SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવે, નીતિપાલન સજ્જન બનાવે, પરંતુ અધ્યાત્મ આત્માને સ્વયં પરમાત્મા બનાવે. ભૌતિક પદાર્થ કે વિજ્ઞાનમાં આ વિચારનો વિકાસ સંભવ નથી. માટે આત્માને જાણવાનો પરિશ્રમ કરવો જોઈએ. સાંસારિક સુખની ગૌણતા કરવી જોઈએ. સર્વસ્વ પામવા માટે સંસારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સંસારમાં જીવે અનેક પ્રકારના મૃગજળ રચ્યા છે. તે ભ્રમણાથી તેને મુક્ત થવું જોઈએ. મૃગજળ કેટલા છે જાણો છો ? દેહસુખ, ધન, ધાન્ય, ગૃહ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પરિવાર, સગા, સ્વજન, કુળ, જાતિ, સમાજ, યશ, કીર્તિ આવા ઘણાં મૃગજળની પાછળ આપણે દોડીએ છીએ. પણ જો હવે સમજાયું હોય કે એ નરી ભ્રમણા છે, તો સર્વ બાધક કારણોનો ત્યાગ કરવો અને અધ્યાત્મના પંથે પ્રયાણ કરવું. એ પંથે જતાં અંતરમાં તીવ્ર વૈરાગ્ય, જિજ્ઞાસા, બહાર સત્તમાગમ, સદ્ગુરુનો યોગ. ત્યાર પછી આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અધ્યાત્મપદની આરાધના માટે વેદાંતમાં પણ પટ સાધન સંપત્તિ’ બતાવી છે. ૧. શમ : વિષય સમૂહમાં જતાં મનને વારંવાર દોષ દૃષ્ટિ જાણીને તેમાંથી નિવૃત્ત થયું. પોતાના ચિત્તને આત્માના લક્ષ્યમાં સ્થિર કરી સમત્વમાં રાખવું. ર. દમ ઃ કર્મેન્દ્રિયો - દ્રવ્યેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો - ભાવેન્દ્રિયોનો સંયમ રાખવો. ૩. ઉપરતિ : અંતરવૃત્તિઓ બાહ્ય વિષયોમાં એકત્વ ન કરે તેવી સ્થિતિ. ૪. તિતિક્ષા : પ્રતિકાર રહિત, ચિંતા કે સંતાપ કર્યા વગર બધાં કષ્ટોને સમતાથી સહન કરવાની શક્તિ. ૫. શ્રદ્ધા : શાસ્ત્રવચન - પ્રભુવચન, ગુરુવચનમાં અતૂટ શ્રદ્ધા. ૬. સમાધાન : સમાધિ, બુદ્ધિને સર્વ પ્રકારે બ્રહ્મમાં જ સ્થિર કરવી. આ સંપત્તિ લોકોત્તર છે. ૭૧
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy