________________
૩૦. સામાયિક વિધિની સ્થાપના : પંચદિય સૂત્રનો મહિમા
સ્થાપનાચાર્ય ભગવાન સ્થાપનાચાર્યની બદલીમાં સામયિકના સાધકો સ્થાપના-ચાર્યની સ્થાપના કરે છે. આજ્ઞાના માહાભ્યને લક્ષ્યમાં રાખીને તેઓ નવકારમંત્ર પછી “પંચદિયસૂત્ર વડે ગુરુવર્યની સ્થાપના
કરે છે.
આ સૂત્ર એ સૂચવે છે કે સામાયિક ધર્મમાં લાવનાર ગુરુપદ કેટલું પવિત્રતમ છે. ક્યાંય મલિનતા ડોકાય નહિ તેવા પદાર્થોથી ગુરુપદ પરિપૂર્ણ બને છે.
નિગ્રંથ અને નિર્મોહ તેવા ગુરુજનો પંચેન્દ્રિય ગજનાદર્પને સંયમમાં રાખે છે. એક એક ઈન્દ્રિયના વિષયોના વિષપાનનું વમન અને શમન તે તેમનો સંયમ છે. મનના સંયમ વડે તેઓ બ્રહ્મચર્યનુ નવ વાડથી સેવન કરે છે. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો તેમની પાસે મૂંગામંતર થઈ ગયા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ના સર્વાગી ઉપાસક છે. પાંચ પ્રકારના શુદ્ધાચારથી રક્ષિત તેમનું આત્મત્વ છે. અને છકાય જીવની રક્ષા માટે તેઓ પાંચ સમિતિને તથા ત્રણે યોગોની શુદ્ધિ માટે ગુતિને આચરનાર છે. તેઓ મારા ગુરુ છે. હું આવા ગુરુનો શિષ્ય કેવી રીતે રાચી-માચીને સંસારનું સેવન કરી શકું?
જો ગુરુ પદમાં આવું અચિંત્ય સામર્થ્ય નથી તો મને કરવામાં સહાય નહિ થાય. માટે મને આવા ગુરુનો જ અનુગ્રહ હો. જેથી હું વાસ્તવિક ધર્મ પામી શકું.
ભલે શિક્ષા અને દીક્ષાગુરુ જે સમયે જેનો યોગ મળે તેના સહયોગમાં સાધનાનો પ્રારંભ હો, પરંતુ મોક્ષમાર્ગના ગુરુ તો સ્વરૂપનિષ્ઠ, નિર્ગથ હોવા આવશ્યક છે. તેવા સદ્દગુરુની શોધ કરવી અને તેમના ચરણના સમીપમાં રહેવું સમર્પણભાવે ભક્તિ કરવી. તેમની આજ્ઞાને શિરસાવંદ્ય માનવી. જેથી માર્ગ સુલભતાથી પ્રાપ્ત થાય છે. સંસારયાત્રા નિર્વિદને સમાપ્ત થઈ જીવ શિવત્વની પ્રાપ્તિ કરે છે.
જિનેશ્વરના વિરહકાળમાં જિનપ્રતિમાનું સેવન છે. તેમ ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપનાચાર્ય વિનયધર્મનું મૂળ છે.
૧૪૩