________________
ઈલાવર્ધન નગર, ધનદત્ત શેઠ, તેમને ધનવતી નામની પત્ની હતી. ઈલાદેવીની સેવા કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તેથી ઈલાપુત્ર' નામ સ્થાપન કર્યું !
એ જ નગરમાં એક દિવસ એક નટ પોતાની મંડળી સાથે આવી નાગરિકોને મનોરંજન કરાવતો હતો. નટની સ્વરૂપવાન પુત્રીને જોઈ પૂર્વભવના સ્નેહના કારણે ઈલાપુત્ર એના ઉપર મોહિત થયો !
ઈલાપુત્ર ઘરે આવીને પિતાને કહેવા લાગ્યો. મને નટપુત્રી સાથે પરણાવો, હું મરી જઈશ તોય બીજી કન્યા સાથે લગ્ન નહીં કરું...
પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું. વત્સ! એ નીચ જાતિની કહેવાય, અમે તને ઉત્તમ રૂપવતી, લાવણ્યવતી કન્યા પરણાવીશું. ઘણું સમજાવવા છતાં કોઈ રીતે ઈલાપુત્ર ન જ માન્યો ત્યારે ધનદત્ત નટ પાસે જઈ તેની પુત્રીનું માગું કર્યું. નટે કહ્યું : અમારી નાચવાની કળા શીખી, ધન ઉપાર્જન કરી અમારી જ્ઞાતિને પોષે તેને અમારી બેટી પરણાવીએ! ધનદત્તે આ વાત ઈલાપુત્રને કરી, મોહવશ ઈલાપુત્ર એ માટે તૈયાર થઈ ગયો.
અનુક્રમે હઠે ચઢેલો ઈલાપુત્ર ઘરમાંથી નીકળી નટની મંડળીમાં ભળ્યો. નાચવાની સર્વ કળાઓમાં પ્રવીણ બન્યો ! ફરતી ફરતી આ નટમંડળી પોતાની કળા બતાવવા માટે બેનાતટ નગરે પહોંચી! ત્યાંના રાજાને પોતાની કળા બતાવવા માટે વાંસ સાથે બાંધેલા દોરડા ઉપર અનેક પ્રકારના દાવ અજમાવે છે, સાથે નટપુત્રી ગીત ગાતી ગાતી ઢોલ વગાડી રહી છે. રાજાની નજર નટપુત્રી ઉપર પડી અને રાજા ય એના ઉપર મોહિત થયો. રાજા મનમાં વિચારે છે કે, આ નટડીને હું મારા અંતઃપુરમાં દાખલ કરી દઉં.
રાજાને રીઝવવા માટે ઈલાપુત્રે બધા જ દાવ અજમાવ્યા તો ય રાજા ન રીઝયો.. એ સમયે દોરડા ઉપર નાચતા ઈલાપુત્રની નજર નજીકના એક મકાન ઉપર પડી. ત્યાં એક મુનિરાજ ગોચરી વહોરવા પધાર્યા હતા. રૂપવતી અને સર્વ શણગારથી શોભતાં શેઠાણી ખૂબ ભાવથી અને આગ્રહથી મોદક વહોરાવે છે. મહાત્મા તો નીચી દષ્ટિ રાખી ગોચરી વહોરે છે. પેલી રૂપવતી શેઠાણીની સામે પણ જોતા
૧૭૯