૂપને પામે છે. ત્યાં હવે દ્રવ્યકર્મ કે ભાવકર્મની કોઈ ઉપાધિ નથી. પરમ વિતરાગભાવ અને નિરાવરણજ્ઞાનનો તે સ્વામી છે. ગ્રંથકાર સમાધિનું લક્ષણ જણાવે છે. જેમણે સમસ્ત ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. સ્વરૂપાત્માની આરાધનામાં જે નિરંતર રત છે. આત્મભાવ તે તેમનું તપ છે. બાહ્યાડંબર રહિત સ્વતત્ત્વમાં જેની નિશ્ચળ સ્થિતિ છે તે દશા સમાધિ કહેવાય છે. સમતા રહિત સ્થળાંતર કરેલો વનવાસ પરિષહોનો જય, મૌનવ્રત એકાંતવાસ ઈત્યાદિ મોક્ષના હેતુભૂત થતા નથી. માટે સદ્ગુરુની નિશ્રામાં તેમના વચનબોધ દ્વારા સમતારસનો અનુભવ કરી સમાધિમાં લીન થવું તે મોક્ષનો સાક્ષાત હેતુ છે. | મુનિનું સામાયિક એટલે શિખરે પહોંચવાનો અથાગ પુરુષાર્થ મુનિ સર્વસંગ પરિત્યાગી છે. તે ભવભ્રમણના હેતુરૂપ સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત છે, પંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી અંતરંગ શુદ્ધિ યુક્ત છે. વળી પાંચે ઈન્દ્રિયોના વિષયથી, ચારે કષાયથી પ્રવિમુક્ત છે. મુનિનું આ સામાયિક વ્રત સ્થાયી છે. અવધિથી મર્યાદિત નથી. સહજ વૈરાગ્યભાવથી ભૂષિત, મોહજિત મુનિને સમરસીભાવને કારણે સમસ્ત જીવરાશિ પ્રત્યે ભેદરહિત સમાનભાવ હોય છે. છકાય જીવની રક્ષાનું સહજ પાલન હોય છે. તેવા ભાવથી પૂર્ણ સામાયિક મુનિનું વ્રત છે. વાસ્તવમાં સમસ્ત પાપવ્યાપારના પરિહારથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું આવું સામાયિક કેવળજ્ઞાનીને હોય છે. જ્યાં સુધી આંશિક પણ પાપકાર્ય છે ત્યાં સુધી સંપૂર્ણ સામાયિક પ્રગટ થતું નથી. સામાયિક હેય જોય ઉપાદેયના જ્ઞાન સહિત હોય છે. ૧૧૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ જેણે સમસ્ત ઈન્દ્રિયોના વિષયોને અને કષાય જનિત પરિણામોનો પરિહાર કર્યો છે, તેઓ બાહ્ય પ્રપંચથી દૂર રહે છે. તેઓ પાપમૂલક ક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્ય સંયમ સાથે સવિશેષ અભ્યતર સંયમના આરાધક છે. જે ભૂમિકાએ જે ગુણસ્થાને જે ક્રિયા હોય છે તેના પરમિત કાલમાં વર્તતા હોય છે. છતાં નિશ્ચયથી નિજસ્વરૂપમાં જ સ્થિતિરૂપ ચિન્મય સમાધિમાં હોય છે. વ્યવહારથી પંચાચારનું પાલન કરે છે. પરિગ્રહના પ્રપંચથી સર્વથા મુક્ત રહે છે. - સદ્ગુરુ કૃપા વડે પ્રાપ્ત નિજસ્વરૂપના બોધમાં રક્ત, સંયમ નિયમમાં પોતાનો જ આત્મા લક્ષયુક્ત હોય છે. એવા મુનિ પરદ્રવ્યના સંયોગાદિથી મુક્ત સમ્યગદષ્ટિ વીતરાગ ચારિત્રવંતનું સામાયિકવ્રત સ્થાયી છે. સ્વભાવ પરિણામરૂપ મુનિની દશા વિધિ-નિષેધના વિકલ્પથી મુક્ત આત્મતત્ત્વના આલંબનને કારણે સમરસરૂપ છે. આત્મજ્ઞાન દ્વારા પાપસમૂહરૂપી અંધકારનો નાશ કરી જેઓ આત્માનંદની નિકટ છે. તે મુનિને રાગાદિ જેવા દુષ્ટભાવોનું કે આરૌદ્રધ્યાનનું વર્જન છે, તે પ્રકારો તેમને ચલાયમાન કરી શક્તા નથી. એ પ્રકારે તેમનું સામાયિક સ્થાયી છે. સમરસી ભાવપૂર્વકના મુનિના સામાયિકથી શુભાશુભ આશ્રવનું વર્જન થાય છે. કષાયથી વિરક્ત થયેલા તે મુનિ નોકષાયથી વિરામ પામે છે. તેવા મુનિનું મોહભાવ વિરક્ત સામાયિક શાશ્વત હોય છે. તે મુનિ સર્વથા જ્ઞાન સ્વરૂપને ભજતા, કેવળજ્ઞાન - નિરાવરણ જ્ઞાનના અભિલાષી સદા આત્માનું ધ્યાન ધરે છે. એવી સમાધિ જેનું લક્ષણ છે તે શાશ્વત સામાયિક વ્રત છે. તે સામાયિક સ્થાયી છે. તે પરમસમાધિ છે. “ન યત્ર દુઃખ ન સુખ ન ચિન્તા, ન રાગ દ્વેષો નચ કાચિદિચ્છા, રસ સ, શાંતઃ કથિતો મુનીન્દ સર્વેષ ભાવેષ સમપ્રમાણ.” ૧૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૯. ઉપાસકનું અંતરનિરીક્ષણ સામાયિકનો આરાધક લોકસંજ્ઞાથી દૂર રહે છે. લોકને રૂડું દેખાડવાનો પ્રયત્ન છોડી દે છે, અને આત્માનું રૂડું થાય તેમ વર્તે છે. રાગદ્વેષ રહિત થવાય તેવા સર્વજ્ઞના બોધને અનુસરે છે. તે વિચારે છે કે અનાદિકાળમાં જીવે મનુષ્યદેહ તો ધારણ કર્યો હતો, પરંતુ વૈરાગ્ય, વિનય અને સદ્ગુરુ આજ્ઞાના અભાવે ધર્મ ન પામ્યો. હવે આ જન્મમાં સવળો પુરુષાર્થ કરી સર્વજ્ઞના માર્ગે ચાલવું છે.. આ જન્મમાં સત્પુરુષના ઉપદેશ વગર અને પોતાની સત્પાત્રતા કેળવ્યા વગર જ્ઞાનપ્રાપ્તિ થવી સંભવ નથી. અંતરદૃષ્ટિ કરીને વિચારે છે ત્યારે તેને સમજાય છે કે સર્વજ્ઞની ભક્તિ સદ્ગુરુની ઉપાસના, સત્સંગ, સધર્મ અને સમ્યગુદૃષ્ટિપણું જીવે પ્રાપ્ત કર્યું નથી. ભાવે કરી આરધ્યું નથી તેથી પરિભ્રમણ અને પરિભ્રમણના કારણો ચાલુ છે. જે ધર્મ આત્મસ્વભાવરૂપ છે. આત્માની સમશ્રેણિમાં છે. જે બાહ્ય સંશોધનથી પ્રાપ્ત નથી. દરેક મહામાનવોએ એ ગુપ્ત-સ્વભાવધર્મને અંતર સંશોધનથી પ્રાપ્ત કર્યો છે તે મને બાહ્ય સંશોધનથી મળવાનો નથી. સદ્ગુરુ અનુગ્રહે તે અંતરં સંશોધનનો ઉપાય મેળવે છે. સંસાર અવસ્થામાં ઉદય આવેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી, પણ નવા ન બંધાય તેમાં જાગૃત છે. તેથી શુભ કે અશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોક કરતો નથી. હું આ પૃથ્વી આદિ પદાર્થોમાંથી શું લાવ્યો હતો અને શું લઈ જવાનો છું. એમ વિચારી સમભાવમાં રહેવા પ્રયત્નશીલ રહે છે. તે વિચારે છે કે હું જેનાથી પ્રભાવિત થાઉં તે કર્મપ્રકૃતિ જડ છે, પરદ્રવ્ય છે. મારો તેની સાથે જેટલો તાદાભ્ય સંબંધ છે તેટલી મારે અબોધતા છે. એ જડ પ્રકૃતિએ મારા અજ્ઞાનને કારણે પોતાની સત્તા જમાવી છે, પરંતુ અહો સત્પુરુષોએ તો એ કર્મપ્રકૃતિને પોતાનું સ્વરૂપ માન્યું નથી અને ચેતન સત્તાને સ્વીકારી, તે પ્રકૃતિ સાથેનો તાદાભ્ય થયેલો સંબંધ તોડી અબંધદશાને પામ્યા. આમ મારો આત્મા પણ ઉદય કર્મને સમતાથી અને પ્રમાદરહિતપણે ભોગવીને ખચિત ૧૧૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ ચેતન શુદ્ધિ પામશે. તે માટે મારે વિનયભાવે સત્પુરુષના માર્ગને અનુસરવું હિતાવહ છે. તે વિચારે છે કે જ્યાં સુધી હું નિર્વાણને ન પામું ત્યાં સુધી મારે નિઃસ્પૃહભાવે જગતમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબંધ થવા પ્રયત્ન કરવો. અને જીવમાત્ર સાથે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી પ્રત્યે કરુણા અને અપરાધી પ્રત્યે ક્ષમા, માધ્યસ્થભાવ રાખવો. આ ભાવનાઓથી ભાવિત થઈ ધર્મધ્યાનથી ભૂષિત થાઉં. સામાયિકમાં તે સત્પુરુષોના જીવનની મહાનતા પ્રત્યે જોડાય છે, અહો ! ગજસુકુમાર, મેતાર્ય, વર્ધમાન સ્વામી વગેરે જેવા મનોજયી હતા, હર્ષ-શોક, શુભ-અશુભ, માન-અપમાન. સર્વ પરિસ્થિતિ તેમને સમાન હતી. તેમનું લક્ષ કેવળ આત્મ સમતાર્થે હતું. સર્વ જીવો પ્રત્યે સમભાવ હતો. દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબધ્ધપણે વિચરતા હતા. ઉપસર્ગમાં તેમણે અપવર્ગનું નિમિત્ત જોયું. દેહાદિની અનંત કલ્પનાઓ પળમાત્રમાં તેમણે શમાવી દીધી. ધન્ય તે મુનિ, મહાત્માઓ. મારો તે દિવસ ધન્ય હશે કે હું તેમના માર્ગે વિચારવા સમર્થ થઈશ. વળી ભાવના કરે છે કે સુલસા, સીતા, સુભદ્રા, ચંદના વગેરે સતીઓ સુદર્શન આનંદ અને પુણિયા જેવા શ્રાવકો, જેમણે સર્વજ્ઞ કથિત ધર્મને પરમ શ્રદ્ધાથી આદર્યો. અશુભયોગોમાં સમાધિભર્યા ચિત્તની મુખ્યતા રાખી. પરદોષ વક્ષ્ય અને સ્વદોષનો સ્વીકાર કરી પ્રભુના માર્ગને આરાધી ધન્ય બની ગયા. હે પ્રભુ આવા સત્પુરુષોના પંથે પ્રયાણ કરવાનું મારું ભાગ્ય કયારે જાગશે ? આ કાળમાં જીવને - આયુષ્યની અલ્પતા છે. હું ઉદય-ઉપાધિથી ઘેરાયેલો છું. સર્વસંગ પરિત્યાગ કરવાનું બળ પ્રવર્તતું નથી. દેશત્યાગમાં પણ વિકલ્પ ઊઠે છે. પ્રભુ હવે સમય પણ કેટલો છે? આ સંસારની મોહિની કેમ કરીને છૂટશે? હવે આ દશમાં રહેવું નથી. આત્મસાધકને હવે ખટફ થઈ છે. તે વિચારે છે હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપઆત્મા અનંતકાળ થવા છતાં પરિભ્રમણ કેમ પામું ૧ ૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ છું? એનો વિચાર રાત્રિદિન ચિત્તમાં સ્કૂર્યા કરે છે. શું કરવાથી આ ભવભ્રમણ ટળે તેને માટે તે સદ્ગુરુના બોધનું સ્મરણ કરી અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે. ઘણા પ્રયાસે જીતી શકાય એવા આ માયાવી સુખોના પ્રલોભનોથી ભરપૂર જગત અને સારવર્જિત સંસારમાં આ દુર્લભ એવું મનુષ્યપણું મળ્યું છે, માટે મારે આ જન્મમાં સ્વરૂપ પ્રાપ્તિ કરવી એ જ કર્તવ્ય છે. ઉત્તમ પુરુષોએ એ સર્વ ભ્રમોથી મુક્ત થઈ કર્મ પ્રકૃતિના સંયોગમાં તદ્રુપ ન થતાં એક મોક્ષનો જ પુરુષાર્થ કર્યો છે. તેઓ આત્માનો પરિચય કરવા અંતર્મુખ થયા હતા. જેમ જેમ આત્મપરિચય વધે છે તેમ તેમ તે વિચારે છે કે પરિવારની પળોજણથી ભવ નિસ્તાર થવાનો નથી, તેથી તો સંસારકાળ વૃદ્ધિ પામવાનો છે. જો આ સંસારમાં રહીને મુક્તિ સાધ્ય થતી હોય તો મહાત્માઓ એકાંત સેવન, સંસાર ત્યાગ શા માટે કરે ! સંસાર વિષયોનું ઘર છે. કષાયોનું કારાગૃહ છે. રાગ, દ્વેષ અને મોહને રહેવાનું વન છે, તેમાં ક્યાંથી શુદ્ધિ થાય? કાદવમાં ખરડીને કાયા પાછો ધોવા બેસું. માયામાં ડૂબકી મારીને પાછો રોવા બેસું. ખબર નથી કે એક દિવસ તો ભવસાગર ડૂબવાનો !... સદ્ગુરુના બોધ દ્વારા સાધક બરાબર સમજે છે, કે આ માયાવી સંસારમાં ડૂબી જવાય તેવું છે. હું સામાયિક ધર્મનો ઉપાસક સાવધ પ્રવૃત્તિથી મુક્ત થવા પ્રથમ તો વિરમણ વ્રતમાં આવું. વૃત્તિ-પ્રવૃત્તિનો સંક્ષેપ કરું, અલ્પ બધું જ અલ્પ, બાહ્ય પરિચય અલ્પ, સાંસારિક સંયોગોનો પરિચય અલ્પ, આરંભ પરિગ્રહ અલ્પ. આમ તે હળુકર્મી થાય છે. કર્મ પ્રકૃતિની સ્થિતિને ક્ષીણ કરે છે. શુદ્ધિના માર્ગને આવકારે છે. આત્મપરિચયનો જિજ્ઞાસુ ચિંતવે છે કે મારું સુખ તો મારા સ્વરૂપમાં છે. બાહ્ય સાધનોમાંથી તે પ્રાપ્ત થવાનું નથી. માટે બાહ્ય પદાર્થોનો અપરિચયી થાઉં. જો કે આત્મસ્થિરતા-સમશ્રેણીમાં રહેવું દુર્લભ છે. મનમાં ઊંડે રહેલા સંસ્કારો વચમાં અંતરાયરૂપ થશે. પરંતુ તેને સદ્ગુરુના યોગે અને બોધે એ મનના અંતરાયો દૂર કરવાનો ૧૧૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ માર્ગ મળી જશે. માટે સાવધાન થઈને આગળ વધે છે. સદ્ગુરુના વચનનું શ્રવણ કરી તે ચિતવે છે કે આ જીવે પોતાના જ અજ્ઞાન વડે કેવું પરિભ્રમણ કર્યું? રાગાદિભાવોના વિકલ્પોમાં ફસાયો? અને તે કારણે ક્રોધાદિ કષાયોથી ઘેરાયો ત્યારે જીવને વિચાર પણ ના થયો કે આને કારણે મને કેવું દુઃખ પડશે? સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પ્રત્યે રાગની તીવ્રતાથી મેં માન્યું હતું કે આ પદાર્થો વગર, આહારાદિના અમુક પદાર્થો વગર મને ચાલે જ નહિ. પરંતુ એ સૌ જેમ મને ત્યજી દેશે તેમ હું આવુ પૂરું થતાં વિદાય થઈશ ત્યારે એ સૌને ત્યજવા પડશે. કર્મની આવી પરાધીન દશા જાણીને સાધક પરપદાર્થોથી ભિન્ન પોતાના સ્વરૂપમાં સુખ માને છે. જેવી રાગની તીવ્રતા તેવી દ્વેષની તીવ્રતાથી જીવો વિચારે છે કે હવે આ પદાર્થની સામે પણ ન જોવું. છતાં કર્મવશ તે જ પદાર્થોને સેવે છે. આવું વિચારી સામાયિકનો ઉપાસક વૈરાગ્ય પામે છે. તે પુનઃ પુનઃ ચિંતવે છે કે હવે આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવું નથી. હવે એક આત્માર્થ જ સેવવો છે. તે માટે સંત્સંગ અને સંયમનું સેવન મારે ઉચિત છે. તેમ કરતાં કંઈ વિદન કે અંતરાય આવે તો સમતાભાવે મારે આત્મર્થ સાધવો છે. એકાંતે સત્પુરુષોના જીવનનાં રહસ્યોના મર્મ સમજે છે. તેમના ગુણોનું ચિંતન કરે છે. સમાગમે તેમના સંયમાદિની અનુમોદના કરે છે. ૧ ૧૭. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સામાયિકનું તાત્વિક સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માના શાસનનું દર્શન અનેકાંત શૈલીથી નિરૂપણ થયું છે. તેમાં અનંત ભાવ અને ભેદ રહેલા છે. અનેકનયોથી નિરૂપણ કર્યું છે. તેમાં મુખ્ય બે નય છે. ૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નો'ય. નિશ્ચય રાખી લક્ષમાં સાધના કરવા સોય.' - શ્રી આ.સિ.શા. આ બંને નય રથનાં બે ચક્ર જેવાં છે. બંને ચક્ર વડે રથ ચાલે. બંને ચક્ર સાથે રહે આગળ પાછળના ચાલે. જો કે આ નય દૃષ્ટિનું કથન છે, તેમાં અન્યોન્ય ગૌણતા મુખ્યતા રહે. જ્યારે સાધકને સ્વપુરુષાર્થના સ્વરૂપનું લક્ષ કરવાનું છે ત્યારે નિશ્ચયેષ્ટિ-તત્ત્વદૃષ્ટિ જરૂરી છે. પરંતુ લક્ષને આંબવા વ્યવહારદૃષ્ટિ ત્યાં હોય જ અથવા પ્રયોજનભૂત છે. નિશ્ચય નય કહેશે આત્મા પરમાત્મસ્વરૂપ છે. આત્મા જ આત્માનો ગુરુ છે. જીવને કર્મબંધ નથી અને મોક્ષ નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ કે મોક્ષ સ્વરૂપ છે. આમ નિશ્ચયર્દષ્ટિ સ્વરૂપમાં કંઈ ભેળવતી નથી. પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રગટ જ થયો નથી ત્યાં સાધક રહી સાધન કરવાથી મોક્ષ સ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. તે વ્યવહારનય છે. “આત્માની શુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તે જ્ઞાન છે. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને જાણતો હોય, અને શુદ્ધ અવસ્થાના સુખને જાણતો હોય તો તે અશુદ્ધ અવસ્થા ટાળી શકે. નિશ્ચયર્દષ્ટિમાં જ્ઞાનની પ્રધાનતા છે. વ્યવહાર દૃષ્ટિમાં ક્રિયાની મુખ્યતા છે. બંને મળીને માર્ગ મળે છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બદલાય છે, ગૌણ થાય છે. સૂક્ષ્મ બનતી જાય છે. બાહ્ય ક્રિયાનો વિચ્છેદ નથી. વળી ચૌદમાં ગુણસ્થાનકે યોગ નિરોધની સૂક્ષ્મ ક્રિયા સુધીની પ્રણાલિ દર્શાવી છે. શ્રેણિમાં ભલે બુદ્ધિવશ ક્રિયા નથી, બાહ્ય ક્રિયા ૧૧૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ નથી. પણ અંતરંગ ધ્યાન વગેરે છે. નિશ્ચયનયમાં કંઈ ભળતું નથી. તે લક્ષમાં રાખીને ભૂમિકા પ્રમાણે ક્રિયા થવી પણ સ્વાભાવિક છે. જીવમાત્રને યોગ ઉપયોગનું જોડલું મળે છે. સંસારીને કેવળજ્ઞાન સુધી મનાદિ યોગ છે. ત્યાં કષાય રહિત ઉપયોગ છે. એટલે યોગ ક્રિયા આશ્રયી આશ્રવ છે, બંધ નથી. સંસારી જીવના યોગ સક્રિય છે. શુભાશુભ તેની વર્તના છે. એટલે સામાયિક જેવા અનુષ્ઠાનમાં સાવદ્યયોગથી નિવૃત્તિ એ વ્યવહારધર્મ આપ્યો. અને નિરવદ્યયોગમાં નિશ્ચય ધર્મ આપ્યો, કે જ્યાં શુદ્ધઉપયોગનું લક્ષ્ય છે. નિશ્ચયનયનું લક્ષ્ય કરવા, બોધ પામવા પણ વ્યવહાર ધર્મનો સહયોગ હોય છે. જ્ઞાન - ધ્યાનની આરાધના સ્વાધ્યાયાદિના મૂળમાં તો ક્રિયા જ છે. પછી ધ્યાનાદિ અવસ્થા આવે છે. યોગ નિરોધ ચૌદમાં ગુણ સ્થાનકે હોવાથી પરમાર્થ ક્રિયાનું અવલંબન તે તે ભૂમિકા અનુસાર હોય છે. નિશ્ચયષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” - મ. મ. યશોવિજ્યજી “આ નિશ્ચયર્દષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી વૃત્તિનું એક બાજુ મૂલ્યોચ્છેદન કરે છે. ત્યારે બીજી બાજુ વ્યવહારદૃષ્ટિ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે.” જો બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે તો શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે તે અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાપ્ત વિષમતામૂલક વિષ પ્રવાહનું અમોધ ઔષધ છે.” - દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર છે. વ્યવહાર નયને ન સ્વીકારવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે, તે માટેનું બીજ છે પરસ્પરોપગ્રહો જીવાનામ' છે. નિશ્ચયનય ન સ્વીકારવાથી તત્ત્વનો લોપ થાય છે. તે નિશ્ચય દૃષ્ટિનું બીજ છે. ૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગો લક્ષણ' વ્યવહારને છોડવાથી તીર્થ જાય છે. નિશ્ચયને છોડવાથી તત્ત્વ જાય છે. વ્યવહાર તે માર્ગ, નિશ્ચય તે લક્ષ.” - ગ્રંથ - આત્મોત્થાનનો પાયો પૂ. પંન્યાસજી સામાયિક, વિધિ જેટલું કે નવમા વ્રત જેટલું મર્યાદિત નથી. સામ-સમ સમ્મ જેવા ભેદથી તે આત્મ પરિણામ છે. નિશ્ચયથી આત્મા અને સામાયિક અભિન્ન છે. તેની સાધના ભેદભેદ છે. સમ્મ પરિણામમાં તો સંસાર અને મોક્ષનો પણ વિકલ્પ નથી. સમ્યગ્દર્શનાદિનો પણ વિકલ્પ નથી. ત્રણેથી સમાપ્તિ છે. આમ નિશ્ચયષ્ટિથી સામાયિક એ આત્મ પરિણામ છે. પરંતુ સમ્મરૂપે, આત્મક્ય ન સધાય ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ સામાયિકના અનેક ભેદ દર્શાવ્યા છે તે સર્વે નિશ્ચયધર્મને અનુસરીને છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ગુરુ આજ્ઞાએ વર્તી જે સામાયિક કરે છે, તે શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ આદરણીય છે. જેમ જેમ જીવ ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, તેમ સમતા, મધ્યસ્થભાવ, તુલ્યભાવ, જેવી ભૂમિકા આવે, ઉપયોગ સ્થિરતા પામે, જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર ઉદાસીનતા આવે સામાયિક સ્વરૂપ પરિણામ બને. ત્યારે નિશ્ચયધર્મ પરિણામ પામે, તે અનુભવગમ્ય હોય છે. જે સર્વજ્ઞના વચનાનુસારી આરાધન નથી કરતો તે સન્માર્ગને પાત્ર બનતો નથી. કારણ કે શાસ્ત્રકથન છે કે સામાયિક દ્વાદશાંગીનું સંક્ષિપ્ત રૂપ છે. છ આવશ્યકનું મૂળ છે. સમતા પરિણામરૂપ સામાયિક અતિન્દ્રિય છે તેથી અનુભવગમ્ય છે. જે નિજાનંદનું રહસ્ય છે. આવા સામાયિકનું આરાધન અવશ્ય કરવું. | સ્વરૂપની રમણતારૂપ સામાયિક વિશિષ્ટ પ્રકારના મુનિઓનું છે. સચ્ચિદાનંદ - સ્વરૂપની એકતામાં લીન મુનિ મોક્ષસુખના રસાસ્વાદનું પાન કરે છે. સમતામાં મગ્ન મુનિને હવે મોક્ષની અભિલાષા પણ રહેતી નથી. આત્મસ્વભાવરૂપ રમણતા તે ભાવ ચારિત્ર છે. જે તીર્થકર ભગવાનમાં પ્રત્યક્ષ હોય છે. એથી તીર્થકર સર્વ પ્રથમ કરેમિભંતે સૂત્ર” દ્વારા સામાયિક ધર્મ આપે છે. આથી જિનાજ્ઞા એ ૧ ૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાધક માટે આરાધના છે. મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. પ્રથમ સામાયિકની ફલશ્રુતિ ઉપયોગની વિશુદ્ધિ છે. ઉપયોગ વિશુદ્ધતર થતો જાય છે. આમ ઉપયોગ અને સામાયિક અન્યોન્ય સહાયક છે. સમતાથી ઉપયોગ વિશુધ્ધિ પામે છે, અને વિશુદ્ધ ઉપયોગ વડે સામાયિક શુદ્ધ બને છે. ત્યાર પછી ધ્યાનાવસ્થામાં આરાધક આરૂઢ થાય છે. સમસ્ત પ્રકારની આંતરિક વિકલ્પો-વૃત્તિઓ શાંત થઈ જાય ત્યારે સમત્વભાવ પેદા થાય છે, તે અવસ્થામાં આત્માઅનુભુતિ સંભવ છે. બાહ્ય પદાર્થોની જેમ તે ચક્ષુગોચર નથી. સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન, તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયન ભવમુક્તિનો સાચો ઉપાય જાણીને તેનું એકાંતે સેવન કરનાર આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરે છે. વળી જ્યારે શાસ્ત્રોકત વચનોના સંસ્કારનો સાક્ષાત થાય છે ત્યારે સાધક પોતાના સામાÁ વડે આત્માનુભૂતિ કરી શકે છે. વ્યવહારનયે પ્રથમ શુભ ધ્યાનનો સતત અભ્યાસ છે. ઉદાસીન વૃત્તિ થવાથી આત્મજ્ઞાન થાય છે, જે અનુભવ જ્ઞાન છે. પરિણામે આત્મરમણતા નિશ્ચય દ્રષ્ટિ છે. સ્વરૂપ વિષે શું કહેવું? જે પદ / જે સ્વરૂપ કહેવા જ્ઞાનીઓ પણ ભાષા દ્વારા મર્યાદિતપણે કહી શક્યા છે. તેને માટે સામાન્ય માનવ શું કહી શકે? એ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય અને અપાર મહિમાવંત છે. એ પરમાત્મ સ્વરૂપ બહાર નથી પરંતુ તારા આ દેહદેવળમાં રહેલા ચૈતન્યમાં જ છુપાયેલું છે. તે સમાધિ ભાવથી અનુભવમાં આવે છે. સમાધિભાવ કે સામાયિક પર્યાયવાચી ભાવ છે. સામાયિક વડે અંતરના વિદનો નાશ પામે છે. “આતમ અનુભવ ધ્યાન કી જો કોઈ પૂછે વાત, સો ગંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ ?' ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ |૩૧. સામાયિકના સાધકની મનોદશા : સામાયિકનો સાધક સમતા ગુણથી ભરપૂર હોય એથી તેને જગતની જીવરાશિ આત્મવત્ જણાય. શુભાશુભ યોગમાં હર્ષવિષાદ ન કરે, તે આત્મામાં સંતુષ્ટ હોય. પરગુણ પ્રશંસક અને સ્વગુણ આચ્છાદક હોય. કષાયજનિત પ્રકૃતિને શમાવવાવાળો, વિષયથી સંયમિત, માત્ર ભવાંતની ભાવનાવાળો, મુક્તિનો આરાધક, ઉદય જનિત ઉપાધિમાં, ભવભ્રમણમાં ઉદ્વેગવાળો, શુદ્ધ આત્મસ્વરૂપમાં શ્રદ્ધાવાળો, સર્વજ્ઞદેવગુરુનાં બોધવચનોની અનન્ય શ્રદ્ધાવાળો હોય છે. પૂર્વ પ્રારબ્ધના પ્રયોજનથી ગૃહસ્થપણાના ઉદયમાં પણ આરંભ પરિગ્રહ પ્રત્યે ઉદાસીન રહી સમપરિણામે પ્રવર્તે છે. સંસારના કાર્યની પ્રવૃત્તિના ઉદયનું વદન હોવા છતાં તેમાં લાભ-અલાભમાં આકુળતા નથી. સાક્ષીરૂપે રહેવા પ્રયત્નશીલ છે. - સાધકની મનોદશાનું વિશેષ વલણ અંતરંગ પ્રત્યે છે. તેથી ઉદય કર્મમાં તે તારવી લે છે કે આ અન્ય ભાવ છે. પદાર્થને જ્ઞાનસ્વરૂપે જાણનારો આત્મભાવ છે. આવું સ્વભાન હોવાથી સાધક પર પ્રસંગમાં ઉદાસીન રહે છે. તે વિચારે છે કે દુઃખનું કારણ અને દુઃખનું ફલક એવા અસાર અને ક્લેશનું કારણ એવા આરંભ પરિગ્રહથી મુક્ત ક્યારે થઈશ ? છતાં ગૃહસ્થદશામાં હોવાથી હવે મારે આવશ્યક કાર્યમાં પ્રવૃત્ત થવું. તે પણ પાપભીરૂ થઈ તેવા પ્રસંગોમાં પ્રવર્તવું. તે તે પ્રસંગોમાં ક્ષણે ક્ષણે જાગૃત રહેવું. આમ ઉદયપ્રાપ્ત સ્થિતિથી જે પ્રકારે દૂર રહેવાય તેમ પ્રવર્તે છે. બાહ્ય પ્રસંગો અને પરિચયથી જાગૃતપણે દૂર રહે છે. અનિત્યાદિ પદાર્થોમાં આત્મબુદ્ધિ થતી નથી અને અશરણ એવા સંસારમાં પ્રીતિ થતી નથી. એ પ્રસંગોમાં, કાર્યોમાં અને વ્યવહારમાં રાગપૂર્વકનો ભાવ થતો નથી. અનિત્યમાં નિત્યબુદ્ધિ અને અશરણમાં શરણબુદ્ધિ થતી નથી. મહાપુરુષો પણ જે રાગાદિભાવથી નિવૃત્ત થયા તેમાં હિતબુદ્ધિ કરી વર્તવું તે પ્રમાદ છે. બંધનું કારણ છે. તે જાણે છે કે ૧૨૨. Page #126 -------------------------------------------------------------------------- ________________ દેહબુદ્ધિમાં રહેલી સુખની કલ્પના નિરર્થક છે. કારણ કે ક્યારે પણ અવિનાશી દેહની પ્રાપ્તિ થતી નથી. અને જે વિનાશી છે તે સુખદાયક ન હોય. એટલે દેહનો સંયોગ સંબંધ પૂરો થતાં છૂટવાનો જ છે. માટે તેમાં અહં કે મમત્વ કરવા જેવું નથી. તે યથાશક્તિ પંચવિષયાદિથી નિવૃત્ત થવા સતત જાગૃત છે. ક્લેશ કષાયોને દુઃખરૂપ જાણી સત્સંગના બળે તેની અલ્પતા હોય છે. પરિગ્રહાદિનો પરિચય અલ્પ હોય છે. આમ વૈરાગ્ય ગુણનો વિકાસ થતો જાય છે. તેમ તેમ આંતરિકદશામાં દઢતા આવે છે. તે જડનું સ્વરૂપ જાણે છે કે જીવોને સૌથી વિશેષ દેહનો નેહ છે. એવો દેહ પણ મરણ, રોગ, વૃદ્ધત્વના દુઃખથી ઘેરાયેલો છે. તેનાથી સુખ કેવી રીતે મળે ? તો પછી ધન ધાન્યાદિ સ્ત્રી પુત્રાદિ તો તેનાથી પણ દૂર છે, તેમાં સુખ નથી. આમ આત્મસુખના નિર્ણયવાળો તે ચક્રવર્તીના સુખને પણ તુચ્છ માને છે. વીતરાગે કહેલા આત્મસ્વરૂપની, આત્મિક સુખની શ્રદ્ધા દેઢ છે, પરંતુ ચારિત્ર અવસ્થામાં નબળાઈ છે, તે જાણે છે છતાં મનોદશામાં એ ભાવનાનું બળ છે, કે ક્યારે આ સંસારથી મુક્ત થાઉં? આથી સાંસારિક કર્તવ્ય બજાવ્યા છતાં તેની અંતરદશા સાક્ષીભાવની છે. - શરીરમાં કોઈ રોગ થયો તો તે જાણે છે કે આ શરીરનો વિકાર છે, આશાતાના કર્મનો ઉદય છે. વેદના ઉપયોગમાં જણાય છે. હજી આત્મબળમાં ન્યુનતા છે. ચારિત્રની નબળાઈ હોવાથી ઔષધનો વિકલ્પ ઊઠે છે. છતાં એ સર્વ અવસ્થામાં સાક્ષી છે. ઔષધ કરું અને શરીર મને સુખ આપે તેવી ભ્રમણા નથી. સુખ તો આત્મામાં જ છે. આમ સાધક રોગને જાણે છે. પણ તેમાં રાગદ્વેષ કરતો નથી. જેમ કોઈએ તપ કર્યું હોય ત્યારે સુધાવેદનીય હોય છે. તેને જાણે છે પણ સુધામય થતો નથી. તપશ્ચર્યાના આદરથી તે યુવાનો સાક્ષી રહે છે. - સાધકની મનોદશા આત્મભાવમાં સ્થિર રહેવાના પ્રયત્નમાં હોય છે. જે કાંઈ થાય છે તે થાય છે. પરમાત્માના ગુણોનું આદરપૂર્વક સ્મરણ કરી પોતામાં રહેલા એ ગુણોની ખોજ કરે છે. પ્રથમની દશામાં વિચારે છે કે પ્રભુની આજ્ઞાને પાત્ર ક્યારે થાઉ? આખરની ભાવના ૧ ૨૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ એ છે કે પ્રભુ જેવો ક્યારે થાઉં? આવી ઉચ્ચભાવના વડે અંતરંગના દોષોને નિવારતો જાય છે. હવે એ પ્રગટ કે અપ્રગટ નાના એવા દોષ પ્રત્યે પણ સજાગ છે. દોષનો જાણે અજાણે પક્ષપાત કરતો નથી. સ્વપ્રશંસાનો અહં તો ગુરુ અનુગ્રહથી શાંત થતો જાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં રસપૂર્વક રાચતો નથી. સ્વજન આદિ સંબંધોમાં નિઃસ્પૃહ સ્નેહ વડે વ્યવહાર નિભાવે છે. સામાયિક આદિ અનુષ્ઠાનો દોષરહિત જાગૃતપણે કરે છે, નિત્ય નિત્ય ઉત્તમ ભાવનાઓ વડે ચારિત્રશુદ્ધિને સાધે છે. તે રોજ આ રીતનો વિચાર કરે છે કે આ સંસારમાં શ્રમણ ભગવંતો ધન્ય છે કે જે આજીવન સુવિશુદ્ધ સામાયિક કરે છે. હું પણ તેમની જેમ ક્યારે શ્રમણ થઈ જીવન પર્યત સાધુપણે વિચરીશ? આ સંસાર ક્યા કારણથી પરિચય કરવા યોગ્ય છે ! પૂર્વકાળથી આજ સુધીમાં સંસારથી હું શું પામ્યો! શ્રીપાળકુમાર સાધક હતા. તેમની મનોદશાનો તમે ક્યારેય અભ્યાસ કર્યો ? રાસ સાંભળ્યો. ઓહો હો હો. નવ રાજ્ય, નવ રાણીઓ અને ઘણું બધું નવલાખ ને નવ કરોડ, પણ શ્રીપાળ માટે એ સાધક હતું કે બાધક ? આવી સમૃદ્ધિ સાંભળતા તમારું મન ભરાઈ જાય, ઓહો આવી સમૃદ્ધિ? શ્રીપાળે કેવળ શ્રી સિદ્ધચક્રપૂજન કર્યું કે ભણાવ્યું ન હતું. પણ પચાવ્યું હતું કે સુખમાં સમભાવ દુઃખમાં વિશેષ સમભાવ. ધવલે દરિયામાં પધરાવી દીધો, ધક્કો લાગતાંની સાથે હૃદય અને ચક્ષુમાં શ્રી સિદ્ધચક્રજી ધારણ થયા. એટલે જલતરણી વિદ્યાઓ કાર્યશીલ થઈ ગઈ. જહાજમાં બેઠેલી બે રૂપવતીઓ પ્રત્યે ન રાગ, અને દરિયામાં ધકેલી દેનાર ધવલ પ્રત્યે ન ષ આવી માધ્યસ્થ ભાવનાના બળે પુણ્ય બચાવી લીધા. વળી ધવળ સામે આવ્યો ત્યારે સમતાની ચરમસીમા જ ને ! તેને જોઈને એક રૂંવાડામાં પણ વિષમ ભાવ, ભૂતકાળના પ્રસંગની સ્મૃતિ કે સત્તાનો કોઈ મદ ન હતો, પણ અપકારી પર ઉપકાર, હાર્દિક બહુમાન, આ પ્રસંગો મળે છતાં સમતા જ સમતા. સાધકની ૧ ૨૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ મનોદશા સ્વપ્નમાં પણ અપકારીનો ઉપકાર જ ઈચ્છે. આ સાધકનું લક્ષ મહાત્માઓના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રત્યે છે. એ ઘણા સામાયિક કર્યા પછી મળેલું મૂલ્યવાન ભેટલું છે. લક્ષ ચૂક્યા વગર પ્રારબ્ધકર્મને ન્યાય આપે છે. સદા જાગૃત અને પ્રસન્નચિત્ત છે. આત્મસ્વરૂપનો જેને નિર્ણય છે તે સદ્ગુરુની આજ્ઞાનો ધારક છે. ભૂમિકા અનુસાર સાધનાયોગ છે. સૌના સુખમાં રાજી છે. તેનું શું અહિત હોય ? ભૌતિક સુખના કેન્દ્રમાં કદાચ જડ પદાર્થો છે. પરંતુ નિર્દોષ | આનંદનું કેન્દ્ર તો કેવળ ચૈતન્ય છે. એ આનંદ માટે કિંમત ચૂકવવી પડે છે. પ્રથમ સૌના સુખમાં, સૌને સુખ આપવામાં પોતાના સુખને | જતું કરવું પડે છે. સુખ મેળવવા ત્યાગ કેળવવો પડે છે. નિરાંતે | ઊંઘતો માણસ પણ સુખી છે, પરંતુ તેને દુઃખ રહિત સુખ નથી. | I I જાગે કે ચારે બાજુથી વ્યાધિ વીંટળાઈ જાય. જાગતો માણસ નિર્દોષ | પ્રેમને કારણે સુખી છે. અને સુખમાં દુઃખનો અભાવ નથી, પણ તે સુખ આત્માના સ્વભાવરૂપ છે. 1 I ભાઈ ! ભાવ તેવું ભાવિ. ભાવિ ઉજ્જવળ કરવું હોય તો । ભાવને ઉજ્જવળ કરજે. I એક મણ લાકડું બાળીએ તો રાખનો ઢગલો થાય. પણ 1 એક કપૂર બાળીએ રાખ જરા પણ ન હોય. તેમ જ્ઞાન રહિત તપ| જપાદિ પુણ્યનો ઢગલો કરે પણ કર્મનો ક્ષય ન થાય. જ્ઞાન સહિત નાની સરખી ક્રિયા પણ અમૃતક્રિયા બને. કર્મનો ક્ષય કરે. જીવ કર્મને છુપાવી શકતો નથી. શુભકર્મ સમૃદ્ધિ આદિથી 1 પ્રગટ થાય છે. અશુભ કર્મ દુઃખ વગેરેથી પ્રગટ થાય છે. પણ T જીવ ચાહે તો કર્મનો નાશ કરી શકે છે. કારણ કે કર્મ સ્વરૂપને I । આવરણ કરી શકે છે. પણ નાશ કરી શકતું નથી. નિશ્ચયથી આત્મા । | નિષ્કંલક છે. | 1 ૧૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીની યાત્રા સામાયિકનો મહિમા અપરંપાર છે, ભલે તે બીજ કથંચિત નાનું (ગૃહસ્થનાં વ્રતની અપેક્ષાએ) છે. પણ વટવૃક્ષની જેમ અનંત ગુણોને વિકસિત કરી વિસ્તરે છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ ભેદ ઉત્તરોઉત્તર વિકાસ પામી યથાખ્યાત ચારિત્રમાં આત્માની પૂર્ણાવસ્થાને પ્રગટ કરે છે. સામાયિક દ્વારા સમ્યકત્વ પ્રગટ થઈ તે ચારિત્રની શુદ્ધિ દ્વારા પૂર્ણતા પામે છે. ૧. સામાયિક શ્રાવકનું - મુનિનું. ૨. પરિહાર વિશુદ્ધિ (મુનિનું) ૩. છેદોપસ્થાપનીય (મુનિનું) ૪. સૂક્ષ્મ સંપરાય (મુનિનું) ૫. યથાખ્યાત ચારિત્ર મુનિનું. જે કેવળજ્ઞાનને પ્રગટ કરી આયુષ્યપૂર્ણ થતાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. સામાયિકના બીજમાં એ પૂર્ણ અવસ્થા તિરોહિત છે. એટલે સામાયિકને-સમતાને આત્મા કહ્યો છે. અન્ય પ્રકારે ચારિત્રની વિશુદ્ધિ કહી છે. સંસારમાં વસતો ગૃહસ્થ ખૂબ મર્યાદામાં આ ઉપાસના કરે છે, છતાં જેમ સાકરના નાના કણમાં પણ ગળપણ જ હોય છે. તેમ આ મર્યાદિત સમયની સાધનામાં વિકાસ પામી શકે તેવું શુદ્ધિનું બીજ પડયું છે. બીજથી પૂનમ ભણીના વિકાસની જેમ સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીનો વિકાસ છે. સિદ્ધપણું ભેદ રહિત અભેદ અવસ્થા છે. સિદ્ધ ભગવંતો અનંત છે. અનંત હોવા છતાં જ્ઞાનાદિ સર્વ ગુણોથી એક જ અવસ્થાવાળા છે. આથી એકસિદ્ધપણાને માનતા કે નમતા અનંત સિદ્ધ ભગવંતો પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનો લાભ પ્રાપ્ત થાય છે. તેઓ સિદ્ધ તરીકે જન્મ્યા નથી પરંતુ સિદ્ધિ પામ્યા છે, તેથી માતા, પિતા કે નગરી જેવા પણ ભેદ નથી. એવા સિદ્ધ ભગવંતો સમગ્ર જીવરાશિમાં રહેલા સિદ્ધપદની ખ્યાતિ કરે છે. એ સિદ્ધપદને પહોંચવાનું બીજાપાન સામાયિક છે. સાધકમાં સામાયિક આત્મપરિણામે પ્રગટે છે ત્યારે જીવની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ થાય છે. સિદ્ધસ્વરૂપની આત્મામાં શ્રદ્ધા થઈ ૧૨૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ હજી ચારિત્રની ઊણપ છે. તેથી પરિણામની ગુણસ્થાનક પ્રમાણે શુદ્ધિ અને વૃદ્ધિ થતી જાય છે. પ્રારંભમાં તેની ભાવના ઝબકારા મારે છે કે મારા જીવનમાં એવો સુયોગ - સુઅવસર ક્યારે આવશે, કે હું બાહ્ય અને અંતર બંને પ્રકારે રાગાદિભાવથી મુક્ત થઈશ. સર્વ પ્રકારના સંયોગ સંબંધોને મૂળમાંથી ત્યજીને મહાજનો, મહાત્માઓ જે સન્માર્ગે વિચાર્યા તે માર્ગે મારું જીવન ક્યારે સાર્થક થશે? (મિથ્યાત્વ) દર્શન મોહનો પ્રભાવ દૂર થવાથી સમક્તિથી ભિંજાયેલો સાધક હવે વિભાવથી વિરમવા માંગે છે. અશુભ ભાવને છોડતો ભૂમિકા પ્રમાણે શુભ ભાવનો યોગ છતાં તે સર્વભાવ પ્રત્યે ઉદાસીન છે. કારણ કે મોક્ષમાર્ગ શુદ્ધ ભાવ - શુદ્ધપયોગથી પ્રગટ થાય છે, તેવું શ્રદ્ધાબળ છે. વળી દેહના કંઈ પણ સુખની અપેક્ષા રહિત તેને સંયમના લક્ષે પ્રયોજે છે. તેમાં કંઈ પણ બાંધછોડ કરીને દેહના અહંમ કે મમત્વને પોષતો નથી. સમ્યકત્વનું શ્રદ્ધાબળ તેને દેહ અને આત્માના નિતાંત ભિન્નપણાથી સજાગ રાખે છે. ભેદ જ્ઞાન વડે દેહભાવને આત્માથી અલગ પાડી આત્મભાવે વર્તે છે. તેથી ચારિત્રમોહના ઉદયમાં જે કષાયાદિ ભાવો હતા તે પણ ક્ષીણ થાય છે. અને પાત્રતા પ્રમાણે તે શુદ્ધ સ્વરૂપનાં લક્ષમાં ટકે છે. આમ સામાયિક - આત્મા સ્વભાવના લક્ષે સિદ્ધાવસ્થાની કેડીને કંડારતો અંતરંગ અવસ્થામાં આગળ વધે છે. સામાયિકમાં લીધેલા પચ્ચખાણ હવે પરિણામ આપે છે. ત્રિવિધ યોગ વડે જે સાવઘયોગની ચંચળતા હતી તે શમી જવાથી ઉપયોગ સ્થિરતા પામ્યો છે. નિરવદ્યયોગના બળે દેહ હવે મુક્તિનું સાધન બન્યું છે. તેથી પરિષહો કે ઉપસર્ગમાં પણ ઉપયોગ આત્મ સ્વરૂપને ભજે છે. સર્વ વિભાવ પરિણામથી ઉદાસીન એવો આત્મા પોતાની સહજ શુદ્ધ અવસ્થામાં ટકી અંતે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. જોકે પૂર્વે જીવે અજ્ઞાનદશાને જ આરાધી છે. તેથી આવી ગહન દશા એકાએક પ્રાપ્ત થાય નહિ. તેથી ભૂમિકા પ્રમાણે જ્ઞાની પુરુષોના ૧૨૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ - તીર્થંકરાદિનાં બોધવચનો ગ્રહણ કરી પ્રથમ તેમાં મનને જોડે છે. તેમાં અપૂર્વ આદરથી આરાધના કરે છે. તેમાં આવતા અંતરાયોને જ્ઞાની પુરુષની | જિનેશ્વરની ભક્તિ વડે દૂર કરે છે. - ત્રિવિધ યોગનો નિરોધ ચૌદમા ગુણસ્થાનકે છે, તે પ્રથમની દરેક ભૂમિકાએ યોગનું પ્રવર્તન સંયમિત રહે છે. એટલે યોગવાળો છતાં તે યોગી છે. હજી યાત્રા ચાલુ છે. આલંબનની ભૂમિકાએ છે, છતાં અંતરંગ શ્રદ્ધામાં સ્વરૂપના લક્ષનું ભાન છે, તે જિનાજ્ઞા, જિનેશ્વરે પ્રણિત કરેલા કર્મને આધીન થઈ વર્તે છે. જેમ જેમ તે આજ્ઞામાં - વચનોમાં માર્ગમાં પરિણત થતો જાય છે. તેમ તેમ અજ્ઞાન / વિભાવ ત્યજીને પોતાના જ સ્વરૂપમાં એકરૂપ થઈ જાય છે. ત્યાં જિનપદ નિજપદની એકતાનો પ્રારંભ છે. જેમ જ્ઞાની પુરુષની ભક્તિમાં, જિનાજ્ઞામાં અવરોધ કરનારા પાંચ વિષય, ચાર કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ જેવા દોષો છે. તેમ આ મહાપ્રયાણને પંથે પણ આ દોષો જીવને મૂંઝવે છે. તેથી સાધકે તે તે સ્થાનોથી દૂર રહેવું. તેમાં થતાં અહં અને મમત્વનો ત્યાગ, કરવો. પૌગલિક પદાર્થોમાં કોઈ વિશેષતા નથી તેમ જાણી તેનો પરિચય ઘટાડવો. જડ-ચેતન પદાર્થોનું અલ્પત્વ કરવું. તેવાં ક્ષેત્રોને વર્ય કરવા. સમયોચિત આરાધના કરવી અને ભાવવિશુદ્ધિ કરવી. જેથી જીવને ક્યાંય મોહનું રૂપાંતર થઈ મૂંઝાવાનું ન રહે. સામાયિક એ સમતાનો આવિષ્કાર છે. તેથી તે હરેક પળે યોગ્ય રીતે સહજપણે જીવને દૃષ્ટિ આપે છે. ક્રોધની સામે ક્ષમા, વિરોધી તત્ત્વો કે ઉપસર્ગ સમયે પણ એ જ સમતા, અનેક પ્રકારમાં પ્રસંગોમાં આ યાત્રી જાગૃત છે. સ્વરૂપ બહારની પરિસ્થિતિમાં બેકાબૂ બનતો નથી પણ સ્વરૂપ લક્ષે જિનાજ્ઞા દ્વારા મળેલી શીખને કાર્યાન્વિત રાખે છે. એ સમતાનો આવિષ્કાર મુનિને સહજપણે સિદ્ધાવસ્થાની ભાવનાથી રક્ષિત રાખે છે. શત્રુ - મિત્રના ભેદ રહિત, માન-અપમાનનાં કિંધ રહિત, જીવન ટકો કે મૃત્યુની પળ હો, જંગલ હો, સ્મશાન હો, મુનિનો એક જ રણકાર છે. સમતા.સમતા... ઉત્કૃષ્ટ તપ આરાધન હો કે રસવતી આહાર સામગ્રી હો, અલાભ પરિષહ હો કે દેવલોકનાં ૧૨૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ સુખ હો ! “એ સબ પુદ્ગલની બાજી અવધુ સદા મગનમેં રહેના.” આમ સામાયિકથી શુદ્ધ ચારિત્રનું નિર્માણ થતું જાય છે. અને મોહરાજાના સૈન્યને પીછે હઠ કરાવી, સાધકમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી જવાથી પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટે છે. સિદ્ધાવસ્થાની તદન સમીપતા થાય છે. ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી સિદ્ધાવસ્થાના સુખનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને જ્યાં આયુષ્ય પૂર્ણ થયું કે સર્વથા સર્વ કર્મથી મુક્ત થઈ, યોગનો સંપૂર્ણ નિરોધ થઈ, એક સમય માત્રમાં જીવ સિદ્ધાવસ્થાને છે. સિદ્ધાવસ્થા એટલે કર્મ કલંક રહિત પૂર્ણ સ્વરૂપ દેહરહિત કેવળ શુદ્ધ ચૈતન્ય, સ્વરૂપ રમણતામાં અનંતકાળ પર્યંત સમાધિ સુખમાં રહે છે. જે પદ કે સુખનું વર્ણન સ્વયં સર્વજ્ઞ પણ પૂર્ણપણે કહી ક્યા નથી. ચારે ગતિમાં સામાયિકથી આવી અનુપમ સિદ્ધિ કેવળ મનુષ્યદેહમાં રહેલી ચેતનામાં જ સંભવ છે. મનુષ્યદેહ પામીને જો આ સિદ્ધિ પ્રાપ્ત ન કરી તો દુઃખદ સ્થિતિથી છુટકારો થશે નહિ. માટે શાશ્વત સુખ સુધી પહોંચાડનાર દોષ રહિત શુદ્ધ સામાયિકની આરાધના કરીને જન્મને કૃતાર્થ કરીએ. એવા અવસરને પામીયે. ૧ ૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩૩. સામાયિક-યોગી મહાત્માનું : યોગી સમત્વબુદ્ધિવાળો છે, ભોગી ચંચળવૃત્તિવાળો છે. યોગી સંસારના કોઈ પ્રયોજનમાં હોવા છતાં નિર્લેપ રહી શકે છે. વિકારજનિત સ્થિતિમાં તે નિર્વિકારી રહી શકે છે. વાસનાનો જય એ યોગીના આત્મજ્ઞાનની ફળશ્રુતિ છે. - સમાધિસ્થ યોગી તેમના લક્ષણોથી માનનીય છે. મોહરૂપી પ્રજ્વલિત આગમાં પણ તે શીતળ હોય છે. વિષયોના વિષથી મુક્ત અમૃતનું આસ્વાદન કરે છે. સના ભાનવડે સમત્વમાં રહે છે, જ્ઞાન વડે આનંદમય રહે છે. તેઓ નિરંતર સ્વાત્મ મહિનામાં મસ્ત રહે છે. તે તેમનું સામાયિક છે. જ્ઞાનીઓ તેથી જ કહે છે કે ભાઈ! યુવાની યોગ માટે છે, ભોગ માટે નથી. પરમતત્ત્વની પ્રાપ્તિનો પુરુષાર્થ એ યુવાનીનું કર્તવ્ય છે. પરપદાર્થોની પ્રાપ્તિ માટે યુવાનીના સામર્થ્યનો દુરુપયોગ એ અપરાધ છે. ભોગ રહિત જીવવું તે જ્ઞાનપ્રકાશ છે. વાસ્તવિક જીવન છે. - રત્નચિંતામણિ તુલ્યયુવાનીપરપદાર્થની પ્રાપ્તિની મૂચ્છમાં વેડફાઈ જાય છે. જીવનની અણમોલ પળો સ્વભાવના અભાવથી ભરવી તે બુદ્ધિમાનનું કાર્ય નથી. એ માનવ આત્મનિષ્ઠ થઈ શકે નહિ. સમ્યગુજ્ઞાન દર્શનાદિ અવસ્થાઓ કષાય કે સંકલેશ પરિણામોનો નાશ કરનાર છે. અને નિરૂપમ સુખના હેતુરૂપ છે, તેથી તેને રત્નચિંતામણીતુલ્ય માની છે. કારણ કે સમભાવનો પરિણામ અચિંત્ય પ્રભાવશાળી છે. જીવને પાપમૂલક સાવદ્ય પાપોથી નિવૃત્ત કરે છે, અને નિરવદ્ય અહિંસાદિ યોગોનું સેવન થાય છે. સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા મૈત્રીભાવની દ્યોતક છે. નિર્વધ યોગોનું સેવન સમત્વભાવનો હેતુ છે. જેમાં અહિંસા ધર્મનું પાલન છે. યોગીનું એ જીવન છે. સામાયિક છે. આવા ઉત્તમ સામાયિકની પ્રતિજ્ઞાના પ્રરૂપક શ્રી સર્વજ્ઞ તીર્થકર છે, અને તેને સૂત્રમાં અવતરણ કરનાર ગણધરો છે. જનસમૂહમાં ખ્યાતિ અપાવનાર શ્રી મુનિશ્વરો છે. જેઓ સ્વયં સામાયિક વ્રતથી આજીવન ૧૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞાબદ્ધ છે. નિરવધ યોગોના પાલન કરનાર યોગી છે. એ યોગીઓને મોક્ષસુખ પણ ત્યાર પછી છે, પ્રથમ તેઓ સમતા - પ્રશમરસના સુખમાં મગ્ન થાય છે. સમતા - પ્રશમરસની અનુભૂતિ એ તેમનો ઉત્સવ છે. જે એવા પ્રશમરસથી આત્માના ઉપયોગને ભરી શકતા નથી, તે વિષમતાયુક્ત બાહ્ય પ્રવૃત્તિમાં સમય ગુમાવે છે. જે આવા સમતારસપ્રશમરસનો અનુભવ નથી લેતા તેમને મોક્ષ દૂર છે. “દૂરે મોક્ષસુખં પ્રત્યક્ષ પ્રશમસુખમ.'' યોગી જ્યારે પ્રશમરસમાં સ્નાન કરે છે ત્યારે તેમને મોક્ષનું સુખ પરોક્ષ જણાય છે, પરંતુ પ્રશમરસનું સુખ પ્રત્યક્ષ લાગે છે. પ્રશમરસમાં ડૂબેલા યોગીને બધી પ્રતિકૂળતાઓ પણ ઉપકારક બને છે. કારણ કે યોગી પરપદાર્થના પરિણામમાં મૂંઝાતો નથી, ઉદયને આધીન થતો નથી, ઉદયને જાણે છે, એટલે કર્મ નિર્જરે છે, તેથી તેવી પરિસ્થિતિ તેમને ઉપકારક છે. સાધક પણ પોતાને જેના વડે દુઃખ લાગે છે તેવી પ્રતિકૂળ કે વિરોધી પ્રવૃત્તિ અન્ય પ્રત્યે આચરતો નથી. જેને આવા ધર્મમાં રુચિ છે તેમણે પરહિતચિંતા, મૈત્રીભાવ, અહિંસા ત્રણે મળીને સમતાને અગ્રીમ સ્થાન આપવું પડશે. જે સામાયિકના માહાત્મ્યથી, બોધથી કે પરિણામથી આવશે. “નિરવધમિંદ જ્ઞેયં એકાંતેનૈવ તત્ત્વતઃ કુશલાશયરૂપાત્ સર્વયોગ વિશુદ્ધિતઃ'' કુશલ આશયરૂપ હોવાથી અને સર્વયોગની વિશુદ્ધિ હોવાથી આ સામાયિકનો પરિણામ તાત્ત્વિક અને એકાંતે નિરવઘ છે. " સામાયિકના અનુષ્ઠાન સમયે સ્થાવર જીવોની રક્ષા થાય છે. શરીરની હલન ચલનની ચેષ્ટાઓમાં સાવધ રહેવું પડે છે. અને મનમાં સમભાવ રાખવો પડે છે. અર્થાત ઘણું ઉપયોગપૂર્વકનું જીવન જીવવાનું બને છે. તેમાં અહિંસાદિ ધર્મનું પાલન થઈ જાય છે. અને આત્મ પ્રત્યેની શુદ્ધ દૃષ્ટિ કેળવાય છે. યોગીની એ મસ્તી છે. એટલે યોગીનું સમત્વ એ સત્ત્વ છે. ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સામાયિકમાં શું કરશો ? સામાયિક એટલે શાસ્ત્રોક્ત વિધિથી કરવાનું અનુષ્ઠાન છે. સમય ૪૮ મિનિટ પૂરી. એકાંત સ્થળે કે પવિત્ર સ્થાનમાં કરવું. જીવનની એકએક પળ અમૂલ્ય છે. જો તું પ્રમાદમાં છું, તો કર્મરાજ તારી પળેપળનો હિસાબ રાખી તારી સાથે ચૂકવણી કરશે. જો તું સામાયિક જેવા ધર્મમાં છું તો પળે પળની શુદ્ધિનો ત્યાં હિસાબ છે, મુક્તિનું નિર્માણ છે. સૌ પ્રથમ વિધિયુક્ત ઉપકરણ સહિત સામાયિકમાં પ્રવેશ કરવો. એકાંત, શાંત, શુદ્ધસ્થળ પસંદ કરવું. જ્યાં પ્રાયે જીવજંતુ કે અન્ય ઉપદ્રવ ન હોય તેવું સ્થાન જોવું. સમૂહમાં કે એકાંતમાં પણ શાંત ચિત્તે આરાધન કરવું. પ્રથમ કાયાને સ્થિર આસને રાખવી. મૌન ધારણ કરવું. નવકારનું કે લોગસનું (કાઉસગ્ગ) - ધ્યાન કરવું. પાંચ પ્રકારે સ્વાધ્યાય, શાસ્ત્રવાચન કરવું. સૂત્ર - શ્લોકો - પદો - સ્તવનો કંઠસ્થ કરવાં. ગુરુનિશ્રામાં સતુશાસ્ત્રોનો બોધ લેવો. ધર્મ કથા સાંભળવી, સંભળાવવી. અને જાપ કરવા. તત્ત્વાદિનું ચિંતન કરવું. બહુવ્યવસ્થિત ક્રમ ગોઠવી મનને દુર્ગાનમાં જતું રોકવું. ચંચળ ચિત્તને નવકાર મંત્ર કે અન્ય કાયોત્સર્ગમાં જોડવું. વળી સમભાવપેદા થાય તેવી ભાવનાઓ ભાવવી. ખૂબ ઉલ્લાસપૂર્વક દરેક ક્રમમાં મનને જોડવું. આત્મ કે પરમાત્મ ચિંતનમાં મનને જોડવું. આનંદનો અનુભવ લેવો. દોષને ટાળવાની નિરતર જાગૃતિ રાખવી. સર્વજ્ઞનાં વચનો કે તત્ત્વની સ્મૃતિ દ્વારા થોડીવાર ચિંતન કરવું. આત્મભાવનાની દઢતા માટે શુદ્ધાત્માનું ધ્યાન કરવું. “શુધ્ધચિદ્રુપોહ' ઉલ્લાસપૂર્વક નિતનવીનભાવનું અનુભાવન કરવું. કંટાળીને સમય પૂરો કરવો તે સામાયિક નથી. વધુ સામાયિકનો અવકાશ હોય તો વધુ સામાયિક કરવા. પરંતુ તે માત્ર ક્રિયા બનવી ન જોઈએ. ઉત્તરોઉત્તર ઉલ્લાસ પરિણામ થવાં જોઈએ. જેમ ધનાર્થીને ધનની વૃદ્ધિ આનંદ આપે છે. તેમ સાધકને ધર્મની વૃદ્ધિ આનંદદાયક જ હોય. દરેક સામાયિકમાં ૧૩૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની મુખ્યતા રાખવી. નિયમિતક્રમ પૂરો થાય પછી શાસ્ત્રવાચનની વિશેષતા રાખવી. મનઃસ્થિતિ કે ભૂમિકા પ્રમાણે ધ્યાન - ચિંતનનો અભ્યાસ કરવો. સમતાભાવની વૃદ્ધિ માટે વારંવાર ભાવના ભાવવી. સામાયિકમાં મનને નવરું ન રાખવું, તે પોતે સંગ્રહેલા પુરાણા સંસ્કારમાં, સંસારના પ્રયોજનમાં પહોંચી જશે. માટે પુનઃ પુનઃ શુભોપયોગમાં રહેવા પ્રયાસ કરવો. કેવળ બાહ્ય ક્રિયામાં સામાયિક પૂરું ન કરવું. પરંતુ અંતઃસ્તલમાં જવા શાંતચિત્તે પ્રયત્ન કરવો. સૂત્ર અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઉપયોગી છે. તત્ત્વના અભ્યાસ અને ચિંતનથી ચિત્તના ઊંડાણમાં પહોંચી જાવ, જુઓ અંતઃસ્થલ કેવું સાફ થતું જાય છે. એ સ્વચ્છ ભૂમિમાં બિરાજમાન ચૈતન્યરાજાનો ઠાઠ -વૈભવ જુઓ પછી ત્યાંથી પાછા ફરવું નહિ રૂચે. છતાં મન કંઈ વધુ વાર ચૈતન્ય મહારાજાના સંગમાં ટકે નહિ, છતાં ત્યાંથી પાછું ફરીને તે તુચ્છ પદાર્થોમાં ફસાઈ ન જાય. માટે પરમાત્માના ગુણ ચિંતન સ્તવનમાં પુનઃ પુનઃ જોડવું. શાસ્ત્રો જગતનું અને આત્માના સ્વરૂપનું ગહન રહસ્ય પ્રગટ કરે છે. તે જાણવું સમજવું રસપ્રદ છે. તેમાં આપણી જ સવિસ્તર કહાણી છે. માટે સામાયિકમાં સૂક્ષ્મ વિચાર વડે ઊંડા ઊતરો અને એ પ્રદેશમાં પહોંચો. જ્યાં કેવળ સુખ જ છે. ૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩૫. સામાયિક વડે વિઘ્નનાશ : " “ઉર્ધ્વ ધ્યાન શુભ વૃત્તિ ચઢે છે. અનેક વિઘ્નો આવી નડે છે. એ અગવડની સરસ દવા બતલાવજો રે...'' સદ્ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે... આ વિઘ્નો ક્યાંય બહાર નથી. અંતરમાં પડેલા સંસ્કારોનું ઊઠવું તે વિઘ્નો છે. માનસિક રોગ જેવા છે. તેના શાસ્ત્રકારોએ ચાર પ્રકાર કહ્યા છે. તે સામાયિકમાં બાધક છે. ૧. અવિધિ દોષ ૨. અતિ કે ન્યૂન પ્રવૃત્તિ ૩. દગ્ધ દોષ ૪. શૂન્ય દોષ : ૧. અવિધિ દોષ ઃ શાસ્ત્રોક્ત વિધિ કરતા અલ્પાધિક કરવું અથવા વિધિથી વિપરીત કરવું. પૂજાની જે વિધિ જેમ કહી છે તેમ કરવી જોઈએ. પહેલાં કરવાનું પછી કરે અને પછી કરવાનું પહેલાં કરે તેથી સગવડિયા વિધિ અવિધિ છે. આમ દરેક ક્રિયા માટે સમજવું. ૨. અતિ કે ન્યૂન પ્રવૃત્તિ : પોતાની શક્તિ કરતાં વધુ તપ, જપ કે દાન ઈત્યાદિ કરી પછી વિકલ્પો કરવા તે દોષ છે. તે પ્રમાણે શક્તિ છતાં ન કરવું તે પણ દોષ છે. ૩. દગ્ધ દોષ : કોઈ પણ અનુષ્ઠાન કરીને તેના બદલામાં આ લોક કે પરલોકના સુખની ઈચ્છા કરી, અનુષ્ઠાનની શુદ્ધતાને ગૌણ કરવી તે દગ્ધ દોષ છે. ૪. શૂન્ય દોષ ઃ સમજ કે ઉપયોગ વગર ક્રિયા કરવી. ગણત્રીના જપ કે સામાયિક ગણત્રીથી પૂરા કરવામાં ભાવ શૂન્યતા રહે. આકુળતા રહે તો તે શૂન્ય દોષ છે. ક્રિયા બરાબર થઈ કે નહિ, સૂત્ર કે તેના અર્થમાં ભાવ જોડાયો નહિ તેના ઉપયોગ વગરની ક્રિયા તે શૂન્યદોષ છે. આવાં વિદનોનો જ્ય કરીને આગળ વધાય છે. જે જે ક્રિયા થાય તે પ્રમાણે ભાવના જાગવી જોઈએ. સૂત્રો પ્રત્યે, સૂત્રોના પ્રણેતા પ્રત્યે, દેવગુરુ પ્રત્યે અત્યંત પ્રશસ્તભાવ આવે અશુભભાવ ટળે. મોક્ષમાર્ગ ૧૩૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વપુરુષાર્થનો છે. પરંતુ ભૂમિકા પ્રમાણે અવલંબન જરૂરી છે. ગૌતમ સ્વામી પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગ વડે ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા. પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ રાગ પણ છૂટી ગયો. રાગરહિત સમતામાં આવ્યા તે જ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શુભરાગ કે અશુભરાગ, પુણ્ય કે પાપ બંને કર્મજનિત ભાવ છે. પુણ્ય ભોમિયો છે. પાપ લૂંટારો છે, આવો ફરક છે પુણ્ય લૂંટારાથી બચાવે છે. પાપ આત્મગુણોને લૂંટે છે. પ્રશસ્ત અવલંબનમાં શુભ રાગ છે. છતાં પુણ્યમાં અનાસક્તભાવે રહીએ તો તે ભોમિયાનું કામ કરીને મોક્ષમંદિરના દ્વાર સુધી લઈ જાય છે. પાપ કરવાનું બંધ થતાં જ મન, વચન, કાયાના યોગો શુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. હિંસા ન કરવી એવો ભાવ કરવાથી અહિંસાનું પાલન થાય છે. ત્યારે જીવ સ્વાભાવિકપણે સમતામાં આવે છે, અને આત્મભાવ જાગૃત થાય છે. આત્મદષ્ટિ જ ઉચ્ચ દૃષ્ટિ છે. એ દૃષ્ટિ જ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી શકે. પછી ચારે ગતિની યાત્રા સમાપ્ત થાય છે. નાહં નારકી નાહ, તિર્યંચ, નાપિ માનુષઃ ન દેવ : ( કિંતુ સિધ્ધાત્મા સર્વોડથં કર્મ વિભ્રમઃ દેહદૃષ્ટિનો ત્યાગ કરી સાધકે ચિંતન કરવાનું છે કે હું નારકી, તિર્યંચ કે મનુષ્યાદિ કોઈ અવસ્થાવાળો નથી. તે સર્વે કર્મજનિત અવસ્થાઓ છે. તેમાં ભ્રમ પેદા થાય છે કે નારકાદિ છું. આત્મદેષ્ટિથી જોતાં સર્વે જીવો સિદ્ધ સ્વરૂપ છે. હું સિદ્ધ સ્વરૂપ છું. સાધકે સિદ્ધસ્વરૂપને લક્ષ્યમાં રાખી સાધના કરવાની છે. સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહી જગ કો વ્યવહાર કા કહીએ કશું કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.” જ્યાં કેવળ શુદ્ધ સત્તા વર્તે છે ત્યાં નારકાદિના પુરુષાદિના, ઊંચનીચ આદિના, રાયરંક આદિના, જ્ઞાની-અજ્ઞાની આદિના વ્યવહાર કે અવસ્થાઓ નથી. આ સર્વે અવસ્થાઓ જગતની વ્યવસ્થા માત્ર છે. અજ્ઞાનવશ જીવ તે વ્યવસ્થાને સ્વ-અવસ્થા માની મૂંઝાયો છે. અને તેથી દુઃખ પામે છે. સ્વરૂપથી શ્રુત થાય છે. ૧૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૬. સામાયિક તથા સર્વ અનુષ્ઠાન કે ક્રિયાનું માંગલિક સૂગ નવકાર મંત્ર છ આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે. કારણ કે તે આત્મપરિણતિનું દ્યોતક છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનું સાધન છે. તેની વિધિનો પ્રારંભ નમોથી નવકારમંત્રથી થાય છે. તેની પૂર્ણતા ખમોથી સર્વ જીવો પ્રત્યે પૂર્ણ સમભાવથી થાય છે. સામાયિકની ભેટ - શીખ - પ્રદાન છે. નમો જીણાણ. ખમોજીવાણ સામાયિક ધર્મમાં પ્રવેશ કરવાની વિધિ સૂત્રાત્મક છે. સૌ પ્રથમ ગુરુની આજ્ઞા વડે આ ધર્મમાં પ્રવેશ થાય છે. અથવા ગુરુ ભગવંતની સ્થાપના કરવી અત્યંતાવશ્યક છે. સ્થાપના વડે મન, વચન અને કાયા તેમને સમર્પિત કરાય છે. તેમની આજ્ઞા વડે સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ અને નિરવદ્ય યોગોનું સેવન શક્ય બને છે. નવકારમંત્રથી પ્રારંભ થતાં સામાયિકનું હાર્દ સ્વરૂપ પ્રત્યે વળવાનું છે. નવકારમંત્રમાં પાપના મૂળને છેદનાર પંચપરમેષ્ઠિનું ધ્યાન છે. ચૌદપૂર્વીને પૂર્વના જ્ઞાનની જે શુદ્ધિ છે તે નવકારમંત્રના સ્મરણથી કે યથાવિધિ આરાધનાથી થાય છે. માટે ચૌદપૂર્વનો સાર કહ્યો છે. સતુશાસ્ત્રના રહસ્ય બોધથી જે આત્મશક્તિ જાગૃત થાય છે તે નવકારમંત્રના યથાર્થ આરાધનથી થાય છે. અર્થાત્ આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રકાશિત થાય છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી જીવ તે તે પદની પ્રાપ્તિ કરી સિદ્ધિ પદને પામે છે.. નવકાર નિશ્ચયદૃષ્ટિએ સ્વરૂપમંત્ર છે. વ્યવહારદષ્ટિએ પંચપરમેષ્ઠિની આરાધના, સ્મરણ-જાપ છે. એથી નવકારનું ધ્યાન વ્યવહારમાર્ગની પણ શુદ્ધિ કરનારું છે. નવકારમંત્ર દ્વારા જેને નમવામાં આવે છે તે તે પદ પ્રત્યે બહુમાન થાય છે. તેને જે નમે છે તેને સન્માર્ગે જવાની ભાવના થાય છે. ગુણ અનુમોદન, કે ગુણનો પક્ષપાત, ગુણો પ્રત્યે શ્રદ્ધા હોય ત્યારે થાય છે. તે ગુણો પ્રત્યે ઉપાદેય બુદ્ધિ હોવાથી જીવ તે તે પદને પાત્ર બને છે. ૧૩૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ જગતના કોઈ પણ પદાર્થ કરતાં પંચપરમેષ્ઠિતત્ત્વ સર્વોચ્ચ સ્થાને છે. તેમના પ્રત્યે અત્યંત આદર તે ભાવ નમસ્કાર છે. પંચપરમેષ્ઠિ આદરણીય છે. કારણ કે જગત જ્યાં મૂંઝાયું છે એવા પાંચ વિષયોનો, ચાર કષાયનો, અવ્રતનો તેમણે સર્વથા ક્ષય કર્યો છે. જગતના એક તૃણની પણ જેને જરૂર નથી. એવા નિઃસ્પૃહતાવાળા તે પદને નમસ્કાર કરવા તે કર્તવ્ય છે. એવા સત્પુરુષોના ગુણોનું બહુમાન તે ધર્મબીજની વાવણી છે. જગતનો કોઈ પણ પદાર્થ, ચિંતામણી કે કલ્પવૃક્ષ આપવા સમર્થ નથી તેવું સુખ, આ પંચપરમેષ્ઠિના ગુણોના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. વળી તેનું સ્મરણ પુણ્યની વૃદ્ધિ કરે છે. પાપની હાનિ કરે છે. - અ થી હ સુધી અર્થાત હિંસાથી માંડીને મિથ્યાત્વ સુધીના સઘળાં પાપોનો નાશ નવકારના રટણથી થાય છે. લોભ જેવા શત્રુનો મૂળમાંથી નાશ કરવાનું સામર્થ્ય પણ તેનામાં છે. તેની યથાવિધિ, શુદ્ધિ, બહુમાન, વડે ગુરુ અનુગ્રહ થાય છે. સર્વાત્મમાં સમદષ્ટિ આવે, અને વાસ્તવમાં યથાર્થ ધર્મ પ્રત્યે આદર ઉત્સાહ જાગે તે નવકારમંત્રનો મહિમા છે. નવકારમંત્રમાં સદેવ - ગુરુ અને ધર્મનો એક સાથે સમાવેશ થાય છે. સદેવતત્ત્વ ઃ શ્રી અરિહંત, સિદ્ધ ભગવંત જે મોક્ષસ્વરૂપ છે. સતગુરુતત્ત્વ : શ્રી આચાર્ય અને ઉપાધ્યાય જે વિનયના પ્રભાવક છે. સાધુ : પાપ શોધનનું બીજ છે. આરાધનના પ્રભાવક છે. નમસ્કારમંત્રમાં ધર્મરૂપ વિનયનું બીજ રહેલું છે. વિનય વડે વિધા પ્રાપ્ત થાય છે. અને વિધા વડે - જ્ઞાન વડે, કષાયોનું શમન, ઈન્દ્રિયોનું દમન, પાપનું વમન અને કર્મોનું શોધન થાય છે. અંતે મોહનીય કર્મોનું ઉપશમન થાય છે. નવકારમંત્રના જાપ વડે મન, વચન અને કાયાના ત્રણે યોગો સંયમમાં રહે છે, અથવા તેમનો ઝુકાવ આત્મષ્ટિ પ્રત્યે થાય છે. ત્રણ યોગના શુભ પ્રવર્તનથી પુણ્ય વૃદ્ધિ થાય છે, પાપ દૂર થાય છે. પુણ્યયોગમાં પણ અનાસક્તભાવ વડે આત્મા સમભાવમાં આવે છે. ૧૩૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરીને આત્મા કર્મમુક્ત થઈ સિદ્ધ થાય છે. નમો એટલે મનના આગ્રહ, અભિપ્રાયો, અહંભાવને નમાવવા. જેથી મન આત્માના હિતનું સહાયક સાધન બને છે. આ પંચપરમેષ્ઠિમાં પાંચ ભેદ એ આત્માની વિશિષ્ટ અવસ્થાઓ છે, છતાં દરેક પોતાને સ્થાને અત્યંત ઉપકારક છે. દરેક પદની સાધનામાં એ વિશિષ્ઠતા પ્રગટ થાય છે. શરીરમાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પોતપોતાને સ્થાને બળવાળાં છે. કોઈની ઉપેક્ષા કરીએ તો રોગના ભોગ થવું પડે. તેમ આ પંચપરમેષ્ઠિપદમાં કોઈની ઉપેક્ષા અનંત સંસારનું કારણ બને છે. તે પદો આત્માની સાધનાના, આધ્યાત્મિક વિકાસના આધાર સ્તંભ છે. નમો અરિહંતાણં : અંતરંગ શત્રુઓને જેમણે નષ્ટ કર્યા છે, ચાર ઘાતિકર્મોનો મૂળમાંથી ઉચ્છેદ કરી સ્વ-પર પૂર્ણપ્રકાશક કેવળજ્ઞાનને પામ્યા છે. અનંત ચતુષ્ટયધારી અરિહંત પરમાત્માને અશક્ત અને અબુધ જનો પણ પૂજીને તરી ગયા છે, તરશે અને તરી રહ્યા છે. વિશ્વ વાત્સલ્યના ભાવનું પ્રબળ પ્રદાન કરનાર અરિહંત પરમાત્મા છે. તીર્થને પ્રવર્તાવનારા, જગતના ઉધ્ધારક પરમાત્મા સમસ્ત વિશ્વને પૂજનીય છે. અરહિંતપદના પ્રગટ થવાથી સાધકે જાણ્યું કે ઓહો ! હું તો આવો સામર્થ્યવાન આત્મા છું. અરિહંતની દેશનાની સિંહગર્જના સાંભળી, તારો આત્મા પણ ગાજી ઊઠયો, “સોહં. અને કષાયાદિ દોષોનું, અહંનું મૂળ છેદાઈ ગયું, આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો. એવા ઉપકારક તત્ત્વનું આરાધન આત્માને અરિહંત સ્વરૂપે પ્રગટ કરે છે. અરિહંત ભગવંતે આત્મા ઓળખાવ્યો કે તું તો સિદ્ધ સ્વરૂપ છું. અરિહંત પરમાત્માને અંતરંગ મલિનતાનો આત્યંતિક વિયોગ. થવાથી તેઓનો દેહ પણ પવિત્રતા પામે છે. તેથી તેમનાં અંગો પણ મળ રહિત મનાય છે. ચરણકમળ જેને સ્પર્શીને જીવો ભવનો અંત કરવા સમર્થ બને છે. કારણ કે તેમના ચરણથી કોઈ પીડા પામ્યું નથી. કરકમળ જે હંમેશાં શુભાશિષ રૂપે જ ઊંચો રહે છે. જે કરકમળ વડે ગૌતમસ્વામી સહિત હજારો જીવો સંસાર ત્યાગી ભવ તરી ગયા ૧૩૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ છે. નયનકમળ જેમાં કેવળ અમી અને કરૂણા વર્ષો છે. એ અમી દૃષ્ટિ વડે જીવો અમૃત પામી ગયા. નમો સિદ્ધાણં ઃ સિદ્ધ પરમાત્મા એટલે અનંત અવ્યાબાધ પરમ સુખના સ્વામી. દેહાતીત દશાના ઘોતક. અશરીરીપણાનું કલ્પનાતીત સર્વોચ્ચ પદ. સિદ્ધનું ધ્યાન કરનાર રાગદ્વેષને હણી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સાદિ અનંત અનંત સમાધિ સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત લબ્ધિ સહિત એ દશા છે. સિદ્ધપદમાં જેની અવિચળ શ્રદ્ધા થાય છે તેને જગત રત્ન જડેલું થઈને મળે તો પણ અતિ તુચ્છ લાગે છે. સર્વ સિદ્ધિઓ તેમના ચરણની દાસી છે. દેહ નહિ, દેહનો નેહ નહિ, એટલે સર્વ ઉપાધિ રહિત પરમ આનંદની જ્યાં ઉપસ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતો સિદ્ધિપદના દાતા છે. અતિ તૃષ્ટિ પામેલા સિદ્ધ ભગવંતોનું ધ્યાન આત્માના લોભ કષાયને જીતવા સમર્થ છે. “ભવિકા સિદ્ધ પદ આરાધો.” નમો આયારિયાણં : વળી આ અરિહંત અને સિદ્ધ પદ દર્શાવનારા તો ગુરુ છે. ત્રીજા પદમાં આચાર્ય ગુરુપદે છે. સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય જેવા મહાન ગુણો સહિત. પંચાચારયુક્ત જેના જીવનનો આચાર છે તે આચાર્ય છે. વિશ્વમાં જ્યાં જ્યાં સદાચાર છે ત્યાં આચાર્યનું અસ્તિત્વ વિશ્વનીય બને છે. એટલે તો ચોરી કરનારા પણ ચોરી કરી છે તેવો અનાચાર કહેવા પાછા પડે છે. સદાચાર એટલે આત્મા જેવો શુદ્ધ છે તેવો આગળ રાખીને જીવવું. એના પ્રણેતા આચાર્ય છે. માયાચારને છોડાવનાર આચાર્ય ભગવંત છે. નમોઉવજ્ઝાયાણં : ગુરુપદમાં ઉપાધ્યાયનું પદ પણ સમાય છે. જીનવર કથિત તત્ત્વનું યથાર્થદર્શન જેમની પાસે છે, તે ઉપાધ્યાય છે. જ્ઞાનના ધારક ઉપાધ્યાય માનના પ્રતિપક્ષી છે, એટલે વિનયગુણના ધારક છે. તેથી તેઓ જિનવાણીનું નિઃસ્પૃહભાવે દાન કરે છે. આમ ઉપાધ્યાય જ્ઞાનના ધારક, માનના મારક અને જ્ઞાનના દાતાર છે. ઉપાધ્યાય ભગવંત વિનયગુણના ઉપાસક હોવાથી માનને જીતવામાં તેમની ઉપાસના સહાયક બને છે. ૧૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વ સાહૂણં ઃ નિગ્રંથ અને નિર્મોહ સાધુજનો રત્નત્રયની આરાધનામાં અનુરક્ત છે. ક્ષમા શ્રમણ અર્થાત્ ઉત્તમ ક્ષમામાં નિષ્ઠાવાન છે. ક્રોધ અગ્નિ છે તો સાધુની ક્ષમા જળ છે. અરે પાણી ગરમ હોય તો પણ અગ્નિને તો બૂઝવી દે. સાધુ પોતાના સંયમમાં કઠોર હોય પણ અન્ય જીવો માટે કોમળ હોય. ક્ષમાનું પ્રગટ સ્વરૂપ એટલે સાધુ માથે સગડી સળગે અને પોતે શ્રેણિ માંડે તેવા ક્ષમાના ધારક અર્થાત સાધુ ક્ષમા શ્રમણ હોવાથી તેમની ઉપાસના ક્રોધને જીતવા પ્રબળ નિર્મિત છે. આમ પંચપરમેષ્ઠિ મહાન છે, મહાન પણ મારા છે, તેવો ભાવ જન્મ, પંચપદની સાધના સફળ થાય છે. વળી માણસને ખપ પડે છે તેનો જપ કરે છે. તેને સુખનો ખપ છે તો સુખદાતા પંચપરમેષ્ઠિનો જપ કરી લે. પ્રથમ ગુરુજનોના કહેવાથી કર તો પુણ્યવંતો થઈશ પછી તારી શ્રદ્ધાથી કરીશ તો સ્વરૂપવંતો થઈશ. અચિંત્ય શક્તિના સ્વામી પંચપરમેષ્ઠિ છે. તેનો તને ખપ છે, અને જો તું જપ કરે તો તે શક્તિઓ પ્રવાહિત થઈ તારામાં સંક્રમણ કરશે. અને તે પણ અચિંત્ય શક્તિનો સ્વામી થઈશ. હે સુજ્ઞ! સંસાર કેટલા કાળથી ચાલે છે? થાક લાગ્યો છે? નવકાર કેટલા સમયથી ગણે છે? કેટલા ગણે છે? કેટલા કલાક ગણે છે? જેમ મૂડી વધે સુખ થશે તેવો ભાવ રહે છે તેમ જેટલા નવકાર વધશે તેટલું અકલપ્ય સુખ વધશે. મૂડીનું વધવું દુઃખ મિશ્રિત સુખ છે. નવકારના સ્મરણની મૂડી પુણ્ય મિશ્રિત સુખ છે. જે પુણ્ય તારામાં અનાસક્તિ પેદા કરે છે. અને તે સંયમના માર્ગે સંચરે છે. આ સર્વેના મૂળમાં નવકારમંત્રની સર્વોચ્ચતા છે. સામાયિક, વિધિવિધાન, કે સર્વે અનુષ્ઠાનમાં નમસ્કારમંત્રનું પ્રથમ સ્થાન કેમ? નમસ્કારમંત્રનું સમસ્ત આગમશાસ્ત્રોમાં અગ્રિમ સ્થાન છે. કારણ કે ધર્મનું મૂલ વિનય છે તે “નમો’થી વિવક્ષિત છે. નમસ્કારમંત્રમાં વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ પદો કે જે આધ્યાત્મિકતામાં સર્વોચ્ચ ભૂમિકામાં છે. તેને સામાયિકનો આરાધક પ્રથમ વિનયપૂર્વક નમે છે. જેના કારણે ચિત્ત વિશુદ્ધિરૂપ સામાયિકની પ્રાપ્તિ સુલભ બને ૧૪૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ છે. વળી સાધકમાં રહેલા અહંકારના સંસ્કારો નષ્ટ થઈ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિકધર્મના અભિલાષીએ નમસ્કારમંત્રને જીવનમાં પ્રાણ સમાન માનવો જોઈએ. સામાયિકના સાધ્યની સિદ્ધિ માટે નમસ્કારમંત્ર શ્રેષ્ઠતમ સાધન છે. નમસ્કારમંત્રની સાધનામાં પૂજનીયની પૂજા, વંદન ભક્તિ આદર, આજ્ઞાપાલન જેવાં સાધનો સમાવિષ્ટ હોવાથી તેના ફલસ્વરૂપે સાધક સમ્યકત્વ તથા ચારિત્ર - સામાયિકની પ્રાપ્તિ કરે છે. નમસ્કારમંત્રમાં ત્રણે યોગનું ઐક્યપણું સામાયિકધર્મને પ્રગટ કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાનની પ્રેરણા મળે છે. કાયિક નમસ્કાર : શીશ નમાવીને થાય છે, અથવા પંચાંગ પ્રણિપાત વડે થાય છે. વાચિક નમસ્કાર : પંચપરમેષ્ઠિના ગુણ-સ્તુતિ વડે થાય છે. માનસિક નમસ્કાર ચિત્ત - મન આ પંચપરમેષ્ઠિ પદ પ્રત્યે અત્યંત આદર અને શ્રદ્ધાયુક્ત હોય છે. આથી સાધક સાવદ્ય પાપવ્યાપારને ત્યજીને નિરવદ્યયોગોનું સેવન કરે છે, આત્મપરિણતિની નિર્મળતા વૃદ્ધિ પામવાથી આત્મા-પરમાત્માનું ઐક્ય સ્થાપિત થાય છે. ત્યારે અસંગ અનુષ્ઠાન સાધ્ય થાય છે. એવા સાધક માટે કહેવાય છે કે ઈક્કોવિ નમુક્કારો પર્યાપ્ત થાય છે. (એક પણ કરેલો નમસ્કાર) વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નમસ્કાર વડે અનુક્રમે જીવ પાત્રતાને પ્રગટ કરી અનંત ભવભ્રમણથી મુક્ત થાય છે. વર્તમાન જન્મમાં બોધિબીજની પ્રાપ્તિ કરાવનાર છે. જેને સંસારનો ક્ષય કરવો છે, જન્મમરણથી મુક્ત થવું છે, તે ભવ્યાત્માઓને દુર્ગાનથી મુક્તિ મળે છે. અને ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. જે શુક્લ ધ્યાનનું બીજ છે. શુક્લધ્યાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને જીવ મુક્ત થાય છે. નમસ્કાર મંત્રનો, આવો અપૂર્વ મહિમા તેના એક એક અક્ષરમાં એક એક પદમાં રહેલો છે. આથી તેનું સ્થાન અગ્રિમ છે. ચૌદપૂર્વના જ્ઞાનની બરોબરીમાં કે સારરૂપે નમસ્કાર મંત્ર છે, આવું અદ્ભુત અનુષ્ઠાન આગમના શ્રુતજ્ઞાનના સારરૂપે સામાયિક ધર્મ સાથે ઓતપ્રોત છે. અર્થાત્ ભાવપૂર્વક, શ્રદ્ધાયુક્ત, જિનાજ્ઞા પ્રમાણિત કરેલી નમસ્કારમંત્રની ૧૪૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના સામાયિકની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષપ્રદાતા છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સામાયિક તે હી આત્મા, ધારો શુદ્ધ અર્થ, નિર્વિકલ્પ ઉપયોગમાં, સર્વ કર્મ વ્યર્થ. નવકારમંત્ર પ્રથમ મંગલ છે. પાંચ પદમાંથી કોઈને પણ નમસ્કાર કરવાથી, નમનીયમાં જે ગુણો રહેલા છે, તે ગુણો આપણામાં પ્રગટ થાય છે. સર્વ પાપનો નાશ થતાં દુઃખો નાશ પામે છે. અને જીવ મંગળ - સુખને પામે છે. શરીરને હું માનનાર આ તત્ત્વને પામી નહિ શકે, પરંતુ શરીર પ્રમાણે વ્યાપ્ત ચૈતન્ય પરમાત્માનો સ્વીકાર કરનાર પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. | હે ચેતન ! તારે આ જન્મમાં કેવું ભગીરથ કાર્ય કરવાનું છે ! ? અનાદિનો વિપર્યય ત્યજી સન્માર્ગે ચઢવાનું છે. જેની પાસે ! | સન્માર્ગ છે ત્યાં અર્પણ થવું પડશે. તારી પાસે આપવા જેવું શું છે ! i ? કૂડો-કચરો છે. તારે સાધના માર્ગમાં આગળ વધવું છે. ભલે | કૂડો-કચરો છે. પણ દિલ સાફ છે. સમર્પિત છે. તો તારો કૂડો| કચરો પણ સત્પુરુષના સંપર્કથી સફાઈ પામશે. આશ્ચર્ય છે કે કૂડો-કચરો આપતાં પણ તારે કેટલું શોષવું ! | પડે છે? અરે તારા વ્યવહારમાં તને કોઈ લોઢાને બદલે સોનું | આપે તો દેવામાં કૃપણ પણ લેવામાં હાથ લાંબો કરેને ? તું ! | વિચાર તારું અહંથી ભરેલું, વિષાદયુક્ત વિષમતાથી ખદબદતું ! મન તારા સ્વજનો પણ લેવા તૈયાર નહિ થાય. મહાત્માઓની ! | અત્યંતકરૂણા છે કે તારા કથીર જેવા મનને કુંદન કરી તને સન્માર્ગે મૂકી દે છે. છતાં કેમ અચકાય છે? હજી સત્સંગ, સદ્ગુરુનું | મૂલ્ય સમજાયું નથી ? સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગી નથી? ! | તો પણ તું સદ્ગુરુનો સાથ ન છોડતો. જાગ્યો છું. તો મોડો નથી. | ઝૂકી જા, ખોવાઈ જા સંતવાણીમાં. ૧૪૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સામાયિક વિધિની સ્થાપના : પંચદિય સૂત્રનો મહિમા સ્થાપનાચાર્ય ભગવાન સ્થાપનાચાર્યની બદલીમાં સામયિકના સાધકો સ્થાપના-ચાર્યની સ્થાપના કરે છે. આજ્ઞાના માહાભ્યને લક્ષ્યમાં રાખીને તેઓ નવકારમંત્ર પછી “પંચદિયસૂત્ર વડે ગુરુવર્યની સ્થાપના કરે છે. આ સૂત્ર એ સૂચવે છે કે સામાયિક ધર્મમાં લાવનાર ગુરુપદ કેટલું પવિત્રતમ છે. ક્યાંય મલિનતા ડોકાય નહિ તેવા પદાર્થોથી ગુરુપદ પરિપૂર્ણ બને છે. નિગ્રંથ અને નિર્મોહ તેવા ગુરુજનો પંચેન્દ્રિય ગજનાદર્પને સંયમમાં રાખે છે. એક એક ઈન્દ્રિયના વિષયોના વિષપાનનું વમન અને શમન તે તેમનો સંયમ છે. મનના સંયમ વડે તેઓ બ્રહ્મચર્યનુ નવ વાડથી સેવન કરે છે. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો તેમની પાસે મૂંગામંતર થઈ ગયા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ના સર્વાગી ઉપાસક છે. પાંચ પ્રકારના શુદ્ધાચારથી રક્ષિત તેમનું આત્મત્વ છે. અને છકાય જીવની રક્ષા માટે તેઓ પાંચ સમિતિને તથા ત્રણે યોગોની શુદ્ધિ માટે ગુતિને આચરનાર છે. તેઓ મારા ગુરુ છે. હું આવા ગુરુનો શિષ્ય કેવી રીતે રાચી-માચીને સંસારનું સેવન કરી શકું? જો ગુરુ પદમાં આવું અચિંત્ય સામર્થ્ય નથી તો મને કરવામાં સહાય નહિ થાય. માટે મને આવા ગુરુનો જ અનુગ્રહ હો. જેથી હું વાસ્તવિક ધર્મ પામી શકું. ભલે શિક્ષા અને દીક્ષાગુરુ જે સમયે જેનો યોગ મળે તેના સહયોગમાં સાધનાનો પ્રારંભ હો, પરંતુ મોક્ષમાર્ગના ગુરુ તો સ્વરૂપનિષ્ઠ, નિર્ગથ હોવા આવશ્યક છે. તેવા સદ્દગુરુની શોધ કરવી અને તેમના ચરણના સમીપમાં રહેવું સમર્પણભાવે ભક્તિ કરવી. તેમની આજ્ઞાને શિરસાવંદ્ય માનવી. જેથી માર્ગ સુલભતાથી પ્રાપ્ત થાય છે. સંસારયાત્રા નિર્વિદને સમાપ્ત થઈ જીવ શિવત્વની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરના વિરહકાળમાં જિનપ્રતિમાનું સેવન છે. તેમ ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપનાચાર્ય વિનયધર્મનું મૂળ છે. ૧૪૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ખમાસમણ સૂત્ર : વિનય મૂલો ધમ્મો : ગુરુવર્યની સ્થાપના કરી, હવે સામાયિક કરવાની સ્વયં ઈચ્છાથીભાવનાથી આજ્ઞા માંગવાની છે. ગુરુ ક્ષમાશ્રમણ છે. ક્ષમાદિ દસ ધર્મના ધારક છે. શ્રમણ ? સમભાવી, તપસ્વી, સંયમી, વૈરાગીના સામાયિકનું અનુષ્ઠાન મહાન છે. પવિત્ર છે. તેથી તેમાં પ્રવેશ કરતાં પહેલાં પવિત્ર સાધુજનોને વંદન કરવું જરૂરી છે. તે ખમાસમણ સૂત્ર વડે કરાય છે. આ વંદન વિધિનું માહાભ્ય એ છે કે ઈન્દ્રિયોના વિષયોના તપન વડે કષાયોના ઉપશમન વડે, હિંસાદિ પાપોથી નિવૃત્તિ વડે, અર્થાત નિષ્પાપ કાયાવડે વંદન કરવાનું છે. તે વંદન પંચાંગ પ્રણિપાત છે. બે હાથ, બે જાનું અને મસ્તક ભૂમિને સ્પર્શે તે રીતે પંચાંગ પ્રણિપાત મનમાં અહોભાવ સાથે કરવાનું છે. આ વંદન પંચપરમેષ્ઠિને સમાન સૂત્રથી અને પદ્ધતિથી કરવાનું છે. ચૈત્યવંદનાદિ ઘણી ધાર્મિક વિધિમાં કરવાનું વિધાન છે. વંદન માટે અનવસર:૧. ગુરુ જ્યારે ધર્મ આરાધના - ચિંતનમાં હોય. ૨. ગુરુ અન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય કે ઊભા હોય. ૩. છઘસ્થ અવસ્થા હોવાથી ક્યારે પ્રમાદ નિદ્રા કે ક્રોધ જેવી વિષમતામાં હોય. ૪. ગોચરી આદિની ક્રિયા કે કુદરતી હાજતનું કારણ હોય. આવા સંજોગોમાં વંદન કરાય નહિ. તેમ વિચારવું તે વિનય છે. વંદન માટે અવસર :૧. ગુરુ જ્યારે શાંતિથી બેઠા હોય ૨. ગુરુ જયારે પ્રમાદ રહિત હોય ૩. ગુરુ જયારે સહજપણે નિવૃત્ત હોય ૪. વંદન સ્વીકારી શકે તેવો અવકાશ હોય આવા ઉચિત સમયે વંદન કરાય ૧૪૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૯. ઈરિયાવહી સૂત્રઃ શિવમસ્તુ સર્વ જગતઃ (લઘુ પ્રતિક્રમણ) પરમપવિત્ર પંચપરમેષ્ઠિને નમસ્કાર કરી. ગુરુજનોની વિનય સહિત સ્થાપના કરી. તેમને સ્વ-ઈચ્છા વડે વંદન કરી, હવે જગતની જીવરાશિની હિતચિંતવના કરી યોગને શુદ્ધ કરવાના છે. જેને ઈરિયાવહી સૂત્ર કહે છે. અહીં ગુરુની આજ્ઞા અને સ્વ-અભિલાષાનો સુમેળ છે. ગુરુ ભગવંતના અનુગ્રહ સાધક પાપથી પાછો વળવા ઈચ્છે છે. બાહ્ય પ્રકારે ગમનાગમનમાં જે કંઈ દોષ લાગ્યો હોય તે અને અંતરંગ દૃષ્ટિએ સ્વભાવથી વિચલિતપણું થયું હોય તે. એથી દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરી સ્વભાવમાં લાવવા માટે પ્રતિક્રમણ - પાપથી પાછો વળવા ઈચ્છું છું. સ્વભાવમાં સ્થિત થવા સમ્યગુદર્શનાદિની આરાધના કરવાની છે. તેનું યથાવિધિપાલન ન થાય તો તે વિરાધના છે. આરાધનામાં મનની અશુદ્ધિ કે અવિધિ થાય તે વિરાધના છે. તે ચાર પ્રકારે થાય છે. અતિક્રમ : આરાધનના ભંગ વખતે પાછો ન વળે. વ્યતિક્રમ : વિરાધના કરવામાં તત્પર થાય. અતિચાર : પ્રતિજ્ઞાભંગનું કંઈક સેવન થાય. અનાચાર : પ્રતિજ્ઞાભંગનું પૂર્ણ સેવન કરે છતાં ખોટું ન માને. જગતમાં પ્રાણીમાત્રના શરીરનો નિર્વાહ અન્યના પ્રાણના ભોગે થાય છે. જંતુ હો કે માનવ હો, વળી મન, વચન અને કાયાની તમામ પ્રવૃત્તિમાં જંતુથી માંડીને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે પ્રાણ હાનિ થાય તે વિરાધના છે. દસ પ્રકારે આ વિરાધના થાય છે, તેવું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. તે સર્વ જીવોની ક્ષમા માંગું છું. આમ પોતાના કાર્યોનું અવલોકન કરીને અસત્ કાર્યોનો પ્રશ્ચાત્તાપ કરી આ સૂત્રથી ભાવશુદ્ધિ કરવામાં આવે છે. જ્યાં સુધી હિંસા આદિ અસત્ ક્રિયા કે કાર્યોનું ભાન નથી, તેનો પશ્ચાતાપ થાય નહિ, ત્યાં સુધી પાપથી છૂટાતું નથી. પરંતુ સદગુરુ યોગે, તેમના બોધે જ્યારે જીવને ભાન થાય છે, ત્યારે તે દુષ્કૃત્યો છૂટી જાય છે. આ ઈરિયાવહી સૂત્ર ચૈત્યવંદન જેવા દરેક અનુષ્ઠાનની પહેલા ભાવશુદ્ધિ માટે પ્રાયશ્ચિતરૂપે કરવાનું અવશ્યનું છે. ૧૪૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૦. વિશેષ ભાવશુદ્ધિ માટે ઃ તસ્સ ઉત્તરી સૂત્ર કાયોત્સર્ગ અને સામાયિકને અન્યોન્ય આશ્રય સંબંધ છે, તે અન્યોન્યથી સિદ્ધ થાય છે. વિશેષ શુદ્ધિ માટે ચાર ક્રિયાઓ બતાવી છે. ૧. ઉત્તરીકરણ સ્વનિંદા વડે આત્માને શુદ્ધ કરવો. ૨. પ્રાયશ્ચિત્તકરણઃ પાપ નાશ કરવા માટે કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કરવું. ચિત્તનું શોધન કરી સાવધાની કેળવવી તથા ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લેવું. ૩. વિશોધીકરણ આલોચના, નિંદા કરીને જીવ હવે વિચારે છે કે ચિત્તની વિશેષ શુદ્ધિ મારે કરવી છે. સંસારના પરિભ્રમણનો પરિહાર કરવા મેં જે ચારિત્ર (આરાધના) સ્વીકાર્યું છે તેમાં દોષ ન લગાડવા. ઉપયોગપૂર્વક સર્વ ક્રિયાઓનું પાલન કરીશ. સદ્ગુરુના મુખે ધર્મનું શ્રવણ કરી પુનઃ પુનઃ આત્મસ્વરૂપનું ચિંતન કરીશ. - કાયોત્સર્ગ વડે મનને એકાગ્ર કરીશ. અને સર્વ દુઃખ અને કર્મનો ક્ષય કરવા માટે પુનઃ પુનઃ કાયોત્સર્ગ - ધ્યાનમાં રહીશ. ૪. વિસલ્લીકરણ ? વળી મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય જેવા દૂષણથી દૂર રહીશ. હું જે સંયમ પાળું છું તેની શ્રેષ્ઠતાની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. મારા વ્રતમાં હું નિર્દભ રહેવા ઉદ્યમશીલ છું. વળી મારા વ્રતાદિના બદલામાં મને પૌલિક સુખની સ્પૃહા નથી. આમ ત્રણે દોષ રહિત ચારિત્ર પાળીશ. સામાયિક કરીશ. આમ શલ્યરહિત થઈ ભાવશુદ્ધિ વડે મોક્ષની સાધના પરિપૂર્ણ થાય છે. પાપકર્મોના નાશ માટે આ ચાર વિધાન છે. જો જીવ પાપની આલોચના કે નિંદા કરતો નથી તો પ્રાયશ્ચિત વગર મનનો મેલ જતો નથી. અર્થાત્ સાચું પ્રાયશ્ચિત થતું નથી, પ્રાયશ્ચિત વડે પવિત્ર થયેલો સાધક વિશેષ શુદ્ધિ કરી શકે છે. ત્યાર પછી આત્મપ્રદેશ પર રહેલા શલ્યના સૂક્ષમ સંસ્કારને શોધીને તે કાઢે છે. આમ સર્વ પ્રકારે શુદ્ધિનો ઉદ્યમ કર્યા પછી તે સાધક કાયોત્સર્ગનું યથાર્થ પાલન કરી શકે છે. અને પાપનો સમૂળ નાશ કરે છે. ૧૪૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧. કાયોત્સર્ગ સૂત્રથી દેહભાવના મમત્વના મોચનની પ્રતિજ્ઞા અન્નત્ય સૂત્રનો મર્મ શું છે ? “છૂટે દેહાધ્યાસ તો નહિ કત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ.” - શ્રી આત્મસિદિય શાસ્ત્ર. જીવ સંસારની યાત્રામાં દેહ વગર રહ્યો નથી. એટલે દેહનો નેહ તેનો પુરાણો અને જબરદસ્ત છે. તેનું મન એવું કેળવાયું છે કે કયાંય શરીરને દુઃખ ન પડે તેવો સાવધાન રહે છે. છતાં શરીરના સુખ માટે કંઈ પણ કરો એ બધું ન તો શરીરને પહોંચે છે કે ન તો આત્માને પહોંચે છે. વચમાં રહેલા દલાલ મનજીભાઈ ઘડીભર સુખી કે દુઃખી થાય છે. તો પણ તેમને કંઈ લેવા દેવા નથી. શરીરને સુખ પહોંચાડવા કંઈ પણ કરો શરીર લક્ષણથી અજીવ હોવાથી તે સુખનું વેદન કરતું નથી. અને શરીરના સુખના સાધન કે પ્રયોજનથી આત્માને સુખ પહોંચતું નથી. કારણ કે એ સર્વ સાધનો જડ છે અને આત્મા ચેતન છે. માટે મહાત્માઓ શરીરના કાલ્પનિક સુખનો ત્યાગ કરી આત્મિક સુખ માટે વનઉપવનમાં રહ્યા. સંયમનાં કષ્ટ સહીને સાચા સુખની પ્રાપ્તિ કરી. તેથી તેમણે ઉપદેછ્યું કે : દેહનો અધ્યાસ-મમત્વ છોડ, તું તે શરીરના સુખનો કર્તા નથી કે ભોક્તા નથી. તું તારા સ્વરૂપનો કર્તા છું. અનંત ગુણોનો ભોક્તા છું. તું સહજાત્મસ્વરૂપમય છું. દેહનો અધ્યાસ છોડવાની એક ક્રિયા કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ - દેહભાવનો ત્યાગ. જેમ મળમૂત્રનો ઉત્સર્ગ છે તેમ દેહભાવનો ઉત્સર્ગ કરવાનો છે. કાયોત્સર્ગ ધ્યાનરૂપે છે. તેથી એકાગ્ર થવા પહેલાંની ભૂમિકા અને શુદ્ધતા અન્નત્થ સૂત્રમાં બતાવે છે. કાયોત્સર્ગ એ પાપમુક્તિનું મહાન અનુષ્ઠાન છે. તેથી તેમાં ઘણાં સૂક્ષ્મ આગારોનો પણ ખ્યાલ રાખવાનો છે. છતાં જે આગારો શ્વાસપ્રશ્વાસ જેવા સાહજિક છે તે બાર પ્રકાર ૧૪૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ – છે. તે ઉપરાંત અગ્નિના ફેલાવાથી, શરીરે તાડન થવાથી. રાજાના કે ચોરના ભયથી, સર્પદંશ જેવા ચાર પ્રકાર, એમ સોળ પ્રકારે કાઉસગ્ગ ખંડિત થાય છે પણ પ્રતિજ્ઞાભંગ થતો નથી. જો કે સાધુ મહાત્માઓ તો તેવા પ્રસંગે દેહનો ત્યાગ કરે છે. પણ કાયોત્સર્ગ - ધ્યાનનો ભંગ કરતા નથી. દેહને તેઓએ અન્ય માન્યો છે. તેથી તે છૂટી જવા કે રહેવાનો તેમને ભય, મોહ, કે ક્ષોભ નથી. વળી સમતાભાવમાં રહી, સમાધિ અવસ્થામાં દેહ ત્યજી દે છે. કાયોત્સર્ગ ધ્યાન સમયે તત્ત્વનું ચિંતન, ભાવનાનું અનુપ્રેક્ષણ, નવકારમંત્ર, વગેરેનું અવલંબન હોય છે. વળી લોગસ્સ સૂત્રથી ધ્યાન સમયે સવિશેષ આરાધના કહી છે. ઈરિયાવહી સૂત્રમાં પરહિતચિંતાની વિશેષતા છે. અન્નત્થમાં સ્વજાગૃતિની વિશેષતા છે. કાયોત્સર્ગ ધર્મધ્યાનનું કારણ છે. ધર્મધ્યાન શુક્લધ્યાનનું કારણ છે. જીવવિરાધનાના પ્રાયશ્ચિત પછી વિશેષ શુદ્ધિ થાય છે. અંતે સર્વ કર્મનો નાશ થાય છે. ભૂતકાળના પાપોનું આલોચન થતાં, વર્તમાનમાં દોષ ટળે છે તેથી ભવિષ્યના પાપકર્મોનો સંવર થાય છે. છદ્મસ્થાવસ્થાની સાધનામાં દોષ-અતિચાર લાગવાની સંભાવના છે. તે દોષોનો ગુરુવર્ય પાસે સરળતાથી સ્વીકાર કરવો જોઈએ. આદરપૂર્વક પ્રાયશ્ચિત ગ્રહણ કરવું. જેથી પુનઃ તે દોષો થાય નહિ, અને ચિત્તવૃત્તિઓનું શોધન થાય, ક્યાંય રહેલા શલ્ય નીકળી જાય, આ રીતે આરાધન કરવાથી ભૂતકાળમાં આત્માઓ મુક્ત થયા છે. વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં આ રાજમાર્ગે - સન્માર્ગે મુક્ત થશે. કાયોત્સર્ગની સાવધાનતા અને સફળતા હજી આગળ કાયોત્સર્ગ સૂત્રથી બતાવશે. વળી કાયોત્સર્ગ એ ચિત્ત પક્ષાલનનું અને સ્થિરતાનું મહત્વનું અંગ હોવાથી પ્રાયે બધી જ ધાર્મિક ક્રિયામાં તેનું સ્થાન છે. સામાયિક લેતા અને પારતા, પ્રતિક્રમણમાં પુનઃ પુનઃ કાયોત્સર્ગનું સ્થાન છે. ચૈત્યવંદનમાં પણ છે. તે કાયોત્સર્ગના મૂળમાં શ્વાસપ્રશ્વાસની ગણત્રી હતી. પરંતુ આજે તેની મુખ્યતા ત્રણ પ્રકારથી જળવાઈ છે.મુખ્યત્વે લોગસ્સ સૂત્ર, નવકારમંત્ર, અતિચારની ગાથા. - ૧૪૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ વળી ઉપધાન, ચારિત્રગ્રહણ, જેવા અન્ય મહત્ત્વના ધર્મારાધનામાં પણ કાયોત્સર્ગ - કાઉસગ્ગની વિશેષતા હોય છે. ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વડે કર્મક્ષયનું તેમાં પ્રાધાન્ય છે. કાઉસગ્ગ કેવળ ક્રિયાના અર્થમાં નથી પરંતુ ચિત્તની એકાગ્રતા માટેનું આરાધન છે. આથી સાધકો ઘણા પ્રકારે કાઉસગ્ગનું આરાધન કરે છે. જે જે તપમાં જે જે પદ હોય તેના ભેદની ગણત્રી સાથે કાઉસગ્ગની ગણત્રી જોડવામાં આવે છે. આમ આરાધકને આરાધનાના ક્ષેત્રે કાઉસગ્ગ એ જાણે પ્રાણ હોય તેમ જણાય છે. મુનિચર્યાના દૃષ્ટાંતોમાં પણ વારંવાર ઉલ્લેખ આવે કે મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા અને ઉપસર્ગ થયા. અગર રાજા વગેરે વંદન કરવા લાગ્યા, વન્ય પ્રાણીઓ પણ ત્યાં શાંતિથી વાસ કરતાં. આમ કાઉસગ્ગ એ મુનિના જીવનનું અખંડ આરાધન હોવાથી મુક્તિ દ્વાર છે. અહો ! જૈનદર્શનનું પ્રભુત્વ અદ્ભુત છે. એક એક આવશ્યક અનુષ્ઠાનો પરંપરાએ કે અનંતર મોક્ષદાતા છે, આચાર્ય ભગવંતોએ એ રહસ્ય ખોલીને સાધકોને માર્ગની - સાધન દ્વારા સાધ્યની સરળતા દર્શાવી છે. પૂ. આચાર્યશ્રી વિજ્ય કલાપૂર્ણ, મ.સા. ‘સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મમાં'' કાયોત્સર્ગ વિષે અનુભવયુક્ત પ્રકાશે છે કે કાયોત્સર્ગ પાંચમું આવશ્યક છે. અને છઠ્ઠું આંતરિક તપ છે. “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સમસ્ત સંઘને નિત્ય અને નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે ‘આવશ્યક’' કહેવાય છે. તીર્થના પ્રવર્તક તીર્થંકર પણ સર્વસંગ પરિત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીને ધ્યાન કરે છે. અને મુક્તિ પણ કાયોત્સર્ગ અવસ્થામાં પ્રાપ્ત કરે છે. અરે ! ગણધરાદિ સૌ કઠિન કર્મોનો નાશ કાયોત્સર્ગ દ્વારા કરે છે. આવું માહાત્મ્ય કાયોત્સર્ગનું છે. કાયોત્સર્ગ અર્થાત દેહભાવ - મમત્ત્વથી મુક્ત થવું, ત્યાગ કરવો. દેહાધ્યાસ છૂટતા સાધક શુદ્ધધર્મની પ્રાપ્તિ કરે છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, આત્મા સ્વંય પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. કાયોત્સર્ગ સમાધિ સ્વરૂપ છે.” ૧૪૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૨. કાયોત્સર્ગની વિશેષતા “અરિહંત ચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ સૂત્ર દ્વારા અરિહંત જિન પ્રતિમાઓના વંદન, પૂજન, સત્કાર, અને સન્માન કરવા માટે મનશુદ્ધિ માટે જરૂરી આગારો સિવાય દેહભાવનો ત્યાગ કરવા માટે કાયોત્સર્ગ છે. જેમાં મન વચન અને કાયાની સ્થિરતા દ્વારા પાપનો નાશ થાય છે. ૧. શ્રદ્ધા : ચિત્તની પ્રસન્નતારૂપ આત્મિક પરિણામ. રુચિ રૂપ આત્માભિલાષા. જીવાદિ પદાર્થોની યથાર્થ પ્રતીતિ છે. સંશય ભ્રમ વિપર્યય બુદ્ધિ તથા અનધ્યવસાય દૂર થાય છે. શ્રદ્ધા-મેધા વડે ચિત્તની નિર્મળતા પ્રગટ થાય છે. ર. મેઘા ઃ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મગુણ પ્રગટે છે. ગ્રંથોના ગહન રહસ્યને ગ્રહણ કરવા રૂપ આત્મને સગ્રંથો પ્રત્યે પરમ ઉપાદેયભાવ થાય છે. ૩. ધૃતિ : ચિત્તની એકાગ્રતા થાય છે. ગંભીર આશયસ્વરૂપ છે. સંસારનો ભય દૂર થતાં વૃત્તિ પ્રગટ થાય છે. ધૃતિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમજનિત છે. ૪. ધારણા : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉપયોગની સ્થિરતારૂપ પરિણામ હોય છે. શુદ્ધ વિષયનું સતત સ્મરણ રહે છે. ધ્યાન આદિ ગુણોની શ્રેણિ હોય છે. ધૃતિ અને ધારણા ચિત્તની સ્થિરતા ટકાવી રાખે છે. ૫. અનુપ્રેક્ષા : જેના દ્વારા આત્માનુભૂતિ સરળ બને છે. શ્રદ્ધા દેઢ થાય છે. જે કેવળજ્ઞાનનું કારણ બને છે. આ પાંચે કારણો પરમ સમાધિનું ઉપાદાન કારણ છે. અનુપ્રેક્ષા દ્વારા સમાપત્તિ સિદ્ધ થાય છે. આ પાંચે હેતુઓ ક્રમશ : પ્રગટ થાય છે. ગ્રંથકાર કહે છે કે આવા ઉત્તમ અનુષ્ઠાનના અધિકારી તે છે કે જેની જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા છે. ઉત્તરોઉત્તર તેમાં વૃદ્ધિ થતી જાય છે. કાયોત્સર્ગ જેવી ક્રિયામાં/સાધનામાં જેને આદર છે. યદ્યપિ આ કાયોત્સર્ગમાં અન્નત્થસૂત્રમાં જણાવેલા આગારો - ૧૫૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ કારણોથી દેહનું સંચાલન થાય તો કાયોત્સર્ગની પ્રતિજ્ઞા તૂટતી નથી. પરંતુ આ સાધનામાં કાયાના સમગ્ર સ્થૂલ વ્યાપારનો નિરોધ અવશ્ય છે. સૂક્ષ્મ સ્પંદન અને શ્વાસોચ્છવાસ જેવા સ્વાભાવિક સંચાલન રોકી શકાતા નથી. સ્વાથ્ય હાનિ, જીવહિંસા જેવી હાનિ ન થાય તે માટે આ આગાર આપ્યા છે. ઉત્કૃષ્ટ સાધનામાં પરિષહ ઈત્યાદિને સહન કરવાના હોય છે. કાયોત્સર્ગને કાળ પ્રમાણના ઘણા ભેદ છે. તે સવિશેષ શ્વાસોચ્છવાસ યુક્ત છે. પરંતુ કાયોત્સર્ગથી મુક્ત થવા “નમો અરિહંતાણં'નો ઉચ્ચાર જરૂરી છે. પ્રતિજ્ઞા માટે “તાવકાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ' પદ છે. કાયોત્સર્ગની જેવી મહાનતા છે તેવી તેની ફલશ્રુતિ છે. એટલે નિર્જરા કે જેમાં ક્રમશઃ કર્મમુક્તિ છે તેમાં બાર તપમાં આખરી અત્યંતર તપ ક્લશરૂપ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં દેહમમત્વ મોચન થવાથી પ્રાયે ઉપયોગની સ્થિરતાની વિશેષતા છે. અચલ સ્થિરતા માટેના ઉપાયો છે. (સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મમાંથી નોંધ) ચિંતન પરમાત્માના જ્ઞાનાદિ ગુણસ્વરૂપનું ચિંતન કરવું. જીવાદિ તત્ત્વોના યથાર્યસ્વરૂપનું ચિંતન કરવું, દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું, શુદ્ધાલંબનમાં ચિત્તને સ્થિર કરવું. સ્વાત્મદોષદર્શન: બીનપક્ષપાત જેવા હોય તેવા રાગાદિ ભાવોનું નિરીક્ષણ કરી તેને દૂર કરવા પ્રયત્ન કરવો તે માટે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી એ દોષથી પ્રતિપક્ષ એવા ગુણોનું કે ભાવનાઓનું ભાવન કરવું. આ પ્રકારના ચિંતનાદિથી આત્મોપયોગ નિર્મળ થાય છે. અને શુભભાવનાના સાતત્યથી અવંધ્ય પુણ્ય કે જેની પાછળ પાપ ફરકતું નથી, અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન થાય છે. જે મોક્ષમાર્ગને અનુરૂપ સાનુકૂળતાઓ અને ભાવનાઓનું નિર્માણ કરે છે. કાયોત્સર્ગ સ્વયં તપ હોવાથી નિર્જરાનો હેતુ છે, પરંતુ મનાદિ યોગની ગુપ્તિ થવાથી સંવરનો હેતુ છે. સંવરઃ બાવીસ પરિષહ પૈકી કોઈપણ પરિષદનું સભ્ય પ્રકારે ૧૫૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ સહન થવું. ક્ષમાદિ ગુણો સહજ ધારણ થાય છે. અનિત્યાદિ ભાવનાથી મન ભાવિત બને છે. કાયોત્સર્ગ બે ઘડીના સામાયિકથી માંડીને છેક પૂર્ણ ચારિત્ર સુધી પહોંચાડવાનો સેતુ છે. અર્થાત્ જીવાદિ તત્ત્વોમાં જીવ, સંવર, નિર્જરા, મોક્ષ જે જીવનાં તત્ત્વો છે તે કાયોત્સર્ગમાં પ્રગટ થાય છે. કાયોત્સર્ગ આત્મપ્રદેશ પર જામેલા કર્મના કાંપને ઉલેચીને નષ્ટ કરે છે. હવે આપણે નિર્જરા તત્ત્વને કાયોત્સર્ગમાં માણી લઈએ. ૧. અનશનઃ કાયોત્સર્ગમાં ચારે આહારના ત્યાગરૂપ અનશન. ૨. ઉણોદર. ૩. વૃત્તિ સંક્ષય. અને ૪. રસત્યાગ સહજ થાય છે. ૫. કાય ફ્લેશઃ કાયોત્સર્ગમાં દેહમમત્વનો ત્યાગ હોવાથી જે કિંઈ કષ્ટ આવે તે સમભાવથી સહન થાય છે. ૬. સંલિનતાઃ કાયોત્સર્ગમાં દેહઆસનસ્થ હોવાથી અંગોપાંગનો સંકોચ સહજ છે. કાયોત્સર્ગમાં અત્યંતર તપનો સમાવેશ. ૧. પ્રાયશ્ચિત : કાયોત્સર્ગ દ્વારા પાપનો છેદ અને ચિત્તની નિર્મળતારૂપ પ્રાયશ્ચિતની પરિણતિ છે. ૨. વિનયઃ ૩. વૈયાવચ્ચ કાયોત્સર્ગ કરતાં પહેલાં જે “અરિહંત ચેઈયાણં સૂત્ર આવે છે તે કાયોત્સર્ગમાં વિનય, સત્કાર વૈયાવચ્ચનો હેતુ થાય છે. ૪. સ્વાધ્યાય : કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા, શાસ્ત્રોક્ત પદાર્થોનું ચિંતન, વાચનાદિથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે. ૫. ધ્યાનઃ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના સમસ્ત પ્રકારો દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે તે ધ્યાનયોગ છે. ૬. કાયોત્સર્ગ : અલ્પકાલીન દેહાધ્યાસ - બહિરાત્મભાવનો ત્યાગ, અથવા સંલેખના જેવા વ્રતથી સદાને માટે દેહાધ્યાસનો ત્યાગ થાય છે. આ ઉપરાંત પાંચે ઈન્દ્રિયોના દમન દ્વારા, ક્રોધાદિ કષાયોના શમન દ્વારા, હિંસાદિના ત્યાગ દ્વારા, મનાદિ યોગોના પાપવ્યાપારનો ત્યાગ, અને કાયિકી રપ ક્રિયાઓના પરિવાર દ્વારા આશ્રવ નિરોધ થાય છે. અને સંવર તથા નિર્જરા તત્ત્વરૂપ પરિણતિ પ્રગટ થાય છે. ૧૫૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૩.| લોગસ્સ સૂચથી કાયોત્સર્ગમાં સ્થિરતા માટે તીર્થકરનું ધ્યાન-સ્તુતિ (ચતુર્વિશતિ જિન સ્તવ) કાયોત્સર્ગ ભાવવિશુદ્ધિ સહિત કર્મ નિર્જરાનો ઉપાય છે. બાર પ્રકારના તપમાં અંતિમ પ્રકાર કાયોત્સર્ગ છે. અગિયાર તપની આરાધના પછી દેહભાવ છૂટવાનું સામાÁ આવે છે, એટલે તપનું પણ આખરી માહાસ્ય કાયોત્સર્ગ છે. અગિયાર પ્રકારના તપનું સેવન દેહ ભાવ ત્યજી, દેહભાવથી મુક્ત થઈ આત્મભાવમાં સ્થિર થવાનું છે. વળી મનનું વલણ દેહ પ્રત્યે છે. તે મનને જો અવલંબનમાં જોડવામાં આવે દેહાધ્યાસ છૂટવાની સંભાવના છે. મનને જોડવાનું શ્રેષ્ઠ સર્વોચ્ચ અવલંબન અરિહંત પરમાત્મા છે. આથી આ સૂત્રમાં ચોવીસ અરિહંત પરમાત્માના વંદન કીર્તન વડે મનને એકાગ્ર કરવાનું છે. જેમના જન્મ-મરણ નષ્ટ થયાં છે, જેઓ સંપૂર્ણપણે સંસારથી મુક્ત થયા છે, તેમને પ્રસન્ન કરવા માટે બહુમાનપૂર્વક વંદન કરવાનું છે. ચોવીસે તીર્થકરો ધર્મતીર્થનું પ્રવર્તન કરનારા છે. સમસ્તવિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા છે. તીર્થકર ભગવંત જ્યારે સાક્ષાત વિચરે છે ત્યારે તેમની આગળ દેવકૃત ધર્મચક્ર ચાલે છે. સમગ્ર પૃથ્વીમંડળને પ્રકાશિત કરતું. સવિશેષ મિથ્યાત્વના મોહસ્વરૂપ અંધકારને તે દૂર કરે છે. વળી ધર્મચક્રનો પ્રભાવ મિથ્યા દષ્ટિઓના અંધકાર સામે સૂર્યસમાન અને સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃત જેવો છે. ધર્મચક્રનો આવો પ્રભાવ શ્રી તીર્થકરોના પુણ્યપ્રભાવનું સૂચક છે. શ્રી તીર્થકર ભગવંતો મહામહિમાવાન અને પૂજનીય છે. • મુખ્યપણે કર્મક્ષયનું કારણ તીર્થકરો છે. ૦ બોધિબીજની પ્રાપ્તિના હેતુ છે. • ભવાંતરે પણ બોધિની પ્રાપ્તિ કરાવનાર છે. ૦ સર્વ વિરતિના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. ૧૫૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ • ભવ્યજીવોના પરમ હિતોપદેશક છે. ૦ રાગદ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ આદિ દુષ્ટ તત્ત્વોથી પેદા થતાં સંતાપને શાંત કરે છે. • તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, રૈલોક્ય પ્રકાશક છે. ૦ ત્રણે લોકમાં પૂજનીય છે. પરમ પૂજ્યોના પણ પૂજ્યતર છે. તીર્થકરોના ગુણોનો મહિમા અપરંપાર છે તે ઉપકારી તીર્થકર ભગવંતની સંયમ સહિત જે આરાધના કરે છે. તે સિદ્ધિપદને પામે છે. એવા પરમાત્માની આરાધના મળવી તે મહાપુણ્યયોગ છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ જ મુજ સબળ વિશ્વાસ રે.” આવા પ્રબળ વિશ્વાસથી પરમાત્માનું નામ હૃદયમાં ધારણ થાય ત્યારે પરમાત્માના સાક્ષાત દર્શન થવાનો ભાવ જન્મે છે. હૃદય તે પવિત્ર પદાર્થથી ભરાઈ જાય છે. પરમાત્મા સાથે નિર્દોષ વાર્તાલાપ થવાનો ભાવ જન્મે છે. અંતરમાં અવ્યક્ત શબ્દો ઊઠે છે. મન તન્મય થતું જણાય છે, ત્યારે સર્વકલ્યાણ સિદ્ધ થતું અનુભવાય છે. ધ્યાન જ્યારે ધ્યેયમાં સ્થિરતા પામે છે ત્યારે કદાચ ધારો કે ધ્યેય દૂર હોય તો પણ અંતરમાં તે નજીકનું બને છે. આત્મસ્વરૂપમાં મનનો પ્રવેશ તે ધારણા છે. આત્મસ્વરૂપ પ્રત્યે મનનું પ્રવાહરૂપે જવું તે ધ્યાન છે. આત્મ સ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ છે. આમ કાયોત્સર્ગ પરિપૂર્ણ બને છે. કાયોત્સર્ગમાં લોગસ્સ-સ્તવની વિશેષતા છે, કારણ કે અનંત ચોવીસી યુક્ત અનંત તીર્થંકર પરમાત્માને સાધકના વંદન-ભાવ પહોંચે છે. સાધક પોતે તીર્થકરની સ્તવના વડે પવિત્ર થાય છે. બોધિ-બીજની પ્રાપ્તિ કરીને મુક્તિ સુધીની યાત્રા કરવામાં સમર્થ થાય છે. “નિશ્ચયરામે પસીચંતુ ? પ્રભુ તમે પ્રસન્ન થાઓ. લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરના અનુગ્રહનો ભાવ છે. અરિહંત પરમાત્મા માના વાત્સલ્ય કરતાં અનેકગણા પરોપકારી છે. તેઓ પ્રસન્ન છે, તો સમગ્રવિશ્વ તારા પ્રત્યે પ્રસન્ન છે. એવા પ્રભુને પ્રસન્ન કરવા હું આ સંસારની જંજાળ ત્યજી દે, એક ભવ તેમને પ્રસન્ન કરવામાં ગાળ તો, તેઓ તને તેમની સમાન પદે પહોંચાડશે. ૧૫૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪૪. કરેમિ ભંતે સૂગથી સર્વ પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરેમિભંતે સૂત્ર એટલે પ્રતિજ્ઞાનો લેખ. સદેવ ગુરુજનોને આપેલું વચન કે હું સાવધપાપ વ્યાપારથી અટકવાનો, તેનો ત્યાગ કરવાનો સ્વીકાર કરું છું. સવિશેષ ગુરુભગવંતની પાસે લેવાની પ્રતિજ્ઞા છે. ભંતે, ભદંત, ભગવંત, ભવાંત પર્યાયવાચી શબ્દો છે. ચારે ગતિના ભવનો અંત કરવામાં મહાન ઉપદેશક છે. ભયનો નાશ કરનારા છે. સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ અને નિરવઘ યોગોનું સેવન જેમાંથી સમત્વ પેદા થાય છે. તે સામાયિક છે. સંસારની સંપૂર્ણ પ્રવૃત્તિ આરંભયુક્ત છે. સાવદ્ય પાપ જનિત હોય છે. જીવોના પ્રાણની હાનિ કરવાવાળી હોય છે. એ કારણથી પુણ્યાત્માઓ સંસારનો ત્યાગ કરે છે. અથવા પ્રવૃત્તિનો સંક્ષેપ કરે છે. જેથી સમભાવનું સેવન થાય. આથી સાધુ-સાધ્વીજનો આ જીવનનું સામાયિક લે છે. શ્રાવક, શ્રાવિકા, મર્યાદિત સમય માટે સામાયિક કરીને સાવદ્ય પાપ વ્યાપાર ન કરવાની ન કરાવવાની પ્રતિજ્ઞા લે છે. તેમાં મન વચન કાયાને શુભ યોગમાં જોડે છે. કરેલા સાવદ્ય પાપવ્યાપારથી આત્માને મુક્ત કરે છે. દોષ થાય તો નિંદે છે, ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લે છે. આત્મા કે જે વિષય કષાયુક્ત છે તેને નિંદે છે અને મુક્ત કરે છે. આત્માના ઉપચારથી અથવા અવસ્થા ભેદથી આઠ ભેદ છે. ૧. દ્રવ્યાત્મા : ત્રિકાલવર્તી ચૈતન્યસ્વરૂપ આત્મા. ૨. કષાયાત્મા ક્રોધાદિ કષાયયુક્ત આત્મા. ૩. યોગાત્મા : મન, વચન, કાયાના યોગવાળો આત્મા. ૪. ઉપયોગત્મા ઉપયોગ જીવનું લક્ષણ છે. સંસારી સિદ્ધ બંને ઉપયોગાત્મા છે. ૫. જ્ઞાનાત્મા : સમ્યજ્ઞાન સહિત બોધયુક્ત આત્મા. ૬. દર્શનાત્મા ઃ સામાન્ય યથાર્થ બોધવાળો આત્મા. ૭. ચારિત્રાત્મા : હિંસાદિ અસક્રિયાની નિવૃત્તિરૂપ આત્મા. ૧૫૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૮. વીર્યાત્મા ઃ જેનો પુરુષાર્થ સમાર્ગે પ્રગટ છે તે આત્મા. અરે શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ જેવા તીર્થકરો, જેમને ઉદયબળે ચક્રવર્તીપદ હતું. પરંતુ તે સર્વએ ઐશ્વર્યનો ત્યાગ કરી જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે આ સૂત્ર દ્વારા જ ચારિત્ર અંગિકાર કર્યું હતું. એવો આ સૂત્રનો મહિમા છે. કાયોત્સર્ગમાં જેમ દેહભાવનો ત્યાગ છે, તેનાથી વિશેષ સામાયિક સૂત્રમાં સાવધ પાપવ્યાપાર, સંસારના ભાવનો ત્યાગ છે. જેમાં મન, વાણી અને કાયા ત્રણે યોગો વડે થતાં પાપવ્યાપારનો ત્યાગ છે. અર્થાત્ આ સૂત્ર, સૂત્રાર્થનુસાર સાધકનો પ્રાણ છે. તે સમાયિકને મુનિઓ વિવિધ પ્રકારે આરાધીને સિદ્ધ અને મુક્ત થયા, તેના દષ્ટાંતો પાછળના ભાગમાં મૂકવામાં આવશે. સમ + આય + ઈક : સમાયિક. પ્રથમ સમ શબ્દ જ અમૃતનો આસ્વાદ છે. જેણે આ સમને ભાવસ્વરૂપે આરાધ્યો તેમને સર્વ જીવોમાં સ્વાત્મા સમ દર્શન થયું. આત્મસ્વરૂપમાં લીનતા થવાથી વિષમતા ટળી સમત્વ થયું. તે રાગાદિભાવ રહિત વૈરાગ્ય સ્વરૂપ અવસ્થા છે. પ્રિય-અપ્રિય, લાભહાનિમાં સમબુદ્ધિ. આખરે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની સમાપત્તિ-ઐક્ય પરિણામ, શ્રદ્ધા અને સમજપૂર્વક ચારિત્રની શુદ્ધિ. આ ઉપરાંત અનેક ગુણોનું પ્રગટ થાય છે. તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોનો મહા ઉપકાર છે. જેઓએ આવું સમર્થ, પવિત્રતમ, સર્વોચ્ચ પરમેશ્વરી સાધન આપી, સંસાર સમુદ્રને તરી જવાનું દૈવી જહાજ આપ્યું. આ સૂત્ર વડે સાવદ્ય પાપવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરીને કેટલાંય વિદનોથી, આત્માના અહિતથી, દુર્ગતિથી, મહાદુઃખોથી, ભયાદિથી કરી જીવો રક્ષિત બને છે. કરેમિ ભંતે સૂત્ર વિનયધર્મનું દ્યોતક છે. સામાયિક કરવાની ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞા લેતા પહેલાં વિનય વડે ગુરુ પાસે પોતાની અભિલાષાનું નિવેદન કરે છે. હે ભગવંત! હું સામાયિક વ્રત કરવા ઈચ્છું છું. માનવદેહમાં ત્રણ યોગો વિદ્યમાન છે. તે ત્રણ યોગની શુભાશુભ ૧૫૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ આશ્રવ થાય છે. સામાયિક શુદ્ધિનું સાધન હોવાથી આ યોગો વડે જે કંઈ વિરાધના થાય તેનાથી નિવવું. અર્થાત્ સાવદ્ય - પાપજનિત પ્રવૃત્તિનો ત્યાગ અત્યંત જરૂરી છે. અને નિરવદ્ય યોગોનું સેવન કરવાનું છે. સામાયિકને ‘અનવદ્ય'ની ઉપમા આપી છે. સમસ્ત પાપવ્યાપારના ત્યાગને સંપૂર્ણ સામાયિક કહ્યું છે. તે કથંચિત તેરમે ગુણસ્થાને સંભવે છે. ચૌદમે ગુણ-સ્થાનકે સંપૂર્ણ હોય છે. યોગોની શુભાશુભતા મન વચન કાયાના યોગો પૌલિક છે. વાસ્તવમાં મનાદિ યોગો આત્માને દેહના સંયોગે મળેલા પ્રાણ છે. યોગો એટલે આત્માની વીર્ય-શક્તિનું સ્કુરણ. આ સ્કુરણ મન વચન કાયા ત્રણેમાં થાય છે, ત્યારે તે યોગ કહેવામાં આવે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે દ્રવ્ય યોગ છે. તે સમયે આત્મવીર્યનું ફુરણ તે ભાવયોગ છે. સમ્યગુભાવ શુભભાવયોગ હોય છે. અને મિથ્યાત્વાદિ ભાવોને અશુભ ભાવયોગ કહેવાય છે, જે સાવદ્ય છે. આ યોગો નિરંતર સક્રિય હોય છે. મનને અશુભ કે સાવદ્ય પાપવ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાચન વગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યય અને ધ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઊંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેનાં દર્શન કરો. - પર્યાયના પરિવર્તનથી બોધ પામો. પરમાણુના પુંજ એવા આ દેહમાં અનેક પરમાણુઓનો ભેદ સંઘાત, વિખરાવું-મળવું થાય છે. યુવાવયની પર્યાય બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. ઘડા લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો. પર્યાય પણ ઉપકારી છે. અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો ૧૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં સ્વાધીનતાનો મહિમા છે. મનોયોગની શુભાશુભ પ્રવૃત્તિ ઃ મનનું સ્થાન દેહવ્યાપી છે. મન પુદ્ગલના સ્કંધોની રચના છે. જીવવીર્યની સ્ફુરણા વડે મનોવર્ગણા ગ્રહણ થઈ મનરૂપે કાર્ય કરે છે, વિચાર કરે છે તે મન છે. ચિત્ત, અંતઃકરણ, સંકલ્પ વિકલ્પનું સ્થાન, છઠ્ઠી ઈન્દ્રિય, તર્ક, કલ્પના આશા ભાવ વગેરે દર્શાવવા માટે મન શબ્દનો ઉપયોગ થાય છે. મન જો ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોયુક્ત છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના વિષયમાં આક્રાંત છે. આર્ત અને રૌદ્રધ્યાનમાં પ્રવૃત્ત છે. તો અશુભ યોગવાળું, અશુભ આશ્રવનું કારણ બને છે. અન્યનું અહિત ચિંતવવું વગેરે અશુભયોગ છે. સાવદ્યયોગ છે, તે સમ્યગુચારિત્રને બાધક છે. તે મન ક્ષમા, નમ્રતા, સરળતા કે સંતોષના ભાવવાળું હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવવાળું હોય તો શુભભાવવાળું શુભાશ્રવને ગ્રહણ કરે છે. રાગદ્વેષ, કષાય અને વિષયમાં પ્રવૃત્ત મન વિનકારી છે. તેને સમ્યગ્ દર્શનાદિ ગુણો વડે જીતી શકાય છે. ધર્મધ્યાનમાં જોડવાની રાગાદિ ભાવનો ક્ષય થતાં તે મોક્ષમાર્ગમાં સહાયક બને છે. મન ભાવોનું વાહન છે. મન વિકલ્પોનો ખજાનો છે. એટલે આંતરિક સૃષ્ટિમાંથી ભાવો નિરંતર ઊઠયા જ કરે છે. તેને કોઈ શુભ આલંબનમાં બાંધવામાં આવે તો પણ ભસ્યા કરે છે. મન કષાયાદિ વડે અશુભભાવમાં, મૈત્રી આદિ ભાવના વડે શુભભાવમાં, અને સમતારૂપે વિશુદ્ધ ભાવયુક્ત હોય છે. આથી સામાયિકમાં અશુભભાવનો ત્યાગ કરવાનો છે. અને ક્રમે કરી શુદ્ધભાવ પ્રત્યે જવાનું છે. વચનયોગની શુભાશુભ પ્રવૃત્તિ : શ્રુતજ્ઞાનનું મહત્ત્વનું સ્થાન દ્વાદશાંગી છે તેનાથી ઉત્સૂત્ર બોલવું તે વચનની અશુભ પ્રવૃત્તિ છે. અને તેને વફાદાર રહીને બોલવું તે વચનની શુભ પ્રવૃત્તિ છે. શ્રી ભગવતી સૂત્રમાં ભાષાના ચાર પ્રકાર કહ્યા છે. ૧. સત્ય, ૨. અસત્ય. ૩. સત્યાસત્ય, ૪. ન સત્ય ન અસત્ય. ૧. સત્ય : વચનથી સત્ય હોય અને તે હિત તથા મિત હોય ૧૫૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ તેવી વાણીનો ઉપયોગ શુભ છે. ૨. અસત્ય શિષ્ટાચાર રહિત, કર્કશ, અપ્રિય, માયાયુક્ત અને સત્યથી રહિત હોય. તેવી વાણી ન બોલવી. ૩. સત્યઅસત્ય : સત્ય હોય પણ જેમાંથી કંઈ તાત્પર્ય ન નીકળે, વાસ્તવમાં સત્ય ન હોય તે વાણી ન બોલવી. ૪. ન સત્ય ન અસત્ય ! જેમાં સત્ય નથી અને અસત્ય પણ નથી છતાં ઉપકારક હોય તેવી વાણી વિવેકપૂર્વક બોલવી. - વાસ્તવમાં સામાયિકમાં મૌન રહેવું હિતાવહ છે. સામાયિક સમિતિ અને ગુતિધર્મના અંશવાળું છે. ચારેગતિમાં વિચારશક્તિ સહિત વાચા કેવળ મનુષ્યને મળી છે. એ પુષ્પ જેવી સુંદર અને સુવાસિત હોવી જોઈએ. અર્થાત્ કોમળ અને મધુર હોવી જોઈએ. જે શબ્દોમાં કષાય, અહ, માયા, દંભ કે આવેશ ભળેલો છે તે ભાષા સત્ય હોય તો પણ અસત્ય છે. જેમ કે એ તો સાવ બહેરો છે, આમ કહેવાને બદલે એને કાને તકલીફ છે, તેથી બરાબર સંભળાતું નથી. બંને વાક્ય સત્ય છે, છતાં પહેલું અસત્યના પક્ષમાં જાય છે. બીજું મધુર હોવાને કારણે સત્યના પક્ષમાં જાય છે. - વ્યવહાર સત્યથી આવકારદાયક બને છે. આ લોકમાં સત્યવચની પ્રીતિપાત્ર બને છે. પરલોકમાં વળી પુણ્યયોગ મળે છે. વળી સામાન્ય વ્યવહારમાં અસત્યની જરૂર પડતી નથી. પણ માનવને સત્ય પર વિશ્વાસ નથી હોતો તેથી અસત્યનો આશરો લઈ દુઃખનાં કારણોને નિમંત્રણ આપે છે. ધર્મ કે કર્મના કોઈ પણ ક્ષેત્રે માન મોટાઈને કારણે માનવ દંભ સેવે છે, દંભ અને અસત્ય સહોદર છે. એટલે જ્યાં દંભ છે ત્યાં અસત્ય છે. સામાયિકમાં અસત્ય વચનયોગનો પરિહાર-ત્યાગ અને મૌનને સેવવું જોઈએ. કાયયોગની શુભાશુભ પ્રવૃત્તિ શરીરેણ સુગુમેન શરીરી ચિનુતે શુભમ, સતતારલ્મિણા જતુ ઘાત કેના શુભપુનઃ - શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર ૧૫૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટા રહિત શરીર વડે કાયોત્સર્ગાદિ સમયે આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભકર્મને ભેગું કરે છે. અર્થાત્ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ તે કાયયોગનું શુભ પ્રવર્તન છે. દેહાધ્યાસથી પ્રવૃત્તિ કરવી તે અશુભ કાયયોગ છે. માખી મચ્છરને ઉડાવવા માટે થતું હલનચલન અશુભ છે. ગુરુ વંદનાદિ પ્રવૃત્તિ શુભ છે. કાયા સ્થિર થવાથી કથંચિત મન સ્થિર થઈ શકે છે. ભાવનાઓ વડે શુદ્ધિ સાધી શકે છે. ગુતિમાં પણ આ ત્રણેયોગનો નિગ્રહ બતાવ્યો છે. કાયમુતિમાં પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કહ્યો છે. કાયાને ગોપવવી એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. પ્રાણીમાત્રનો શરીર સાથે દીર્ઘકાળનો સંબંધ છે. શરીર વગર તે રહ્યો નથી. તેથી તે સંબંધ ગાઢ છે. દેહ સુખનું સાધન છે તેવી મિથ્યા માન્યતા થઈ છે. દેહ ધર્મનું સાધન છે તે સામાયિકની શીખ છે. તે શુભ કાયયોગ છે. વળી પ્રાણીમાત્રને મોહવશ દેહ પ્રિય છે. તે દેહમાં રહેલા પ્રાણ પ્રિય છે. તેથી કોઈના દેહને કે પ્રાણને કંઈ પણ હાનિ પહોંચે તેવી શારીરિક ચેષ્ટા અશુભ કાયયોગ છે. ભાઈ! તને વિચારશક્તિ સહિત આવો દેહ મળ્યો. તેમાં ભલે કદાચ તું તારા સુખનો પ્રયત્ન કરે, પણ બીજાના સુખને તારા લક્ષમાં રાખજે. આ શરીર વડે થાય તેટલાં પરોપકારનાં કામ કરજે. પ્રભુભક્તિ કરજે. સંતોની સેવા કરજે, રંકજનો પ્રત્યે ઉદાર થજે. છેવટે કદાચ થોડું કષ્ટ પડે તો પણ તપ વડે શરીરનું મમત્વ છોડજે. આ સર્વે શુભ કાયયોગ છે. આ ભવમાં તને સંતાપ નહિ થાય અને અન્યભાવમાં પુણ્ય તારી સાથે આવશે, જે તને સુખનું અને ધર્મનું કારણ બનશે. તેથી તું સુખી, તારી સાથેના સૌ સુખી. વાસ્તવમાં કાયયોગ એટલે કાયાનું મમત્વ ત્યજી તેને પરમાર્થ માર્ગે પ્રયોજવો. અંતમાં કરેમિ ભંતે સૂત્રની મહાનતા પણ ગજબની છે. તીર્થકર ભગવંત જ્યારે સ્વેચ્છાએ પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારે આ સૂત્રથી આ જીવન માટે સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરે છે. અને જ્યારે તેઓ ૧૬૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરોને દીક્ષાર્થ કરવા પ્રથમ સૂત્રોચ્ચાર પણ આ સૂત્રથી કરે છે. આ સૂત્ર આવી અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે. ૧. કરેમિ ભંતેઃ આજ્ઞાપાલનથી વિનયનો વિકાસ છે. અને સંકલ્પની શુદ્ધિ છે. ૨. સામાઈયં સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે સમદષ્ટિનું શિક્ષણ છે. આમ આ સૂત્રના અર્થો ગંભીર છે. સમક્તિથી માંડીને મુક્તિ સુધીનું રહસ્ય પ્રગટ કરનારા છે. ૩. સાવજં જોગં - પચ્ચકખામિ? ત્યજવા યોગ્ય પદાર્થનું પ્રત્યાખ્યાન છે - ક્ષમાદિ ઉત્તમ ગુણોની ઉપાસના છે. કરેમિ ભંતે સૂત્રમાં છ આવશ્યકનો મર્મ સમાઈ જાય છે. સામાયિક સ્વયં પ્રથમ આવશ્યક છે. કરેમિભંતેઃ ભંતે કહેતા સ્તુતિરૂપે ચઉવિસલ્લો આવશ્યક છે. સામાઈય : સામાયિક આવશ્યક છે. સાવજે જોગં પચ્ચખામિ : પચ્ચખાણ આવશ્યક છે. તસ્મતે : ગુરુવંદન આવશ્યક છે. પડિક્કમામિ ઃ પ્રતિક્રમણ આવશ્યક છે. અપાણે વોસિરામિ કાયોત્સર્ગ આવશ્યક છે. કરેમિભંતે સૂત્ર દ્વારા ભવ્યાત્માને ભવાંતની ભાળ મળે છે. નારકમાં દુઃખગ્રસ્ત જીવો, સ્વર્ગમાં સુખાસક્ત દેવો તિર્યંચમાં અજ્ઞાનવ્યસ્ત જીવોનું આ સદ્ભાગ્ય અતિ આંશિકપણે ક્વચિત પ્રાપ્ત થવાનો સંભવ છે. ભવ્યાત્મા મનુષ્ય જો આ સૂત્રનો મહિમા જાણે તો તો તેનો પૂર્ણ લાભ તેને પ્રાપ્ત થાય છે. દસ મનના દસ વચનના બાર કાયાના બત્રીસ દોષ રહિત આવા સામાયિક જેવા ધર્મને સેવતો નથી તો તે જીવનો કર્મરાજા પળે પળે હિસાબ કરે છે. જેવો ભાવ તેવું ભ્રમણ તારે ભાગે લખાશે. તે પ્રમાણે પરમાર્થનો પંથ પળેપળની શુદ્ધિ માંગે છે. જો તું સભાન છું તો શુદ્ધિનો પંથ ખુલ્લો છે. માટે આ એક જન્મ બત્રીસ દોષો રહિત શુદ્ધ સામાયિકને સમર્પિત થવાની ભાવના કેળવી લે. ૧૬૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૫. બહુસો સામાઈયં કુા . સામાયિક પારણ સૂરમ, સામાઈય વયજુતો. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ પ્રકાર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાવાતચારિત્ર. ગૃહસ્થ ધર્મમાં બાર વ્રતમાં સામાયિક નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. તે ૪૮ મિનિટના સમયથી મર્યાદિત છે. છતાં સામાયિક એ મોક્ષનું કારણ હોવાથી તેનો મહિમા અપરંપાર છે. પુણિયા શ્રાવકના બે ઘડીના શુદ્ધ સામાયિકનો મહિમા પ્રભુ મહાવીરે શ્રી મુખે શ્રેણિકને બતાવ્યો હતો. વળી સર્વે મુનિજનો, સંસારનો, સર્વસંગ પરિત્યાગ કરે છે ત્યારે આ જીવનના પ્રત્યાખ્યાન સામાયિકથી લે છે. ગૃહસ્થને આરંભાદિ હોવાથી તે વ્રતની મર્યાદામાં સામાયિક કરે છે. એટલે તેને સામાયિક પારવાનો વિધિ કરવો જરૂરી બને છે. તે વિધિ સૂચક આ સૂત્ર છે, અને એ સૂત્રનો પ્રતિધ્વનિ તો એ જ છે કે થઈ શકે તેટલી વાર પુનઃ પુનઃ સામાયિક કરવું જોઈએ. કારણ કે સામાયિક અશુભ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરવાનું વ્રત છે. છતાં પારવાનો વિધિ પરમાર્થથી વિચારીએ તો પારવું એટલે પાર ઊતરવું થાય છે. સમય થતાં સામાયિક પારવાની વિધિ પણ અગત્યની છે. સામાયિકમાં વ્યતીત થયેલો કાળ ઉત્તમ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે સર્વ-વિરતિયુક્ત સામાયિક આ જીવન માટે સર્વોત્તમ છે, તે ન થાય તો દેશ વિરતિ કરીને પણ સંસારભાવ ક્ષીણ કરવો. છેવટે શક્ય તેટલા સામાયિક કરવા. અરે છેવટે પર્વ દિવસે સામાયિક કરીને ભાવવિશુદ્ધિ કરવાનું ચૂકવું નહિ. કારણ કે સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે. જો સામાયિકને તપ કહો તો તે કોડો જન્મના તપથી જે કર્મો ન ખપે તે બે ઘડીના શુદ્ધ સામાયિકથી ખપે છે. આવા ઉત્કૃષ્ટ સાધનને જે સેવતો નથી તે ખરેખર હીન પુષ્યવાળો છે. પુણ્યવાન આત્માર્થી પુનઃ પુનઃ સામાયિક કરી સમભાવનું સુખ પ્રાપ્ત કરે છે. ચારે ગતિમાં ૧૬૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનું વ્રત માનવને તે પણ જૈન દર્શનમાં જ મળે છે. સામાયિક સ્વયં ઉત્કૃષ્ટ ક્રિયા છે. પરંતુ આત્મા હજી ઘણા શુભાશુભ સંસ્કારવાળો છે, તેથી બે ઘડી સુધી શુદ્ધભાવમાં ટકી ન શકે ત્યારે મન, વચન અને કાયાના સૂમ દોષો થઈ જાય છે. પણ તે દોષો પ્રત્યે અજાગૃત રહેવા જેવું નથી. તેથી તેવા દોષો પ્રત્યે જાગૃત રહેવા માટે મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ કુલ બત્રીસ દોષામાંથી કોઈ પણ દોષ સેવાઈ જાય તો તે પણ મિથ્યા થાઓ એવો ભાવ કરવાનો છે. કેવળ ભાવશુદ્ધિ માટેની આ ક્રિયાની ગંભીરતા બત્રીસ દોષો રહિત પ્રકારોથી સમજાય છે. ઉપકરણો લઈ બેસી જવું. સમય પૂરો કરવો. કંઈ જપ કે ક્રિયા કરી લેવાં તે પૂરતું નથી. આત્મા પૂર્ણપણે તે ક્રિયામાં જોડાયેલો રહે, આત્મ સ્વરૂપે ટકે, તે સામાયિકનું હાર્દ છે, અને તે અમૃત ક્રિયા છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રગટ કરે છે. માટે વારંવાર સામાયિક કરવું. છ આવશ્યકમાં સામાયિક પ્રથમ આવશ્યક છે. તે જ તેની વિશિષ્ટતા બતાવે છે. વળી સામાયિકમાં મોક્ષમાર્ગ સમાય છે. માટે પુનઃ પુનઃ સામાયિક કરવું. ૧. શ્રુત સામાયિક : સમ્યજ્ઞાન સ્વરૂપ છે. ૨. સમ્યકત્વ સામાયિકઃ સમ્યગુદર્શન સ્વરૂપ છે. ૩. ચારિત્ર સામાયિક સમ્યગુચારિત્ર સ્વરૂપ છે. તેમાં દેશવિરતિ સામાયિક અને ૪. સર્વવિરતિ સામાયિક. આ ચાર સામાયિકમાંથી, મનુષ્ય ચારે સામાયિકનો અધિકારી બની શકે છે. દેવને પ્રથમના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે. નારકને પ્રથમના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે. તિર્યંચને પ્રથમથી ત્રણ સુધીના સામાયિકની પ્રાપ્તિ હોય છે. જન્માંતર થતાં તે તે ગતિને યોગ્ય સામાયિક ઉત્પન્ન થાય છે. મુનિ મહાત્માને ચોથુ સર્વવિરતિ સામાયિક હોય છે. ૧૬૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ તીર્થંકરનું સંક્ષિપ્ત ચરિત્ર ૧. શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો હતો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થંકરોની માતાઓ પહેલા સ્વપ્ને સિંહ દેખે પણ મરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણી તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું. જેમને અરિસાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. ર. શ્રી અજિતનાથ : અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી. અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ રાખ્યું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું. ૩. શ્રી સંભવનાથ : શ્રાવસ્તિ નગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું. ૪. શ્રી અભિનંદન સ્વામી : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈંદ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું જે એ ગર્ભનો જ મહિમા ૧૬૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ છે; માટે અભિનંદન નામ રાખ્યું. સાડા ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા. - પ. શ્રી સુમતિનાથઃ અયોધ્યા નગરીમાં જન્મ હતો. તેમના પિતા મેઘરથ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યાં હતા તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં નાનીને પુત્ર હતો અને મોટી વંધ્યા હતી, પણ તે છોકરાનું પ્રતિપાલન બંને માતાઓ કરતી હતી. એમ કરતાં તે વાણિયો જ્યારે મરણ પામ્યો ત્યાં મોટી સ્ત્રી ધનની લાલચે કહેવા લાગી કે “આ પુત્ર મારો, માટે જેનો પુત્ર તેનું ધન થાય” તેમજ નાનીનો તો દીકરો હતો તેથી તેણે કહ્યું કે “એ પુત્ર મારો છે અને ધન પણ મારું છે.” એમ બન્ને શોક્યોનો ટંટો થયો. તે વઢતી વઢતી દરબારમાં આવી, તે વારે ગર્ભના મહિમાથી રાણીને ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી એ બંનેને રાણીએ કહ્યું કે “બન્ને મળીને ધન અર્થો વહેંચી લો અને છોકરાના પણ બે ભાગ કરી અર્ધા અર્થો વહેંચી લો !” તે સાંભળી નાની સ્ત્રી બોલી કે “મારે દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ. એ છોકરો એનો છે તે મારો જ છે.” તે સાંભળી રાણી બોલી કે “પુત્ર નાની સ્ત્રીનો છે. કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી મોટી સ્ત્રીથી ના કહેવાણી નહિ અને નાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી, માટે પુત્ર અને ધન એને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘરથી બહાર કાઢો.” ગર્ભના મહિમાથી ભગવંતની માતાને એવી બુદ્ધિ ઉપજી તે માટે “સુમતિ” નામ રાખ્યું. તેમનું ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ તથા લાંછન ક્રૌંચપક્ષીનું હતું. ૬. શ્રી પદ્મપ્રભુ સ્વામી - કૌશાંબી નગરીમાં જન્મ હતો. તેમના પિતા શ્રી ધરરાજા અને સુસી મારાણી માતા હતાં. ગર્ભે આવ્યા પછી માતાને કમળની શય્યામાં સૂવાનો દોહલો ઉપજ્યો. (જે દેવતાએ પૂર્ણ કર્યો) તેથી અને ભગવંતનું શરીર પદ્મ (કમલ) સરખું રક્તવર્ષે હતું તેથી પવપ્રભુ રાખ્યું. તેમનું અઢીશું ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પાનું હતું તથા વર્ષે રક્ત હતા. ૧૬૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્રી સુપાર્શ્વનાથઃ વારાણસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુપ્રતિષ્ઠ રાજા અને પૃથ્વીરાણી માતા હતાં. માતાનાં બંને પાસાં રોગે કરી વ્યાપ્ત હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી બંને પાસાં સુવર્ણવર્ણ અને ઘણાં સુકોમળ થયાં માટે સુપાર્થ નામ રાખ્યું. (એક પ્રતમાં ભગવંતના પિતાનાં બે પાસાં કોઢ રોગવાળાં હતાં તેને ભગવંતની માતાએ હાથ ફેરવ્યાથી સુકુમાળ નિરોગી થયાં એવો પાઠ લખ્યો છે.) તેમનું બસો ધનુષ્ય પ્રમાણ શરીર, વિશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણવર્ણ અને લાંછન સાથિયાનું હતું. ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી ઃ ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજા અને લક્ષ્મણા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાનો દોહલો ઉપન્યો (જે પ્રધાને બુદ્ધિએ કરી પૂર્ણ કરાવ્યો) એ ગર્ભનો પ્રભાવ જાણી ચંદ્રપ્રભુ નામ રાખ્યું. તેમનું એકસો પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. વર્ણ શ્વેત અને લાંછન ચંદ્રનું હતું. ૯. શ્રી સુવિધિનાથ : (એમનું બીજું નામ પુષ્પદંત છે.) તેમનો કાકંદી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુગ્રીવરાજા અને શ્યામા રાણી માતા હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી માતા તથા પિતા ભલી વિધિએ કરી ધર્મ કરવા લાગ્યાં. એવો ધર્મનો પ્રભાવ જાણી સુવિધિનાથ નામ રાખ્યું અને મચકુંદનાં ફૂલની કળી સરખા પ્રભુના ઉજ્જવળ દાંત હતા માટે બીજું પુષ્પદંત નામ દીધું. તેમનું એકસો ધનુષ્ય પ્રમાણ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય. શ્વેત વર્ણ અને મગરમચ્છ લાંછન હતું. ૧૦. શ્રી શીતલનાથઃ ભદિલપુર નગરીમાં જન્મ હતો. તેમના દઢરથ રાજા અને નંદા રાણી માતા હતાં. પિતાના શરીરે દાહર્પોર થયો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણીએ હાથ ફેરવ્યાથી શીતલતા થઈ, એવો ગર્ભનો મહિમા જાણી શીતળનાથ નામ રાખ્યું. તેમનું નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવચ્છનું લાંછન હતું. ૧૧. શ્રી શ્રેયાંસનાથ : સિંહપુર નગરમાં જન્મ હતો. તેમના ૧૬૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ પિતા વિષ્ણરાજા અને વિષ્ણુરાણી માતા હતાં. કોઈ દેરાસરમાં પરંપરાગત દેવતાધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તે શય્યાએ જે બેસે અથવા સૂવે તેને ઉપદ્રવ ઊપજે. જે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાના મનમાં આવ્યું. જે દેવગુરુની પ્રતિમાની પૂજા થાય તો તે ખરું છે; પણ શય્યાની પૂજા તો ક્યાંયે સાંભળી નથી; એમ ચિતવી શવ્યાની રક્ષા કરનાર પુરુષે મનાઈ કર્યા છતાં પણ પ્રભુની માતા તે શય્યા ઉપર બેઠાં તથા સૂતાં, તે છતાં ગર્ભના પ્રભાવથી અધિષ્ઠાયક દેવતા ઉપદ્રવ ન કરી શક્યો અને શય્યા મૂકી જતો રહ્યો. ત્યારપછી રાજા પ્રમુખે તે શય્યા વપરાશમાં લીધી, એવો ગર્ભનો મહિમા જાણી શ્રેયાંસ નામ રાખ્યું. તેમનું એંશી ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ હતો અને લાંછન ગેંડાનું હતું. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી : ચંપાપુરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વાસુપૂજ્ય રાજા અને જયારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈદ્રમહારાજ વારંવાર આવી વસુ એટલે રત્નની વૃષ્ટિ કરીને માતા-પિતાની પૂજા કરતા, તેથી વાસુપૂજ્ય નામ રાખ્યું. તેમનું સિત્તેર ધનુષ્ય પ્રમાણ શરીર, અને બહોંતર લાખ વર્ષનું આયુષ્ય હતું. રક્તવર્ણ અને લાંછન પાડાનું હતું. ૧૩. શ્રી વિમળનાથ : કંપિલપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા કૃતવર્મ રાજા અને શ્યામારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી-ભર્તાર દેહરે આવી ઊતર્યા. ત્યાં કોઈ વ્યંતરી દેવી રહેતી હતી, તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી તેણીને કામક્રીડા કરવાની અભિલાષા થઈ. પછી તેની સ્ત્રીના જેવું પોતાનું રૂ૫ વિદુર્વા વ્યંતરી તે પુરુષની પાસે સૂતી. પ્રભાતે બંને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું “જે આમાં મારી સ્ત્રી કોણ છે ?” ત્યારે પહેલી બોલી કે એ મારો ભર્તાર છે. અને બીજી બોલી કે એ મારો ભર્તાર છે. એમ વઢતાં વઢતાં સર્વ રાજા પાસે આવ્યાં. રાજા તથા પ્રધાન બેઉ સ્ત્રીને સમાન દેખી કોઈ રીતે નિવડો કરી શક્યા નહિ, પણ રાણીએ પુરુષને દૂર ઊભો રાખ્યો અને બંને સ્ત્રીઓને પણ દૂર ઊભી રાખીને કહ્યું કે “જે પોતાના સત્યના પ્રભાવથી ભર્તારને સ્પર્શ કરે તેનો એ ૧૬૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ભર્તાર જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો વ્યંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે” એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ રાખ્યું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું. ૧૪. શ્રી અનંતનાથ : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્નમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માલા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના રોગ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ રાખ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિંચાણાનું જાણવું. ૧૫. શ્રી ધર્મનાથસ્વામી : રત્નપુર નગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રાગ થયો. એવો ગર્ભનો મહિમા જાણી ધર્મનાથ નામ રાખ્યું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજ જાણવું. ૧૬. શ્રી શાંતિનાથ : ગજપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસેન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. તે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાંતિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી, શાંતિનાથ નામ રાખ્યું. તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું. ૧૦. શ્રી કુંથુનાથઃ હસ્તિનાપુર નગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા ૧૬૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ પછી માતાજીએ સ્વપ્નમાં રત્નનો રાશિ પૃથ્વીને વિષે દીઠો તથા શત્રુ હતા તે કુંથુઆની જેવા ન્હાના થયા અથવા કુછુઆ પ્રમુખ હાનામોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી તેથી કુંથુનાથ નામ દીધું. તેમનું પાંત્રીશ ધનુષ્યનું શરીર અને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન છાગ (બોકડા)નું જાણવું. ૧૮. શ્રી અરનાથ ઃ ગજપુર નગરમાં જન્મ હતો, તેમના પિતા સુદર્શન રાજા અને દેવીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી રાણીએ સ્વપ્નમાં રત્નમય આરો તથા રાશિ દીઠાં. એવો ગર્ભનો મહિમા જાણી અરનાથ નામ દીધું. તેમનું ત્રીશ ધનુષ્ય શરીરનું માન અને ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન નંદાવર્તનું જાણવું. ૧૯. શ્રી મલ્લિનાથઃ મિથિલાનગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા કુંભરાજા અને પ્રભાવતીરાણી માતા હતાં. ભગવત ગર્ભે આવ્યા પછી માતાને એક રાત્રીએ છએ ઋતુનાં ફૂલની શય્યાએ સૂવાનો દોહલો ઉપન્યો, તે દેવતાએ પૂર્યો, એવો પ્રભાવ જાણી શ્રી મલ્લિનાથ નામ દીધું, તેમનું પચીશ ધનુષ્ય શરીરનું માન અને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય જાણવું, નીલ વર્ણ તથા લાંછન કુંભનું જાણવું. ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી : રાજગૃહ નગરમાં જન્મ હતો. તેમના પિતા સુમિત્રરાજા અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતા-પિતા મુનિરાજની પેરે શ્રાવકના ભલા બાર વ્રત સાચવવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું. ર૧. શ્રી નમિજિન : મિથિલા નગરીમાં જન્મ્યા હતા, તેમના પિતા વિજય રાજા અને વપ્રા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ રાજા હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચારે બાજુ લશ્કરનો પડાવ નાખી વીંટી લીધો. રાજાને ઘણી બીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢીને શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનું તેજ વૈરી રાજાઓથી ખમાયું નહિ, તેથી સર્વ આવીને ૧૬૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્યદૃષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોતપોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ રાખ્યું. તેમનું પન્નર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલકમળનું જાણવું. ન ૨૨. શ્રી અરિષ્ટનેમિ પ્રભુનો શૌરીપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્નમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઊછળતું દીઠું, એવો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ રાખ્યું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું હતું. ૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી ઃ વારાણસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્પે જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઊંચો કીધો. તેથી રાજા ઊઠયો ને બોલ્યો કે શા માટે હાથ ઊંચો કિધો ? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે તમે જૂઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો ને રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ રાખ્યું. તેમનું નવ હસ્તપ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા લાંછન સર્પનું જાણવું. ર૪. શ્રી વર્ધમાનસ્વામી : ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધનધાન્યાદિકના ભંડાર તથા દેશ-નગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ રાખ્યું. વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગૂઠે ચાંપ્યો તથા આમલકી ક્રિીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈદ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોંતેર વર્ષનું આયુષ્ય જાણવું. ૧૭૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રી મહાવીરસ્વામી ૨૪મા તીર્થકર થયા, ત્યાર પછી કોઈપણ તીર્થકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જે જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રી વીરપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના. ૦ મુખ્યપણે કર્મક્ષયનું કારણ તીર્થકરો છે. ૦ બોધિબીજની પ્રાપ્તિના હેતુ છે. ૦ ભવાંતરે પણ બોધિની પ્રાપ્તિ કરાવનાર છે. • સર્વ વિરતિના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. ૦ ભવ્યજીવોના પરમ હિતોપદેશક છે. ૦ રાગદ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ આદિ દુષ્ટ તત્ત્વોથી પેદા થતાં સંતાપને શાંત કરે છે. • તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, રૈલોક્ય પ્રકાશક છે. ત્રણે લોકમાં પૂજનીય છે. પરમ પૂજ્યોના પણ પૂજ્યતર છે. તીર્થકરોના ગુણોનો મહિમા અપરંપાર છે તે ઉપકારી તીર્થકર ભગવંતની સંયમ સહિત જે આરાધના કરે છે તે સિદ્ધિપદને પામે છે. એવા પરમાત્માની આરાધના મળવી તે મહાપુણ્યયોગ છે. કાયોત્સર્ગમાં લોગસ્સ-સ્તવની વિશેષતા છે. કારણ કે અનંત ચોવીસી યુક્ત અનંત તીર્થંકર પરમાત્માને સાધકના વંદન-ભાવ પહોંચે છે. સાધક પોતે તીર્થંકરની સ્તવના વડે પવિત્ર થાય છે. બોધિ-બીજની પ્રાપ્તિ કરીને મુક્તિ સુધીની યાત્રા કરવામાં સમર્થ થાય છે. તિથ્યયરામે પસીયંત પ્રભુ તમે પ્રસન્ન થાઓ. લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરના અનુગ્રહનો ભાવ છે. અરિહંત પરમાત્મા માના વાત્સલ્ય કરતાં અનેકગણા પરોપકારી છે. તેઓ પ્રસન્ન છે, તો સમગ્રવિશ્વ તારા પ્રત્યે પ્રસન્ન છે. એવા પ્રભુને પ્રસન્ન કરવા હું આ સંસારની જંજાળ ત્યજી દે, એક ભવ તેમને પ્રસન્ન કરવામાં ગાળ તો, તેઓ તને તેમની સમાન પદે પહોંચાડશે. ૧૭૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના વિશિષ્ટ દ્રષ્ટાંતો સામાયિકના આઠ પ્રકાર તથા તેનાં જીવંત દૃષ્ટાંત. સમભાવ સામાયિકઃ સર્વ જીવ પર સમદષ્ટિ. સમયિક સામાયિક : સર્વ જીવ પર અનુકંપા-દયા ભાવ. સમવાદ સામાયિક : રાગાદિ રહિત યથાર્થ વચન બોલવાં. સમાસ સામાયિક : સંક્ષિપ્તમાં તત્ત્વનો બોધ થવો. સંક્ષેપ સામાયિકઃ થોડા ચિંતનાત્મકભાવથી કર્મના નાશની વિચારણા. પરિજ્ઞા સામાયિક : તત્ત્વનું જ્ઞાન થવું. અનવદ્ય સામાયિક : પાપ રહિત પ્રવૃત્તિ કરવારૂપ. પ્રત્યાખ્યાન સામાયિક : વિર્ય વસ્તુનો ભાગ – પચ્ચકખાણ. (૧) સમભાવ સામાયિક ઉપર દમદંતમુનિની કથા : હર્ષપુર નગર, દમદંત નામનો રાજા. રાજા બહુ પરાક્રમી હતો. એક વારે તે પોતાના મિત્ર રાજા જરાસંઘને યુદ્ધમાં સહાય કરવા ગયો. તે વખતે હસ્તીનાપુરના રાજા પાંડવોએ તથા કૌરવોએ હર્ષપુરને ઘેરો ઘાલી જીતી લીધું. દમદંત રાજાને ખબર પડી. પોતાની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવનાર પાંડવો કૌરવો સાથે યુદ્ધ કરી, વિજયી બની પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દમદંત રાજા શાન્તિથી રાજ્યસુખ ભોગવી રહ્યો છે, એક વાર રાજમહેલની અગાસીમાં બેઠેલા રાજાએ આકાશને ચોમેર વાદળોથી ઘેરાઈ ગયેલું અને થોડીવાર પછી વિખરાઈ ગયેલા વાદળોવાળું જોઈ રાજાના મનમાં વિચાર આવ્યો. મનોહર દેખાતાં વાદળોને ક્ષણવારમાં વિખરાતાં વાર ન લાગી તેમ મારી આ રાજરિદ્ધિ વૈભવ.. વિખરાતાં શી વાર? મારા આયુષ્યનો પણ શો ભરોસો? આ રીતે વિશ્વના ભાવોની અનિત્યતાના વિચારોમાં ચડેલો રાજા વૈરાગ્ય ભાવમાં આગળ વધ્યો. રાજ્ય પોતાના પુત્રને સોંપી અસાર સંસારને તિલાંજલિ આપી. ચારિત્રધર્મ સ્વીકાર્યો અને હસ્તિનાપુર નગરની બહાર કાઉસ્સગ ધ્યાને ઊભા રહ્યા. કેટલોક સમય ગયા પછી ત્યાંથી પસાર થઈ રહેલા પાંડવોએ દમદંત રાજર્ષિને જોયા અંતરથી તેમના મુનિપણાને ધન્યવાદ આપ્યા, ૧૭૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ તેમના ત્યાગની પ્રશંસા કરી અને ત્રણ પ્રદક્ષિણા આપી દમદંતમહર્ષિની ભક્તિભાવે સ્તુતિ કરી પાંડવો બગીચા તરફ આગળ ગયા. થોડીવાર પછી કૌરવો ત્યાંથી નીકળ્યા. દમદંતમુનિને જોઈને વિચાર આવ્યો કે આપણને યુદ્ધમાં હરાવનાર આ છે. ક્રોધના આવેશમાં આવી કૌરવોએ મુનિ ઉપર ઈટો-પથ્થરો વગેરે ફેંકી મુનિને દાટી દીધા. કુબુદ્ધિને ધારણ કરનારા કૌરવોએ હેવાનિયતભર્યું કામ કરવા છતાં સમતાના સાગર દમદંતમુનિ સહેજપણ શુભધ્યાનથી ચલાયમાન ન થયા. થોડીવાર પછી પાછા ફરેલા પાંડવોએ દમદંતમુનિને જોયા નહીં અને એ જગ્યાએ લાકડાં, ઈંટો અને પથ્થરોનો ઢગલો જોઈ પાંડવોએ વિચાર કર્યો આ કામ કૌરવો સિવાય બીજા કોઈનું હોય નહીં, અને તરત જ તેઓએ ઈંટો વગેરેના ઢગલાને વિખેરી નાંખ્યો. મુનિરાજને પૂર્વવત્ ધ્યાન અવસ્થામાં ઊભેલા જોયા. કૌરવો માટે તેમને ઘણો ખેદ થયો. ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા મુનિની પ્રશંસા કરી તેમને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. દમદંતમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમને નથી પાંડવો ઉપર રાગ કે કૌરવો ઉપર દ્વેષ. તેઓ મનમાં એમ વિચારે છે કે, પાંડવોએ મને વંદન કર્યું તે મારું નથી. પરંતુ મારા પૂર્વભવના યશનામકર્મનું ફળ છે અને કૌરવોએ અવગણના કરી તે મારા પૂર્વભવનાં અપયશનામકર્મનું ફળ છે. તે બંનેએ મારા એ શુભાશુભ કર્મોમાંથી મને નિવૃત્ત-મુક્ત કર્યો તેથી તેઓ મારા ઉપકારી છે. આવી ઉચ્ચ વિચારશ્રેણી ઉપર ચઢતાં ચઢતાં રાગદ્વેષરૂપ શત્રુઓ ઉપર વિજય મેળવી, સમભાવમાં લીનતા કેળવી ધાતિકર્મનો ક્ષય કરી દમદંતમુનિ કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા ! (ર) સમયિક સામાયિક ઉપર શ્રીમેતાર્યમુનિની કથા : રાજગૃહી નગરીમાં એક સોની રહેતો હતો, તે સારો કારીગર હતો. મગધસમ્રાટ શ્રેણિક રાજાનો એ માનીતો સોની હતો. મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીરદેવની ભક્તિ માટે રોજ ૧૦૮ સોનાનાં જવ એની પાસે ઘડાવતા... એક વાર સોની સોનાના જવ ઘડી રહ્યો હતો. ત્યાગી તપસ્વી ૧૭૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય નામના મુનિવર માસક્ષમણના પારણે ફરતા ફરતા સોનીને ઘેર આવ્યા. ધર્મલાભ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સોનીએ ઊભા થઈ ભક્તિપૂર્વક મુનિરાજને આહાર વહોરાવ્યો ! મુનિરાજના નીકળી ગયા પછી સોની મુનિરાજના ત્યાગ-વૈરાગ્યની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો ! પાછો દુકાન ઉપર જઈને જોયું તો પેલા જવ દેખાયા નહીં. એને વિચાર આવ્યો કે મુનિ સિવાય બીજું કોણ જવલાં લઈ જાય? આ કોઈ પાખંડી મુનિ લાગે છે. ગુસ્સામાં આવી તપાસ કરતો મુનિરાજ પાસે આવ્યો ! “તમે મારા સોનાના જવ લઈ ગયા છો તે પાછા આપો” એમ સોનીએ કહ્યું. મુનિરાજ વસ્તુસ્થિતિનો વિચાર કરી મૌન રહ્યા. મુનિરાજના મૌનથી સોનીનો ગુસ્સો ઓર વધી ગયો... મુનિરાજને શિક્ષા કરવાના વિચારથી તેમને પ્રચંડ તાપમાં ઊભા રાખ્યા અને માથા ઉપર ભીની વાધર (ચામડું) કચકચાવીને બાંધી ! પ્રચંડ તાપથી મુનિના પગમાં ફોલ્લા ઊઠયા અને ભીની વાધર જેમ સુકાતી ગઈ તેમ માથાની નસો ખેંચાવા લાગી....! ડોળા બહાર નીકળ્યા ! પરંતુ મહાત્માએ પ્રાણાંત અસાવેદના સમભાવે સહન કરી. અંતકૃત કેવલી થઈ નિર્વાણપદને પામ્યા! મુનિરાજે પૂર્વભવમાં કુલમદ કર્યો હતો. તેથી નીચકુળમાં અવતાર થયો. ઘોર પીડાનું કાળું કૃત્ય કરનાર સોની ઉપર મુનિરાજને લેશમાત્ર રોષ નહોતો. ઉપરથી કરુણાનો વરસાદ વરસાવી રહ્યા હતા. મુનિરાજ જાણતા હતા કે સામે ઝાડ ઉપર બેઠેલું કૌચપક્ષી જવ ચણી ગયું છે પણ હું વાત કરીશ તો સોની એ પક્ષીને મારી નાંખશે. ક્રૌંચપક્ષીને કોઈ ઈજા ન થાય એ ઉદાત્તભાવનાથી મુનિરાજ મૌન રહ્યા હતા. એ અરસામાં કોઈ સ્ત્રીએ લાકડાનો ભારો લાવીને ઝાડ નીચે નાંખ્યો. ઉપર બેઠેલું કૌંચપક્ષી ઝબકી ગયું ! એણે વિષ્ટા કરી. એમાં પેલા સોનાના જવા નીકળ્યા. સોનીએ દુકાનમાં બેઠા બેઠા જોયા ! સત્ય હકીકત જાણ્યા પછી સોનીને ભારે પશ્ચાત્તાપ થયો. રાજાના ભયથી અને પાપના પશ્ચાત્તાપથી એનું અંતઃકરણ શુદ્ધ બન્યું! એણે પણ ભાગવતી દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું, સદ્ગતિગામી બન્યો ! ૧૭૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૩) સમવાદ સામાયિક ઉપર શ્રીકાલિકસૂરિની કથા : તુરમિણી નગરીમાં કુંભનામે રાજા રાજ્ય કરતો હતો ! તેને દત્ત નામનો પુરોહિત હતો. એના ઉપર રાજની ખૂબ સારી મહેરબાની હતી ! રાજાએ એને મંત્રીનો હોદો આપી દીધો હતો ! કીર્તિનો ભૂખ્યો દત્ત ઘણાં હિંસક યજ્ઞો કરાવતો હતો. ચારે બાજુ એની ખ્યાતિ ફેલાયેલી હતી.. આગળ જતાં એને રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. દુર્બુદ્ધિવાળા દત્તે પોતાના ઉપકારી રાજા કુંભને કેદ કર્યો અને પોતાને રાજા તરીકે જાહેર કર્યો ! એક વાર શ્રીકાલિકસૂરિજી મહારાજ વિહાર કરતાં કરતાં એ નગરમાં આવી પહોંચ્યા ! આચાર્ય મ. દત્તના સંસારી મામા થયા હતા. દત્તની માતા જૈનધર્મને માનનારી હતી. દત્ત વૈદિકધર્મનો અનુયાયી હોવાથી હિંસકયજ્ઞમાં માનનારો હતો ! તેથી એને શ્રી કાલિકાચાર્યને વંદન કરવા જવાની ઈચ્છા ન હતી... પરંતુ માની આજ્ઞા પાળ્યા વિના ચાલે તેમ ન હતું. વંદન કરવા આવેલા દત્તને આચાર્ય મહારાજે અહિંસક ભાવયજ્ઞનો ઉપદેશ આપ્યો, પરંતુ દત્તને એ ગમ્યો નહીં. એક વાર દત્ત ક્રોધના આવેશમાં આવી આચાર્યશ્રીને પૂછ્યું. આપ શાસ્ત્રજ્ઞ છો. વિદ્વાન છો તો મને કહો કે મારા રાજ્યમાં ચાલતા યજ્ઞોનું ફળ શું છે? આચાર્યશ્રીએ કોઈપણ જાતની શેહશરમમાં તણાયા વગર કહ્યું. દત્ત ! હું નિશ્ચિતપણે કહું છું કે, આ યજ્ઞોનું ફળ નરકગતિ છે. દત્તે કાલિકાચાર્યને પૂછયું. તમે કહો છો તેની ખાત્રી શું? આચાર્ય ભગવંતે કહ્યું, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિષ્ટા તારા મુખ ઉપર પડશે અને તે પછી તું લોખંડની કોઠીમાં પુરાઈશ. દત્તે પૂછ્યું, તમારી કઈ ગતિ થશે? આચાર્ય મ. બોલ્યા : ધર્મના પ્રભાવે અમે સ્વર્ગે જઈશું. આ સાંભળી ગુસ્સે થયેલા દત્તે કહ્યું - તમારા કહેવા પ્રમાણે સાતમે દિવસે નહીં બને તો તેમને ખતમ કરી નાખીશ. ત્યારબાદ શ્રીકાલિકાચાર્યની આજુબાજુ રાજસેવકોનો પહેરો ગોઠવી દીધો, અને ૧૭૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ પોતે શહેરમાં જઈ તમામ રસ્તાઓમાંથી અપવિત્રતા દૂર કરાવી, બધે પુષ્પો પથરાવ્યા! પોતે અંતઃપુરમાં રહ્યો ! આમ છ દિવસ વીત્યા. સાતમે દિવસે આઠમા દિવસની ભ્રાંતિથી ક્રોધના આવેશમાં આવી ઘોડા ઉપર સવાર થઈ શ્રીકાલિકાચાર્યજીને મારવા નીકળ્યો! રસ્તામાં કોઈ વૃદ્ધ માણસ ઉતાવળથી રસ્તા ઉપર વિષ્ટા કરી તેના ઉપર ફૂલો ઢાંકી ચાલ્યો ગયો હતો, દત્તના ઘોડાનો પગ તેના ઉપર પડયો તેથી વિષ્ટા ઊછળીને દત્તના મોઢા ઉપર પડી. આચાર્યદેવનાં વચનો સાચાં લાગવાથી દત્ત પાછો ફર્યો. જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુ રાજાને ગાદીએ બેસાડી દીધો. સામંત રાજાઓએ વિચાર્યું કે, આ જીવતો રહેશે તો પાછો હેરાન કરશે તેથી તેને લોખંડની કોઠીમાં પૂરી દીધો. ત્યાં મરણ પામીને દત્ત નરકે ગયો ! અહીં દત્તની કોઈ જ શેહશરમ રાખ્યા વગર યજ્ઞનું ફળ નરક છે એવી પ્રરૂપણા કરી એ શ્રીકાલિકાચાર્ય મ.નું સત્ય બોલવારૂપ સમવાદ સામાયિક કહેવાય ! (૪) સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રની કથાઃ રાજગૃહી નગરીમાં ધનદત્ત નામનો વ્યાપારી રહેતો. શેઠને સુસમા નામની પુત્રી હતી. તેમના ઘરમાં ચિલાતીપુત્ર નામનો દાસ હતો. તે સુસમાને રમાડતો. દુષ્ટ સ્વભાવવાળા અને વ્યસની ચિલાતીપુત્રને સુસમા સાથે કુચેષ્ટા કરતો જોઈ શેઠે તેને કાઢી મૂક્યો. નજીકના જંગલમાં ચોરોની પલ્લીમાં જઈને રહ્યો. ચોરી કરવામાં કુશળ બન્યો. ચોરોને નાયકના મૃત્યુ પછી શરીરે બળવાન અને બાહોશ ચિલાતીપુત્ર પાંચસો ચોરોનો નાયક બન્યો ! એક દિવસ ચિલાતીપુત્ર, ઘણા ચોરોને સાથે લઈ ધનદત્ત શેઠને ત્યાં ચોરી કરવા ગયો. ઘણું ધન અને સુસમાં કન્યાને ઉપાડી ચિલાતીપુત્ર ભાગ્યો. શેઠને ખબર પડી એટેલે પોતાના ચાર પુત્રો સાથે શેઠ ચોરની પાછળ ભાગ્યા... પાંચે જણા પોતાની નજીક આવી ગયા એટલે ભયથી ચિલાતીપુત્રે સુસમાનું માથું તલવારથી કાપી નાંખ્યું. ધડ ત્યાં જ પડયું, માથું લઈને ચિલાતીપુત્ર આગળ ભાગ્યો. એક ૧૭૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ હાથમાં માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. સુસમાના મરણથી હતાશ શેઠ વધારે આગળ ન વધી શક્યા ! માર્ગે આગળ ચાલતા ચિલાતીપુત્રની નજર કાયોત્સર્ગ ધ્યાનને ઊભેલા મુનિરાજ ઉપર પડી. ચિલાતીપુત્રે મુનિરાજને કહ્યું ધર્મશું? તે કહો નહીંતર આ તલવારથી તમારું પણ શિર છેદી નાખીશ! મુનિરાજ નમો અરિહંતાણં' પદ બોલી આકાશમાં ઊડયા અને ઊડતાં ઊડતાં કહેતા ગયા કે ઉપશમ, - વિવેક, સંવર આ ત્રણ પદ ધર્મમય છે. ચિલાતીપુત્ર ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો. પોતાનામાં એક પણ ગુણ ન જોયો ત્યારે બેય હાથમાં રહેલા મસ્તક અને તલવારને બાજુએ મૂકીને જ્યાં મુનિરાજના પગલાં હતાં ત્યાં કાઉસ્સગ ધ્યાને ઊભો રહી ગયો ! લોહીની ગંધથી કીડીઓ તથા ધીમેલો આવીને તેને કરડવા લાગી. આખા શરીરને ચાળણી જેવું બનાવી દીધું... તો પણ સમતાભાવ અખંડ જાળવી રાખ્યો. ત્રીજે જ દિવસે કાળધર્મ પામી ચિલાતીપુત્ર દેવ થયો. - આ રીતે થોડા શબ્દોમાં ઘણું તત્ત્વ જાણવું એ સમાસ સામાયિક કહેવાય. (૫) સંક્ષેપ સામાયિક ઉપર ચાર પંડિતોની કથાઃ વસંતપુર નગરમાં વિદ્યાવ્યાસંગી જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એક દિવસ ચાર પંડિતોને બોલાવી મને શાસ્ત્રો સંભળાવો એમ જણાવ્યું. અને પૂછયું કે તમારી પાસે કેટલાં મોટાં શાસ્ત્રો છે? પંડિતોએ કહ્યું- અમારી પાસે લાખ - લાખ શ્લોક પ્રમાણ (ચાર લાખ શ્લોક) શાસ્ત્ર છે. રાજાએ કહ્યું – એટલા બધા શ્લોકવાળાં શાસ્ત્રો સાંભળવાનો મારી પાસે સમય નથી ! છેવટે ચારે પંડિતોએ ચાર લાખ શ્લોકના સારભૂત એક જ શ્લોક બનાવીને રાજાને સંભળાવ્યો. जीर्णे भोदनमात्रेयः, कपिलः पाणिषु दया । बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मार्दवम् ॥ ભાવાર્થ અમારા ચારમાં જે આત્રેય નામનો પંડિત છે એ કહે છે. જૂનું ભોજન જીર્ણ થાય, પચી જાય પછી નવું ભોજન કરવું ૧૭૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ એવો વૈદ્યકશાસ્ત્રનો સાર છે, અભિપ્રાય છે. કપિલ નામનો પંડિત કહે છે કે, “સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે.” બૃહસ્પતિ નામનો ત્રીજો પંડિત કહે છે કે, પૈસાના વિષયમાં કોઈનો ય વિશ્વાસ ન કરવો' એ અર્થશાસ્ત્રનો સાર છે અને પાંચાલ નામનો પંડિત કહે છે - સ્ત્રી પ્રત્યે કોમલ ભાવ રાખવો પણ કઠોર ન થવું... એ કામશાસ્ત્રનું રહસ્ય છે. આ રીતે ચાર પંડિતોએ ચાર લાખ શ્લોકનો સાર એક જ શ્લોકમાં બતાવ્યો તેમ સાગરસમાં દ્વાદશાંગીશાસ્ત્રોનો સાર બહુ થોડા શબ્દોમાં સમજવો તે સંક્ષેપ સામાયિક. (૬) અનવધ સામાયિક ઉપર શ્રી ધર્મચિની કથા : આચાર્યભગવંત શ્રીધર્મઘોષસૂરિજી મ.ના તપસ્વી શિષ્યરત્ન શ્રીધર્મરુચિ અણગાર માસક્ષમણના પાણે ગુરુદેવની આજ્ઞા લઈ ગોચરી માટે નીકળ્યા... ફરતા ફરતા મહામુનિએ રોહિણી બ્રાહ્મણીના ઘરમાં ધર્મલાભપૂર્વક પ્રવેશ કર્યો. તેના ઘરમાં ઝેર જેવી કડવી તુંબડીનું શાક કર્યું હતું તે ધર્મના દ્વેષથી રોહિણીએ તપસ્વી મુનિરાજને વહોરાવી દીધું. મુનિએ પોતાની સામાચારી પ્રમાણે ગુરુદેવને ગોચરી બતાવી. ગુરુએ વિષમય કડવી તુંબડીનું શાક જાણીને મુનિને કહ્યું; આ ઝેરી આહાર નિરવદ્ય (જીવરહિત) સ્થાને જઈને પરઠવી આવો અને બીજો આહાર લાવીને પારણું કરો. ગુરુ મ.ની આજ્ઞાથી ધર્મરુચિ અણગાર વિષમય ગોચરી પરઠવા માટે ગયા. એક ટીપું પરઠવ્યું ત્યાં તો તેની ગંધથી એના ઉપર અનેક કીડીઓ આવીને વળગી... અને મરણ પામી. જીવોનો સંહાર જોઈ, પાપના ભયથી એ મુનિ સર્વજીવોને ખમાવી પોતાની કાયાને જ શાક પરઠવવા માટે સૌથી નિરવદ્ય સ્થાન સમજી કડવી તુંબડીના શાકને પોતે જ વાપરી ગયા... જોતજોતામાં તો આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું! સમાધિપૂર્વક મરણ પામી મહામુનિ સ્વર્ગે સિધાવ્યાં!! આ રીતે ધર્મરુચિ અણગારનું નિષ્પાપ-નિરવદ્ય આચરણરૂપ આ અનવદ્ય સામાયિક કહેવાય. (0) પરિજ્ઞા સામાયિક ઉપર શ્રી ઈલાપુત્રની કથા : ૧૭૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઈલાવર્ધન નગર, ધનદત્ત શેઠ, તેમને ધનવતી નામની પત્ની હતી. ઈલાદેવીની સેવા કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તેથી ઈલાપુત્ર' નામ સ્થાપન કર્યું ! એ જ નગરમાં એક દિવસ એક નટ પોતાની મંડળી સાથે આવી નાગરિકોને મનોરંજન કરાવતો હતો. નટની સ્વરૂપવાન પુત્રીને જોઈ પૂર્વભવના સ્નેહના કારણે ઈલાપુત્ર એના ઉપર મોહિત થયો ! ઈલાપુત્ર ઘરે આવીને પિતાને કહેવા લાગ્યો. મને નટપુત્રી સાથે પરણાવો, હું મરી જઈશ તોય બીજી કન્યા સાથે લગ્ન નહીં કરું... પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું. વત્સ! એ નીચ જાતિની કહેવાય, અમે તને ઉત્તમ રૂપવતી, લાવણ્યવતી કન્યા પરણાવીશું. ઘણું સમજાવવા છતાં કોઈ રીતે ઈલાપુત્ર ન જ માન્યો ત્યારે ધનદત્ત નટ પાસે જઈ તેની પુત્રીનું માગું કર્યું. નટે કહ્યું : અમારી નાચવાની કળા શીખી, ધન ઉપાર્જન કરી અમારી જ્ઞાતિને પોષે તેને અમારી બેટી પરણાવીએ! ધનદત્તે આ વાત ઈલાપુત્રને કરી, મોહવશ ઈલાપુત્ર એ માટે તૈયાર થઈ ગયો. અનુક્રમે હઠે ચઢેલો ઈલાપુત્ર ઘરમાંથી નીકળી નટની મંડળીમાં ભળ્યો. નાચવાની સર્વ કળાઓમાં પ્રવીણ બન્યો ! ફરતી ફરતી આ નટમંડળી પોતાની કળા બતાવવા માટે બેનાતટ નગરે પહોંચી! ત્યાંના રાજાને પોતાની કળા બતાવવા માટે વાંસ સાથે બાંધેલા દોરડા ઉપર અનેક પ્રકારના દાવ અજમાવે છે, સાથે નટપુત્રી ગીત ગાતી ગાતી ઢોલ વગાડી રહી છે. રાજાની નજર નટપુત્રી ઉપર પડી અને રાજા ય એના ઉપર મોહિત થયો. રાજા મનમાં વિચારે છે કે, આ નટડીને હું મારા અંતઃપુરમાં દાખલ કરી દઉં. રાજાને રીઝવવા માટે ઈલાપુત્રે બધા જ દાવ અજમાવ્યા તો ય રાજા ન રીઝયો.. એ સમયે દોરડા ઉપર નાચતા ઈલાપુત્રની નજર નજીકના એક મકાન ઉપર પડી. ત્યાં એક મુનિરાજ ગોચરી વહોરવા પધાર્યા હતા. રૂપવતી અને સર્વ શણગારથી શોભતાં શેઠાણી ખૂબ ભાવથી અને આગ્રહથી મોદક વહોરાવે છે. મહાત્મા તો નીચી દષ્ટિ રાખી ગોચરી વહોરે છે. પેલી રૂપવતી શેઠાણીની સામે પણ જોતા ૧૭૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ નથી. આ દશ્ય જોઈ ઈલાપુત્ર મનમાં વિચારવા લાગ્યો કે, હું આ નટડી પાછળ પાગલ બન્યો છું. જ્યારે આ મહાત્મા કેવા નિર્મોહી છે....! આવા વિચાર કરતાં મોહનો અંધારપટ દૂર થયો. શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢયા. દોરડા ઉપર જ કેવલજ્ઞાન પામ્યો! ઈલાપુત્રના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા દેવતાઓ આવ્યા... વાંસનું સિંહાસન બની ગયું. આ દિવ્ય સિંહાસન વગેરે જોઈ રાજા, નટ, નટી વગેરે સર્વ પ્રતિબોધ પામ્યા! તત્ત્વની જાણકારીરૂપ ઈલાપુત્રનું આ પરિજ્ઞા સામાયિક કહેવાય. (૮) પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રની કથા : તેતલપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્ય કરે છે. રાજ્યનો લોભી રાજા પોતાને જેટલો પુત્રો થાય તે બધાને રાજ્યગાદીને લાયક ન રહે માટે ખોડખાંપણવાળા બનાવતો. આ રાજાને તેટલીપુત્ર નામનો મંત્રી હતો. તેટલીપુત્રને પોટિલા નામની પત્ની હતી. આ માનિતી પત્ની એક દિવસ અણમાનિતી થઈ ગઈ ! તેથી મંત્રી પત્ની સાથે બોલતો નથી. એક દિવસ એક સાધ્વીજી મ. એમને ત્યાં ગોચરી પધાર્યા. પોટિલાએ સાધ્વીજીને કહ્યું, મારા પતિને વશ કરવાનો ઉપાય બતાવો! - સાધ્વીજી મહારાજે સંસારની અસારતાનો ભવ્ય ઉપદેશ આપ્યો. પોટિલાએ સંસારથી વૈરાગ્ય પામી પતિ પાસે દીક્ષાની અનુમતિ માંગી. પતિએ કહ્યું. દીક્ષા લઈ દેવગતિ પામી, મને પ્રતિબોધ પમાડવા આવે તો અનુમતિ આપું. પોટિલાએ એ વાત કબૂલ કરી દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી શુદ્ધ મનથી ચારિત્રનું પાલન કરી અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થઈ! આ બાજુ રાણીને પુત્ર જન્મ થયો. રાજા ન જાણે તે રીતે તેટલીપુત્ર એને પોતાના ઘરે લઈ ગયો. કનકધ્વજ નામ પાડયું. મોટો થયો. સર્વકળાઓ શીખવીને હોશિયાર બનાવ્યો. કાળ કાળનું કામ કરે છે. કનકકેતુ રાજા મરણ પામ્યો. મંત્રીએ ૧૮o Page #184 -------------------------------------------------------------------------- ________________ કનકધ્વજને રાજગાદીએ બેસાડયો અને રાજ્યનો વહીવટ પોતે સંભાળવા લાગ્યો. રાજ્યનો મોટો વહીવટ સંભાળવામાં ધર્મ ભૂલી ગયો. દેવ થયેલી પોટિલાએ પોતાના પૂર્વભવના પતિને આપેલ વચન પ્રમાણે પ્રતિબોધ કરવા રાજા વગેરેના મનમાં મંત્રી પ્રત્યે નફરત પેદા કરી. સવારે મંત્રીએ રાજસભામાં જઈ રાજાને સલામભરી પણ રાજાએ મોઢું ફેરવી નાંખ્યું એટલે અન્ય સભાજનોએ પણ મોઢું ફેરવી નાંખ્યું. અપમાનિત થયેલો તેટલીપુત્ર આપઘાત કરીને મરવા અનેક ઉપાયો અજમાવે છે... પણ.... પેલો દેવ બધા જ ઉપાયોને નિષ્ફળ બનાવી દે છે! અંતે ઊંડા વિચારમાં પડયો છે ત્યારે દેવ પ્રગટ થાય છે અને કહે છે. મંત્રીશ્વર ! સંસારનું સ્વરૂપ આવું જ છે ! બધા સ્વાર્થના સગા છે, વાસ્તવિક પણે કોઈ કોઈનું નથી. વગેરે દેવતાના વચનોથી તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યો... દેવ પોતાના સ્થાને ગયો. તેટલીપુત્ર સંસારની અસારતા જાણી દીક્ષિત થયો. દુસ્તર તપ કરી ધાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યો...! - આ રીતે પ્રત્યાખ્યાન એટલે છોડવા લાયકનો ત્યાગ કરવારૂપ આ સામાયિક કરીને તેટલીપુત્ર મુનિ શાશ્વતપદને પામ્યા ! સામાયિકનું ફળ એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે. સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો પચીસ ઉપર ત્રણ અષ્ટમાંશ (૯૨૫૯રપ૯૨પ૩/૮) પલ્યોપમનું આયુષ્ય બાંધે. ક્રોડો ભવો સુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઈ જાય છે. જે કોઈ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધો સામાયિકનો ૧૮૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ છે. હોમ ન કરીએ, તપ ન કરીએ, દાન ન આપીએ, બીજું કાંઈ ન કરીએ તો ચાલે, પણ જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય એવી એક સમતા કેળવીએ તોય મોક્ષસુખ મળી શકે છે. રોજ એક બે અથવા મહિનામાં અમુક સામાયિક કરવા એવી ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાચન વગેરેનો સુંદર લાભ મળે છે. રોજ થોડું થોડું કરતાં ઘણું ધર્મધન ભેગું થાય છે. કરુણાસાગર અરિહંત પરમાત્માએ ફરમાવેલી સામાયિકધર્મની આવી સાધના વિના આત્મા પર લાગેલા અનેક જન્મોના અશુભકર્મોનો ક્ષય થાય નહિ અને કર્મોથી દબાઈ ગયેલા આત્માના જ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે મહાન ગુણો પ્રગટ થાય નહિ. જેટલીવાર સામાયિક કરીએ તેટલીવાર, અશુભકર્મોનો ક્ષય થાય છે. દરેક શ્રી તીર્થંકરભગવાન પણ રાજપાટ,વૈભવ છોડી કેવલજ્ઞાન, અને મોક્ષ મેળવવા જિંદગીનું સામાયિક (દીક્ષા) લે છે. ૧૮૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાનમાંથી सामायिक गुणानामाधारः, खमिव सर्वमावानाम् । न हि सामायिकहीना-श्चरणादिगुणान्विता येन ॥ (અનુયોગદ્વાર સૂત્ર, ટીકા) જેમ આકાશ એ સર્વ પદાર્થોનો આધાર છે, તેમ સામાયિક એ સર્વ જ્ઞાનાદિ ગુણોનો આધાર છે કારણ કે સામાયિક વિનાના જીવો કદી પણ ચારિત્રાદિ ગુણો પ્રાપ્ત કરી શકતા નથી. તેથી જ જિનેશ્વર દેવોએ શારીરિક, માનસિક સર્વ દુઃખોના નાશરૂપ મોક્ષના અનન્ય સાધન તરીકે “સામાયિક ધર્મ” ને જ ગણાવ્યો છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહંતોએ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરોએ ભાવિશાસનના હિત માટે રચેલું શ્રુત શું છે? તેનો ઉત્તર આપતાં કહ્યું છે કે સામાયિકથી માંડીને બિન્દુસાર (ચૌદમું પૂર્વ) સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર (સામાયિક) છે. અને ચારિત્રનો સાર નિર્વાણ-મોક્ષસુખ છે. આ રીતે “સામાયિક ધર્મ એ પ્રભુનો પ્રધાન-મુખ્ય ઉપદેશ હોવાથી પ્રસ્તુતમાં તેને અંગે જ પ્રથમ વિચાર કરીશું. “સામાયિક' એ આવશ્યકનું મૂળ છે. જિનશાસનનું પ્રધાન અંગ છે. અજબ-ગજબનો છે એનો પ્રભાવ અને પ્રતાપ ! શમે છે એનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિનો સઘળા તાપ અને સંતાપ !! સામાયિક એ દિવ્ય જ્યોતિ છે. મોહાન્ધકારથી વ્યાપ્ત આ વિશ્વમાં મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે ! અજ્ઞાનતિમિરથી આચ્છાદિત જીવોના મનમંદિરમાં સમ્યગૂજ્ઞાનનાં અજવાળા પાથરે છે !! સામાયિક એ અચિત્ય ચિંતામણિ છે, અપૂર્વ કલ્પવૃક્ષ છે, જેના પ્રભાવથી સાધકની સાધના ફળે છે, અને સર્વ શુભ કામનાઓ પૂર્ણ થાય છે. સામાયિક એ સર્વગામી ચહ્યું છે. પ્રશમરસગ્ન મુનિ વિવેક-આંતર ચક્ષુ ઉઘડી જતાં અનુક્રમે સર્વ પદાર્થોના જ્ઞાતા અને દષ્ટ બને છે. ૧૮૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ સામાયિક એ પરમ મંત્ર છે, જેના પ્રભાવે રાગ-દ્વેષનાં કાતીલ ઝેર પણ પળવારમાં ઉતરી જાય છે. સામાયિક એ જિનાજ્ઞા સ્વરૂપ છે. આશ્રવનો સર્વથા ત્યાગ અને સંવરનો સ્વીકાર આ છે જિનાજ્ઞા. સામાયિક દ્વારા સર્વ પાપનો પરિહાર અને જ્ઞાનાદિ સદનુષ્ઠાનોનું આસેવન થાય છે. તેથી તેમાં સર્વ આશ્રવનો નિરોધ અને સંપૂર્ણ સંવરભાવ રહેલો છે. સામાયિકના અધિકારી કોણ? સામાયિક જેવી મહાન મોક્ષસાધના તેના યોગ્ય અધિકારી વિના સફલ કયાંથી બને? સામાયિકના સાચા અધિકારી કેવા હોવા જોઈએ ને અહીં બતાવવામાં આવે છે. જેનો આત્મા સંયમ, નિયમ અને તપની આરાધનામાં જ સદા સંલગ્ન-જોડાયેલો હોય, હાલતા-ચાલતા કે સ્થિર (ત્રસ કે સ્થાવર) સકળ પ્રાણીગણ ઉપર સમભાવ-માધ્યસ્થ ભાવવાળો હોય અર્થાત્ સર્વ જીવોને પોતાના આત્માની જેમ સમાન દૃષ્ટિથી જોનારો હોય તે જ આ જિનપ્રણીત સામાયિક ધર્મનો સાચો અધિકારી છે. સામાયિક કરવું એટલે માધ્યસ્થભાવમાં રહેવું-રાગદ્વેષની મધ્યમાં રહેવું એટલે કે બેમાંથી એકનો પણ આત્માને સ્પર્શ ન થવા દેવો, પરભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર થવું. સામાયિક એ આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત કરવાની એક અનોખી, દિવ્ય કળા છે. સંયમ, નિયમ અને તપના સતત અભ્યાસ દ્વારા સામાયિકને આત્મસાત્ બનાવી શકાય છે. ૧. સર્વવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય : સર્વવિરતિ સામાયિકના અભિલાષી આત્માએ પોતાના જીવનની તમામ પ્રવૃત્તિને મોક્ષમાર્ગને અનુકૂળ બનાવવી જોઈએ, એટલે કે માર્ગાનુસારિતા તથા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોની ખિલવણી થતી રહે એવી વૃત્તિ-પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ મોક્ષની સાધનામાં વિદનભૂત પ્રવૃત્તિ ન કરવી જોઈએ. (ચારિત્ર ગ્રહણ કરવું) જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા તત્ત્વો ઉપર અખંડ શ્રદ્ધા પ્રગટાવવી. १८४ Page #188 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુની ધર્મવાણી સાંભળી તે મુજબ જીવન જીવવું. ગુણીપુરુષો પ્રત્યે હૈયામાં સદ્ભાવ અને બહુમાન રાખવું. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં સદા ઉદ્યમશીલ બનવું. દેહાદિ જડ પદાર્થોની આસક્તિના ત્યાગ દ્વારા આત્મિક ઉત્થાનની પ્રતિપળ ચિંતા રાખવી. ૨. દેશવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય : સ્વભૂમિકાને અનુરૂપ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોનું વિધિપૂર્વક પાલન કરવું. નમસ્કાર મહામંત્રનું સદા સ્મરણ, મનન અને ચિંતન કરવું. જિનેશ્વર પ્રભુની ત્રણે કાળ સ્વ-દ્રવ્યથી વિધિપૂર્વક પૂજા કરવી. ગુરુવંદન, સેવા, ભક્તિ અને તેમની પાસે ધર્મનું શ્રવણ કરવું. શુદ્ધાશયથી યથાશક્તિ દાન આપવું. શ્રાવકધર્મને બાધા ન આવે એ રીતે મહા આરંભ સમારંભવાળા કર્માદાન વગેરેનો ત્યાગ કરી ન્યાય-નીતિપૂર્વક આજીવિકા ચલાવવી. ઉભયકાળ પ્રતિક્રમણ કરવું. જીવાદિ તત્ત્વોનું અધ્યયન અને મનન કરવું. અનિત્યાદિ બાર ભાવનાઓથી સદા ભાવિત રહેવું. ઈત્યાદિ “શ્રાદ્ધવિધિ' વગેરે ગ્રન્થોમાં બતાવેલા શ્રાવક યોગ્ય આચારોનું પાલન કરવાથી દેશવિરતિ સામાયિકની વિશુદ્ધિ વધતી જાય છે. અને તેના પ્રભાવથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થતાં દેશ-સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. ૩. શ્રત અને સમ્યકત્વ સામાયિકના ઉપાય : તત્ત્વશ્રવણની તીવ્ર તાલાવેલી જગાવવી. ધર્મ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી. દેવાધિદેવ અરિહન્ત પરમાત્મા તથા નિર્ચન્થ ગુરુભગવંતોની સેવા-ભક્તિ કરવી. અપરાધીને પણ ક્ષમા આપવી. તેનું પણ બૂરું ન ચિંતવવું. વિષયો પ્રત્યે ઉદાસીનભાવ-વૈરાગ્ય કેળવવો. આત્મામાં પૂર્ણાનંદમય સ્વરૂપને અનુભવવા અત્યન્ત ઉત્કંઠા ૧૮૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ રાખવી. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. જિનવચન ઉપર દૃઢ શ્રદ્ધા રાખવી. આ બધા ગુણોની પ્રાપ્તિ થતાં સાધકમાં સમ્યક્ત્વ સામાયિકનું પ્રગટીકરણ થાય છે અને સમ્યક્ત્વ સામાયિક પૂર્વ પ્રાપ્ત હોય તો વધુ નિર્મલ બને છે. શ્રુત સામાયિક એ સમ્યક્ત્વ સામાયિકનો સહચારી છે, સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિ થતાં શ્રુત સામાયિક સ્વયમેવ પ્રાપ્ત થઈ જાય છે. આ બન્ને સામાયિક પરસ્પર સહચારી છે, સહાયક છે. સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિએ કાંઈ આસાન વાત નથી. ‘હું દેહ નહીં પણ આત્મા છું.' આ ભેદજ્ઞાનની આડે દીવાલની જેમ અડીખમ ઊભા રહેવું તીવ્ર દર્શનમોહનીયકર્મ હટે નહીં-તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટે નહીં, ત્યાં સુધી જીવને સમ્યક્ત્વની પૂર્વભૂમિકાનો સ્પર્શ પણ થઈ શકતો નથી. શ્રુતજ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ શ્રુત સામાયિક છે. સભ્યશ્રદ્ધામાં એકાગ્ર ઉપયોગ એ સમ્યક્ત્વ સામાયિક છે. દેશવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ દેશિવરતિ સામાયિક છે. સર્વવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ સર્વવિરતિ સામાયિક છે. આ બધાનું તાત્પર્ય એ જ છે કે, સમતા પરિણામ એ ઉપયોગયુક્ત હોય તો જ સામાયિક કહેવાય, અને ઉપયોગ એ સમતા પરિણામયુક્ત હોય તો જ વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. આ રીતે ઉપયોગ એ સામાયિકમય છે, અને સામાયિક એ ઉપયોગમય છે. બન્ને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે; એક ક્ષણ પૂરતા પણ તે એકબીજાથી છૂટા રહી શકતા નથી. છતાં વિવક્ષાભેદથી તેમનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન રીતે બતાવવામાં આવ્યું છે. પરમાર્થથી તે બન્ને આત્મ-પરિણામરૂપ હોવાથી એક જ છે, ઉપયોગમય આત્મા સામાયિક છે. ૧૮૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મોત્યાનનો પાયો ગ્રંથ પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી यदि त्वं साम्यसंतुष्टो विश्थं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवैकं समं कुरु ॥ જો તું સામ્યમાં સંતુષ્ટ હો તો આખું વિશ્વ તારા પ્રત્યે સંતુષ્ટ છે, માટે લોકને ખુશ કરવા કરતાં જાતને સમભાવમાં સ્થિર કર. ભાવ સામાયિક એવા પ્રકારનું છે કે, તે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપોઆપ થયા કરે છે. માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું જોઈએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિ એવા પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી ક્રમે ક્રમે આત્મિક ગુણોનો વિકાસ થતો રહે. એ ભાવસામાયિકના પ્રાગટયનું રહસ્ય છે. ગૃહસ્થપણામાં પરને એકાંતે પરાયો માની લેવાથી જીવન સદ્ભાવ વગરનું, પવિત્ર સ્નેહવગરનું, હાર્દિક લાગણી વગરનું, દયા વગરનું અને તેના પરિણામે ધર્મ વગરનું બની જાય છે. - શ્રી અરિહંત પરમાત્માના પરાર્થ વ્યસનીપણાના મૂળમાં ત્રણ જગતના જીવ નથી તો બીજું શું છે? તે જીવોની પરાધીનતા નથી તો બીજું શું? તે જીવોને પરમ સુખમય જીવનની ભેટ આપવાની ભાવના નથી તો બીજું શું છે? માટે પરને સ્વતુલ્યભાવ આપવામાં સ્વનું હિત છે. | સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઈચ્છા અને દુઃખના કેષવાળા છે. “પરમાદશ્મિ' પદથી સર્વ જીવો સુખના અર્થી અને દુઃખના દ્વેષી છે. એમ કહીને કોઈ જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. આ જાતની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિમાર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અર્થે કરાયેલા તે ફળદાયી થાય છે. ત્રણ સ્થાવરાદિ ભેટવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે “સમતા' કહેવાય છે. યુવાની યોગ માટે છે, ભોગ માટે નહિ. ભોગ એ પ્રજ્ઞાપરાધની ૧૮૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ છે. પ્રભુ પ્રાપ્તિ માટેની સાધના એ જ યુવાનીનો સમ્યગુ ઉપયોગ છે. પરવસ્તુની પ્રાપ્તિ માટેના પ્રયત્નો એ યુવાનીનો દુરુપયોગ છે. સદુપયોગ દુરુપયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેના પ્રકાશમાં જીવવું તેનું જ નામ યથાર્થ જીવન છે. જેના જીવનની કોઈપણ પળ પર વસ્તુના અભાવને ખરેખર ખાલીપો સમજીને તેને ભરવા માટે ખર્ચાય છે, તે માણસ આત્મનિષ્ઠ નથી જ. પૂર્ણને આવી ઈચ્છા ન જ હોય. મુક્તિ માર્ગના ચાર અંગ છે. સમ્યમ્ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન. સમ્યગુ દર્શન શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ, પૂજન વંદન નમન છે. સમ્યગ જ્ઞાન માટે સન્શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગું ચારિત્ર માટે વ્રત તપ નિયમ સંયમ અહિંસા આદિ છે. સમ્યગું ધ્યાન માટે અનશનથી માંડીને કાર્યોત્સર્ગ જેવા સઘળા તપ છે. આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે તે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. પૂર્ણતા પામે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સામાયિક : દ્રવ્યથી, ધર્મોપકરણ સિવાય બીજાં સર્વ દ્રવ્યોનો ત્યાગ કરવો. ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યા રાખીને બીજી જગ્યાનો ત્યાગ કરવો. કાળથી બે ઘડી પર્યત સામાયિકમાં રહેવાનો નિર્ણય કરવો. ભાવથી રાગદ્વેષ રહિતતા અને સમભાવ સહિતતા અથવા અશુભ ધ્યાનનો ત્યાગ અને શુભ ધ્યાનનો સ્વીકાર કરવો. સામાયિક એ આત્મા છે. અને આત્મા પોતે ભય, દ્વેષ અને ખેદ રહિત છે. ભય, દ્વેષ અને ખેદ એ પર્યાયના ધર્મો છે. તે ક્ષણભંગુર અને અસ્થિર છે. પર દ્રવ્યના સંબંધથી થનારા છે. તે બધાથી ભિન્ન એવા નિત્ય, અખંડ, અભંગ આત્માનો વિચાર નિર્ભયતા, નિર્લેષતા અને નિખુંદતાની અનુભૂતિ કરાવે છે. ચેતનાને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા તે સંવર સામાયિક છે ૧૮૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ અને તેનાથી કર્મની નિર્જરા, ભય, દ્વેષ, ખેદનો અભાવ તે મોક્ષ છે. જેની ઉત્પત્તિ અન્ય કોઈ દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ કયાંથી હોય? આત્માને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી મૃત્યુના ભયની ભ્રાંતિ છે તેનું નિવારણ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ વડે પરમ જાગૃતિના અનુભવથી જ્ઞાની પુરુષને થઈ શકે છે તેથી આત્મજ્ઞાની સદા નિર્ભય છે; એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે અદ્વેષ છે. તથા સર્વ પદ્રવ્યથી વૃત્તિને વ્યાવૃત્ત કરી જયારે આત્મા, આત્મા રૂપે વર્તે છે, ત્યારે તે અકલેશ સમાધિને પામે છે, તે અખેદ છે. સામ એટલે મધુર પરિણામ, સ્નેહ, મૈત્રી. સમ એટલે રાગ દ્વેષમાં મધ્યસ્થપણાનું પરિણામ તે ધૃતસામાયિક. સમ્મ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રની ક્રિયામાં મળી જવું તે ક્રિયા સામાયિક છે. સ્વ-સંરક્ષણ વૃત્તિને સર્વ સંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને ખતમ કરી શકતો નથી. અપૂર્વ જે વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા જ થાય છે. - વિશ્વહિતની ભાવના એટલે સર્વ સંરક્ષણ વૃત્તિ. આ વૃત્તિ ધર્મસ્વરૂપ છે અને ધર્મ સંબંધ સર્વને સુખકારક છે. અધર્મ સંબંધ પરસ્પરને પીડાકારક-અહિતકારક અને અસુખકારક છે. એટલે જ કહેવાયું છે કે “સર્વના વિચારથી ધર્મનો પ્રારંભ થાય છે અને એકના ધર્મથી સર્વને લાભ થાય છે.” આવો લાભ આપવાનું અચિન્ય સામર્થ્ય જેનામાં છે, તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે. આવા તાત્ત્વિક સામાયિકની પરિણતિ, એક માનવભવમાં જ શકય છે. માટે તે દેવદુર્લભ ગણાયો છે. આવો દેવદુર્લભ માનવભવ વિષમતાના હવાલે ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં ૧૮૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ માનવભવની સાર્થકતા છે. જીવ માત્ર જીવનનું બહુમાન એ સામાયિક ધર્મનો પાયો છે. કોઈપણ જીવને સહેજ પણ દૂભવતાની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે. વીજળીના આંચકા કરતાં પણ વધુ જલદ આ આંચકો પ્રતીત થાય, તો માનવું કે સર્વ જીવો આત્મા સમાન હોવાનું સત્ય સ્પર્યું છે, સામાયિકમાં રહેલા ભવ્યાત્માને આ હકીકત એકને એક બે જેવી સ્પષ્ટ લાગે છે, લાગવી જોઈએ. સમતાની પ્રાપ્તિ માટે ત્રણ વસ્તુનો વિચાર કરવા યોગ્ય છે : (૧) જીવનો પારિણામિક ભાવ સહજ સ્વરૂપ (ર) જગતનો ઔદયિક ભાવ : કર્મ (૩) ઈશ્વરનો ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવ : આ ત્રણ વસ્તુના વિચારમાં મન લગાડવું જોઈએ. પૂ. પંન્યાસજીના સુભાષિત “આત્મામાં વિશ્વ વ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેના સગપણ દૂર થઈ સર્વ જીવો સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વરક્ષણવૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને આત્મા સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને તોડી શક્તો નથી. અપૂર્વ વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા થાય છે. અહીંથી ધર્મનો આરંભ થાય છે. એકના ધર્મથી સર્વને લાભ થાય છે. આવો લાભ આપવાનું અચિંત્ય સામર્થ્ય જેનામાં છે તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે.” ૧૯0 Page #194 -------------------------------------------------------------------------- ________________ સારાંશ ચૈતન્યશક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ જગતમાં જન્મેલા જીવોને મહદ્અંશે પોતાનાચૈતન્યના સુખ, ઐશ્વર્ય, કે લક્ષ્મી જેવી શક્તિઓ પ્રગટ કરનાર સર્વોચ્ચ તત્ત્વની ખબર નથી. પૂર્વકાળમાં ધન્નાજી, શાલિભદ્ર, જંબુકુમાર વગેરે સિકંદરની જેમ કે નેપોલિયનની જેમ યુદ્દે નીકળ્યા ન હતા, વસ્તુપાળ તેજપાળ રાજયાદિ મેળવવા યુદ્ધે ચઢયા ન હતા, જગડુશા, કેશવજી જેવા શ્રાવકો સમરાંગણમાં ઊતર્યા ન હતા, અરે મહાવીર, ગૌતમ કોઈએ સરસેનાપતિ થઈને જીત મેળવી ન હતી. છતાં એ સૌ મહામાનવોના ચરણમાં રાજ્ય, લક્ષ્મી, કીર્તિ વિદ્યા આદિ સ્વયંમેવ ઉપસ્થિત હતા. એ પદાર્થો માટે એમણે ચિંતા સેવી નથી. છતાં તે સૌ તેમની સેવા કરતા. અને જેમણે સમરાંગણમાં યુદ્ધે ચઢી જીત મેળવી તેઓ કાળને આધીન થયા. તે મહામાનવો મુક્તિનું મહા સામ્રાજય પામ્યા. એનો અર્થ એ જ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યની શક્તિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ભૌતિક વસ્તુઓનો સ્વેચ્છાએ ત્યાગ થાય છે. અને સ્વ-શક્તિ દ્વારા જીવ પૂર્ણ સુખ પામે છે, જેને શાશ્વતકાળ ટકાવવા કોઈ પ્રયત્ન વિશેષ કરવો પડતો નથી. ચૈતન્ય પ્રત્યેની અભિમુખતા એ દિશાનો માર્ગ આપે છે. તેથી મહામહર્ષિઓએ સમૂહના અનુષ્ઠાનો બતાવ્યા જેથી અભિમુખતા કેળવાય. કારણ કે સામાન્યતઃ જીવ માત્રમાં એ શક્તિનું બળ વૃદ્ધિ પામતું નથી. જેમ વર્ષાઋતુમાં નાના મોટા જળના પ્રવાહો મોટી સરિતામાં પરિવર્તિત થાય છે. ત્યારે તેનું જોર વૃદ્ધિ પામે છે. તેમાં વિવિધ પ્રકારના સાધકોનું એક જ અનુષ્ઠાન કે સંકલ્પનું બળ શુભ વાયુમંડળ રચવામાં સમર્થ બને છે. જે વડે અલ્પ શક્તિવાળો સાધક પણ પોતાના સંકલ્પમાં દઢ રહે છે. જેમ સુતરના અલગ અલગ દોરાથી એક ખિસકોલી જેવા પ્રાણીને બાંધી શકાતું નથી, પણ એ જ સૂતરનું દોરડું બને છે ત્યારે મહાકાય હાથીને પણ બાંધી શકે છે. તેમ આપણી ચૈતન્ય શક્તિ ૧૯૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક કાર્યોમાં વેરવિખેર થઈ જાય છે. તે શક્તિને સમૂહના અનુષ્ઠાનમાં જોડવામાં આવે તો તેનું બળ વધી જવાથી આંતરિક મળનું શોધન થાય છે, ત્યારે ચૈતન્યમાં નિર્દોષ સુખ પ્રગટ થાય છે, તેની સાથે બહારના પણ રાજ્ય, લક્ષ્મી, વિદ્યા જેવી સામગ્રીઓ સહજ પ્રાપ્ત થાય છે. કયાંક આવતી કઠિનતા તે શક્તિ દૂર કરી શકે છે. માનવદેહમાં અતિ વિલક્ષણ એવી વિચાર શક્તિ છે. આ વિચારશક્તિ જો અશુદ્ધ છે તો માનવની ચેતનાને આવરણ કરે છે, એ વિચાર શક્તિ જો શુદ્ધ છે તો ચેતનાનું સર્વજ્ઞ અને સર્વદર્શિત્વ પ્રગટ થાય છે. પરંતુ મહદ્અંશે માનવ પોતાની શુદ્ધ ચૈતન્ય શક્તિમાં વિશ્વાસઆદર ધરાવતો નથી. પચાસ વેગનને ખેંચતા એન્જિન કરતાં પણ આ વિચારશક્તિ બળવાન છે. એ સર્વેનું ઉત્પાદક તત્ત્વ ચેતનાશક્તિ છે. પરંતુ માનવે તેને રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, કામ, ક્રોધ, લોભ અને ભય જેવાં તત્ત્વોને હવાલે કરી પોતાને જ હિન સત્ત્વ જાહેર કર્યો છે. આ વિચારનો પ્રવાહ સૂક્ષ્મ અને વેગવંતો હોવાથી માનવ તેના પર પોતાનો સંયમ રાખી શકતો નથી. એ જ વિચારશકિતનું ભાવજગતમાં નિર્માણ કરીને મહામાનવોએ શ્રાપ અને વરદાન જેવી વિલક્ષણ શક્તિઓ વડે વિધ્વંસ કે સર્જન કર્યું છે. ચૈતન્યની શુદ્ધ શક્તિ એ મારું સ્વરૂપ છે. આ શુદ્ધ વિચારને - ભાવને પુષ્ટ કરવો. અત્યંત આદરપૂર્વક આત્મસ્વરૂપનું સ્મરણ કરવું, જ્યાં જ્યાં મન જાય ત્યાં એ ભાવને સાથે રાખો, અશુદ્ધ વિચાર દૂર થઈ જ જશે. શુદ્ધ ભાવ સિવાયના વિજાતીય વિચારોને સાથ ન આપો. પોતાની ચૈતન્ય શક્તિમાં તન્મય થવું તે પરમાત્મભક્તિની ફલશ્રુતિ છે. પરા ભક્તિ છે. સમભાવ અને નિર્મળ પ્રેમ એક જ સિક્કાની બે બાજુ છે. રાજા હો રંક હો, બાલ હો યુવાન હો, રોગી હો, નિરોગી હો, રૂપવાન હો કે કુરૂપ હો, શત્રુ હો, મિત્ર હો. સર્વ પ્રતિ નિર્દોષ પ્રેમધારા જ વહે તે આપણી શુદ્ધ ચેતનાને પ્રગટ કરી જાણે કે આપણા જ ઉપર પ્રસન્ન થઈ સ્વને સર્વ સુખનો સ્વામી બનાવે છે. કારણ કે સર્વમાં ચૈતન્ય સમાન હોવાથી પ્રાણીમાત્રમાં પ્રગટ અપ્રગટ પ્રેમનો પ્રવાહ ફૂટ થઈ તમારી ચેતનાના પ્રવાહમાં ભળે છે. તેથી વીતરાગી દેવોને ત્રિલોકના ૧૯૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ સ્વામી કહેવામાં આવે છે. એ મહા માનવ કેવા છે ? જમીનમાં વાવેલા બીજને અંકુર થતાં, વેલો થતાં, વાર લાગે છે, અને ફળરૂપે પરિણમતાં સમય લાગે છે. ખેડૂત જેવી ધીરજ ધારણ કરીને તમે પણ તમારી સદ્ભાવનાના બીને પાંગરવા દેજો. તે ભાવનામાં શુદ્ધતા પ્રગટ થતા સ્વયં આત્મદર્શન પ્રાપ્ત થશે. તેમાં કેવળ બાહ્ય ક્રિયા પર્યાપ્ત નથી. પરંતુ વિચાર-પરિણામ, ભાવને ચેતનાશક્તિ પ્રત્યે જ વાળો, આત્મસ્વરૂપ પ્રત્યે વળેલા એક એક ભાવનું બહુમૂલ્ય છે, માટે અથાગ પ્રયત્ને તે ભાવનાઓને પુષ્ટ કરજો. કોઈ મંત્ર, જાપ, વચનબોધ, સૂત્રનો ભલે આધાર લો, પણ રઢ લગાવો. તમે તમારી જ શુદ્ધ ભાવના વડે, વિચાર વડે, મંત્રોચ્ચાર વડે તમારી ચેતનાને આંદોલિત કરો, નહિ તો તે મનાદિ યોગ વડે આંદોલિત થઈ કાર્મણવર્ગણા ગ્રહણ કરશે. અને તેના પરિણામથી સુખદુઃખનું સર્જન થશે. માટે યોગના વ્યાપારને શુભમાં પરિવર્તિત કરો, સામાયિક જેવા અનુષ્ઠાન વડે ભાવના આદિને નિર્મળ કરો, તેના વડે ચેતનામાં આંદોલન થશે તો પણ તમને અશુભ વિભાવથી બચાવશે. માનવને કંઈ પણ મેળવવાની અદમ્ય ઈચ્છા થાય છે ત્યારે તે જંપીને બેસતો નથી. અથાગ પ્રયત્ન વડે તે મેળવીને જંપે છે. તેમ જો તમને સાચું સુખ મેળવવાની અદમ્ય ઈચ્છા હશે તો તમે તે મેળવવા, તે જ્યાંથી મળે ત્યાં તમારી શક્તિને કામે લગાડશો. વળી આંતરિક સુખ મેળવવા તમારે કંઈ દૂર તો જવાનું નથી. તમારા શુદ્ધ અંતઃકરણમાં તમારે પ્રવેશ કરવાનો છે, તેમાં તમારે સહાય જોઈએ તો સત્પુરુષના, સત્ત્શાસ્ત્રોના વચનનું અવલંબન લો. શુદ્ધભાવ વડે શુદ્ધ અંતઃકરણમાં પહોંચી જાવ, ત્યાં કેવળ શુદ્ધ સાગર લેહરાય છે, સમતારસનો દરિયો ત્યાં ઊછળે છે. જે સામાયિકમાંનું રહસ્ય છે. સુખ મેળવવાનો પ્રવાહ ઘણો પ્રબળ છે, એટલે જીવમાત્રમાં તે અનાદિકાળથી ચાલ્યો આવે છે, પરંતુ ચેતના તંત્ર સાથે બીજા વૈભાવિક પરિબળો હોવાથી જીવ સાચા સુખની ભાવનાને આંબી શકતો નથી. જે મહામાનવોએ એ સુખના માર્ગે ઝૂકાવ્યું તેમણે તે સુખ પ્રાપ્ત કર્યું. આપણે સૌ તે સુખ પ્રાપ્ત કરીએ તેવી ભાવના હો. ૧૯૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ સામાયિકથી અનુભવેલું કંઈક પ્રસ્તુત સામાયિક ગ્રંથનું લેખન કરતાં પ્રાજ્ઞ પુરુષના અનુભવ, શાસ્ત્રકથન, સામાયિક ધર્મનાં રહસ્યો, સામાયિકયોગનો ગૂઢાર્થ, પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન વગેરેના અવલંબને ખૂબ જાણવા અને માણવા મળ્યું. ત્યારે એક વિચાર આવ્યો કે દેવગુરુ અનુગ્રહ સામાયિક સુધી પહોંચાયું. અર્થાત્ સામાયિક આત્મસાત્ થયું તેમ કહેવું તે આત્મશ્લાધા નથી પણ એક આંતરિક આનંદ છે, જે સૌની સાથે વહેંચવો છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં વડીલ દ્વારા સામાયિકનો પ્રારંભ થયો, પણ નવકારમંત્ર સિવાય અન્ય કોઈ સૂત્ર ન આવડે. ન સામાયિક લેતા કે ન પારતા આવડે. ભારે સંકોચ થયો અને કંઈક અણગમો પણ થયો. પરંતુ ગ્રંથકારોએ ઉચ્ચ-સંસ્કારી કુળનો મહિમા કહ્યો છે, તે ઘણા સમય પછી સમજાયો કે કુળના સંસ્કારથી આવા યોગ મળે છે, તે સમય જતાં વિકસે છે. શિશુવયમાં પાઠશાળામાં સૂત્રોનો અભ્યાસ કરેલો પણ કોઈ અનુષ્ઠાનનો મહાવરો ન હતો પુણ્યયોગે શ્વસુરપક્ષે જિનપૂજા, સામાયિક નાના વ્રત તપનો યોગ થયો. ઘરમાં વડીલો સૌ સામાયિક કરે, એટલે પણ સામાયિક થતું રહ્યું. પછી સૂત્ર અને અર્થ કંઠસ્થ કર્યા, ત્યારે મનમાં સામાયિક પ્રત્યે કંઈ રુચિ થઈ. અણગમો ગયો. સમયની દૃષ્ટિએ અવકાશ ઘણો હતો. એટલે ધર્મકથાનું વાચન, સ્તવન, પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરવાનો ઉત્સાહ થયો. તે અભ્યાસના સંયોગો પણ મળી ગયા. આથી સામાયિકનો સમય રસપ્રદ બન્યો. વળી નિવાસે, દહેરાસર હોવાથી અવારનવાર પૂ. આચાર્યશ્રી અને સાધુજનોનું આગમન થતું. વ્યાખ્યાનનો લાભ મળતો, આથી ધર્મક્રિયાની ભાવના વૃદ્ધિ પામી. દેવ-દર્શન-પૂજન વગેરે થતાં રહ્યાં. સામાયિક અનુષ્ઠાનના માધ્યમથી અને અન્ય અભ્યાસ માટે સાધુમહારાજના આદેશથી પ્રથમ પંદર પખ્તા' શરૂ કર્યા, પખા એટલે પંદર સામાયિક લગાતર કરવાના, ચૌદ થાય અને શરીરે અસુખ હોય કંઈ વ્યવહારિક કારણ હોય ત્યારે કસોટી થતી પણ પંદર પખ્ખા એક વર્ષે બરાબર પૂર્ણ થયા. ૧૯૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ વળી કોઈ સાધુભગવંતે સામાયિકનું પુણ્ય બતાવ્યું. કારણ કે પ્રશ્ન તો હતો જ કે આ જન્મમાં કંઈ સુકૃત્ય કર્યા વગર જેને ભૌતિક સુખ કહેવાય તે કેવી રીતે મળ્યું? જવાબ : પૂર્વ પુણ્યથી. અને આ જન્મમાં પુણ્યની વૃદ્ધિ કરો. કેવી રીતે ! દર્શન, પૂજન, નવકારમંત્ર, સામાયિક વગેરેની વૃદ્ધિ કરતા જાવ. વ્રત, તપ યથાશક્તિ કરતા રહેવું. આમ સામાયિક અનુષ્ઠાન આગળ વધ્યું. બસો બેલા' કરવાના, અર્થાત્ રોજે બે સળંગ સામાયિક થાય તે જ ગણવાના. ખૂબ ઉત્સાહપૂર્વક પ્રારંભ કર્યો. છૂટું એક સામાયિક થાય તે ગણવાનું નહિ. આમ બે ત્રણ વર્ષે બેલા' પણ પૂર્ણ થયાં. ગમે તેમ પણ બેલામાં આનંદ આવ્યો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગતાનુગતિક ના કરો. સમજીને કરો. જ્ઞાન સહિત કરો. વાત સાચી છે, પણ સમજ લેતા જન્મ જ પૂરો થઈ જાય. સમજ અને ના સમજનો આ ઝઘડો ક્યાં સુધી ચલાવવો? મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાયે પૂરો ના જન્મારો.” અલબત્ત સમજ-જ્ઞાન સહિત અનુષ્ઠાનો સકામ નિર્જરા આપે છે, પણ બાપુ! અહીં તો ત્યારે નિર્જરા શબ્દ જ સાંભળ્યો ન હતો. પૂર્વ પુણ્ય-સંસ્કાર, વર્તમાનમાં બધો પુણ્યયોગ અને આંતરિક ઉત્સાહ, એટલે સામાયિકમાં જીવ ગોઠવાતો ગયો. બેલા બે-ત્રણ વર્ષે પૂરા થયા, ત્યાં વળી ક્યાંકથી શ્રવણે પડયું તેલા'. જે દિવસે ત્રણ સામાયિક સળંગ થાય તે ગણાય. છૂટા થાય તે ન ગણાય. પણ બસો બેલાથી મન પર વિશ્વાસ થયો હતો કે થશે. વડીલોનો સૌનો સાથ હતો વળી પાંચેક વર્ષની ભૂમિકાથી હવે આગળની ભૂમિકામાં જવાનું હતું ને? હવે ત્રણસો તેલાનો આંક શરૂ કર્યો. છુટા સામાયિક વગર દિવસ પૂરો ન થતો, પણ આ તેલામાં કસોટી થઈસમય બપોરનો ર-૩૦ થી ૪નો જ ગોઠવાય. તે પણ નિયમિત ન થાય. છતાં અનુષ્ઠાન થતું રહ્યું. ભાવના હતી પણ તેલા ૧૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ પૂરા ન થયા. ઘરની વ્યવસ્થાની અને બંને બાળકોની જવાબદારી હતી વળી મુંબઈ નિવાસ થયો. સામાજિક સેવાનું કાર્ય હાથ લીધું. તે પછી પતિનું અવસાન થયું. વળી પાછા ઘણા અંતરાયો વચ્ચેથી પસાર થવું પડયું. મનોબળ પણ ખોરવાઈ ગયું. પરંતુ એ ભૂતકાળ પર નજર જાય છે ત્યારે સામાયિક દ્વારા જે શાસ્ત્ર અભ્યાસ થયો, તેને કારણે ધેર્ય, ધર્મભાવના, કરેલાં કર્મ ભોગવવાં પડે તેવા સિદ્ધાંતની સમજ શ્રદ્ધા વગેરેથી ઘણી આપત્તિમાં એ સંપત્તિ કામ લાગી. એટલે આજે સૌને ખૂબ વિશ્વાસથી કહું છું. સુખના સમયનો ઉપયોગ કરો. દુઃખના સમયમાં સંતો પાસેથી મળેલી શ્રદ્ધા અને મેળવેલો બોધ, વળી આદરપૂર્વક કરેલા સામાયિક જેવા અનુષ્ઠાનોથી સમાધાન થશે, તે આંતરિક બળનું મહાન ઔષધ છે. ભવાંતનો ઉપાય છે. હા, પણ પેલા ત્રણસો તેલાની ભાવના અધૂરી રહી. છતાં અજબ રીતે તે આત્મપ્રદેશ પર ટકી રહી ત્યાર પછી તો ખાસ્સો ત્રણ દસકા જેવો ગાળો નીકળી ગયો. જો કે તેમાં ગુજરાત/અમદાવાદમાં માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય કરવાની તક મળી. અનુષ્ઠાનોની ગૌણતા થવા છતાં ગુરુકૃપાએ સંસ્કાર અંતરધરામાં સચવાઈ રહ્યો હશે કે શું? લગભગ ૬૫ વર્ષની વયે અંતરમાંથી અવાજ આવે, હવે કેવળ અધ્યાત્મયોગની સાધનાથી જીવનપૂર્તિ કરો. છ દસકા પૂરા થયા છે. જો નજીકમાં ભવાંતનો ઉપાય કરવો હોય તો આખરી અભિગમ અધ્યાત્મયોગનો છે. ત્યારે માનવકલ્યાણ ક્ષેત્રે યશ-કીર્તિનો ઘણો ઉજ્જવળ સમય હતો. પરંતુ પૂ. પંડિત સુખલાલજીના શુભાશિષ હતા નિષ્કામ કર્મયોગી આદરજો. તે આશિષ સાથે સેવા કાર્ય પૂર્ણ કર્યું. પછી એ ક્ષેત્ર છૂટી ગયું. અને અધ્યાત્મયોગનો પ્રારંભ થયો. તેમાં પણ પુણ્યયોગ ઘણો પ્રબળ, મહામાનવો તથા સંતોના પરિચય અને માર્ગદર્શન મળતા રહ્યા. આશ્ચર્ય તો એ કે જે સમયે જે ભૂમિકાએ જેની જરૂર પડે તેવા શુભયોગ મળી જાય આગળના વિકાસ માટે પ્રત્યક્ષ, પરોક્ષ કે શાસ્ત્રથી પ્રેરકબળ મળતું રહ્યું. ૧૯૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ હવે મૂળ વાત પર પેલા ત્રણસો તેલાની અધૂરી શુભકામના સ્વયં હાજર થઈ ગઈ. અને પછી ‘તેલા’ કહો કે ચોલા, પંચોલા થયા જ કરે. ઈડર જેવા તીર્થમાં એકાંત સ્થળે સામાયિક વગર બેસાય નહિ. હવે ગણતરી છૂટી ગઈ. અનુષ્ઠાન સહજ સાધ્ય બન્યું. પ્રારંભમાં ઓધે સમજ વગર પરંતુ ભાવપૂર્વક કરેલા અનુષ્ઠાનની આજે ફલશ્રુતિ એ થઈ કે અંતર અવાજ કહે છે કે, “સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ' આ ચારિત્ર શબ્દ સામાયિક પોષક છે. ઘણા પ્રકારે સામાયિક સમજાયા પછી આજ તો સ્વસ્ફુરણાઓની સરવણી ફૂટયા કરે છે. અનેકવિધ અંતઃચેતનાની પ્રસન્નતા પ્રગટતી રહે છે. એ સામાયિક-ધર્મ-યોગનો મહિમા કથનથી પર છે. સામાયિક એટલે સાવધ પાપવ્યાપરનો સાધકને માટે મર્યાદિત ત્યાગ. આ અભિગમ જીવનમાં રસાતો ગયો. એનું પુણ્ય આવતા જનમમાં શું હશે તે કેવળી ગમ્ય છે. પણ આ જન્મમાં એવા પાપવ્યાપારથી ઘણી મુક્તિ મળી છે. એવી કોઈ જરૂરિયાત, બાહ્ય પ્રવૃત્તિ, કોઈ અપેક્ષાઓ, જનઉત્કર્ષને કારણે પણ બાહ્ય આડંબરો બધું જ જાણે વિરમી ગયું છે. બસ એક જ લગની સામાયિક યોગમાં રહેવું. પછી શ્રુત હો, વિધિથી હો, કે સમ્યક્ત્વથી હો. મુક્તિ દ્વારને ટકોરો એ સામાયિક યોગની ફળશ્રુતિ છે. સત્સંગી-સ્નેહીઓ પૂછે છે. આવું જીવન મંગલ કેવી રીતે પ્રગટ થાય ? દેવગુરુ અનુગ્રહ. નવકારમંત્ર, ભક્તિ, સામાયિકનું અને શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન વિગેરેનું આ સાક્ષાત પરિણામ છે. અરે ! આ સામાયિક જ્યારે કેવળ ક્રિયારૂપ હતું ત્યારે તેણે શુભભાવની/અભ્યાસની ભૂમિકા આપી. જ્યારે તેમાં નિષ્ઠા કેળવાઈ તે અનુષ્ઠાન બન્યું ત્યારે તેણે પરહિતની ભાવના આપી. એ સામાયિક જ્યારે જીવનનું અંગ બન્યું ત્યારે તેણે યત્કિંચિત સ્વરૂપનું શુદ્ધ દર્શનશ્રદ્ધા આપ્યાં. સંવેગ અને નિર્વેદની શક્તિ પ્રદાન કરી, અને સામાયિકની પરિણામરૂપ ભૂમિકા બંધાઈ ત્યારે વિશ્વના ચૈતન્ય સાથે અહોભાવ રચાતો ગયો. ‘સૌ સુખી થાઓ સૌ સુખી થાઓ.’ જો કે હજી ઘણી ૧૯૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ મંઝિલ બાકી છે. “પણ ભય નહિ મુજ હાથોહાથ તારે તે છે સાથે રે, મનમોહન સ્વામી શ્રી અરનાથ ભવજલનો તારુ” પૂ. પન્યાસજીએ પ્રકાશ્ય છે. કે “તમે શુભભાવનાથી ભરપૂર છો તો વિશ્વની સૌ અનુકૂળતા તમારા ચરણ ચૂમતી આવશે. કોઈ અશુભ કર્મનો યોગ આવે વિકલ્પ ઊઠશે પણ વિચલિત થવા નહિ દે.” આમ સામાયિક યોગના પ્રભાવે જીવન ધન્ય બની ગયું. વરસી તપ ઉપવાસના અનુષ્ઠાનથી થાય તે ઉત્તમ છે, પરંતુ વર્ધમાન સામાયિકની જેમ સ્વાધ્યાય વરસી તપ. રોજે બેથી ત્રણ પાનાંનું શાસ્ત્રવાચન કરવું. અને વરસે દહાડે સૌ કહેતા આવે પાંચસો/સાતસો પાનાના ગ્રંથનું વાંચન થયું. આમ સર્વમાં સર્વત્ર એક પ્રસન્નતા પ્રસરી જાય છે. સત્સંગી-ધર્મપ્રેમી આ દેશ કે પરદેશમાં સામાયિકના અનુષ્ઠાને સૌમાં શુભ ભાવનાની સળંગ સૂત્રતા કરી આપી. આ માધ્યમથી એક વિશાળ, નિસ્વાર્થ, પરોપકાર વૃત્તિ પોષક, પરિવારનું સર્જન થયું. નિર્દોષ પ્રેમના એક ધાગામાં સૌ મણકાની જેમ પરોવાઈ ગયા. આવા સહયોગથી સામાયિકયોગ પણ વૃદ્ધિ પામતો ગયો, સૌને માટે સામાયિક જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયું છે. આમ સહજભાવે અંતરભાવ લખાઈ ગયા તેમાં પણ મારા આ નિર્દોષ પ્રેમયુક્ત સત્સંગી પરિવારની પ્રેરણા છે. તેમની સાથેના હૃદયની ઐક્યતાએ સ્વાધ્યાય - સત્સંગમાં અનુભવથી રસેલા પ્રસંગો સૌ આદરપૂર્વક સાંભળે છે. પ્રેરણા મેળવે છે. સૌની સાથેની નિકટતાનું આ એક માધ્યમ પણ છે. દ્રવ્યરૂપ ધન આપી દેતાં ઉત્કૃષ્ટ ઉદારતા પ્રગટે કે ન પ્રગટે, પણ અધ્યાત્મમાર્ગ એવો છે કે લૂંટાવો અને વૃદ્ધિ પામે. જે લે તે સૌ આનંદ પામે, પ્રેમના ધાગે બંધાય. સૌ નિકટ હો કે દૂર હો, વૈચારિક, માનસિક અને ભાવાત્મક રીતે પણ આ સંબંધ સૌને સમાધાન પોષક સહાયક બને છે. આ માર્ગમાં આપણે એકલા નથી. કેટલા બધા આપણી સાથે છે? ૧૯૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણજી કહે છે કે “તત્ત્વ ગ્રહણ કરો, સૌને વહેંચો, અને પુનઃ મેળવતા રહેજો.” પારિવારિક સંબંધોના ભાવથી લખાયેલું કશું વધારે નહિ લાગે એવો વિશ્વાસ છે. આનંદ છે. દેવગુરુ અસીમ કૃપા હોય ત્યારે આમ સામાયિક જીવનનું એક અંગ બને છે. સામાયિકનું અનુષ્ઠાન યોગ બને છે. અર્થાત સામાયિકમાં થતા જાપ સ્વાધ્યાય, ધ્યાન, અંતરને સ્પર્શવાનું બળ આપે છે. તે સમયની શુદ્ધ અંતરંગ અવસ્થા ક્યારેક સાધકને વીજળીની જેમ ઝબકાર આપી જાય છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એની મોજ માણે છે. અને મસ્તક પ્રભુની કૃપા પ્રત્યે ઝૂકી જાય છે. સામાયિક અનુષ્ઠાન વગરનો સમય પણ સામાયિક યોગરૂપે વણાઈ ગયો છે. હજી જીવમાં ઘણા દોષો, કષાય વિષયના સંસ્કારો ચારિત્ર મોહનીયની ચેષ્ટાઓ તો છે જે શુભ ધ્યાનની વિકાસની દશાને ખંડખંડ કરે છે પરંતુ શ્રદ્ધાબળ અને બોધ ટકી જાય છે, એ સામાયિકનો અપૂર્વ મહિમા છે. - સાધક અવસ્થામાં પાપા પગલી માંડતા આ સામાયિકના અનુષ્ઠાનની અપૂર્વતા જ્ઞાનીજનોએ યથાખ્યાતચારિત્રનો અંતિમ આદર્શ આપીને ક્ષાયિક, શાશ્વત સામાયિકનું બોધ દ્વારા પ્રદાન કર્યું છે. અવતાર માનવીનો નહિ મળે. (સામાયિકક્યોગ) ચૂકી ગયા પછી ફરીને નહિ મળે. અરે દેવલોકમાંય ના મળે આ સામાયિક યોગ. અહીંયાં મળ્યું છે તો માણી લો જાણી લો. મને તમને સૌને આપણને જીવમાત્રને આવા સામાયિકોગ વડે સમતાનું અપૂર્વ અને પૂર્ણ સુખ પ્રાપ્ત થાઓ તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે વિરમું છું. અધિકું ઓછું જણાય તો પ્રેમથી નિભાવજો. આ સર્વે આપણું જ છે. પછી વિકલ્પ શો ? માટે આરાધો, ખૂબ આદરથી આરાધો. ભવાંતનો ઉપાય સામાયિક યોગ ઈતિશીવમ્ - બહેન ૧૯૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ આવું સામાયિક જ્યારે આત્મસાત્ બને ત્યારે : સાધક સર્વાત્મામાં સમદષ્ટિવાળો બને છે. સાધકમાં વૈરાગ્યભાવ ધારણ થાય છે. ચિત્તની સરળતા - નિર્દોષતા ટકે છે. પ્રમાદ રહિત થઈ ઉપયોગથી રહે છે. મન, વચન, કાયાના યોગોનો સદ્ઉપયોગ કરે છે. આંતરનિરીક્ષણ કરી દોષોને દૂર કરે છે. સ્વપ્રશંસા કરતો નથી, પરનિંદા ત્યજે છે. આહાર વિહારનો સંયમી હોય છે. અસત્ય કે અપ્રિય વચન બોલે નહિ. સત્ય પણ વિવેકયુક્ત અને હિતમય બોલે. સંસારની વૃત્તિ પ્રવૃત્તિનો સંક્ષેપ કરે. નિવૃત્તિનું સેવન કરે છે. સર્વજ્ઞ પ્રણિત ધર્મનો ઉપાસક હોય. સર્વમાં સમતાભાવ - મૈત્રીભાવ રાખે. વડીલોનો આદર કરે, સેવા કરે, સંતસમાગમનો, સત્સંગનો ચાહક હોય. ધન, ઐશ્વર્ય, રૂપાદિનો ગર્વ કરે નહિ. વ્રત, તપ, સંયમ, નિયમનો આરાધક હોય. તત્ત્વની યથાર્થ શ્રદ્ધાવાળો હોય. જિનભક્તિ, ગુરુઉપાસનાનો ઉમંગી છે. નીતિ - ન્યાય સંપન્ન વ્યવહાર-વ્યાપાર કરે. પાપભીરૂ - ભવભીરૂ હોય. કષાય વિષયથી ઉપશાંત હોય. માયા - છળ - કપટ - પ્રપંચ આદરે નહિ. દાન, શીલ, તપ અને ભાવ ચારે ધર્મ આરાધે, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રનો ઉપાસક હોય. દેહ અને આત્માનો ભિન્ન સ્વભાવ જાણે છે. એક ભવના થોડા સુખ માટે ભાવવિ દુઃખના પ્રયોજનને નિવારે છે. ૨૦૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુની આજ્ઞાએ વર્તે છે. નિરંતર તેમના બોધને ઈચ્છે છે. સ્વદોષને દૂર કરે છે, પરદોષનું આચ્છાદન કરે છે. જગતના જીવો પ્રત્યે નિવૈર બુદ્ધિ રાખે છે. ગુણવાનો નો આદર પ્રશંસા કરે છે. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રેરાય છે. વિરોધી તત્ત્વો પ્રત્યે મધ્યસ્થભાવ રાખે છે. કષાયનો ત્યાગી અને વિષયથી વિરાગી હોય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો પરિહાર કરે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સમવૃત્તિવાળો છે. પરહિત ચિંતા - જીવોની રક્ષાની ભાવનાવાળો હોય છે. ઉપયોગને સ્વરૂપ દર્શન પ્રત્યે વાળે છે. ઉત્તમ ભાવના વડે અંતરશુદ્ધિ કરે છે. ધ્યાન દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપાનુભૂતિ કરે છે. તે કર્મ અનુબંધનમાં જાગૃત છે. ઉદયમાં સમ છે. તેને આત્મા સિવાય ક્યાંયે આનંદ નથી. નિર્દોષ આનંદમાં રહેવું તે જ્ઞાનીનો નિશ્ચય છે. તેને રાગના પદાર્થનો ત્યાગ છે પણ વિશેષ અરુચિ છે. રાગના પદાર્થની અરુચિ તે વૈરાગ્યની ભાવના છે. ગુરુમાં રહેલી ગુરુતાને - જ્ઞાનને લઘુભાવે સ્વીકારે છે. સાધ્યના લક્ષ્ય તે સાધનને સેવે છે. સ્વપ્ને પણ સંસાર સુખને ઈચ્છતો નથી. આત્માની સહજ અવસ્થાનો અભિલાષી છે. મારું તારું એવા ભેદના અહંમ મમત્વને શમાવે છે. આત્માર્થ સિવાય આ જીવને કંઈ અગ્રિમતા નથી. તે જાણે છે કે સર્વે દુઃખનું મૂળ સાંસારિક સંયોગ છે. ઉદયાધીન વ્યવહાર છે છતાં તેનું લક્ષ્ય પરમાર્થ છે. શરીરાદિ મોહના છે તેમ જાણે છે તેથી અસંગતા ઈચ્છે છે. સર્વ વિરતિથી ઝંખનાવાળો છે. મુક્તિનો અભિલાષી છે. ૨૦૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રુતમ્ આત્મા શાશ્વત સુખનું ધામ છે. મિથ્યાત્વમાં અટક્યો. પરિભ્રમણમાં ભટક્યો. રેતીમાંથી તેલ ન નીકળે પરપદાર્થથી સુખ ન મળે વનમાં ઘર ન મળે તેમ પર પદાર્થથી સુખ ન મળે. રણની જમીનમાંથી પાણી ન નીકળે. આકાશમાં કુસુમની સુગંધ ન મળે. પર પદાર્થથી સુખ ન મળે. દુઃખમાંથી મળતી રાહત તે સુખાભાસ જે જિનવચનને આરાધે તેની ભવભાવઠ ભાંગે. દેહ એ આત્મા નથી, આત્મા દેહાતીત છે આત્મા અતિન્દ્રિય ગુણનું નિધાન છે. પુનરૂક્તિ એ અતિસ્પષ્ટતા કરવા માટે છે. બંધ પડેલી ગાડીને ચાલતી ગાડી ખેંચે, તેમ આપણી સુષુપ્તચેતનાને જ્ઞાની આગળ લઈ જાય. સંતોની વાણીમાં એવુ અમૃત છે. તે સાધકને મુક્ત કરે છે. સાગરનું પાણી અને ખાબોચિયાનું પાણી તફાવત છે. સાગરનું પાણી ખારું છે. ખાબોચિયાનું મીઠું છે. ઈશ્વર લાકડા, પથ્થર, સોનું, ચાંદી, આરસમાં નથી રહેતા પણ માનવીની શ્રદ્ધામાં રહે છે. જેની શ્રદ્ધા દેઢ છે ત્યાં પ્રભુનો વાસ છે. આપણે આપણા દુઃખનું કારણ બહાર શોધીએ છીએ. જેમ ચશ્મા પર બેઠેલી માંખને ન જોતા કોઈ વ્યક્તિ ચાના કપમાં માંખી જોઈ ચાને ફેંકી દે છે. પણ ચશમા પરની માંખ જોતો નથી. કાંટાથી કાંટો નીકળે, અશુભભાવ શુભભાવથી જાય. સંગીનું કોઈ નથી સૌ સ્વાર્થયુક્ત છે વીતરાગીનું વિશ્વ છે, કારણકે નિસ્પૃહ છે. ધરતી પર નાના મોટાનો ભેદ જણાય છે. ફલાઈટમાં ઉંચાઈથી નીચે જૂએ ભેદ ન જણાય, તેમ ગુણોમાં ઉંચે ૨૦૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગયેલો જીવ આ જગતને ભેદરૂપે જોતો નથી સર્વાત્મામાં સમદષ્ટિ નારદજી ધરતી પર પોતાનું સ્થાન કેટલું મોટું છે તે જોવા નીકળ્યા. કોઈ મંદિરમાં તેમની મૂર્તિ જ ન હતી. અભિમાન છૂટી ગયું. નદી ઉંચા પર્વતના શિખરેથી ઉતરી પોતાનું સર્વસ્વ લૂંટાવતી ધરતીને પ્રદાન કરતી સમુદ્રમાં મળે છે. તેમ મનુષ્ય પણ લેવા નહિ દેવા જમ્યો છે. સ્વેચ્છાએ કષ્ટ વેઠીએ ત્યારે મધુર લાગે છે દુકાનદારને રૂપિયો આપી ૭૫ પૈસાની વસ્તુ લેવાની વૃત્તિવાળો અને દુકાનદાર રૂપિયાની ચીજ આપી ૭૫ પૈસા લેવા ઈચ્છે. આવું કરનાર મૂઠી ઉચેરા માનવીઓ આ ધરતી પર થઈ ગયા વિનાબાજી, ગાંધીજી, રવિશંકરદાદા જેવા માનવીઓ લીધુ ઓછું આપ્યું ઘણું. એક વન છે જેમાં જ્યાં ત્યાં ઝાડપાન ઉગ્યા હોય છે, ઝાંડી ઝાંખરા પણ હોય છે. એક ઉપવન છે જેમાં ઝાડપાન વ્યવસ્થિત હોય છે, ઝાડી ઝાંખરા જેવો કચરો નથી. એક તપોવન છે, જેમાં સાધક કષ્ટ વેઠીને પણ અન્યને સુખ પહોંચાડે છે. જીવનના ઘણા ક્ષેત્રો એવા છે કે જીવનમાં સફળતા મળે, પણ માનવજીવનની ઉત્કૃષ્ટતા એ છે કે જીવન સાર્થકતા પામે. ક્રોધ અહંકારથી ઉત્પન્ન થાય છે. મૂર્ખતાથી વધે છે. પસ્તાવાથી સમાપ્ત થાય છે. ક્રોધથી શારીરીક માનસિક આત્મિક દરેક પ્રકારની દુર્ગતિ થાય. વિવેકનો અંકુશ રામબાણ ઉપાય છે. મનને બહારના જગતના સંપર્કથી મહદ્ અંશે દુઃખ અને કંઈક સુખ મળે છે. મન જ્યારે શરીરમાં રહેલા આત્મા સાથે જોડાય ત્યાં દુઃખ સુખ નથી ફકત આનંદ જ છે. દેહ રથ છે, ઈન્દ્રિયો ઘોડા છે. મન લગામ છે. જેથી બુદ્ધિ સંયમમાં રહે છે. મન પર કાબુ આવે તો કાર્ય સરળ છે. બુદ્ધિ સાત્વિક ૨૦૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ હશે જાગૃત હશે તો મન સંયમમાં રહેશે. મનને શુદ્ધ રાખવા વૈરાગ્ય અભ્યાસ અને સત્સંગ જરૂરી છે. પ્રેમ તત્ત્વ ઈશ્વરની ઓળખ છે. તે જ ઈશ્વરનો રંગ, સંગ છે. આખી જિંદગી મેં મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો, મને ત્યારે સમજાયું કે તે સાચા હતા, જ્યારે મારા દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો. પુણ્ય કર્મ પ્રકૃતિ છે. રસ્તે જતાં ધૂળ લાગે તો ખંખેરી દેવી પડે તેમ મોક્ષે જતાં પુણ્યયોગ આવે તો તે છોડીને આગળ વધવું. અસાધ્ય રોગ થાય તો ઘરે ન રહે. દર્દી હોસ્પીટલમાં રહે. ભવરોગ અસાધ્ય છે તે ક્યાં રહે? (ઉપાશ્રયમાં) પોતાનું મુખ છતાં તે દર્પણમાં જોવું પડે. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છતાં જ્ઞાન વડે જોવાય. ખાવા-પીવાનો, પહેરવાના સુખનો સમય કેટલો ? છતાં પૂરી જીંદગી તે સાધનો મેળવવા પાછળ જાય છે. અગ્નિનો ઉપયોગ કરીએ છતાં દાઝીએ નહિ. તેમ પુદ્ગલનો. ઉપયોગ કરીએ ત્યારે રાગાદિ ન કરાય. ગુરુનું પાતંત્ર્ય ગમે કે કર્મનું ગમે? ગુરુની ગોદમાં રહે તે નિગોદમાં ન જાય. કષાયો જતાં જીવ કોમળ બને વિષયો જતાં નિર્મળ બને. સંવેગઃ ગુણીજનોના ગુણો તરફ રાગ. નિર્વેદઃ પોતાના દોષો તરફ ધૃણા. જિનાજ્ઞા માને તે જેને. પરિણામ સ્વરૂપ ધર્મ થાય છે કે પ્રવૃત્તિ સ્વરૂપ તે વિચારવું. ક્રિયા રહી જાય તો દુઃખ, ભાવ ન થાય તો? પૂજા કરતી વખતે ક્યા ભાવ થાય અરિહંત થવાના કે સાધુ થવાના કે સંસાર સુખના? આત્મા પરથી મોહનો અધિકાર ઉઠી જાય તે અધ્યાત્મ-વૈરાગ્ય. દેવગુરુ કૃપાએ સારું શું થાય ! સંસાર છૂટી જાય. પહેલી ભૂલ આઠમે વર્ષે દીક્ષા ન લીધી બીજી ભૂલ યુવાનીમાં સંસાર માંડયો. ત્રીજી ભૂલ પરિવારની પ્રીતિ, પળોજણમાં પડયો. ભૂલની પરંપરા ચાલુ રહી. શાલીભદ્ર બધું આપ્યું તો મોક્ષ સુધીની પૂર્ણતા પ્રાપ્ત થઈ. ૨૦૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ આપણે ઘણું રાખી થોડું આપીએ છીએ. અંધારામાં પડેલી ચીજ અજવાળામાં જઈને શોધે તો જડે? કે અંધારું છે ત્યાં અજવાળું કરે મળે? આત્મા મોહમાં મળે કે જ્ઞાનમાં મળે ! કાપડની દુકાન ન ચાલે ને હીરાની દુકાન બરાબર ચાલે તો કાપડની દુકાન બંધ કરે અને હીરાની ચાલુ રાખે. પૂજા કરે અને ક્રોધ આવે તો ક્રોધ બંધ કરે, પૂજા ચાલુ રાખે. અરિહંતના ધ્યાને શબ્દના, સિધ્ધના ધ્યાનથી રૂપના, આચાર્યના ધ્યાનથી ગંધના ઉપાધ્યાયના ધ્યાનથી રસ અને સાધુના ધ્યાનથી સ્પર્શના વિષય જિતાય છે. રોગ થાય દવા ખીસામાં રાખે રોગ ન મટે, ગુરુનો બોધ ફકત શ્રવણમાં રાખે તો પરિણામ ન આવે. સામયિક એટલે સર્વ જીવો આત્માતુલ્ય છે એવો અધ્યાસ. નવકાર એટલે આત્મા પરમાત્માતુલ્ય છે એવી સાધનાનો અભ્યાસ. - પંચપરમેષ્ટિમાં શ્રેષ્ઠ આલંબન છે. તેથી રોજ તેમના ધ્યાન વડે તેમની સાથે એકમેક થવું. એકાંતમાં ધ્યાન કરવું. તમામ અનુષ્ઠાનમાં મૂળમાં નવકારભાવ હોય તો તે શુદ્ધ અનુષ્ઠાન ગણાય છે. સંસારનું મૂળ જે કષાયો તે નમસ્કાર મંત્રથી શોષાય છે અને ક્ષમાદિ ચાર ગુણો નમસ્કારથી પોષાય છે. પુષ્ટ બને છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્ય જણાવે છે કે વિનયનું ફળ ગુરુની સેવા, ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ આશ્રવ નિરોધ, તેનું ફળ સંવરની પ્રાપ્તિ, સંવરની પ્રાપ્તિનું ફળ તપ, તપથી કર્મ નિર્જરા, તેનું ફળ ક્રિયા નિવૃત્તિ, તેનું ફળ યોગ નિરોધ, યોગનિરોધનું ફળ ભવપરંપરાનો ક્ષય. મનની અસ્થિરતાની ખબર પડે તો પછી મનની નિર્મળતાની ખબર પણ પડે. ખીલે બાંધેલા ઢોરની રક્ષા થાય તેમ પ્રભુની આજ્ઞા માને તો રક્ષા થાય. ૨૦૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ સંસાર શેર બજાર જેવો છે ઉતર ચઢ થાય ચક્રવર્તી નરકે જાય. તિર્યંચ દેવ થાય નારકી મારીને તિર્થંકર થાય. લીંગ એટલે વેષ અને ધર્મ એટલે શુધ્ધ પરિણામ. દુનિયાની કોઈ ચીજ આંખે ચડે નહિ, હૈયે અડે નહિ અને સાધનામાં નડે નહિ તે અધ્યાત્મ. એકના એક ભોજન, પૈસા, સ્ત્રીઆદિમાં કંટાળો ન આવે એકના એક નવકાર ગણવામાં કંટાળો આવે ? તેને સાચા સુખની ખબર નથી. આપણને જે ન ગમે તે બીજા માટે ન કરીએ તે ઔચિત્ય. ભયંકર ગરમીમાં પણ ઝાડના પાન લીલા છમ રહે છે કારણકે ધરતીમાંથી મૂળિયા જળપાન કરે છે. તેમ આગ જેવા રાગરૂપી સંસારમાં જીવ જો સત્સંગનું જળ ધારણ કરે તો સંસારની આગથી બચી શકે. દોષો અને તેના સહાયક કાર્યોને આશ્રવ કહેવાય અને ગુણોના સહાયક કાર્યોને સંવર કહેવાય. ભૌતિક ચીજો પર રાગ થાય, જેનું સાનિધ્ય ગમે, જેનો સંપર્ક ગમે જેની માલિકી ગમે જેના સ્મરણાદિમાં હૂંફ લાગે તે મમત્વ. અણગમતી ચીજો ન ગમવા છતાં સ્વીકાર કરવો સહેલો છે. પણ મળેલી સારી વસ્તુ છોડવી કઠણ છે. રાગને મંદ પાડવાના-છોડવાના પ્રયત્નને તેની વિચારધારાનેભાવનાને વૈરાગ્ય કહેવાય છે. ઘરમાં રહેવું ઠીક છે પણ ઘર મનમાં ઘૂસી જાય તેનો વાંધો છે. મોક્ષના અધિકારી સાધુ છે. ચારિત્રવિણ નહિ મુક્તિ. મોક્ષ માટે ધર્મ કરું છું તેમ સાધુ બોલે, શ્રાવક બોલે સાધુ થવા ધર્મ કરું છું. પાપ આત્મગુણઘાત કરે પુણ્ય પણ આત્મ ગુણનો ઘાત કરે (સુખબુદ્ધિ) પાપ પણ બાળે પુણ્ય પણ બાળે પાપ બાવળના લાકડાનો અગ્નિ છે પુણ્ય સુખડના લાકડાનો અગ્નિ છે. દાળમાં મીઠું વધારે પડે તો દાળ બગડી કે મીઠું બગડયું? ક્રિયા ફળને સાધી ન આપે તો તે નકામી ગણાય છે. તેમ જ્ઞાન પ્રયોજનને સિદ્ધ ન કરે તો તે નિરર્થક છે. કર્તવ્યતાનું જ્ઞાન એ જ્ઞાન ૨૦૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ છે અને કર્તવ્યતાનો અધ્યવસાય તે ક્રિયા છે. ટીવીમાં ખરાબ સમાચાર આવે આપણે ટીવી તોડી નાંખતા નથી. કે એના પર ક્રોધ કરતા નથી કારણકે તે બનાવનો કર્તા નથી. તેમ આપણને પ્રતિકૂળતા કરનાર નિમિત્ત માત્ર છે. ધોવાઈ ગયેલી માટીમા કે સૂકાઈ ગયેલી માટીમાં અનાજ ન પાકે. ઉકરડાના કચરામાં અનાજ ન પાકે તેમ આત્માની ગુણરહિત અવસ્થામાં કે કષાયથી સૂકાઈ ગયેલી અવસ્થામાં ધર્મબીજ ન પાકે. આહારમાં ઘણું નિરર્થક હોય છે. જેમકે શાકના છોતરા વિગેરે. અનાજમાં કાંકરો વિગેરે હોવા છતાં તેને બાજુ પર રાખી આપણે જરૂરી ઉપયોગ કરીએ છીએ. તેમ વિષયો અને કષાયો પૂર્વકર્મ ઉદય જનિત આવે છે તેને બાજુ પર રાખી અંતર આત્માના શુદ્ધ ભાવનો ઉપયોગ કરી લેવો. નિર્વિચારમાં કષાયોની મંદતાનું સંવેદન ને મનની શાંતિ છે. નિર્વિકલ્પમાં કષાયોનો અભાવ તે આત્મશાંતિ. આત્મા પ્રગટ લક્ષણવાળો છે પોતામાં રહીને પોતાને જાણે. પોતામાં રહીને રાગ આવ્યો તેને ભિન્ન જાણે. પત્થરને સોનું ભેગા હોય ત્યારે પત્થર ચમકતો નથી સોનું ચમકે છે. તેમ આત્માનું જ્ઞાન પ્રકાશે છે રાગ પ્રકાશતો નથી. ફકીર એક હવેલી પાસેથી નીકળ્યા અને અંદર પ્રવેશ કરવા ગયા. ચોકીદારે રોક્યા. ફકીર કહે ભાઈ મારે આ ધર્મશાળામાં જવું છે. અરે આતો હવેલી છે. શેઠે આ અવાજ સાંભળ્યો. તેમણે કહ્યું કે ફકીરજી આ હવેલી છે. ધર્મશાળા નથી. ફકીર કહે છે કે અહીં દસ વરસ પહેલા બીજુ કોઈ હતું, તે તારા માતા-પિતા હતા. તે ગુજરી ગયા. હવેલી તેમની હતી તે મૂકી ગયા. તેથી આ ધર્મ શાળા છે તેમ કહું છું. અને તમે પણ મૂકીને જશો. શેઠ બોધ પામ્યા. અનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. અંતરના સ્વભાવની એકતાને અવલંબતા સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રના અંશ ઉત્પન્ન થાય છે. સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ છે. ૨૦૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ અનેક સંગ પ્રસંગમાં રહ્યો છતો સ્વભાવ સંગ પ્રસંગ રહિત છે. એવી દૃષ્ટિ કરનારને પરમાત્મા પ્રાપ્ત થાય છે. અવિરતિનું પાપ નજર સામે દેખાય તો ગૃહસ્થપણાથી છૂટાશે. સુખ ભોગવવાનો અધ્યવસાય તે અવિરતિ. ગૃહસ્થપણાનો ધર્મ પાળનારને સાધુપણું સુકર બને છે. માટે શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. ગૃહસ્થપણામાં, અવિરતિમાં રાખવા માટે સ્થિર થવા માટે નહિ. બરફની પાટના કોઈ ભાગમાં જેમ ગરમીનો અંશ નથી તેમ શુધ્ધ ચૈતન્ય સ્વભાવમાં રાગાદિનો અંશ નથી. ધર્મશ્રવણથી ખેદ દૂર થાય. કષાય શાંત થાય મૂઢતા દૂર થવાથી બોધ પામે, વ્યાકુલચિત્ત સ્થિરતા પામે. આખા ગામને આપણી પ્રત્યે દ્વેષ હશે તો કેવળજ્ઞાન અટકવાનું નથી પણ એકવ્યક્તિ પ્રત્યે દ્વેષ હશે તો તે અટકશે. આત્મઅનભવથી જોતા સાધક જૂએ છે કે જે હું છું તે જ સર્વત્ર છે, ભેદ માત્ર દેહાકૃતિનો છે. અલગ અલગ પાણીના પાત્રમાં સૂર્યના પ્રતિબિંબનું વૈવિધ્ય જણાય છે તેમાં સૂર્યને શું ફેર પડે છે. આત્માની અનુભૂતિમાં અંતઃકરણ ક્લેશ, રાગ, દ્વેષ, મોહ, મમત્વ, અજ્ઞાનથી વિમુક્ત થઈ જાય છે. પ્રતિક્ષણ સ્વગુણનો પ્રવાહ વેહવા લાગે છે. વસ્તુ માત્ર પ્રત્યે રાગથી જે મમત્વ ઉત્પન્ન થાય છે તે હિંસા છે. તેજ આસક્તિ છે. તેનાથી આત્માને બંધન થાય છે. હિંસા તે મનુષ્યનો ધર્મ નથી અહિંસા સ્વધર્મ છે. અને તે જ તેની રક્ષા કરે છે. ત્યાં હિંસા સમાપ્ત થઈ જાય છે. પારકી વસ્તુ-પરભાવનું ગ્રહણ રક્ષણ અને વૃદ્ધિ કરવામાં અહિંસા સમર્થ નથી. તે આત્માની જાતની અવસ્થા નથી. અહિંસા આત્માનો અનુત્તર ગુણ-અવસ્થા છે. આત્મવિજ્ય એ પરમ વિજ્ય છે. આત્માની રક્ષા સાથે દેહની રક્ષા થાય તો ભલે, તે દેહ રક્ષા સંયમ માટે છે. આત્મા ગુમાવીને દેહ રક્ષા કરવી તે સાધક માટે ઈષ્ટ નથી. આત્માની સુરક્ષા સુખ અને અરક્ષા દુઃખના કારણ છે. માટે આત્મા જાણો, સંયમમાં રાખો તે ધર્મસાર શ્રી મહાવીરે કહ્યો છે. ૨૦૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ કષાયોથી ઉપશાંત થયેલ જીવને મોક્ષની અભિલાષા થાય છે. તેથી તેની ધર્મ શ્રદ્ધા દઢ થાય છે. મુમુક્ષુતા રહિત ધર્મ પ્રત્યે શ્રધ્ધા થતી નથી. આ ધર્મ શ્રધ્ધાનું ફળ વૈરાગ્ય છે. પૌદ્ગલિક પદાર્થોની વિરક્તિ વગર વૈરાગ્ય આવતો નથી. આ વૈરાગ્યથી ગ્રંથિ ભેદ થાય છે. અર્થાત્ વૈરાગ્યનું ફળ ગ્રંથિભેદ છે. આસક્તિથી બંધાયેલી મોહની ગાંઠ વૈરાગ્યથી ખૂલી જાય છે. ગ્રંથિભેદ થવાથી દર્શનમોહ ઉપશમ પામે છે. ત્યાર પછી દૃષ્ટિ સમ્યગુ બને છે. પરિણામે ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્ર પૂર્ણ થતાં મોક્ષ થાય છે. જગતની ચેષ્ટાઓને જ સ્પન્દન રહિત થઈને જૂએ છે (રાગાદિ ભાવ રહિત) તે જ સમ રહી શકે છે. વિકલ્પો અને ક્રિયાના ભોગથી દૂર તે સ્પન્દન રહિત છે. સમ્યકત્વ પ્રાપ્તિ પછી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે સિવાયનું ચારિત્ર કેવળ વેશ પરિવર્તન છે. ચારિત્રનો અર્થ આત્માને વિજાતીય તત્ત્વોથી દૂર રાખી સર્વથા મુક્ત કરવા. ત્યાર પછી આત્મા સ્વસ્વરૂપમાં અધિષ્ઠિત થાય છે. આ સાધ્ધ સિધ્ધિનું ફળ સમ્યકત્વ છે. ચારિત્રની ચરમ પરિણતિ મુક્તિ છે. જે આત્માઓ મુકિત પામ્યા છે, પામશે, પામે છે તો સૌ આ સમ્યકત્વના પ્રભાવથી પામ્યા છે. વીતરાગે જે જોયું તેનો ઉપદેશ કર્યો તેનું સમર્થન કર્યું. તે આજ્ઞા છે તે આજ્ઞા ભવ્ય જીવોની આત્મસિધ્ધનો હેતુ છે. ગૃહજીવન ક્લેશોથી ભરેલું છે, અને સંયમ જીવન જોશોથી મુક્ત કરે છે. મનુષ્ય શાંતિ ઈચ્છે છે પણ તે શાંતિ સંયમમાં છે તેની શ્રધ્ધા નથી કરતો, અસંયમ અશાંતિનું દ્વાર છે. શાંતિપ્રિય થવું છે તેણે સંયમપ્રિય થવું જોઈએ. શાંતિ પ્રિય છે તે પરપદાર્થોને પોતાના માનતો નથી. સંયમનો અર્થ છે નિષ્ક્રિયતા, અસત્ ક્રિયાનો સર્વથા નિરોધ થવો. તે શુધ્ધાત્માની પ્રાપ્તિ છે. પરંતુ સાધનામાં પ્રથમ પગલે એમ બનતું નથી તેથી ગુણસ્થાનક જેવો ક્રમ આપ્યો. તેવી પ્રાથમિક કક્ષાના સાધકે પ્રથમ અશુભ પ્રવૃત્તિઓનું સંવરણ કરવું. તે માટે અણુવ્રતમહાવત છે. પછી શુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. સામાયિક ઈન્દ્રિય ૨૦૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ સંયમ, સમતા સંવર કરે. પછી એવી ક્ષણ-આવશે કે બાહ્યમાં નિષ્ક્રિય અને અંતરમાં પૂર્ણ જાગૃતઃ એ જ શુધ્ધાત્માની ઉપલબ્ધિ છે. અહિંસા : મહાવીરે કહ્યું મારી આજ્ઞા જ અહિંસા છે. અહિંસાનિર્મળપ્રેમના અભાવે માનવ જગત શાંતિથી જીવી નહિ શકે. હું અને મારું તે સંકુચિત દૃષ્ટિ છે અશાંતિનું મૂળ છે. સત્ય ઃ સ્વભાવ સત્ય છે વિભાવ અસત્ય છે. સત્ય સીમાબધ્ધ નથી. સાર્વજનિક છે. જેમના રાગ દ્વેષ મોહ નષ્ટ થાય છે તેમનું જ્ઞાન અતીન્દ્રિય છે તે સત્યનું ઘટક છે. અચૌર્ય : વગર પૂછે કે આપેલુ લેવું નહિ તે સ્થૂળ અર્થ છે. સુક્ષ્મપણે વિચારીએ તો આપણું શુ છે ? આપણી ચેતનાના અસ્તિત્વ શુ સિવાય બધું જ પારકું છે. સાધકે જોવું પડશે કે તેનું શું છે. એક પરમાણું પણ તારું નથી. છતાં કેટલી વસ્તુઓને મારી માની રહ્યો છું. પોતાના અસ્તિત્વમાં પ્રવેશ નહિ કરે ત્યાં સુધી અચૌર્ય સિધ્ધ નહિ થાય. બ્રહ્મચર્ય : આત્મા કે પરમાત્મામાં વિચરણ. વ્યક્તિ જ્યારે આત્માના વિચરણ બહાર નીકળે છે ત્યારે તેનું બ્રહ્મચર્ય સુરક્ષિત નથી. અપરિગ્રહ : પરિગ્રહ માનસિક મલિનતા છે પવિત્રાનો વાસ અપરિગ્રહમાં છે. અસંતુષ્ટ માનવ વારંવાર જન્મમરણ કરે છે. તેના મૂળમાં પરિગ્રહની મૂર્છા છે. આત્માના સૂક્ષ્મ સ્પંદનનું અનુમાન કરવું મુશ્કેલ છે. મનાદિની બાહ્ય ચેષ્ટા વડે તેની પ્રતિક્રિયાઓ જાણી શકાય છે. શરીર વાણી અને મન તેની વ્યાપાર પ્રવૃત્તિને યોગ કહેવાય છે, તે યોગ સ્થૂળ છે તેનાથી સૂક્ષ્મ પ્રવૃત્તિઓનો પરિચય થાય. પરંતુ આત્મા અમૃત છે. એટલે તે સ્થૂળ પ્રવૃત્તિઓ વડે જાણી ન શકાય. પ્રવૃત્તિમાં માત્ર ચંચળતા છે. નિવૃત્તિ જ સ્થિરતા છે, ત્યારે આત્મા તેના સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. ત્યાં શારીરિક આદિ સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે તે સ્થિતિમાં પુદગલોનું ગ્રહણ અને પરિણામ છૂટી જાય ત્યારે આત્મા મુક્ત થઈ જાય છે. હવે સંસારમાં ૨૧૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું કોઈ કારણ નથી. તેથી નિર્વાણ થઈ જાય છે. જીવો પ્રવૃતિમય રહે છે તેમને માટે શુભાશુભ પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રહે છે. તે બંનેના મૂલોચ્છેદ વગર મુક્તિ થતી નથી. આ રીતે કર્મોના ક્ષીણ થવાની પ્રક્રિયા છે સૌ પ્રથમ અસત્ પ્રવૃત્તિ (હિંસાદિ)ના પ્રવાહને રોકવામાં આવે. અર્થાત્ અશુભ ક્રિયા પ્રત્યેનું વલણ ફેરવી શુભ પ્રવૃત્તિ સાથે જોડાય. તેથી શુભ પુદ્ગલોનું સર્જન અને અશુભોનું નિર્જરણ થશે. હવે જો શુભ પ્રવૃત્તિ ફલાંક્ષા કે વાસના રહિત હોય છે તો ક્રમે ક્રમે તેનાથી નિવૃત્ત થઈ જાય છે. અંતે પૂર્ણ નિવૃત્તિની સ્થિતિ પેદા થાય છે. અર્થાત શુધ્ધભાવ પ્રગટે છે. અશુભ છોડીને જે શુભમાં પ્રવત્ત થાય છે તેનું ધ્યેય મુક્ત થવાનું છે. તે પહેલા જે શરીરાપેક્ષ ક્રિયા કરે છે તે પાપ રહિત એટલે જયણાજાગૃતિપૂર્વક કરે છે. અર્થાત્ સ્વયંનું સતત સ્મરણ રહે. ઉજાગર અપ્રમાદ રહે તેથી પ્રમાદથી થતા દોષો સ્વયં શાંત થઈ જશે. સાવધાની સાધતા ક્ષેત્રનું પ્રથમ પગથીયું છે. સંસાર અને મોક્ષ બે તત્ત્વો છે. સંસારને દૈહિક સુખનું આકર્ષણ છે મોક્ષને આત્મ સુખ આવકાર્ય છે. આત્મિક સુખમાં જે પ્રવૃત્ત થાય છે તેનું શરીર કે તેના સુખનો મોહ નથી હોતો. શરીરનો નિર્વાહ કરે આસક્ત ન હોય. શરીર મોક્ષની સાધના માટે છે તેમ શ્રધ્ધા કરવાથી બધી ક્રિયાઓ મોક્ષને ઉચિત થાય છે. જૈનદર્શન દુઃખમુક્તિનું દર્શન છે. જૈન મુનીઓ સમસ્ત સંસારને દુઃખમય માને છે. બધા જ સંયોગ વિયોગ દુઃખની પરંપરાવાળા છે. જન્મ, મરણ, ઘડપણ, રાગ, બધું જ દુઃખમય છે. પાંડિત્ય અને સમ્યગુજ્ઞાન વચ્ચે મોટું અંતર છે. પંડિત બનવા માટે વિશ્વ પાસે ઘણું સાહિત્ય છે. તે સર્વ ઉધાર છે. પોતાનું નથી અને પ્રકારના આધુનિક સાધનો છે. વૈજ્ઞાનિકો કહે છે મનુષ્યના મસ્તકમાં દૂનિયાના બધાજ પુસ્તકાલયોનું જ્ઞાન સમાય તેવું છે. આટલી ક્ષમતા છતાં મનુષ્ય પોતાને જ્ઞાન વડે જાણી શકતો નથી. જ્ઞાનની પ્રક્રિયા શિક્ષણથી ભિન્ન છે જ્ઞાન સ્વને જાણે વિદ્વાન અન્યને જાણે. જ્ઞાન સાથે આચરણ હોય વિદ્વાન પાસે વિક્રિયા છે. ૨૧ ૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વડે જીવ હેય ઉપાદેયને જાણે છે દર્શન વડે વિવેક જાગૃત થાય. ત્યારે સત્વની દિશામાં આચરણમાં આગળ વધે છે. હેય છૂટી જાય છે (ચારિત્ર) ઉપાદેય ગ્રહણ થાય છે. તેથી આવનાર કર્મો રોકાય છે. પછી તપ દ્વારા ક્ષીણ થાય છે આમ જ્ઞાન દર્શન ચારિત્રમાં તપથી મોક્ષ સધાય છે. લોકો ધર્મની વાતો સાંભળે છે, તે વ્યર્થ છે, બોલે છે, લખે છે, ધર્મ માટે લડે છે, મરે છે, હા પણ ધર્મને માટે જીવતા નથી. જો જીવનમાં ધર્મથી સમત્વ આવે તો લડવાની કે મરવાની જરૂર રહેતી નથી. ધર્મગ્રંથો બોલતા નથી તેમાં જ્ઞાની-અનુભવીજનોના ચેતના જગતનું ગુંજન છે. તેનો સાર ચેતના જગતમાં પ્રવેશ પામીને ને પ્રાપ્ત થાય. એ ધર્મ અનુભૂતિ બનવાને બદલે બૌધ્ધિક બને છે ત્યારે તે શુધ્ધ ધર્મ હોતો નથી. ઉપદેષ્ટાએ માત્ર ઉપદેશ આપવાનો નથી તે તત્ત્વને જીવવાનું છે. પૂર્વબધ્ધ સંસ્કારોથી આત્માનો મૂળ ધ્વનિ દબાઈ જાય છે અને મન સક્રિય થઈ જાય છે જે અસમાધિ છે. ઉપદેષ્ટા આત્મગુપ્ત હોય છે. રાગદ્વેષથી યુક્ત વક્તા શુધ્ધધર્મનું નિરૂપણ ન કરે. સંસારી રાગવાળા લોક વ્યવહારથી ઉપદેષ્ટા છે. સાચા ઉપદેષ્ટા માધ્યસ્થ ભાવે હોય છે. તટસ્થ હોય તેની દૃષ્ટિ સત્ય તરફ હોય છે. જયારે બાહ્ય ક્રિયાઓની ચમકદમક વધી જાય છે. ત્યારે ધર્મની મૌલિકતા ગૌણ થઈ જાય છે. અને લોકોને તે પ્રત્યે અનુત્સાહ આવે છે. તેથી બાહ્યક્રિયાઓનું મહત્વ વધી જાય આથી ધર્મનું મૂળ રહસ્ય છૂટી જાય છે. શુધ્ધ ધર્મની સુરક્ષા મહત્વની છે. તેમાં પ્રાણિ માત્રનું હિત છે. રત્નત્રયી જેટલી સશક્ત તેટલો ધર્મ સશક્ત, તે ધર્મ રત્નત્રયીથી બહાર નથી. લોકો અર્થોર્પાર્જન માટે કેટલા કષ્ટ વેઠે છે ભૂખ તરસ ઠંડી ગરમી મૃત્યુ સુધીની પીડા સહી લે છે. તેનાથી અડધા કષ્ટથી અંતરયાત્રા કરે તો પણ સહેલાઈથી પહોંચી શકાય છે. ધર્મમાં શરીરને સતાવવાનું કંઈ પ્રયોજન નથી. આવરણ દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. તપને સામાન્ય જન પીડા માને છે. વ્યક્તિ પોતાની શક્તિનું તોલ કરીને ૨૧૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવેકથી કરે તો ધર્મના વિકાસની શક્યતા છે. અજ્ઞાનપૂર્વક કરેલું બધું વ્યર્થ છે. ધર્મ આત્મસ્વભાવના પ્રકટિકરણનું માધ્યમ છે. શરીર, મન, ઈદ્રીયો આત્માના વિપરીત માધ્યમો છે. કોઈ પણ સાધક ધર્મ યાત્રા કરે ત્યારે તે શરીર બાહ્ય સાધન છે તે સંયમથી સહાયક બને છે. સામાન્ય જનને લાગે કે આત્માનો આનંદ મેળવવા દુઃખ-કષ્ટમય યાત્રા શા માટે ? ધર્મયાગ-સત્યની પ્રાપ્તિ વિષયાભિમુખતાથી થતી નથી. શરીરાદિથી સુખ પ્રાપ્ત થતા હોય તો આજ સુધી થઈ ગયા હોત. પરંતુ તે સર્વે બાહ્ય સુખ સામગ્રી સુધી જ પહોંચ્યા પછી તે સર્વે નષ્ટ થાય છે. સત્ય માટે તો આત્માભિમુખ થવું જ જરૂરી છે. ધર્મ યાત્રામાં શરીરને કષ્ટ આપવાનો સવાલ નથી. ગૃહસ્થો અર્થોપર્જનમાં ઘણું કષ્ટ વેઠે છે. તેનાથી થોડું આ માર્ગે કષ્ટ વેઠે તો માર્ગથી મંજિલ સુધી પહોંચી જાય. ધર્મયાત્રા માટે જે કંઈ કરવામાં આવે છે અજ્ઞાનને અણસમજને દૂર કરવા માટે છે તે માટે અહિંસા ધર્મ છે. તેમાં સમ્યવિવેક તે તપ છે. જે અજ્ઞાનમય ક્રિયા નથી તેમાં ચિત્તક્ષોભ પામતું નથી. વિચાર ક્લેશપૂર્ણ ન થાય. આર્તધ્યાન ન થાય. વ્યક્તિ યથાશક્તિ આ માર્ગમાં આરાધના કરી શકે છે. તેનાં પ્રથમ વિવેક છે. સમતુલા છે. ત્યાં ધર્મના વિકાસની શકયતા છે. જે ચેતના વિષયોમાં આસક્ત છે. તે હિંસા તરફ દોડે છે. (ભોગના સાધનોમાં હિંસા થતી હોય છે.) તેથી સાધક તે ચેતનાને આત્મા તરફ વાળીને તેને અહિંસામાં પ્રતિષ્ઠિત કરે છે. મુમુક્ષુ સાધકે અહિંસાની સાધનામાં કથંચિત દુઃખ પ્રાપ્ત થાય તો તે સહન કરવું જોઈએ. જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી ચિત્ત ચંચળ રહેશે, તે ચંચળતામાં સંસ્કારવશ જીવને અનુકૂળતામાં ઈન્દ્રિયોના વિષયો સારા લાગે છે તેનો પરિત્યાગ સારો લાગતો નથી. દેહાદિ અધર્મનું કે ધર્મનું પણ મૂળ નથી. સાધક દ્વારા તેનો કેવો ઉપયોગ થાય છે, તે રીતે તે ધર્મ કે અધર્મનું મૂળ બને છે. દેહના નિભાવને યોગ્ય શક્તિ મળ્યા પછી વધેલી શક્તિ વિકારો પેદા ન કરે તે માટે પ્રસન્નતા ટકે રીતે તપ કરતા કાયા કૃશ થાય તો ૨૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ તેમાં હાનિ નથી. શક્તિ રહિત મનુષ્યનો આત્મા જાગૃત થતો નથી. માટે શરીરનું યોગક્ષેમ કરીને પણ આત્માને જાગૃત કરવો. તેના ઉપાયમાં ઈન્દ્રિય સંલીતનતા : વિષયો પર નિયંત્રણ કરવું. કષાય સંલીનતા : કષાયો પર વિજય મેળવવો. યોગ સંલીનતા મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી. વિવિક્ત સધ્યાસન : એકાંત સ્થાનમાં રહેવું. સૂવું. ભાવના : શુભા શુભની દૃષ્ટિએ ભાવનાનો અર્થ વાસના કે સંસ્કાર. મનુષ્ય જેવી ભાવના રાખે છે તેવો થાય છે તે જે કંઈ કરે છે તે ભાવનાનું પુનરાવર્તન છે. ભાવના વડે જાતને સંસ્કારી બનાવવી, જ્ઞાન દ્વારા તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો. ભાવના એ વિકાસ નથી. અનુભવનું દ્વાર છે. ધ્યાનના અભ્યાસમાં ભાવનાનું મહત્વનું સ્થાન છે. ભાવનારૂપી નૌકાથી ચિત્તને સાધ્યનો અનુરૂપ કરી ભવસાગર તરી શકાય છે. માટે ધ્યાનની પૂર્વે અને પાછળ સાધકે ભાવનાઓનું સતત સ્મરણ કરવું. એમાંથી આત્મશક્તિ વિકસિત થાય છે. મન તરૂપ થઈ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય છે. અને સત્યદિશા તરફ અનુગમન કરે છે. પછી સાધકને યોગ્યકાળે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. એક સાધક પીપળાના ઝાડ નીચે વિશ્રામ કરતો હતો. એક પાંદડું તૂટીને તેના પર પડયું. બોધ થઈ ગયો, કે હું પણ એક દિવસ આ શરીરને ત્યજી દઈશ, પડીશ. મરતી વખતે જીવ શરીરને છોડે છે પણ વાસનાને છોડતો નથી. તેથી મરીને પાછો વાસનાની આસપાસ પેદા થાય છે. બીજાઓથી પોતાને જૂદો જોવો તે એકત્વ છે. અને પોતાથી બીજાઓને ભિન્ન જોવા તે અન્યાય છે. યોગ-વિયોગમાં જાતને જોડી ન દેવી અને જીવવું તે અન્યત્વ ભાવનાનું ધ્યેય છે. જન્મ અને મૃત્યુ પછી જેનું અસ્તિત્વ અખંડ રહે છે તેની શોધ કરવી તે બોધિ છે. આમ શુભ બાર ભાવનાઓમાં રમણ કરતો સાધક આ જીવનમાં મુક્તાનંદનો સ્પર્શ કરે છે. તેના કષાયાગ્નિ શાંત થાય છે પરદ્રવ્યોની આસક્તિ નષ્ટ થાય છે. બોધ પ્રજ્વલિત થાય છે. અજ્ઞાનદૂર થાય છે. માણસ ધન પરિવાર પત્નિ, પુત્ર, મિત્ર, મકાન વગેરે સાધનોને મમત્વને ૨૧૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ પકડી રાખે છે. માને છે આમાંના કોઈક તો મને રક્ષણ આપશે. તેથી ધનાદિનો સંગ્રહ કરે છે. ધર્મ કહે છે તે સર્વે પદાર્થો અસ્થાયી છે તને કેવી રીતે રક્ષણ આપશે માટે તેના તરફથી મમત્વની પકડ છોડી દે. પણ જીવે અસ્થાયી તત્ત્વોનો અનુભવ કર્યો નહિ હોય તો તે મૃત્યુ સમયે દેહ તો છોડી દે છે પણ વાસના તો સાથે જ લઈ જાય છે. અને ત્યાંને ત્યાંજ પાછો ઉત્પન્ન થાય છે. પણ જો નિત્ય છે તેને પકડે તો તે સ્વયં સાથે જ રહે છે. આ સૃષ્ટિ સંયોગાત્મક છે. બધા જ પદાર્થોના સંબંધો સંયોગાત્મક છે. જેનો સંયોગ તેનો વિયોગ અવશ્ય હોય છે તેનો સ્વીકાર કરીને જીવો પછી વિકલ્પ શો ? સંતાપ શો ? ધર્મ જીવનમાં સર્વસ્વ બની જાય છે ત્યારે જ જીવન પવિત્રતાથી સુવાસિત થાય છે તેજ આત્માનુભૂતિ છે. કારણકે ધર્મનો સંબંધ બાહ્ય પદાર્થો સાથે નથી કે જગત સાથે નથી તે આત્માનો સ્વભાવ છે, ગુણ છે. સ્વભાવરહિત સુખની પ્રાપ્તિ આકાશકુસુમવત્ છે. ધર્મ એ સમ્યજ્ઞાન દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ છે. તે જ આનંદમય પૂર્ણ સ્વરૂપ છે. તેવા ધર્મનું શરણ જ આત્માને સ્વયં પ્રાપ્ત કરે છે. તે સિવાયના શરણ અશરણ છે. સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક છે. મૃત્યુ પછી પોતાનું માનેલું બધુંજ ખોવાઈ જાય છે. જન્મ મરણ થવા છતાં જે અખંડ રહે છે તે જીવનું અસ્તિત્વ છે. તેની શોધ કે પ્રાપ્તિ તેજ બોધિ અથવા સ્વની પ્રાપ્તિ છે. જીવને બંધન આવરણ છે. મુક્તિ નિરાવરણ છે. આત્મજ્ઞાનનો, દર્શનનો કે ચારિત્રનો વિકાસ આવૃત્ત દશામાં થતો નથી, નિરાવરણ દશામાં થાય છે. બંધન છે ત્યાં મુક્તિ નથી મુક્તિમાં કોઈ બંધન નથી. આત્માનું સ્વભાવમાં રહેવું તે મુક્તિ છે. આત્માનું કર્મના પ્રભાવમાં રહેવું તે બંધન છે. આ કર્મના પ્રભાવમાં જીવ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય અને યોગ જેવા હેતુથી બંધાય છે આ પાંચેનો સંગ્રાહક શબ્દ આસ્રવ છે. જેના કારણે કર્મબંધ થાય છે. સુખની પાછળ દુ:ખ રહેલું છે. એટલે જીવ જાણે છે કે તે સુખની ખોજ કરે છે પણ વાસ્તવમાં તે દુઃખનું સર્જન કરે છે. ૨૧૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ શુભભાવથી થતું પુણ્ય એ મુક્તિનું સાધન નથી પુણ્યનું ઉપાર્જન કરનાર અંતરમાં સુખની ઈચ્છા સેવે છે. તેને આત્મસુખ પ્રિય નથી, માનો કે કદાચ તે આવી જાય, તો મુલતવી રાખે કારણ કે તે ઈચ્છે છે પૌદ્ગલિક સુખભોગ. આ સુખભોગની ઈચ્છા તેને બંધનોથી મુક્ત કરાવી ન શકે. પુણ્યની પરંપરા જ દુઃખ તરફ લઈ જાય છે. પુણ્યથી સુખભોગની સામગ્રી, સામગ્રીમાં વૈભવ, વૈભવથી યશકીર્તિ, તેમાંથી બહિર્મુખતાથી મૂઢતા, આ મૂઢતા એટલે મુઠ્ઠવસ્થા જેનાથી વ્યક્તિ પાપમાં લિપ્ત થઈ જાય છે. માટે સાચો સાધક પુણ્ય નથી ઈચ્છતો. દુઃખ જો મુક્તિનું કારણ બને તો તે દુઃખ સહેવા તૈયાર છે. તે જાણે છે કે સ્વભાવથી મોક્ષ છે. પુણ્ય કે પાપની નથી. આત્મબોધ : જ્ઞાની પદાર્થને જાણે પણ રાગ દ્વેષના ભાવ ન કરે. કેમકે તે તે પદાર્થોનો સાંયોગિક સંબધ છે તે આત્માના થઈ શક્તા નથી તેવું જ્ઞાન વર્તે છે. કે હું તો જ્ઞાન દર્શન સ્વરૂપ છું. - ત્યાગમાં આનંદ આવતો નથી કારણ કે સંસ્કારવશ ભોગની વૃત્તિઓ ચાલુ છે, એટલે ત્યાગ પછી તરત જ જીવ ભોગના પરિણામ કરે છે. ત્યાગના કાળે જો વૈરાગ્યના ભાવ થાય તો ત્યાગથી નિર્જરા થાય, વૈરાગ્યથી આત્મજ્ઞાન થાય. જેમકે ઉપવાસ કર્યો પરંતુ જ્યારે પારણું કરે ત્યારે તેમાં ઓતપ્રોત થઈ જાય એટલે ભોગવૃત્તિ થાય પરંતુ ઉપવાસનું સાચું સ્વરૂપ જાણ્યું હોય કે ઉપવાસ એટલે આત્મભાવમાં રહેવાનું અથવા રહ્યો હોય તો જીવને ભોગવૃત્તિ ન ઉઠે. મનુષ્ય કર્મ બાંધવામાં સ્વતંત્ર છે, પરંતુ તેના ઉદયમાં તેને પૂર્વકર્મને વશ થવું પડે. અર્થાત કર્મના ફળ ભોગવવામાં પરતંત્ર છે. છતાં તે મુક્ત થવા ઈચ્છે તો ભેદવિજ્ઞાન-આત્મજ્ઞાનથી મુક્ત થઈ શકે છે. કર્મ તો ભોગવવા પડે છે તો પણ તે કર્મનો કર્તા ભોક્તા બનતો નથી જ્ઞાતા રહે છે. મનુષ્ય વિનશ્વર સુખને જુએ છે, તે સુખને વણસતા જૂએ છે છતાં તેની સમજમાં આવતું નથી કે શાશ્વત સુખ હોવું જોઈએ. તે સુખ-દુઃખના કંઠથી મુક્ત છે. માનવમન તરંગિત વિકલ્પાત્મક છે. ૨૧૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ તરંગને સાગરનો અનુભવ નથી હોતો, તે સાગરને આધારે આવે છે જાય છે, સાગરમાં રોકાતા નથી પછી સાગરનો તાગ કેવી રીતે મેળવે ? તેવી રીતે મન વિકલ્પોથી શાંત થાય તો તેને આત્માના આનંદનો અનુભવ થાય. મોક્ષ આત્માની વિશુદ્ધ અવસ્થા છે ત્યાં શરીર, ઈન્દ્રિયો મોહ, રાગ, દ્વેષ, જન્મ-મરણ, હર્ષ શોકનો સર્વથા અંત છે. આત્મસુખ મેળવવા શું કરવું? વાસ્તવમાં સર્વથી નિવૃત્તિ થઈને ધ્યાનમાં હોવું તે સાધન છે. ઈન્દ્રિયાદિમાં સુખ નથી તેમ દઢ રીતે માનવું. પછી બહિર્મુખતા છૂટી જાય છે. ત્યારે અંતરલીનતા આવે છે. તે સમયે ચેતનાનો શુધ્ધ વ્યાપાર જ્ઞાનરૂપે ચાલુ રહે છે તે જ્ઞાનમાં આત્માના આનંદનું વેદન અનુભવાય છે. તે આનંદ એવો છે કે જીવ તેનાથી વિમુખ હોતો નથી. કારણકે બહારની આકાંક્ષાનો સ્ત્રોત ત્યાં સૂકાઈ જાય છે. બાહ્ય પદાર્થોની અનઉપસ્થિતિમાં તે આનંદનો અભાવ નથી થતો. તે શુધ્ધ અને પવિત્ર છે. તે ઈન્દ્રય ગમ્ય નથી. જેણે સમતા કે માધ્યસ્થ ભાવનો એક નાનો શો અનુભવ કર્યો છે તે તેમાં આગળ વધશે, પછી ઉપદેશની જરૂર નહિ રહે. આત્માનું જ્ઞાન સમ્યગુજ્ઞાન છે, આત્મામાં આસ્થા તે સમ્યગ્દર્શન છે. આત્મ પ્રાપ્તિની પ્રવૃત્તિ તે સમ્યગુ ચારિત્ર છે. વ્યક્તિ, વસ્તુ અને પદના અનુકૂળ સંયોગમાં જીવ રાજી થાય છે, અને વિયોગમાં દુઃખી થાય છે. સંસારમાં સંયોગ હોય તેની પાછળ વિયોગ હોય, કારણકે તે કર્માધીન છે. દીકરાને મા ગમતી હતી પણ લગ્ન થયા એટલે પરિણામે પલટો કર્યો. પ્રથમ રાગનો સંયોગ હતો પછી રાગભાવનો વિયોગ થયો. વસ્તુનો સંયોગ પણ કર્માધીન છે આજે જે વસ્તુ મળી તે નાશ પામે તેના સંયોગમાં જીવ રાજી થયો તો વિયોગમાં દુઃખી થયો. આજે કોઈ પદ મળ્યું તે પદથી ભ્રષ્ટ થવાય તો જીવે દુઃખી થવાની જરૂર નથી કારણ કે તેમાં આત્મામાં કંઈ જતું નથી અને આત્મામાં કંઈ આવતું નથી સંયોગનો વિયોગ સ્વીકારી લેવો. આત્માનુભૂતિ તર્ક પ્રધાન કે બુદ્ધિ પ્રધાન નથી. આત્મા છે કે ૨૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ નથી તેવા તર્કો આત્મશોધ નહિ કરી શકે. વૈજ્ઞાનિક લાપ્સાસે વિશ્વની સમગ્ર વ્યવસ્થાનું સ્વબુધ્ધિ વડે પાંચ ખંડોમાં લખેલું પુસ્તક રજુ કર્યું. નેપોલિયને તે જોયું પછી તેમના પ્રધાને જોયું. અને કહ્યું કે આમા ઈશ્વરનું નામ નથી. લાપ્યાસે કહ્યું કે હું ઈશ્વરને માનતો નથી. પ્રધાને કહ્યું કે આ સમગ્ર વ્યવસ્થામાં ઈશ્વરનું નામ હોવું જોઈએ કારણકે હું માનું છું કે ઈશ્વર છે. નેપોલિયને પુસ્તક બંધ કરીને કહ્યું કે તમે બંને સાચા કે ખોટા કેમ કહું ? કારણ કે તમે બંનેએ ઈશ્વર જોયા નથી તમે બંને માત્ર માનો કે ઈશ્વર છે કે નથી. ઈશ્વરની માન્યતાનું મૂલ્ય શું હોય ? અનુભવનું મૂલ્ય છે માનવા સાથે અજ્ઞાન હોઈ શકે છે. અનુભવવું પ્રકાશમય છે. જૈન ધર્મનો કોઈક અનુરાગી મહાવિદેહ જવાની ભાવના કરે છે. પણ અહીં રાગ છોડવા તૈયાર નથી. રાત્રિભોજન ત્યાગ કરવા તૈયાર નથી. સામાયિક જેવું અનુષ્ઠાન નથી. ત્યાં શું કરવાનો ? આઠમે વર્ષે દીક્ષા ? અરે અહીં તો કંઈ સામર્થ્ય નથી તો ત્યાં જઈને શું કરવાનો ? અહીં પડતો કાળ છે પણ થોડા સયમમાં કાર્ય થાય તેવું છે તે તો કરી લે. મહાવિદેહમાં લાખો, કરોડો વર્ષ સાધનામાં રહેવાનું છે. ભલે ત્યાં તેજીનો કાળ હોય પણ સામર્થ્ય વગર શું કરશો ? અહીં મંદી કાળ છે છતાં કાર્ય સિધ્ધ થાય તેવું છે. અહીં એક પૌષધ કરવાના ઘાંઘાં છે અને ત્યાં આઠમે વર્ષે દીક્ષા ? સ્વયંભૂરમણરૂપી મોહનો સાગર તરવાનો છે અહીં થાય તેટલું સામર્થ્ય ભેગું કરે તો યોગ્ય કાળે જ્યાં હોઈશ ત્યાં કામ લાગશે ! પ્રાયે મનુષ્ય એવો ધર્મ ઈચ્છતો નથી જે ધર્મ આત્માનો રાગાદિ રહિત સ્વભાવ છે. મનુષ્ય ઈચ્છે છે ધર્મનું ફળ અને તે પણ ભૌતિક સુખની પ્રાપ્તિ. જ્યાં સ્વભાવની સ્થિતિ માટે ધર્મ કરવામાં આવે છે ત્યાં દીનતા, દરિદ્રતા, દુઃખ, વ્યાધિ કે ઉપાધિ હોતા નથી. મનુષ્ય આ ધર્મથી અજ્ઞાત છે. જે સ્વભાવ માટે જીવે છે મરે છે ચાલે છે, જ કરે છે તે સ્વમાં કેવી રીતે દુઃખી હોઈ શકે ? કોઈ બાહ્ય નજરે કદાચ દુ:ખી દેખાય પણ તે તો સદાય પ્રસન્ન છે. તે દૃષ્ટિ સ્વના અંતરદર્શનમાં રહેલી છે જ્યાં દુઃખ વગરનું સ્વાધીન સુખ છે. બધું ૨૧૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ જીવ સત્ અસત્ સંસ્કારથી બંધાયેલા હોય છે તે પૂર્વ સંચિત સંસ્કાર ધર્મથી ક્ષીણ થાય છે. અધર્મથી અસાર સંસ્કારોનો સંચય થાય છે. આમ ધર્મ અને અધર્મ નિરંતર ક્રિયાશીલ છે. માણસ મૃત્યુ પામે પછી સ્વજનો તે જીવની શાંતિ માટે અંતરાયકર્મની પૂજા ભણાવે. અરે ભાઈ તે જીવે જ્યારે અહીં હતો ત્યારે બધા અશાંતિના જ ધંધા કર્યા હતા. હવે તેના નામે પૂજા ભણાવો તો તેને શાંતિ કેવી રીતે પહોંચે ? તેને શાંતિ જોઈતી જ ક્યાં હતી? તમે પૂજા ભણાવો ભલે તમે સારાભાવ કરો તો લાભ પણ બધું વ્યવહારમાં જ જાય છે. એટલે ન તમને શાંતિ મળે ન એ જીવને મળે. તેથી સમજો આત્મશાંતિ શું છે. ? જે એમ સમજે કે હું તો જ્ઞાન દર્શન સ્વરૂપ છું. આ બહારના સંયોગો છે તે મને કંઈ લાભકર્તા નથી. મારા સ્વરૂપમાં શાંતિ છે તે નરકમાં પણ આત્મામાંજ રહે છે ખંડિત થતી નથી. અને દેવલોકમાંથી પણ જતી નથી. સ્વરૂપ શાંતિ સ્વરૂપમાં રહે છે. બહારથી મળતી નથી. ધન પ્રાપ્તિ એ ધર્મનું ફળ નથી પુણ્યનું ફળ છે. ધર્મનું ફળ આત્મશાંતિ, ધૈર્ય, નિર્ભયતા, સન્ત્લન, ક્ષાદિ ગુણ છે. મૂળ તો સ્વભાવમાં સ્થિતિ એ ધર્મ છે. જે ધર્મથી જ્ઞાન અને દર્શન અનાવૃત થાય છે. જીવને આત્મશાંતિ મળે છે. કબીર મારગ કઠિન હૈ ૠષિ મુનિ બૈઠ થાક, તહાં કબીર ચઢ ગયા, ગહ સાદ્ગુરુકા હાથ. બહારની પકડ ઢીલી કરો, સનાતન સ્ફૂરિત એવા ઉપયોગને બહાર ભમાવો નહિ. બહાર જેટલી સુરક્ષા ઉભી કરશો તેટલા ભય, દુઃખ, અશાંતિ વધશે, તેથી મુક્ત થવા અંતરાત્મામાં ઉતરો, તે શાશ્વત છે. ત્યાં ભય નથી. હું અભય છું શાશ્વત છું માત્ર શબ્દ રટણ શું કરશે ? અનુભૂતિમાં જગતમાં જીવ જૂએ છે કે જે હું છું તે સર્વત્ર છે. ભેદ કર્માધીન દેહનો છે. પાણીના વિવિધ પાત્રોમાં સૂર્યનું પ્રતિબિંબ તે આકારે થાય છે તેમાં સૂર્યને શું ફેર પડે છે ? આત્મા એવોજ છે. સમ્યગ્દષ્ટિ જીવ અત્યંત દુઃખી છે. નારકમાં જીવોના જેવું દુઃખ લાગે છે કે કારણકે આત્મિક સુખ અનુભવ્યું છે. અને ઉદય સંસારનો છે. અરે ચક્રવર્તી પદે હોય તો ૨૧૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ પણ દુઃખી છે. કેમકે તેમાં સ્વભાવનું સુખ નથી. ગૌતમસ્વામી ભગવાનની નિશ્રામાં હતા પરંતુ રાગને કારણે બધ્ધ હતા. તેમની મોક્ષની ઝંખના તીવ્ર હતી. તેથી તો અષ્ટપદની યાત્રા કરવા ગયા ભગવાને કહ્યું હતું કે તારો આ ભવમાં મોક્ષ છે. પછી યાત્રાએ જવાનું પ્રયોજન શું! પણ મોક્ષની ઝંખના હતી. વીતરાગનો રાગ સંસારમાં ડૂબાડે નહિ પરંતુ રાગ પ્રશસ્ત હોય તો પણ મોક્ષમાં બાધક થાય. ભગવાનના નિર્વાણથી દુઃખી થયા પરંતુ જ્ઞાન હતું તે યથાસમયે પ્રગટ થયું અને કેવળજ્ઞાન પામ્યા. આપણને ધોમધખતા તડકામાં બેસતા ચાલતા દુઃખનો અનુભવ થાય છે. અને વૃક્ષની છાયામાં બેસતા સુખનો અનુભવ થાય છે. વાસ્તવમાં દુઃખનો અનુભવ થયો તે અશાતા વેદનીયનું કર્મ છે અને સુખનો અનુભવ થવો તે શાતા વેદનીયનું કર્મ છે. પરંતુ ધોમધખતો તડકો કે વૃક્ષની છાયા એ કોઈ કર્મથી થતું નથી તડકાની ગરમી કે વૃક્ષની છાયા તે તેમની અવસ્થાઓ છે. તે કોઈ સુખદુઃખ ઉપજાવી શકે નહિ બાહ્ય અવસ્થાઓ કે સંયોગો કર્મના ઉદયમાં નિમિત્ત બને છે. એમ કર્મનો પરિપાક સ્વયં અને નિમિત્ત એમ બંનેથી થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, બુદ્ધિ, પુરૂષાર્થ, પૂર્વબધ્ધ, કર્મો વિગેરે ઉદયને અનુકૂળ નિમિત્તે પામી કર્મ સ્વયં કર્મવરૂપે પરિણમે છે. તેથી કર્મફળની પ્રાપ્તિમાં ઘણું વૈવિધ્ય, વિચિત્રતા અને વિષમતા જોવા મળે છે. ધર્મની મહત્તા એ છે કે ધાર્મિક વ્યક્તિ દુઃખોથી ગભરાતી નથી. તે એમ માનીને સહે છે કે મારો ભાર હળવો થાય છે. વિપત્તિમાં ધીરજ હોવી તે તો ધાર્મિક મહાન પુરૂષોનું લક્ષણ છે. સોનાની શુદ્ધિ માટે અગ્નિસ્નાન જરૂરી છે તેમ આત્મશુદ્ધિ માટે કાગ્નિ અપેક્ષિત છે. ધાર્મિક વ્યક્તિ વર્તમાનના કષ્ટોને ધીરજથી સહે છે અને ભાવિના દુઃખોને કોને નિમંત્રણ આપે છે, જેને માટે તે વિવિધ તપ કરે છે એમ સર્વ કર્મોનો નાશ કરે છે. એ ત૫ મન ઈન્દ્રિયો, શરીર સર્વનું તપન થવાથી થાય છે. કેવળ બાહ્યતપથી થતું નથી. મોટી માયા સબ તજી, ઝીણી તજી ન જાય, પીર પયગંબર ઓલિયા, ઝીણી સબકો ખાય. ૨૨૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ જીવને સૂમબોધ કે ભેદ વિજ્ઞાન એટલા માટે જ આવશ્યક છે કે જે સૂક્ષ્મ દોષને જાણે અને દૂર કરે. ધ્યાન-ચિત્તની એકાગ્રતા, આત્મા સાથે મનનું સંયોજન કરવું. તેમ કરવામાં પ્રથમ મનની પવિત્રતા જરૂરી છે. મનમાં અસંખ્ય સંસ્કારો છે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, કામ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, સંજ્ઞા વિષયો વિગેરે વિકારો મનને મલિન કરે છે તેથી મન ચંચળ રહે છે તે આત્મામાં કેવી રીતે સંયોજિત થાય? તપાદિ દ્વારા કે મૈત્રી આદિ ભાવના દ્વારા કે ક્ષમા આદિ ગુણો દ્વારા, આકાંક્ષા રહિત ભાવ દ્વારા તેને તૈયાર કરવું, અર્થાત્ પવિત્ર કરવું. ચેતના આ મન દ્વારા બહિર્મુખ બને છે. માનસિક સમતા દ્વારા તેને અંતર્મુખ કરવી. વળી મન નિરંતર ઈન્દ્રિયના સંપર્કમાં રહેવાથી ચંચળ બને છે. માટે તેને ઈન્દ્રિયોથી વિમુખ કરવું તો તે આત્માભિમુખ બનશે. તપનો અર્થ કેવળ શરીર કે કર્મને તપાવે એટલો જ નથી. પણ મન વાણી અને ઈન્દ્રિયોને તપાવવી, એ ત્રણે તપે છે ત્યારે આત્માની શક્તિ પ્રગટ થાય છે. એકલું શરીર તપે ત્યારે અહમ વધે છે, કે મેં તપ કર્યું છે. શરીર અને ઇન્દ્રિયો તપે છે ત્યારે સંયમ વધે છે, અને શરીર, ઇન્દ્રિયો અને મન ત્રણે તપે છે ત્યારે આત્માની શક્તિ પ્રગટ થાય છે, પરંતુ જો શરીર ઈન્દ્રિયો મના બુદ્ધિ ચારે તપે છે ત્યારે આત્માનુભૂતિ થાય છે. વળી તપ આસક્તિ નિવારણ, અને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. વૈરાગ્ય દ્વારા મનાદિ પવિત્ર થાય છે. તેથી અંતરમૂખતા વધે છે. એથી આત્મત્વ પ્રગટ થાય છે. મુમુક્ષનું ચરમ લક્ષ્ય આ છે. મહત્ અંશે જીવો એમ માનતા હોય છે કે અશુભ પ્રવૃત્તિ કે ભાવ છોડવા તે તો બરાબર પણ શુભ પ્રવૃત્તિ અને શુભભાવ શા માટે છોડવા ? અશુભ શુભ બંને પરભાવ છે. તેનો નિરોધ થાય તો આત્મસ્વભાવ પ્રગટે તેનું સાધન ધ્યાન છે. એ ધ્યાન એટલે સ્વમાં રહેવું પરનો સ્પર્શ-વિકલ્પ ન કરવો. તો જ કર્મક્ષય થઈ શકે. અશુભ કે શુભભાવથી પુગલ કર્મ ગ્રહણ થાય છે બહારથી નિષ્ક્રિય થવું તે મહાન તપ છે. તેથી સ્વભાવમાં સમાધિ રહે છે, જ્યાં આત્માનુભૂતિ ૨ ૨ ૧. Page #225 -------------------------------------------------------------------------- ________________ છે. તે માટે મન અને ઈન્દ્રિયો સાથે જોડાવું નહિ. અથવા શાતાતટસ્થ રહેવું. સત્પ્રવૃત્તિથી પાપની નિર્જરા થાય પણ પુણ્યપ્રકૃતિનો સંગ્રહ થાય છે તેથી જીવ મુક્ત થતો નથી. છતાં તેમાં તીવ્ર કર્મબંધન નથી. આત્મા સ્વસન્મુખ થાય ત્યારે તે કર્મોથી છૂટી જાય છે. તાર્કિક કે કાલ્પનિક વાતો સાચી હોય કે ના હોય, અનુભૂતિ સદા સત્ય હોય છે. તાર્કિક વ્યક્તિ માનવા સુધી પહોંચે છે. અનુભૂતિ જાણવા-અનુભવવા લાગે છે. આત્માનાં મૂળ ગુણ જ્ઞાન-જાણવાનો છે. તે આવૃત થવાથી જાણવાને બદલે માનવામાં ફેરવાય છે, તો પણ જો જ્ઞાનગુણ અનાવૃત્ત થતો જાય તો માનવાને બદલે જાણવા તરફ જઈ શકાય વળી માન્યતાનું ફળ નથી પણ અનુભવનું ફળ છે. હું પરને જાણું છું તેથી હું છું તેમ નથી. હું છું તે નિરપેક્ષ અસ્તિત્વ છે, બીજાઓ મને જાણે છે તેથી હું છું તેમ પણ નથી. હું સ્વપર પ્રકાશકજાણનાર છું. તેથી હું મને અનુભવું છું, બીજા પણ અનુભવે છે અનુભવ જ હંમેશા સત્ય છે. અહિંસા = હિંસા કરવી નહીં તે નિષેધરૂપ કથન છે. પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી, વાત્સલ્ય, રાગાદિ ભાવના તે વિધિરૂપ છે. રાગાદિ ભાવ ભાવહિંસા રૂપ છે તેથી અહિંસા શુધ્ધતા પામતી નથી, તે માટે આત્માને પવિત્ર રાખવો પડે છે. એ પવિત્રતા અહિંસારૂપે ચમકી ઉઠે છે, તે પોતાને જાણે છે તે રીતે સર્વને જાણે છે. માટે અહિંસા પરમો ધર્મ છે. ધર્મની આધારશીલા અહિંસા છે. અહિંસક સહિષ્ણુ હોય છે. તિતિક્ષા તે અહિંસાનું પૂરક બળ છે. હિંસા પ્રતિકારને જન્મ આપે છે. જેમાં ભય, વિરોધ આક્રોશ વગેરેનું બળ હોય છે, તેથી આત્મબળ ટકતું નથી તેથી તે દુઃખમાં ટકી શકતો નથી અહિંસક દુઃખમાં સમતોલપણું રાખી શકે છે. સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ અહિંસાના જ રૂપ છે. વ્યક્તિમાં પ્રથમ મોક્ષનો અદ્વેષ, રૂચિ, અભિલાષા અર્થાત્ સંવેગ હોય છે તે ધર્મની શ્રદ્ધા છે. જ્યાં સુધી જીવમાં આરાધકભાવ નથી હોતો ત્યાં સુધી જીવને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થતી નથી. ધર્મ શ્રદ્ધાનું પરિણામ વૈરાગ્ય છે. જેથી પૌદ્ગલિક પદાર્થોની આસક્તિ ઘટે છે. વળી વૈરાગ્યનું ૨૨૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિણામ ગ્રંથિભેદ છે જે મોક્ષનું પ્રવેશદ્વાર સમ્યગુદર્શન છે. આસક્તિથી બંધાયેલી મોહની ગ્રંથિ વૈરાગ્યથી તૂટી જાય છે. સમ્યકત્વ પ્રગટ થાય છે. પછી સમ્યગુ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે કોરું ચારિત્ર નથી. આત્માને વિજાતીય તત્ત્વોથી મુક્ત કરવો તે ચારિત્ર છે. તેથી આત્મા સ્વસ્વરૂપમાં અધિષ્ઠિત થાય છે. તેમાં મૂળ સમ્યકત્વ છે. આત્માઓ મુક્ત થયા, મુક્ત થશે. મુક્ત થાય છે તે સમ્યકત્વના પ્રભાવથી છે. આત્મિક સમભાવ એ છે કે જે જગતની ચેષ્ટાઓને સ્પંદન રહિત, વિકલ્પ રહિત જૂએ છે. કર્તા અને કર્મના ભોગથી દૂર રહે છે. આ જ આત્મ રમણતા છે. સ્પંદન મનાદિ શરીર જન્ય ધર્મ છે. તેને જૂએ જાણે પણ યોગી શાંત રહે છે તે આત્માનંદનો અનુભવ કરી શકે છે. જેટલો વીતરાગ ભાવ તેટલો આત્મધર્મ. સાધક અશુભ પ્રવૃત્તિને છોડવા શુભ પ્રવૃત્તિ કરે છે તેનું લક્ષ્ય બંનેથી મુક્ત થવાનું છે પરંતુ શરીરાદિની અપેક્ષાએ કંઈ ક્રિયા કરે છે. તે પાપ રહિત કેવી રીતે થાય? આથી ભગવાને યતના, જાગરૂકતા, સચેતનતાને ધર્મની જનની કહી છે. તેમાં ઘણું ઉંડાણ છે. ચાલવું, બેસવું, ઉઠવું દરેક ક્રિયા સમયે આત્મસ્મરણ રહે. તેથી પ્રમાદ દૂર થશે. આત્મ માત્ર જ્ઞાનસ્વરૂપે જાગૃત હશે. સંયમ = મનાદિનો યોગનો નિરોધ, નિષ્ક્રિયતા, જેનો અર્થ છે શુધ્ધાત્માની પ્રાપ્તિ. જો કે એવી પૂર્ણ નિષ્ક્રિયતા પ્રથમથી પ્રાપ્ત થતી નથી. તે માટે ક્રમિક સાધના હોય છે. પ્રથમ અશુભ પ્રવૃત્તિઓનું સંવરણ, જેમ જેમ આગળ વધે તેમ સંવર સધે. પછી ઈન્દ્રિયાદિનો નિરોધ થાય, પછી બહારથી નિષ્ક્રિય અને અંતર પૂર્ણ જાગૃતિ હોય છે. તેજ શુધ્ધ, આત્મોપલબ્ધિની ક્ષણ છે. વાસ્તવિક સંયમ છે. આવા સંયમનું ગૌરવ આજે ઝાંખુ પડયું છે. શબ્દ રૂઢ થઈ ગયો. સંયમ જેવા ઘણા શબ્દો રૂઢ બન્યા. આચારણ, શુદ્ધિ ગૌણ થઈ. જેટલા આજે ક્રિયા કાંડો છે તેનું પૂર્વે એક સૌંદર્ય હતું, મહિમા હતો, ચૈતન્ય જાગૃત રહેતું કાળચક્રના પ્રવાહમાં તે સર્વે ક્રિયાકાંડો રૂઢ થઈ ગયા, તેમાંથી ચૈતન્ય જતું રહયું. મોસમની જેમ ઉજવણી થયાનો સંતોષ થઈ ગયો. ચેતના ભૂલાઈ ગઈ. ૨ ૨૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ બહારમાં કંઈ કરવાના ભાવ ભલે તે ધર્મ રૂપ હોય તો પણ પ્રવૃત્તિ મનુષ્યની ચિરસંગિની છે. એટલે જીવ કંઈ અનુષ્ઠાન કરે ત્યારે તેને લાગે છે કે ધર્મ કર્યો, એટલે તે છોડી શકતો નથી. સાધક નિવૃત્તિને માર્ગે ચઢે છે ત્યારે તેની પાસે પહેલાની પ્રવૃત્તિ તો છે પણ તે નિવૃત્તિને બાધક થવી ન જોઈએ. તે પ્રવૃત્તિ તેને ભટકાવી દેતી નથી કારણ કે નિવૃત્તિને અભિમુખ છે જે પ્રવૃત્તિનો પ્રવાહ નિવૃત્તિ તરફ લઈ જતો નથી તે જીવને સ્વથી દૂર લઈ જાય છે. અને તે જ સંસાર છે. બાધક પ્રવૃત્તિના પાંચ પ્રકાર છે. મિથ્યાશ્ત : તત્ત્વ પ્રત્યે અરૂચિ, વિપરીત શ્રદ્ધા. અવિરતિ : પાપજનિત પ્રવૃત્તિ, પૌલિક સુખો પ્રત્યેની અંતરલાલસા. પ્રમાદઃ ધર્માચરણ પ્રત્યે અનાદર. કષાય : આત્માનો આંતરિક મળ-ઉતાપ. યોગ : મન, વચન, કાયાની પ્રવૃત્તિ. સંસારથી મુક્ત થવા કર્મનો ક્ષય થવો જોઈએ. તે માટે શ્રી મહાવીરે અણુવ્રત અને મહાવ્રતને સ્થાન આપ્યું. શ્રી બુદ્ધ શીલને સ્થાન આપ્યું. પાતંજલ યોગાચાર્યે યમ નિયમને સ્થાન આપ્યું. ગીતામાં કર્મેશુ કૌશલમ્ કહ્યું. આ સર્વેનો સાર છે. અસાર પ્રવૃત્તિના પ્રવાહને અટકાવો. અહિંસાદિ સત્ પ્રવૃત્તિઓ સાથે જોડાણ થાય તે શુભ પ્રવૃત્તિઓ ફલાકાંક્ષા કે વાસના રહિત હોય છે ત્યારે સાધક નિવૃત્તિના માર્ગે ચાલ્યો જાય છે અનુક્રમે પૂર્ણ નિવૃત્તિ સ્થિતિ સાધકમાં સર્જાય છે તે મુક્ત થાય છે તીવ્ર કષાયથી મુક્ત આત્મામાં આત્મ દર્શનના ભાવ જાગ્રત થાય છે. તે આત્મ દર્શન એ જ સમ્યગ્દર્શનરૂપ પરિણતિ છે. તેનું વ્યવહારિક રૂપ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. એવા નિવૃત્તિયુક્ત યોગીઓનો સંપર્ક પવિત્રતાને કારણે સન્માનીય બને છે. ધર્મ આત્મવિકાસનું સાધન છે. જે વ્યક્તિગત હોય છે, સામૂહિક ધર્મના પ્રકારો વ્યક્તિમાં ધર્મભાવના પ્રવાહિત કરે છે તેથી કથંચિત ઉપાદેય મનાય છે, પણ તે જયારે વાડાબંધી બને છે ત્યારે વ્યક્તિની ૨૨૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ચેતનાના વિકાસને બાધક થાય છે. તેથી સાધક રાગાદિ ભાવમાં અટવાય છે ત્યારે તેની ચેતના પવિત્ર નથી રહેતી. ધર્મ પ્રત્યે અહિતકારી નથી. પણ વાડાબંધીરૂપ ધર્મોમાં વિષમતાઓથી ઘેરાઈ જાય છે. તેમાં વ્યક્તિ અટવાઈ જાય છે. એટલે સ્વભાવરૂપ ધર્મ પામી શકતી નથી તેની ચેતનાનો વિકાસ થતો નથી. વાસ્તવમાં ધર્મ જીવને જન્મ જરા મરણના મહા પ્રવાહમાં વહેતા પ્રાણીઓની રક્ષા કરે છે. ઉત્પન્ન થવું, જીર્ણ થવું. સમાપ્ત થવું તેમાંથી એક પણ પદાર્થ આ નિયમથી નિરપેક્ષ નથી. બધું જ પરિવર્તનશીલ છે. એક વસ્તુનો સ્વભાવ જ શાશ્વત છે. આગમની અપેક્ષાએ મિથ્યાષ્ટિ સમ્યગુજ્ઞાનને પાત્ર નથી. તેને સ્વભાવમાં આનંદ નથી હોતો. વાસ્તવમાં જ્ઞાન સમ્ય કે અસમ્યમ્ નથી. જેમ પાણીને કોઈ આકાર નથી. પાત્રના આધારે આકાર મનાય છે. તેમ જ્ઞાન મિથ્યાષ્ટિની અપેક્ષાએ મિથ્યાજ્ઞાન મનાય છે. સમ્ય દષ્ટિનું જ્ઞાન સમ્યગુ છે. આમ જ્ઞાન વ્યક્તિની પાત્રતા પર અવલંબે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. તે માત્ર જાણવાનું કાર્ય કરે છે. મિથ્યાષ્ટિનું જ્ઞાન વસ્તુને વિપરીતપણે જાણે છે. સમ્યગુદૃષ્ટિ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે. આત્મા વિષે તેને સંશય નથી કે વિપર્યાલ નથી. જે છે તે છે જે આત્મિય ગુણોમાં આત્માને જોતો નથી. તીવ્ર મોહના ઉદયથી તે દિશામૂઢ છે. અલ્પ પણ મોહનો ઉદય આત્મવિકાસમાં બાધક છે. આ મારું નથી અને હું આનો નથી તે વ્યક્તિ મોહજિત છે. સંસાર અને મોક્ષ બે મુખ્ય તત્ત્વ છે. બંને તદ્દ્ન જૂદા જ છેડાના છે. મોક્ષને આત્મસુખ અપેક્ષિત છે. સંસારને દૈહિક સુખ અપેક્ષિત છે. જો માનવ સંસાર સુખથી ખરેખર વિરમે છે. તૃપ્ત થાય છે ત્યારે તેને આત્મિક સુખની કાંક્ષા ઉઠે છે. આત્મિક સુખ પામે દૈહિક સુખ નગણ્ય છે. જે વ્યક્તિ તે તે સુખને જ જૂએ છે તે મોક્ષથી દૂર થઈ જાય છે. દૈહિક સુખની નિવૃત્તિ થાય તો જ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. શરીરના પોષણ આદિની મુખ્યતા થાય તો મોક્ષ ગૌણ કે અનાવશ્યક થાય છે. જો દેહજ મોક્ષ સાધના માટે બને છે તો તેની બધી જ ક્રિયાઓ મોક્ષેચિત બને છે. ૨ ૨૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ તે ક્રિયાકાંડો ઉપાદેય છે કે જે આત્માની નજીક લઈ જઈ શકે. જે ક્રિયા પરિભ્રમણનું કારણ બને કે પુણ્ય બંધાય તે ક્રિયા મુક્ત કેવી રીતે કરે? ક્રિયા તપ, જપ શીલ સર્વે આત્મશુદ્ધિ માટે છે. આત્મશુદ્ધિ વડે કર્મ ક્ષય થાય છે. સાધન અને સાથે બંનેની શુદ્ધિ આયંત આવશ્યક છે. મોક્ષમાર્ગની કેડી છે. સક્રિયાની, અંતરમુખતાની વિશેષતાથી સંયમ ધારણ કરે સંયમથી સ્વભાવમાં સ્થિર થાય. સ્વભાવમાં રમણતા થવા વિજાતિય કર્મભારથી મુક્ત થાય. સહજ તપના પ્રભાવથી તૃપ્ત થઈ જાય. તપના અગ્નિવડે શેષ કર્મો ભસ્મીભૂત થઈ જાય સાધક સ્વયં શુદ્ધ થઈ જાય. સ્વાનુભૂતિ જન્ય આનંદથી ભરાઈ જાય, પૂર્ણ થાય. ઉપાસનાની ફળશ્રુતિઃ ઉપાસનામાં પ્રથમ જ્ઞાનીના વચનનું શ્રવણ કરવું જેનું પરિણામ નિર્વાણ છે. ઉપાસનાના દસફળ જણાવ્યા છે. (૧) શ્રવણ ઃ તત્ત્વોનું શ્રવણ. (૨) જ્ઞાનઃ સત્ અસનો વિવેક. (૩) વિજ્ઞાન : તત્ત્વોનું સૂક્ષ્મજ્ઞાન. (૪) પ્રત્યાખ્યાન ઃ હેયનો ત્યાગ ઉપાદેયનો સ્વીકાર. (૫) સંયમ : પાંચમહાવ્રત. આત્માભિમુખતા. (૬) અનાસવઃ કર્મોને આવવાના માર્ગોનો નિરોધ. (૭) તપઃ આત્માને વિજાતીય તત્ત્વોથી વિમુક્ત કરી સ્વજાતીયમાં યુક્ત કરવી. તેના ઉપયોમાં બાર પ્રકારના તપ છે. (૮) વ્યવદાન : પૂર્વ સચિત કર્મોનો ક્ષય થવાથી થતી વિશુદ્ધિ મન-વચન-કાયાનો નિરોધ. (૯) અક્રિયા આત્માના સમસ્ત કર્મોનો દૂર થવાથી યોગનો નિરોધ, પ્રવૃત્તિની નિવૃત્તિ-અક્રિયા, નિર્વાણ. (૧૦) શુદ્ધાત્માનું પ્રગટ થવું. સર્વથા સર્વ કર્મોનો ક્ષય. કેટલાક જીવો અજ્ઞાનની નષ્ટ થાય છે. કેટલાક જીવો પ્રમાદથી નષ્ટ થાય છે. કેટલાક જ્ઞાન છે પણ તેના ઘમંડથી નષ્ટ થાય છે. કેટલા ભ્રષ્ટ-નખ થયેલાની સંમતિથી નષ્ટ થાય છે. ધર્મના શ્રવણથી તત્ત્વજ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી સત્ય ૨ ૨૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ અસત્યનો વિવેક. તે વિવેકથી પ્રત્યાખ્યાન થાય છે. તે પછી સંયમમાં આવે છે. તે સ્વભાવમાં સ્થિર થાય છે. તેથી વિજાતીય તત્ત્વોથી વિમુક્ત થાય છે. અંતરમાં ધ્યાનાદિ તપનો અગ્નિ પ્રજ્વલિત થાય છે તે શેષ કર્મોને બાળીને ભસ્મ કરે છે. તેથી સાધક શુધ્ધ થાય છે. પૂર્ણ સક્રિય થાય છે. તે અંતરના આનંદથી પૂર્ણ ભરાઈ જાય છે. સમભાવની ઉપાસનાથી સાધક અનાસક્ત બને છે. શબ્દોનો ઉચ્ચાર કરનાર, ગંધનો અનુભવ કરનાર, સ્પર્શ અને રસની અનુભૂતિ કરનાર, શરીરની ક્રિયાનો સંચાર આ સર્વેમાં આત્માની સ્કૂરણા સંસ્કારવશ થાય છે. વાસ્તવમાં આત્મા જડ પદાર્થોને સ્પર્શતો કે ભોગવતો નથી. આત્મામાં આ કોઈ ક્રિયા થતી નથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેના જ્ઞાનમાં સર્વ પદાર્થોના ધર્મોની અવસ્થાઓ જણાય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે આ પદાર્થોને પોતે ભોગવે છે. જ્ઞાની પદાર્થોને જાણે છે. તેમાં જેટલો રાગ થાય તેને પણ જાણે છે. સ્ત્રી પુરૂષાદિ, વર્ણાદિ, નવા જૂના આદિ આત્માની પર્યાય દૃષ્ટિએ અવસ્થાઓ છે. નિશ્વયથી આત્મા સ્ત્રી આદિ કે વદિવાળો નથી. ચિત્ત, મન અને અધ્યવસાય જ્યારે આત્માભિમુખ હોય છે. ત્યારે આનંદનો અનુભવ થાય છે જ્યારે તે ચિત્ત વિગેરે બહાર ફરે છે ત્યારે આનંદનો આભાસ મળે છે. આત્મના આનંદ માટે ચિત્ત વિગેરેનું આત્મામાં વિલીન થવું જરૂરી છે. મનશુદ્ધિ વગર આનંદ સંભવ નથી. ગુપ્તિ એટલે નિવૃત્તિ તે મુક્તિ માટે જીવનનું સાધ્ય છે. પ્રવૃત્તિ સાધ્ય નથી. બાધ્ય છે. જો કે તે જીવન સાથે વણાયેલી છે તેથી સાધક શરીરની ઉપસ્થિતિમાં પૂર્ણ નિવૃત્ત થઈ શકતો નથી. માટે પ્રવત્તિમાં જાગૃત્તિ રાખવી જરૂરી છે તેથી તેના નિમિત્તે રાગાદિ ભાવની મલિનતા ન આવે. પરંતુ તે પ્રવૃત્તિ સમ્યગ્ રીતે કરે જેથી તે મલિનતાને દૂર કરવા સહાયક બને જાગૃતિ ન હોય તો તે મનાદિ યોગની પ્રવૃત્તિ આત્માને મલિન કરે છે. સાધકનો ત્યાગાદિનો વિવેક નષ્ટ થઈ જાય છે એટલે પ્રવૃત્તિ કરવી તો સમ્યપણે કરવી. અગર નિવૃત્તિ એટલે મનાદિયોગની ગુપ્તિ કરવી જેમાં આત્માનુભૂતિની સંભાવના રહે. ૨ ૨૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ આખરે યોગ નિરોધ કરી જીવ મુક્ત થઈ જાય છે. જેનું મન શાંત નથી જેને આત્મશાંતિ નથી તેને અપમાનાદિ પીડા આવે છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષની ક્ષીણતા હોય તેટલા પ્રમાણમાં માનસિક આનંદ પણ પરિપૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. સાધકે પૂર્ણતાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે માટે નીચેના ઉપાયો યોજવા જોઈએ. (૧) માનસિક આવેગોનું નિરાકરણ. (૨) કાર્યોત્સર્ગનો અભ્યાસ. (૩) વિષયોની વિસ્મૃતિ કે વિરક્તિ. (૪) સંયોગ વિયોગમાં સંતુલન. (૫) સંકલ્પ વિકલ્પથી મુક્ત. (૬) અજ્ઞાનથી જાગૃત્તિ. (૭) હિંસાદિ પાપ પ્રવૃત્તિનો ત્યાગ. (૮) ભોગોથી વિરક્તિ. (૯) રાગાદિ ભાવથી મુક્ત. (૧૦) આત્મ સન્મુખતા-અર્પણતા આત્માભાવમાં લીનતા. અંતમાં બાધક થતા બધા નિમિત્તોનો ત્યાગ કરે, ઉચ્ચસાધક શક્ય તેટલું એકાંત અને મૌન રાખે, આખરે તમારામાં કંઈ બળ નથી, ચાલો સરળ ઉપાય કરો તે છે પ્રભુભક્તિ. તેમના શરણમાં ઝૂકાવી દો. પ્રભુ ભક્તિ : પ્રભુ આપ સર્વજ્ઞ છો, સ્થિરાત્મા છો ધૈર્યવાન છો, અભય છો, રાગ દ્વેષની ગ્રંથિથી રહિત છો. સંસારનો અંત કરનારા છો. આપ દિવ્યચક્ષુવાળા છો, જ્ઞાની છો, દુઃખીજનો માટે વિસામારૂપ છો, આપ અશરણના શરણ છો, સંસારને પાર કરનારા માટે નૌકા છે. પ્રાણધારીઓના પ્રાણ છો. સ્વયં સંબુધ્ધ છે. આપે જ્ઞાન ચક્ષુ વડે સમસ્ત સંસારને જાગૃત કર્યો છે. અમને જાગત કરો. લોગસ્સ ઉજોઅગરે. ૨૨૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ * મારી નોંધ * ૨૨૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ - - - - - * મારી નોંધ : - ૨૩૦ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | Page #234 -------------------------------------------------------------------------- ________________ * મારી નોંધ : Page #235 -------------------------------------------------------------------------- ________________ * મારી નોંધ * ૨૩૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી બહેન આપનું ઋણ અમે કેવી રીતે ચુકવીએ? અમેરીકાના એક ખૂણાના નાના શહેરમાં વસતા કે જ્યાં જૈનનું બીજું કુંટુંબ જ ન હતું. પરંતુ માતા-પિતાએ આપેલા સંસ્કાર હતા. તે કોઈ સત્સંગ સહયોગ વગર દોડાદોડીના જીવનમાં કેટલા ટકે? ત્યાં દેવગુરુની કૃપાએ ૧૯૯૧માં આપ ઓરલાન્ડો પધાર્યા. મિત્ર દીપકભાઈએ ખબર આપ્યા અમે 250 માઈલ દૂર પરંતુ અંતરમાં સત્સંગની જિજ્ઞાસા હતી. એટલે આપના સત્સંગ-સમાગમ માટે મિત્રને ત્યાં પહોંચી ગયા. E પ્રથમ પરિયે આપના પ્રત્યે આદરભાવ જભ્યો અને લાગ્યું કે, આપ અમારા માર્ગદર્શક બનીને અમારી જીવન યાત્રાને સફળ બનાવશો. પછી તો લગભગ બારેક જેવા વર્ષ આપના સત્સંગનો લાભ મળતો રહ્યો. દર્શનાએ તે દરમ્યાન માસક્ષમણ અને અન્ય તપની આરાધના સુંદર રીતે કરી. હું તેને સહકાર આપતો રહ્યો. તેમાં આપની પ્રેરણા, પચ્ચખ્ખાણનો યોગ બળ આપતા રહ્યા. વળી ધર્મજીવનને વિકસાવવાની પ્રેરણાથી અમે અમદાવાદ, નિવાસ કર્યો. આ સર્વ આત્મવિકાસમાં આપની પ્રેરણા અને વાહ્ય માટે અમે ઉપકૃત છીએ. તે ભાવના વ્યક્ત કરવા પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં આપનો સહયોગ મળ્યો તે માટે પ્રસન્નતા અનુભવીએ છીએ. લી. દર્શના દીલીપભાઈ શાહના સાદર વંદન.