________________
આ સામાયિકના પ્રાયે મુનિ અધિકારી છે, તે મૈત્રી આદિ ભાવનાથી ભૂષિત હોય છે. મુનિ પોતાની આત્મસત્તાને સમસ્ત જીવોથી અભિન્ન જાણે છે, તેથી ક્યારે પણ સંક્લેશ પરિણામ થતા નથી. સંસારમાં, જે કંઈ વિવિધતા કે વિચિત્રતા છે તે કર્મયુક્ત છે. પ્રત્યેક જીવ કર્મવશ શુભાશુભ ભાવ કે વર્તન કરે છે. આવા કર્માધીન જીવો પ્રતિ મુનિ મધ્યસ્થ છે.
શાસ્ત્રના અધ્યયન દ્વારા, આત્મચિંતન, કે કર્મવિપાકના ચિંતન દ્વારા, અનિત્યાદિભાવના દ્વારા સમભાવ પેદા થવાનો સંભવ છે. સદ્ગુરુના બહુમાનપૂર્વક વિધિયુક્ત શાસ્ત્ર અધ્યયનથી ગૂઢ જ્ઞાન દ્વારા ચિત્ત સમભાવમાં આવે છે.
સમ્મ સામાયિકઃ દૂધમાં સાકર ભળી ગયા પછી તેને છૂટી બતાવી શકાતી નથી તેમ સમ્મ પરિણામની ધારામાં રત્નત્રયનું એકીકરણ થાય છે. સામ અને સમ પરિણામરૂપ સામાયિકના અભ્યાસ-પરિણામથી સ્વભાવતન્મયતા થાય છે. તે ચિન્મય સમાધિ છે. સમતારૂપ પરિણામની ધારાનું સાતત્ય છે. મુનિ અવસ્થામાં આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. તે મુનિ આત્મસ્વભાવમાં.રમણતા, સ્થિરતા અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. પરભાવમાં જવું તે યોગીને દુઃખદાયક છે.
વાસ્તવમાં આ ભૂમિકા યોગની સાતમી કે આઠમી દૃષ્ટિમાં હોય છે. તેઓ અંતરંગ સુખના ભોક્તા છે. બાહ્ય સુખ સામગ્રીમાં ઉદાસીન છે. કોઈ પદાર્થના કર્તા નથી પણ સાક્ષી છે. સ્વસ્વરૂપ પરિણામના કર્તા હોવાથી ભોક્તા છે. સર્વનું આત્મિક સુખ સમાન છે. જેમ મીઠાઈનો સ્વાદ સર્વને સમાનપણે આવે છે. તેમ સમફત્વનું સુખ સમાન છે.
પ્રયોગ : શ્રાવકે દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે કરવા. દાનાદિ સદાચાર યુક્ત વ્યવહાર કરવો પરમાત્માના ગુણોનું ચિંતન કરવું. નિત્ય ધ્યાન ચિંતન કરવું. શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનું નિરંતર ચિંતન કરવું, સુવર્ણ માટી સમાન છે, તે પૃથ્વી તત્ત્વ છે તેમાં મોહ કરવા જેવો નથી તેમ ચિંતવવું. દોષોની નિરંતર ક્ષમાપના કરવી. વ્રત ધારણ કરવા. પરપદાર્થથી ભેદજ્ઞાન કરવું.
સાધકની ભાવનાનો વિસ્તાર થતો જાય તેમ ચિંતન સૂમ બનતું
૧૯