SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકની ઈમારતના પાયા છે : સમય અને સમજ સમયનું મૂલ્ય સમજવું હોય કે માનવજન્મની પળેપળ કીમતી છે તો સમયને સુધારી લેવો. સમયની બરબાદી તે જીવનની આબાદીની નાલેશી છે. સમજ છે તો સમયનું મૂલ્ય છે. સમજ નથી તો જીવનનું અવમૂલ્યન છે. વિષમદૃષ્ટિવાળા માટે જીવનમાં રસકસ નથી. સમદૃષ્ટિવાળા માટે જીવન પૂરેપૂરું રસમય છે. જીવનના સંયોગોરૂપી જીવનયુદ્ધમાં આંતરિકબળથી જે જીતે છે તે યોગી છે; તેમનું જીવન અમૃતરસથી ભરેલું છે. - સમજણભર્યા વ્યવહાર, ધર્મ કે પુરુષાર્થથી જીવન ઉપવન બને છે. પરંતુ અજ્ઞાનભર્યો પુરુષાર્થ મળેલા ઉપવન સમા જીવનને વેરાન બનાવે છે. સમજણનો અભાવ મંગલમય જીવનને જંગલમય બનાવે છે. માટે સૌ પ્રથમ મળેલા આ જીવનમાં સન્માર્ગની દિશા પકડી પછી તે દિશામાં યોગ્ય રીતે પગલાં માંડવાં. જ્યાં કંઈ પણ ક્ષતિ લાગે ત્યાં આગવો આગ્રહ ત્યજી સતુનું અવલંબન લઈ જીવનનાવ ચલાવવી, સંસ્કારવશ દોષ પ્રગટ થશે; પણ ત્યારે દોષને તટસ્થપણે જોવા, પ્રભુનામનો પક્ષ લેવો. માણસમાં પાપ કરવાની શક્તિ છે. તેના કરતાં પ્રભુના નામમાં પાપના પક્ષાલનની વિશેષ શક્તિ છે. આ પંચમકાળ છતાં માનવને ભવપાર કરવાનાં સાધનો મળે તેવો અનુગ્રહ છે. યુગાવતારી પુરુષોનું યોગબળ સહાયક તત્ત્વ છે, તેઓ યુગના પ્રવાહને યોગ્ય વળાંક આપી પંથની કેડીને કંડારતા રહે છે. સાધકો એ કેડીએ ચાલીને પોતાનું શ્રેય કરી લે છે. તારામાં જો સાત્વિકતા છે શક્તિ છે, તો તું પણ પરહિતની ભાવનાને સેવજે. તેમ કરવા તત્પર રહેજે. એ યુગાવતારી પુરુષોની કેડીએ ચાલવાનો પ્રયાસ કરજે. હે સુજ્ઞ! તને મળેલા તન, મન, વચન અને ધનનો સદ્વ્યય કરજે. સમતામાં ટકવા માટે તે જરૂરી છે. તનથી સેવાકાર્ય કરજે,
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy