SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ છે. નયનકમળ જેમાં કેવળ અમી અને કરૂણા વર્ષો છે. એ અમી દૃષ્ટિ વડે જીવો અમૃત પામી ગયા. નમો સિદ્ધાણં ઃ સિદ્ધ પરમાત્મા એટલે અનંત અવ્યાબાધ પરમ સુખના સ્વામી. દેહાતીત દશાના ઘોતક. અશરીરીપણાનું કલ્પનાતીત સર્વોચ્ચ પદ. સિદ્ધનું ધ્યાન કરનાર રાગદ્વેષને હણી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સાદિ અનંત અનંત સમાધિ સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત લબ્ધિ સહિત એ દશા છે. સિદ્ધપદમાં જેની અવિચળ શ્રદ્ધા થાય છે તેને જગત રત્ન જડેલું થઈને મળે તો પણ અતિ તુચ્છ લાગે છે. સર્વ સિદ્ધિઓ તેમના ચરણની દાસી છે. દેહ નહિ, દેહનો નેહ નહિ, એટલે સર્વ ઉપાધિ રહિત પરમ આનંદની જ્યાં ઉપસ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતો સિદ્ધિપદના દાતા છે. અતિ તૃષ્ટિ પામેલા સિદ્ધ ભગવંતોનું ધ્યાન આત્માના લોભ કષાયને જીતવા સમર્થ છે. “ભવિકા સિદ્ધ પદ આરાધો.” નમો આયારિયાણં : વળી આ અરિહંત અને સિદ્ધ પદ દર્શાવનારા તો ગુરુ છે. ત્રીજા પદમાં આચાર્ય ગુરુપદે છે. સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય જેવા મહાન ગુણો સહિત. પંચાચારયુક્ત જેના જીવનનો આચાર છે તે આચાર્ય છે. વિશ્વમાં જ્યાં જ્યાં સદાચાર છે ત્યાં આચાર્યનું અસ્તિત્વ વિશ્વનીય બને છે. એટલે તો ચોરી કરનારા પણ ચોરી કરી છે તેવો અનાચાર કહેવા પાછા પડે છે. સદાચાર એટલે આત્મા જેવો શુદ્ધ છે તેવો આગળ રાખીને જીવવું. એના પ્રણેતા આચાર્ય છે. માયાચારને છોડાવનાર આચાર્ય ભગવંત છે. નમોઉવજ્ઝાયાણં : ગુરુપદમાં ઉપાધ્યાયનું પદ પણ સમાય છે. જીનવર કથિત તત્ત્વનું યથાર્થદર્શન જેમની પાસે છે, તે ઉપાધ્યાય છે. જ્ઞાનના ધારક ઉપાધ્યાય માનના પ્રતિપક્ષી છે, એટલે વિનયગુણના ધારક છે. તેથી તેઓ જિનવાણીનું નિઃસ્પૃહભાવે દાન કરે છે. આમ ઉપાધ્યાય જ્ઞાનના ધારક, માનના મારક અને જ્ઞાનના દાતાર છે. ઉપાધ્યાય ભગવંત વિનયગુણના ઉપાસક હોવાથી માનને જીતવામાં તેમની ઉપાસના સહાયક બને છે. ૧૩૯
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy