________________
છે. જયારે સામાન્ય સાધક અસત્સંગમાં છે, વિપરીત નિમિત્તોને આધીન છે, તેને વિષમતા થવાની છે.
• રોગ, શોક, સંતાપ જેવા નિમિત્તોમાં વિષમતા આવશે તો પણ,
• ધન માલ લૂંટાઈ જતાં વિષમ સંયોગો આવે તો પણ, ૦ સંસારમાં દુઃખદાયક પ્રસંગો આવે તો પણ ૦ અરે પુણ્યયોગનો પથારો પથરાઈ જાય તો પણ, ૦ ચારે બાજુ આફતનાં વાદળો ઘેરાય તો પણ,
હે સાધક! તું સત્સમાગમમાં રહેજે સદાચાર સેવજે. સતુશાસ્ત્રના બોધનું અવલંબન લેજે. સત્ પુરુષના ચરિત્રોને સ્મરણમાં લેજે. તેમા દઢતાથી ટકી રહે છે. તો સામાયિકથી માંડીને શાશ્વત પદથી પહોંચવું કઠિન નથી. પ્રારંભમાં વિષમતાથી છૂટી સમતામાં આવવું કઠણ છે તો પણ સત્પુરુષના અનુગ્રહે, દેવગુરુ કૃપાએ, કઠણ હોવા છતાં, દુર્લભ હોવા છતાં સુલભ થશે.
આત્મબોધ એવી મુડી છે, કે તે તેને સાચવી લેશે, દુન્યવી ધન સાચવવા તારે કેટલી વ્યવસ્થા કરવી પડે છે ! કેટલો ભય સેવવો પડે છે. પણ આત્મધન સમતાથી રક્ષિત છે, તે ઉપર કહ્યા તેવા ઝંઝાવાતોથી પણ તારું રક્ષણ કરશે. માટે એકવાર સામાયિક ધર્મને ગ્રહણ કર.
તે સાધક ધન્ય છે, તે જ યથાર્થ જ્ઞાની છે, જેણે સધર્મ પરિણામ પામ્યો છે. મોહ જનિત અસત્નો કે તેના અંશનો ત્રિકાળ અભાવ
સ્વીકારી, તેનું અંશ માત્ર ચિંતન કરતો નથી. પરંતુ નિરંતર પોતે સચિત્ આનંદ સ્વરૂપ છે તેને જુએ છે અને જાણે છે.
આમ મનુષ્ય પોતાના મિથ્યા ભાવોનું વિસ્મરણ કરી યથાર્થ સ્વરૂપમાં સર્વકાળ માટે જાગૃત રહે છે, ત્યારે તેનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે.
શુદ્ધ હૃદયકમળમાં સર્વ સુખનો વાસ છે. મનશુદ્ધિ કર્યા વગર મોક્ષ મેળવવા તપ કરે તે વ્યર્થ છે. કદાચ કાયાથી આરંભ થતો હોય પણ જો મનશુદ્ધિ હશે તો જીવ મોક્ષનો અધિકારી થશે. મનશુદ્ધિ પછી વચનશુદ્ધિ થાય છે, ત્યાર પછી કાયસ્થિરતા સરળ છે.
૪૮