________________
ચોવીસ તીર્થંકરનું સંક્ષિપ્ત ચરિત્ર
૧. શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો હતો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થંકરોની માતાઓ પહેલા સ્વપ્ને સિંહ દેખે પણ મરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણી તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું. જેમને અરિસાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે
ગયા હતા.
ર. શ્રી અજિતનાથ : અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી. અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ રાખ્યું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું.
૩. શ્રી સંભવનાથ : શ્રાવસ્તિ નગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું.
૪. શ્રી અભિનંદન સ્વામી : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈંદ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું જે એ ગર્ભનો જ મહિમા
૧૬૪