________________
વડે દેશવિરતિ સામાયિકની શુદ્ધિ કરીને સર્વ વિરતિ સામાયિકની ભૂમિકામાં પહોંચે છે.
સામાયિક પદનું રહસ્ય :
સામ, સમ, સમ્મ ત્રણે પ્રકાર આત્માના પરિણામ છે. ત્રણે શબ્દો અન્યોન્ય પૂરક છે.
(૧) સામ : મધુર પરિણામ. મૈત્રીભાવથી ભરપૂર હોવાથી તેમાં મધુરતા હોય છે. સર્વત્ર સમાન વ્યવહાર, ભક્તિરસનું માધુર્ય હોય છે. ભક્તિરસના માધુર્ય જીવના પરિણામમાં સાકરની જેમ મધુરતા ટકાવે છે, તેથી શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ ટકે છે. તે શાંતિ અને નમ્રતાનો અધ્યવસાય છે.
સર્વાત્માને સ્વાત્મ સમાન જાણે છે. પોતાના દુઃખ નિવારણની સાથે અન્યના દુઃખનું નિવારણ કરે છે. અન્યના અપરાધને ક્ષમા આપે છે.
સમ ઃ તૂલ્ય પરિણામ; સમાન વ્યવહાર. સ્થિરપરિણામ સ્વરૂપ છે. રાગદ્વેષ રહિત અવસ્થા, શત્રુમિત્ર પ્રત્યે, સમાન વ્યવહાર, માનઅપમાન, કનક હો કે પાષણ હો, વંદક હો કે નિંદક હોય દરેક પ્રત્યે સમાન-તૂલ્ય ભાવ. મધ્યસ્થભાવ.
માન અપમાન સમ ગણે, સમ ગણે ક્નક પાષણ રે,
વંદક નિંદક સમ ગણે, ઈસો હોય તું જાણ રે. શાંતિનાથજિન સ્તવન આનંદધનજી. ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગમાં અજ્ઞાનવશ મોહવશ, રાગદ્વેષના પરિણામ થાય છે. શ્રુત કે સમ્યજ્ઞાનના અભ્યાસ વડે વિવેક જાગૃત થતાં પર પદાર્થોમાં થતી ઈષ્ટાનિષ્ટની કલ્પના દૂર થાય છે, તેથી ચિત્ત સમવૃત્તિ ધારણ કરે છે. ઘોડા જેવાં પ્રાણીને અલંકાર પહેરાવો કે કાઢો તેને તેમાં હર્ષ વિષાદ નથી, તેમ મુનિને ઈષ્ટ મળો કે અનિષ્ટ મળો સમવૃત્તિ છે.
-
શાસ્ત્રાનુસાર અભ્યાસને કારણે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાપાલનરૂપ પરમભક્તિ પ્રગટ થાય છે, જેથી યોગોની પ્રવૃત્તિમાં સૌમ્યતા આવે છે. સમરસભાવ પેદા થાય છે.
૧૮