________________
છું? એનો વિચાર રાત્રિદિન ચિત્તમાં સ્કૂર્યા કરે છે. શું કરવાથી આ ભવભ્રમણ ટળે તેને માટે તે સદ્ગુરુના બોધનું સ્મરણ કરી અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે.
ઘણા પ્રયાસે જીતી શકાય એવા આ માયાવી સુખોના પ્રલોભનોથી ભરપૂર જગત અને સારવર્જિત સંસારમાં આ દુર્લભ એવું મનુષ્યપણું મળ્યું છે, માટે મારે આ જન્મમાં સ્વરૂપ પ્રાપ્તિ કરવી એ જ કર્તવ્ય છે. ઉત્તમ પુરુષોએ એ સર્વ ભ્રમોથી મુક્ત થઈ કર્મ પ્રકૃતિના સંયોગમાં તદ્રુપ ન થતાં એક મોક્ષનો જ પુરુષાર્થ કર્યો છે. તેઓ આત્માનો પરિચય કરવા અંતર્મુખ થયા હતા.
જેમ જેમ આત્મપરિચય વધે છે તેમ તેમ તે વિચારે છે કે પરિવારની પળોજણથી ભવ નિસ્તાર થવાનો નથી, તેથી તો સંસારકાળ વૃદ્ધિ પામવાનો છે. જો આ સંસારમાં રહીને મુક્તિ સાધ્ય થતી હોય તો મહાત્માઓ એકાંત સેવન, સંસાર ત્યાગ શા માટે કરે ! સંસાર વિષયોનું ઘર છે. કષાયોનું કારાગૃહ છે. રાગ, દ્વેષ અને મોહને રહેવાનું વન છે, તેમાં ક્યાંથી શુદ્ધિ થાય?
કાદવમાં ખરડીને કાયા પાછો ધોવા બેસું.
માયામાં ડૂબકી મારીને પાછો રોવા બેસું. ખબર નથી કે એક દિવસ તો ભવસાગર ડૂબવાનો !...
સદ્ગુરુના બોધ દ્વારા સાધક બરાબર સમજે છે, કે આ માયાવી સંસારમાં ડૂબી જવાય તેવું છે. હું સામાયિક ધર્મનો ઉપાસક સાવધ પ્રવૃત્તિથી મુક્ત થવા પ્રથમ તો વિરમણ વ્રતમાં આવું. વૃત્તિ-પ્રવૃત્તિનો સંક્ષેપ કરું, અલ્પ બધું જ અલ્પ, બાહ્ય પરિચય અલ્પ, સાંસારિક સંયોગોનો પરિચય અલ્પ, આરંભ પરિગ્રહ અલ્પ. આમ તે હળુકર્મી થાય છે. કર્મ પ્રકૃતિની સ્થિતિને ક્ષીણ કરે છે. શુદ્ધિના માર્ગને આવકારે છે.
આત્મપરિચયનો જિજ્ઞાસુ ચિંતવે છે કે મારું સુખ તો મારા સ્વરૂપમાં છે. બાહ્ય સાધનોમાંથી તે પ્રાપ્ત થવાનું નથી. માટે બાહ્ય પદાર્થોનો અપરિચયી થાઉં. જો કે આત્મસ્થિરતા-સમશ્રેણીમાં રહેવું દુર્લભ છે. મનમાં ઊંડે રહેલા સંસ્કારો વચમાં અંતરાયરૂપ થશે. પરંતુ તેને સદ્ગુરુના યોગે અને બોધે એ મનના અંતરાયો દૂર કરવાનો
૧૧૬