SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. સામાયિકમાં શું કરશો ? સામાયિક એટલે શાસ્ત્રોક્ત વિધિથી કરવાનું અનુષ્ઠાન છે. સમય ૪૮ મિનિટ પૂરી. એકાંત સ્થળે કે પવિત્ર સ્થાનમાં કરવું. જીવનની એકએક પળ અમૂલ્ય છે. જો તું પ્રમાદમાં છું, તો કર્મરાજ તારી પળેપળનો હિસાબ રાખી તારી સાથે ચૂકવણી કરશે. જો તું સામાયિક જેવા ધર્મમાં છું તો પળે પળની શુદ્ધિનો ત્યાં હિસાબ છે, મુક્તિનું નિર્માણ છે. સૌ પ્રથમ વિધિયુક્ત ઉપકરણ સહિત સામાયિકમાં પ્રવેશ કરવો. એકાંત, શાંત, શુદ્ધસ્થળ પસંદ કરવું. જ્યાં પ્રાયે જીવજંતુ કે અન્ય ઉપદ્રવ ન હોય તેવું સ્થાન જોવું. સમૂહમાં કે એકાંતમાં પણ શાંત ચિત્તે આરાધન કરવું. પ્રથમ કાયાને સ્થિર આસને રાખવી. મૌન ધારણ કરવું. નવકારનું કે લોગસનું (કાઉસગ્ગ) - ધ્યાન કરવું. પાંચ પ્રકારે સ્વાધ્યાય, શાસ્ત્રવાચન કરવું. સૂત્ર - શ્લોકો - પદો - સ્તવનો કંઠસ્થ કરવાં. ગુરુનિશ્રામાં સતુશાસ્ત્રોનો બોધ લેવો. ધર્મ કથા સાંભળવી, સંભળાવવી. અને જાપ કરવા. તત્ત્વાદિનું ચિંતન કરવું. બહુવ્યવસ્થિત ક્રમ ગોઠવી મનને દુર્ગાનમાં જતું રોકવું. ચંચળ ચિત્તને નવકાર મંત્ર કે અન્ય કાયોત્સર્ગમાં જોડવું. વળી સમભાવપેદા થાય તેવી ભાવનાઓ ભાવવી. ખૂબ ઉલ્લાસપૂર્વક દરેક ક્રમમાં મનને જોડવું. આત્મ કે પરમાત્મ ચિંતનમાં મનને જોડવું. આનંદનો અનુભવ લેવો. દોષને ટાળવાની નિરતર જાગૃતિ રાખવી. સર્વજ્ઞનાં વચનો કે તત્ત્વની સ્મૃતિ દ્વારા થોડીવાર ચિંતન કરવું. આત્મભાવનાની દઢતા માટે શુદ્ધાત્માનું ધ્યાન કરવું. “શુધ્ધચિદ્રુપોહ' ઉલ્લાસપૂર્વક નિતનવીનભાવનું અનુભાવન કરવું. કંટાળીને સમય પૂરો કરવો તે સામાયિક નથી. વધુ સામાયિકનો અવકાશ હોય તો વધુ સામાયિક કરવા. પરંતુ તે માત્ર ક્રિયા બનવી ન જોઈએ. ઉત્તરોઉત્તર ઉલ્લાસ પરિણામ થવાં જોઈએ. જેમ ધનાર્થીને ધનની વૃદ્ધિ આનંદ આપે છે. તેમ સાધકને ધર્મની વૃદ્ધિ આનંદદાયક જ હોય. દરેક સામાયિકમાં ૧૩૨
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy