________________
ઈદ્રિયો કોઈ વિષયમાં પ્રવૃત્ત થઈ જવા સંભવ છે.
પવિત્ર સ્થાનમાં બધું સંયમ પ્રેરક હોય તેથી સહેજે શુભ ભાવની ધારા ટકે છે. આર્તધ્યાન - અશુભ ધ્યાનથી દૂર રહેવાય છે. આમ ઘર અને ઉપાશ્રય કે પવિત્ર સ્થાનનું અંતર સમજીને પ્રમાદ ત્યજી તે રીતે સામાયિક જાગૃતિપૂર્વક કરવું. મન, વચન, કાયાના બત્રીસ દોષ ઉપરાંત અન્ય વિકલ્પોને પણ દૂર કરવાનાં છે.
ધન ક્યારે કમાવું?
અરે ! આ કાળમાં તો બાળક ગર્ભમાં આવે ત્યારથી ધનની વ્યવસ્થા કરવી પડે છે. એમ સામાયિક તો જન્મોજન્મના સંસ્કાર માંગે છે, એટલે સામાયિકને આત્મા કહ્યો છે. તેનું વિસ્મરણ થયું છે. માટે યથાશક્તિ આ અનુષ્ઠાન કર્યા જ કરવું.
હે ચેતન ! વિચાર કે હવા ક્યારે લેવી? ધન પ્રાપ્તિ ક્યારે કરવી? જો કે એની રાત-દિવસ જરૂર છે. તેમ તારા સૂતેલા આત્માને જાગૃત થવા સામાયિકની જરૂર છે. બે ઘડી બેસીને, શાસ્ત્ર અધ્યયનથી શ્રુત સામાયિક, હરતાં-ફરતાં, ઉઠતા-બેસતા સમતામાં રહેવા પ્રયત્ન કર. સંયોગાધીન અશુભના યોગમાં સમતા રાખ. આમ વિવિધ પ્રકારે સામાયિકનું આયોજન કર્યા જ કરવું આખરે એ સામાયિક સમ્યકત્વનું પ્રદાન કરી શાશ્વતપણે પ્રગટ થઈ અનંતકાળનું સુખ આપશે. તારે જેવું અને જેટલું સુખ જોઈએ તેટલા સામાયિક કરવા.
odi
–
–
ટ – – – – – – – – – – – – – – – – – – – – i “જેમની મહા કરુણાના અવલંબને ભવ્ય જીવો આત્મજ્ઞાન |
પ્રાપ્ત કરે છે, તેમનામાં સર્વથા અકર્તુત્વનો આરોપ તે અવળી ! | મતિ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રવચનોના નિઃસીમ ઉપકારોમાં
ઔપચારિકતાનો આરોપ તે એકાંત નિશ્ચયવાદનો કદાગ્રહ છે. તે કદાગ્રહ સ્વકર્તુત્વાભિમાનના મિથ્યા ગર્વમાં ફસાવનારો હોવાથી | | સર્વથા ત્યાજ્ય છે.”
૫૮