________________
૬િ. સામાયિક = શૂન્યથી પૂર્ણનું સર્જન
વાસ્તવમાં જીવ એકલો નથી. પરંતુ પોતાનામાં રહેલું અહમ તેને એકલતાની વ્યથા ઊભી કરે છે. સૂના પડેલા એવા જીવનમાં તું પરમાત્માને પ્રવેશ કરાવી દે, તો તારી એકલતાની પીડા શમી જશે. ધર્મસત્તાના સર્વોપરિ અરિહંત પરમાત્મા છે. તેમને તારા જીવનના સખા બનાવી દે. કુટુંબના વડીલ બનાવી દે. તેમની સલાહ પ્રમાણે ચાલવાનો નિર્ધાર કરી લે. શુભભાવનાથી હૃદયને ભરીને હું તેમની પાસે માંગ. તેમનું અસ્તિત્વ તારી જૂઠી માંગને નકારી કાઢશે અને સને બંધાવશે. છતાં તને કંઈ ઓછું પડે તો ક્યાંય રોદણાં ન રોતો, સર્વેસર્વા અરિહંત પાસે રડવાથી રડવાનું બંધ થશે. અને જો તને એમ કરતાં આનંદ આવે તો નાચી ઊઠજે.
પ્રભુને શુદ્ધ હૃદય આપવાનું કાર્ય સામાયિકના સાધકથી બને છે. જો સામાયિક ન થાય તો તે પ્રમાદ છે. જે ભવ દુઃખનું કારણ છે. અજ્ઞાન છે તો પણ જપો અરિહંતને જપો. મન ભરીને જપો. અને શૂનકારથી મુક્ત થાવ. અહંમના ભારને ત્યજીને હળવા બનો તો જીવન રસમય મધુર બનશે. અહંમથી જીવન ખીલતું નથી પણ શૂનકાર વ્યાપે છે.
મનુષ્ય પોતાની જ અસત્ કલ્પનાઓથી પીડા પામે છે. જીવનમાં ગૂંચ પાડે છે, ગાંઠો બાંધે છે. તેથી જીવનમાં પ્રેમ કે નિર્દોષતા ટકતા નથી. કયાં તો કોઈની સાથે ગૂંચ પડે છે,
ક્યાં ગાંઠ બંધાય છે. કેમ જાણે જીવન એને માટે મળ્યું હોય? ગાંઠવાળો દોરો સોયમાં પરોવાતો નથી, તો પછી ગાંઠવાળું મન પ્રભુમાં કેમ પરોવાશે ? ચિત્તની સ્વસ્થતા વગર આ ગૂંચ કેમ ઊકલશે, ગાંઠ કેમ છૂટશે ?
શરીરમાં ક્યાંય ગાંઠ દેખાય ત્યારે કેવો ગભરાય? શસ્ત્ર વડે કપાવવા તૈયાર થાય ને? ભાઈ મનની ગાંઠ શરીરની ગાંઠ કરતાં ખતરનાક છે. તેને બોધના શસ્ત્ર દ્વારા કપાવી નાંખ. સામી વ્યક્તિના દોષને લક્ષમાં લઈને ગાંઠ ન બાંધીશ. તેના નાના સરખા ગુણને
૪૧