SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિયોગ પ્રત્યે લઈ જનાર હોય છે. જેથી અશુભ સંકલ્પોથી રક્ષા થઈ શુભસંકલ્પ દ્વારા આરાધનામાં દઢ રહે છે. અનુક્રમે સમાધિયોગને સાધતો અંતરંગ ક્રિયાવાળો યોગી સમસમતાયોગ દ્વારા જ વિશુદ્ધ થાય છે. ત્યાર પછી અસંગ-અનુષ્ઠાનની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. જે જિનકલ્પી મુનિઓને હોય છે. મૈત્રી આદિ ભાવના દ્વારા ધર્મધ્યાનની અવિરત ધારા ચાલે છે. ત્યારે પરહિતચિંતા જીવરક્ષાવાળા યોગીમાં પ્રેમ-કરુણાનો સ્ત્રોત વહે છે. નિઃસ્પૃહ યોગી વૈરાગ્યની ભાવનાથી નિરંતર આત્મધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેમાંથી જે સમરસ પેદા થાય છે તે સમસ્ત વિકારોનો નાશ કરે છે. ગ્રંથકાર જણાવે છે કે જ્ઞાન, ધ્યાન, તપ શીલાદિ દ્વારા જે મોક્ષરૂપ પરિણામ પ્રાપ્ત થતો નથી તે શમરસનો સ્વામી પ્રાપ્ત કરે છે. એ સમરસ શું છે.? અહો ! આત્માની રાગદ્વેષ રહિત પરમશાંત અવસ્થા, જે અવસ્થામાં વિશ્વને તત્ત્વપણે પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જોવાની, અનુભવવાની સિદ્ધિ છે. સામાન્ય માનવી આત્માની આ અખિલાઈને આંબી શકતો નથી. કારણ કે તે ફકત બાહ્ય અવસ્થા - પર્યાયને જાણે છે. પોતે પોતાની જાતને જ્ઞાની માને છે. ત્યારે તે અન્યને અજ્ઞાની માને છે. પોતે કંઈ ત્યાગમાર્ગે વળ્યો તો અન્યને મોહાંધ માને છે. પરંતુ શમરસના સ્વાદવાળો યોગી તો સર્વત્ર આત્માના ચૈતન્યસ્વરૂપનો ચાહક છે. તેથી અભેદ સ્વરૂપને જાણી શકે છે. સમતારસના યોગીના અસંખ્યાત આત્મ પ્રદેશો “શમ'થી ભરપૂર છે. કહેવાય છે કે એ સમતા રસમાં નિમગ્ન યોગીને મોક્ષના સુખની પણ અભિલાષા નથી. તેઓ સ્વયં મોક્ષસ્વરૂપ થયા છે. જે આત્મા આવા ઉપશમરસના સુખને આસ્વાદે છે, તેને આ જગતના જડ પદાર્થોની આસક્તિ સ્વયં દૂર રહે છે. રાગાદિનું વિષ આત્માના અમૃત દ્વારા નષ્ટ થઈને રહે છે. આવા આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભ્રામક સુખ, વિષ સમા વિષયોને ત્યજવા જ પડે. સંસારભાવ સચવાય અને મોક્ષ થવા કહેવું સંભવ નથી જ નથી. માટે દઢ મનોબળ
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy