________________
૨. સામયિકનું માહાભ્ય
“સામાયિક તે હિ જ આત્મા” શ્રી ભગવતી સૂત્ર સામાયિકનો અર્થ. સમ-આય-ઈક = સામાયિક.
સામાયિક શબ્દ, સમાય-કે સામાય પદને ઈક પ્રત્યય લાગવાથી સામાયિક થાય છે.
સમાય એટલે સમનો લાભ - સમની પ્રાપ્તિ.
સમ સ્વયં એવો મહિમાવાન શબ્દ છે કે તેને આત્મસ્વરૂપ માનવામાં આવે છે. આત્માના દરેક પ્રદેશ અજવાળતો સિદ્ધ કરતો આ ગુણ છે. એટલે તેમાં ઘણા ગૂઢાર્થ રહેલા છે.
સામાયિકના ત્રણ પર્યાયવાચી શબ્દો છે. સામ, સમ, સમ્મ. • સામ = એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ,
સ્વરૂપમગ્નતા, અનાદિકાળથી આત્મા કર્યાવરણ વડે વિષમ છે, તેને દૂર કરી સમત્વમાં આવવું. મધુર પરિણામ. સમ = સમભાવ, મિત્રતા, નિર્દોષ બંધુત્વ, સર્વાત્મમાં સમદષ્ટિ રાખવી. રાગદ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયથી મનને શાંત કરવું. તુલ્યભાવ. સમ્મ = સમ્યગું દર્શન-જ્ઞાન-ચારિત્રનો સમન્વય સમ્યગુ
શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રને શુદ્ધ કરવું. ત્રણેનું ઐક્ય. આ પ્રકારના સમનો લાભ તે સામાયિક, આવો સમતાનો લાભ જેમાંથી મળે જેના વડે મળે તે સામાયિક
સામ પરિણામ : મધુર પરિણામ-મૈત્રી ભાવના સમ પરિણામ : તુલા પરિણામ - સુખ દુઃખમાં તુલ્ય પરિણામ સમ પરિણામ ખીરખંડયુક્ત મિશ્ર પરિણામ = ગુણોનું ઐક્યા
સમતા સર્વ ભૂતેષ સંયમ શુભ ભાવના : આત રૌદ્ર પરિત્યાગ અદ્ધિ, સામાયિકંવ્રતમ્. સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો, પાંચે ઈન્દ્રિયોના વિષયોનો
૨૩