SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે યોગ નિરોધ કરી જીવ મુક્ત થઈ જાય છે. જેનું મન શાંત નથી જેને આત્મશાંતિ નથી તેને અપમાનાદિ પીડા આવે છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષની ક્ષીણતા હોય તેટલા પ્રમાણમાં માનસિક આનંદ પણ પરિપૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. સાધકે પૂર્ણતાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે માટે નીચેના ઉપાયો યોજવા જોઈએ. (૧) માનસિક આવેગોનું નિરાકરણ. (૨) કાર્યોત્સર્ગનો અભ્યાસ. (૩) વિષયોની વિસ્મૃતિ કે વિરક્તિ. (૪) સંયોગ વિયોગમાં સંતુલન. (૫) સંકલ્પ વિકલ્પથી મુક્ત. (૬) અજ્ઞાનથી જાગૃત્તિ. (૭) હિંસાદિ પાપ પ્રવૃત્તિનો ત્યાગ. (૮) ભોગોથી વિરક્તિ. (૯) રાગાદિ ભાવથી મુક્ત. (૧૦) આત્મ સન્મુખતા-અર્પણતા આત્માભાવમાં લીનતા. અંતમાં બાધક થતા બધા નિમિત્તોનો ત્યાગ કરે, ઉચ્ચસાધક શક્ય તેટલું એકાંત અને મૌન રાખે, આખરે તમારામાં કંઈ બળ નથી, ચાલો સરળ ઉપાય કરો તે છે પ્રભુભક્તિ. તેમના શરણમાં ઝૂકાવી દો. પ્રભુ ભક્તિ : પ્રભુ આપ સર્વજ્ઞ છો, સ્થિરાત્મા છો ધૈર્યવાન છો, અભય છો, રાગ દ્વેષની ગ્રંથિથી રહિત છો. સંસારનો અંત કરનારા છો. આપ દિવ્યચક્ષુવાળા છો, જ્ઞાની છો, દુઃખીજનો માટે વિસામારૂપ છો, આપ અશરણના શરણ છો, સંસારને પાર કરનારા માટે નૌકા છે. પ્રાણધારીઓના પ્રાણ છો. સ્વયં સંબુધ્ધ છે. આપે જ્ઞાન ચક્ષુ વડે સમસ્ત સંસારને જાગૃત કર્યો છે. અમને જાગત કરો. લોગસ્સ ઉજોઅગરે. ૨૨૮
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy