________________
૧
દર્શનાદિ
ત સુખને
હાથી જે સ
થાય
તેઓ અસંગ થયા છે મૌન થયા છે અને નિર્વિકલ્પ થયા છે.
આથી સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે સમરસીભાવ રાખવો, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અજન્મા, અમરણા અને અસંગરૂપ છે. આવી પ્રતીતિમાં સમ્યગુદર્શન થાય છે. તે સમ્યગુદર્શનાદિ શુદ્ધ ચારિત્ર વડે જીવકર્મનો ક્ષય કરી શાશ્વત સુખને પામે છે.
સંસારસુખની સ્પૃહાથી જે સંવેગ અને નિર્વેદ પામે છે તે જ્ઞાનીને સમાધિ પ્રાપ્ત થાય છે. જેમ આકાશને વિષે પર પદાર્થોને પ્રવેશ નથી તે પદાર્થોના પરિણમનથી તે રહિત છે, તેમ સમાધિયુક્ત જ્ઞાની પુરુષો સર્વ પ્રકારે અન્ય ભાવ - પ્રતિભાવથી રહિત રહે છે.
પરંતુ સંસારમાં પ્રવૃત્તિ વ્યવહાર એવો છે જીવને સમભાવથી ચલિત કરે છે. જેની પાસે સત્પુરુષનું બળ છે, તે કઠિનતામાં ટકી શકે. સ્વરૂપ નિષ્ઠા થવામાં અનેક અંતરાયો છે. છતાં પણ સાધકે સ્વરૂપનિષ્ઠા માટે ભૂમિકા પ્રમાણે સદાચાર, સત્સમાગમ સલ્ફાસ્ત્રાદિનું સેવન કરવું જોઈએ. તે માટે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય થવા પ્રયત્ન કરવો જોઈએ. તો સમય અને સમજ કાર્યકારી બને છે.
સામાયિક માટે શ્રેષ્ઠ સ્થળ ઉપાશ્રય છે. પૂર્વકાળમાં શ્રેષ્ઠિઓ, રાજા, મહારાજાઓ, પોતાના વૈભવ પ્રમાણે દહેરાસરે અને ઉપાશ્રયે જતાં. જેથી તેમની પદ્ધતિથી અન્ય જીવોની ધર્મભાવના જાગૃત થતી. ઉપાશ્રયમાં સહેજે વાતાવરણની શુદ્ધિ થતી. દહેરાસરમાં પૂજા ભક્તિ થાય. ઉપાશ્રયમાં સદ્ગુરૂબોધનું શ્રવણ થાય.
સામાયિક ઘરમાં શાંત અને શુદ્ધ સ્થાને સ્થિરતાથી થઈ શકે છતાં પણ ઉપાશ્રયમાં વિશેષ લાભ છે. વળી જ્યાં સત્સંગ સ્વાધ્યાય થતાં હોય ત્યાં શુભ ભાવનું વાયુમંડળ પણ જીવને શુભ ભાવની ધારામાં પ્રેરક બને છે. અશુભ વૃત્તિઓ સહેજે શમે છે. ગુરુ નિશ્રાનો લાભ મળે.
ઘરમાં જીવને અન્ય અવાજ કે પ્રવૃત્તિઓ ચંચળ કરે છે. જ્યારે તીર્થ જેવા કે અન્ય પવિત્ર સ્થાનમાં સાધક શાંત ચિત્તે સાધના કરી શકે છે. ઘરમાં કંઈ નિમિત્ત મળતાં ચિત્ત ચલાયમાન થાય છે. પ્રવૃત્તિમાં વૃત્તિ જોડાય છે તેથી સાવધ યોગોથી નિવૃત્તિમાં બાધા પહોંચે છે.
૫૭