________________
સંયમ કરવો. મૈત્રી આદિ સમભાવના સેવવી. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાવવું. જેથી સમભાવ વૃદ્ધિ પામે. આ સમાયિક વ્રતનાં લક્ષણો છે. આ લક્ષણો દ્વારા આત્મશક્તિ પ્રગટ થાય છે. શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે. સમ્યગુ દર્શનાદિનો લાભ થાય છે. નિર્જરાનો અમૂલ્ય લાભ થાય છે. રાગદ્વેષથી મધ્યસ્થભાવ થાય છે.
આયાખલ સામાઈયઃ (આચારાંગ સૂત્ર) સામાયિક = સમભાવની સાધના તત્ત્વજ્ઞાનીઓએ આત્મા એ જ સામાયિક છે એમ કહ્યું છે. સામાયિકના આઠ રહસ્યો ૧. સદ્વર્તન. ૨. શાસ્ત્રાનુસારી. શુદ્ધ જીવન ગાળવાનો પુરુષાર્થ. ૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા. ૪. સર્વ જીવો પ્રત્યે બંધુતાની કે મિત્રતાની ભાવના. ૫. રાગ અને દ્વેષને જીતવાનો પ્રયત્ન. ૬. સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્રની સ્પર્શના. ૭. શાંતિની આરાધના. ૮. અહિંસાની ઉપાસના.
ઉપરના આઠ પ્રકારનું રહસ્ય વિસ્તારથી જુદું લાગે છે. તાત્વિક દૃષ્ટિએ સમભાવની સાધનામાં સઘળો સમાવેશ થઈ જાય છે.
આ આઠે પ્રકારને વિસ્તારથી સમજવા જરૂરી છે.
૧. સદવર્તન સતને પ્રગટ કરનારો માનવનો વ્યવહાર : તે વ્યક્તિ સાથે, કટુંબ સાથે, વડીલો સાથે, સમાજ સાથે અનેક ક્ષેત્રોમાં જરૂરી છે. ત્યાર પછી પરમાર્થ ક્ષેત્રે વીતરાગદેવની, ધર્મગુરુની આજ્ઞારૂપ વર્તનની ભૂમિકા આવે છે. જે વડે જીવ સતુને સ્વયં પ્રાપ્ત કરે છે.
જેમાં દંભ, આડંબર કે માત્ર દેખાવ નથી તેવું સદ્વર્તન સત્પુરુષોના યોગબળ વગર ટકતું નથી. જે સદ્વર્તનમાં નિઃસ્પૃહતા, પ્રેમ, નિખાલસતા અને સહિષ્ણુતા જેવા ગુણો છે. તે દેવગુરુના અનુગ્રહ વડે સપ્રમાણ ટકે છે.
૨૪