________________
૪. સામાયિક માત્ર કિયા નથી સાધના છે.
જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે. તેઓ દરેક વસ્તુની તુલના તત્ત્વથી કરે છે. ગીતાર્થજનોએ સામાયિકને આત્મા કહ્યો છે.
“આયા ખલુ સામાઈયં” અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું તે સામાયિક છે.
સ્વમાં જ તલ્લીન થવું તે નિશ્ચયથી સામાયિક છે. સામાયિકની વિધિ, ક્રિયાઓ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા તમામ નિમિત્તો વ્યવહાર સામાયિક છે. સાધુનું પૂરું જીવન જ સામાયિક છે. શ્રાવકધર્મમાં તે બાર વ્રત પૈકી નવમું વ્રત છે. અને શિક્ષાવ્રતમાં પ્રથમ છે.
આ સામાયિક માત્ર ક્રિયા નથી પરંતુ ઉચ્ચ કોટિની સાધના છે. સમતારૂપ સાધના તે યૌગિક ક્રિયા છે. કારણ કે સમતાયુક્ત પરિણામની શુદ્ધિ તે મોક્ષમાર્ગમાં જોડનારી પરિણતિ છે.
• સામાયિક મોક્ષમાર્ગમાં જોડનાર ધર્મમય પરિણતિ છે.
• સામાયિક એવું ઉચ્ચ કોટિનું અનુષ્ઠાન છે કે તે સમ્યગુજ્ઞાન, સમ્યગ્ગદર્શન અને સમ્યગું ચારિત્રનું કારણ છે.
• સામાયિક કુશલ અનુષ્ઠાન છે.
૦ સામાયિકનું સમત્વ ચિત્તના સંકલેશ પરિણામોનો નિરોધ કરનારું ઉત્તમ સાધન છે.
સામાયિકના સાધકને સામાયિકમાં અનશન સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, જેવા તપ અંતર્ગત હોય છે. એ સામાયિકના ચાર પ્રકાર છે. ૦ શ્રુત સામાયિક
સમ્યકત્વ સામાયિક • દેશવિરતિ સામાયિક ૦ સર્વવિરતિ સામાયિક
આ ચાર સામાયિકની વિશાળતા છે, સાધક શક્તિ, સમય, પરિણામ પ્રમાણે સામાયિકમાં રહી શકે છે. આ સામાયિક જો સાધ્ય થાય તો તે દેહમાં શ્વાસના જેવું સ્થાન લે છે. દેહ અંતસમયે શ્વાસથી