SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આ દશ્ય જોઈ ઈલાપુત્ર મનમાં વિચારવા લાગ્યો કે, હું આ નટડી પાછળ પાગલ બન્યો છું. જ્યારે આ મહાત્મા કેવા નિર્મોહી છે....! આવા વિચાર કરતાં મોહનો અંધારપટ દૂર થયો. શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢયા. દોરડા ઉપર જ કેવલજ્ઞાન પામ્યો! ઈલાપુત્રના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા દેવતાઓ આવ્યા... વાંસનું સિંહાસન બની ગયું. આ દિવ્ય સિંહાસન વગેરે જોઈ રાજા, નટ, નટી વગેરે સર્વ પ્રતિબોધ પામ્યા! તત્ત્વની જાણકારીરૂપ ઈલાપુત્રનું આ પરિજ્ઞા સામાયિક કહેવાય. (૮) પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રની કથા : તેતલપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્ય કરે છે. રાજ્યનો લોભી રાજા પોતાને જેટલો પુત્રો થાય તે બધાને રાજ્યગાદીને લાયક ન રહે માટે ખોડખાંપણવાળા બનાવતો. આ રાજાને તેટલીપુત્ર નામનો મંત્રી હતો. તેટલીપુત્રને પોટિલા નામની પત્ની હતી. આ માનિતી પત્ની એક દિવસ અણમાનિતી થઈ ગઈ ! તેથી મંત્રી પત્ની સાથે બોલતો નથી. એક દિવસ એક સાધ્વીજી મ. એમને ત્યાં ગોચરી પધાર્યા. પોટિલાએ સાધ્વીજીને કહ્યું, મારા પતિને વશ કરવાનો ઉપાય બતાવો! - સાધ્વીજી મહારાજે સંસારની અસારતાનો ભવ્ય ઉપદેશ આપ્યો. પોટિલાએ સંસારથી વૈરાગ્ય પામી પતિ પાસે દીક્ષાની અનુમતિ માંગી. પતિએ કહ્યું. દીક્ષા લઈ દેવગતિ પામી, મને પ્રતિબોધ પમાડવા આવે તો અનુમતિ આપું. પોટિલાએ એ વાત કબૂલ કરી દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી શુદ્ધ મનથી ચારિત્રનું પાલન કરી અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થઈ! આ બાજુ રાણીને પુત્ર જન્મ થયો. રાજા ન જાણે તે રીતે તેટલીપુત્ર એને પોતાના ઘરે લઈ ગયો. કનકધ્વજ નામ પાડયું. મોટો થયો. સર્વકળાઓ શીખવીને હોશિયાર બનાવ્યો. કાળ કાળનું કામ કરે છે. કનકકેતુ રાજા મરણ પામ્યો. મંત્રીએ ૧૮o
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy