SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. ખમાસમણ સૂત્ર : વિનય મૂલો ધમ્મો : ગુરુવર્યની સ્થાપના કરી, હવે સામાયિક કરવાની સ્વયં ઈચ્છાથીભાવનાથી આજ્ઞા માંગવાની છે. ગુરુ ક્ષમાશ્રમણ છે. ક્ષમાદિ દસ ધર્મના ધારક છે. શ્રમણ ? સમભાવી, તપસ્વી, સંયમી, વૈરાગીના સામાયિકનું અનુષ્ઠાન મહાન છે. પવિત્ર છે. તેથી તેમાં પ્રવેશ કરતાં પહેલાં પવિત્ર સાધુજનોને વંદન કરવું જરૂરી છે. તે ખમાસમણ સૂત્ર વડે કરાય છે. આ વંદન વિધિનું માહાભ્ય એ છે કે ઈન્દ્રિયોના વિષયોના તપન વડે કષાયોના ઉપશમન વડે, હિંસાદિ પાપોથી નિવૃત્તિ વડે, અર્થાત નિષ્પાપ કાયાવડે વંદન કરવાનું છે. તે વંદન પંચાંગ પ્રણિપાત છે. બે હાથ, બે જાનું અને મસ્તક ભૂમિને સ્પર્શે તે રીતે પંચાંગ પ્રણિપાત મનમાં અહોભાવ સાથે કરવાનું છે. આ વંદન પંચપરમેષ્ઠિને સમાન સૂત્રથી અને પદ્ધતિથી કરવાનું છે. ચૈત્યવંદનાદિ ઘણી ધાર્મિક વિધિમાં કરવાનું વિધાન છે. વંદન માટે અનવસર:૧. ગુરુ જ્યારે ધર્મ આરાધના - ચિંતનમાં હોય. ૨. ગુરુ અન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય કે ઊભા હોય. ૩. છઘસ્થ અવસ્થા હોવાથી ક્યારે પ્રમાદ નિદ્રા કે ક્રોધ જેવી વિષમતામાં હોય. ૪. ગોચરી આદિની ક્રિયા કે કુદરતી હાજતનું કારણ હોય. આવા સંજોગોમાં વંદન કરાય નહિ. તેમ વિચારવું તે વિનય છે. વંદન માટે અવસર :૧. ગુરુ જ્યારે શાંતિથી બેઠા હોય ૨. ગુરુ જયારે પ્રમાદ રહિત હોય ૩. ગુરુ જયારે સહજપણે નિવૃત્ત હોય ૪. વંદન સ્વીકારી શકે તેવો અવકાશ હોય આવા ઉચિત સમયે વંદન કરાય ૧૪૪
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy