________________
રાખવી.
દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. જિનવચન ઉપર દૃઢ શ્રદ્ધા રાખવી.
આ બધા ગુણોની પ્રાપ્તિ થતાં સાધકમાં સમ્યક્ત્વ સામાયિકનું પ્રગટીકરણ થાય છે અને સમ્યક્ત્વ સામાયિક પૂર્વ પ્રાપ્ત હોય તો વધુ નિર્મલ બને છે.
શ્રુત સામાયિક એ સમ્યક્ત્વ સામાયિકનો સહચારી છે, સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિ થતાં શ્રુત સામાયિક સ્વયમેવ પ્રાપ્ત થઈ જાય છે. આ બન્ને સામાયિક પરસ્પર સહચારી છે, સહાયક છે.
સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિએ કાંઈ આસાન વાત નથી. ‘હું દેહ નહીં પણ આત્મા છું.' આ ભેદજ્ઞાનની આડે દીવાલની જેમ અડીખમ ઊભા રહેવું તીવ્ર દર્શનમોહનીયકર્મ હટે નહીં-તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટે નહીં, ત્યાં સુધી જીવને સમ્યક્ત્વની પૂર્વભૂમિકાનો સ્પર્શ પણ થઈ શકતો નથી.
શ્રુતજ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ શ્રુત સામાયિક છે. સભ્યશ્રદ્ધામાં એકાગ્ર ઉપયોગ એ સમ્યક્ત્વ સામાયિક છે. દેશવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ દેશિવરતિ સામાયિક છે.
સર્વવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ સર્વવિરતિ સામાયિક છે.
આ બધાનું તાત્પર્ય એ જ છે કે, સમતા પરિણામ એ ઉપયોગયુક્ત હોય તો જ સામાયિક કહેવાય, અને ઉપયોગ એ સમતા પરિણામયુક્ત હોય તો જ વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. આ રીતે ઉપયોગ એ સામાયિકમય છે, અને સામાયિક એ ઉપયોગમય છે. બન્ને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે; એક ક્ષણ પૂરતા પણ તે એકબીજાથી છૂટા રહી શકતા નથી. છતાં વિવક્ષાભેદથી તેમનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન રીતે બતાવવામાં આવ્યું છે. પરમાર્થથી તે બન્ને આત્મ-પરિણામરૂપ હોવાથી એક જ છે, ઉપયોગમય આત્મા સામાયિક છે.
૧૮૬