________________
૧૦. સામાયિક ક્યારે કરવું ?
ભાઈ ! તું સામયિક કરવાનો ક્યો સમય પૂછે છે? સામાયિક એ તો તારો આત્મા છે. સુખ માટે કયો સમય નક્કી કરવાનો હોય?
આપણું મન શરીર સુખમાં સહજ પ્રવૃત્ત થાય છે. આગ જુએ અને પગ ઊપડે, દોડે, મુખ પર માખ બેસે હાથ ઊંચકાઈ જાય. નાની પણ રજકણ આંખમાં પ્રવેશ કરવા જાય આંખ બંધ થાય. અને એ મન આ કષાય, વિષય, દોષો અને આત્મ અહિત સામે હાથ, પગ કે આંખ કશાનો ઉપયોગ કરતું નથી? હા, કષાયાદિની ક્ષીણતા માટે હાથ પગની જરૂર નથી; કેવળ સમજની, બોધની, સમ્યગુબુદ્ધિની જરૂર છે. જે સામાયિક દ્વારા સરળતાથી સાધ્ય છે. માટે સામાયિક અવશ્ય કરવું.
તું કહેશે વખત આવે બધું થશે. પણ ભાઈ તારી સિલકમાં શ્વાસ આયુ કેટલા છે કે તું આવો વિશ્વાસ કરીને બેઠો છું તે શું યુવાનોને કાળને ઝપાટે ઝડપાયેલા જોયા નથી ?
હજી થાય છે, યુવાન છું, પણ ભાઈ તને ખબર છે ને કે શેરડી બે-ત્રણ વાર પીલાય પછી રસકસ રહે ખરો? તું બાળપણમાં રમકડાં રમ્યો, યુવાનીમાં સ્ત્રી આદિમાં ભમ્યો. પ્રૌઢતામાં ધનાદિમાં જામ્યો, આમ બે-ત્રણ વાર પીલાયા પછી સાંઠ પછી તારામાં ધર્મ કરવાનો રસ કસ કેટલો રહેશે? વળી આ દેહ (આયુ) તને સિત્તેર એંસી સુધી પહોંચાડતા તારા કેટલાય ગાભા કાઢી નાંખશે?
સર્પને દૂધ પાવ તોયે તેના મુખમાંથી ઝેર જ નીકળે, અમૃત ના જનીકળે; કારણ કે ત્યાં અમૃતની સરવાણી નથી. તેમ ભાઈ સંસારના કષાયાદિમાંથી તને ધર્મ કે ધર્મનું સુખ ક્યાંથી સાંપડશે?
કષાયાદિના પહાડ અને વિષયોના વિષમય ઝાડ તારા અમૃત સમા આત્માને કઈ દિશાએ લઈ જશે? ચેતી જા. અને વિચાર કે તે શું મેળવ્યું? - યમરાજ બાળ નચિકેતાની મૃત્યુજીતની આત્મજ્ઞાનની દૃઢ જિજ્ઞાસાથી પ્રસન્ન થયા અને બાળકને કહ્યું કે તું ધરતી પર જા તને
૫૯