________________
સામાયિક દ્વારા શ્રેષ્ઠ દૃશ્ય અને શ્રવણનું પ્રાગટ્ય
વિશ્વ વિષયોના વિકારમાં આક્રાંત થઈ વિશ્રાંતિ પામતું નથી. સુખ સામગ્રી મેળવીને, કે ભોગવીને પછી દુઃખી શા માટે? કારણ કે બાહ્ય વસ્તુથી વાસ્તવમાં આત્મવેદનમાં સુખ કે તૃપ્તિ ઉપજતી નથી. વળી પુરાણા કાળથી સંસ્કારમાં વિકૃતિની ભેળસેળ થઈ છે. આથી જેમ સૂર્યના તાપથી ઉત્પન્ન થતાં વાદળાં સૂર્યને ઢાંકે છે, વળી એ જ તાપ વડે વાદળાં વરસી જાય છે. અને સૂર્ય આડે આવતાં વાદળાં હટી જવાથી સૂર્ય પ્રકાશિત થાય છે. તેમ આત્માના સુખની આડે અજ્ઞાનનો અંધકાર પથરાઈ ગયો છે તે આત્મશક્તિ વડે જ દૂર થઈ શકે તે શક્તિ એટલે ચિત્તસમાધિ.
ચિત્તસમાધિ એ સહજ અવસ્થા છે. પણ જીવ તેનાથી દૂર જઈ પડયો છે, વિસ્મૃત થયો છે, દુન્વયી પદાર્થોમાં જેની રુચિ છે, તેની પ્રીતિ છે, પ્રીતિ છે ત્યાં સ્મૃતિ છે. જીવને કંઈ કહેવું પડતું નથી, કે ઈન્દ્રિયોને શું ગમે છે? જાણે કે તે સહજ હોય તેમ ઈન્દ્રિયોને વિષયો મળી જાય છે. - પાંચે ઈન્દ્રિયોમાં ચક્ષુ અને શ્રવણ વિશેષ કાર્યકારી છે. તે બેની પ્રાપ્તિ સંજ્ઞીપણામાં હોય છે. કથંચિત આ બંને ઈન્દ્રિયો બોધ-સમજ પેદા કરી શકે છે. ચક્ષુ એટલે દશ્યનો સંબંધ, શ્રાવ્ય એટલે શ્રવણનો સંબંધ. આ દશ્ય અને શ્રાવ્યનો વિષય બહાર છે તો જીવ બંધાય છે. દેશ્યમય વિશ્વ ચક્ષુ વડે દેખાય છે, પછી તે બંધ હોય. ખુલ્લી હોય કે સ્વપ્નમાં હોય તે દેશ્યને જુએ છે.
જગતના તમામ પદાર્થો નામ-રૂપથી ખ્યાતિ પામે છે. વસ્તુ કે વ્યક્તિને નામ હોય છે, તે શબ્દ વડે સંબોધાય છે. આ દેશ્ય અને શ્રાવ્ય, રૂપ અને શબ્દમાં પ્રાણીમાત્ર પ્રભાવિત છે. અને તેમાં રાગદ્વેષ કરી બંધાય છે. આ બંધનથી છૂટકારો થાવા કાંટાથી કાંટો નીકળે તેમ વિશ્વમાં દુન્યવી દશ્યની સામે અલૌકિક - લોકોત્તર રૂપનું નિર્માણ થતું આવ્યું છે. દુન્યવી શબ્દની સામે દિવ્યનાદનું નિર્માણ થતું આવ્યું છે. જિન પ્રતિમા અને જિનવાણી સર્વોચ્ચ દેશ્ય અને શ્રાવ્ય તત્ત્વો છે. અનાદિકાળથી આજ સુધી દેહ સંબંધી રૂપ અને શબ્દથી આત્મા
પર