________________
નિવારક બને છે.
કથંચિત ઈન્દ્રિયનાં સુખો, ધન ધાન્યની પ્રાપ્તિ એ શુભ કર્મની મહત્તા ભલે હો, તેનો સદ્ધપયોગ કરજે, પણ ખરી મહત્તા જન્મોજન્મના સાથી તરીકે ધર્મસત્તાની છે. તે દયા, શાંતિ, ક્ષમા અને સમતામાં રહેલી છે. ધર્મસત્તાની મહત્તાના મૂળમાં આત્મપરિણામની શુદ્ધતા છે. સહજ સ્વરૂપનું ભાન થવું તે ધર્મ છે. સંસારના અનેક પ્રકારના સંગ પ્રસંગથી જીવને પોતાના સહજ શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થયું છે. જેમ જેમ સંગ પ્રસંગનો ત્યાગ કરશે તેમ તેમ કર્મસત્તા શિથિલ થશે.
કર્મવશ પ્રવર્તતી વિચિત્રતા જાણીને જીવે પ્રથમ અને મુખ્ય નિર્ણય આત્મહિત અને કલ્યાણનો કરવો. અને ત્રણેયોગનું પ્રવર્તન ઉદયાધીન થતું હોય તો પણ તે યોગોને નિરવદ્ય પ્રત્યે દોરવા. અસક્ષણે થતી યોગોની પ્રવૃત્તિને પ્રથમ સંકેલવી. તે માટે પ્રમાદ અને ઈન્દ્રિયવશતા ત્યજવી. સ્વચ્છેદાદિનો ત્યાગ કરવો. આમ કરવામાં જીવની નબળાઈ હોય તો સદ્ગુરુ આજ્ઞાએ કે સત્સંગમાં પ્રવર્તવું.
સત્સંગમાં બાધક થતા પરપદાર્થના પરિચયનો સંક્ષેપ કરવો. કોઈ મહાપુણ્ય સત્સમાગમ મળી જાય તો બધા જ વિકલ્પો ત્યજી, દૈહિક બુદ્ધિ ત્યજી એ યોગને આરાધી લેવો. એ સત્સમાગમથી જે બોધ પ્રાપ્ત થયો હોય તેને બહુ મૂલ્યવાન જાણી અંતરમાં તેનો વાસ કરવો. આમ ધર્મારાધના વડે સમક્તિ પ્રાપ્ત થાય છે. જો બોધવચનને આદરપૂર્વક આચરે નહિ તો કર્મજન્ય પરાધીન દશાનો યોગ થાય. તેમાં જીવનું કલ્યાણ ન થાય.
કર્માધીન જીવ ઉદયમાં આવતા સંસ્કારને વશ થાય છે. તેથી નિમિત્તે કરી હર્ષ કે શોક કરે છે. નિમિત્ત કરી રાગદ્વેષ કરે છે. નિમિત્તે કરી કષાયને આધીન થાય છે. તે માટે તે જીવે તે પ્રકારના સંગનો ત્યાગ કરવો. સત્સંગ જેવા નિમિત્તામાં રહી ક્ષણે ક્ષણે કે પ્રસંગે સ્વાત્મા પ્રત્યે ઉપયોગને વાળી લેવો.
જોકે અનાદિની જીવને વિપર્યાસ બુદ્ધિ હોવાથી શીધ્રતાએ ધર્મભાવરૂપ વૈરાગ્ય કે ઉપશમાદિ ભાવો થવા કઠિન છે. છતાં પણ સત્સંગના યોગે તે ભાવોની વૃદ્ધિ કરવી. સત્સમાગમ ન હોય ત્યારે