________________
તે તે ક્રિયાઓ ભાવપ્રધાન કે ગુણસાધક બનતી નથી. તેમાં મનના દોષો, એમાં પ્રમાદ, અશુદ્ધિ, વિકલ્પો વડે છિદ્રો પડે છે. એ મન
જ્યારે ચેતનાના પ્રદેશોમાં વિલય પામે ત્યારે તે દોષો પણ વિલય પામે છે, એટલે જે કંઈ આરાધના થાય છે તે ચેતનાના સ્તરે થવાથી આત્મવિકાસ ઝડપી બને છે.
ચેતના એટલે જ્ઞાન તે તમને સ્વરૂપ પ્રત્યે દોરશે. મન પૌદ્ગલિક સંસ્કારવાળું છે, તે તમને શરીરના સુખ પ્રત્યે દોરશે. શરીરના ગુણધર્મો સમજાવશે કે રસનાને સ્વાદ જોઈએ. આંખને દશ્ય જોઈએ. એ એનો ગુણધર્મ છે. જીભ ને આંખ કશું કહેતા નથી. આ સર્વે મનની રમત છે. જ્ઞાન-ચેતના કહે છે, શરીરને ધર્મો નથી, એ પડન અને સડનવાળું છે. તમે સંયમમાં આવી જાવ ત્રણે યોગ ચેતનાને અનુસરશે, એ ગુમિ છે.
પૌદ્ગલિકષ્ટિ પુદ્ગલમાં રમણતા કરાવે છે, ત્યાં રમણ કરવા જેવું કંઈ છે નહિ. પણ જીવ એનો પરિચયી હોવાથી એને ચેતના પ્રત્યે જવાનું અપરિચિત લાગે છે. ચેતના સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરે તો
સ્વરૂપ રમણતા થાય. સામાયિકની સમતા ધર્મસ્વરૂપ રમણતાનો પરિચય કરાવે છે. વાસ્તવમાં પરપદાર્થમાં રમણતા હોય નહિ, એ તો સંયોગ સંબંધ છે ત્યાં મમત્વ હોય. તાદાભ્ય સંબંધ સ્વાભાવિક સંબંધમાં જ હોય. જ્યાં નિર્મમત્વ હોય.
સ્વભાવમાં જવાનું, સ્થિતિ થવાનું, રમણતાનું સાધન, અંતર્મુખતા છે, પૌદ્ગલિક રમણતા બહિર્મુખતા છે. સાધક ઊઠે, બેસે, હરે, ફરે, આહાર લે, બધે જ અંતર્મુખતા હોય. એક શિષ્ય ગૌચરી લઈને આવ્યો. ગુરુજી પાસે મૂકી. ગુરુજીએ તેના સામું જોયું. તેના મુખ પર લોહી નીકળતું હતું. બેટા ! તારા મુખ પર કંઈ વાગ્યું છે? શિષ્યને ખબર નથી. તે શૂન્યમનસ્ક ન હતો. પણ ગુરુના ગુણોના ચિંતનમાં, આજ્ઞાની મસ્તીમાં, સ્વાધ્યાયના ચિંતનમાં હતો. તેના મુખ પર કંઈ બન્યું તેમાં ઉપયોગ ન ગયો. તે અંતર્મુખ હતો.