________________
એકાગ્રતા તે સમ્યકત્વ સામાયિક છે. ૨. શ્રુત સામાયિક: ગીતાર્થ ગુરુજનોના અત્યંત બહુમાનથી તેમની
નિશ્રામાં શાસ્ત્ર અધ્યયનથી, શાસ્ત્રના સૂત્ર અને અર્થ તથા તદુભયના સેવનથી શ્રુત સામાયિકની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનમાં
ઉપયોગની એકાગ્રતા તે શ્રુત સામાયિક છે. ૩. ચારિત્ર સામાયિક :- વિરતિ રૂપ સામાયિક, બે પ્રકારે છે.
૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ
૧. સર્વવિરતિ ચારિત્ર સામાયિક મુનિજનોને હોય છે. સર્વસંગ પરિત્યાગી મુનિને સર્વ સાવદ્યપાપ વ્યાપારનો ત્યાગ હોય છે. તે મહાવ્રતી છે. ચારિત્ર આત્માનો વિશુદ્ધ પરિણામ છે. સર્વવિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા સર્વ વિરતિ સામાયિક છે.
૨. દેશવિરતિ વ્રતધારી શ્રાવકને હોય છે. સાવદ્ય પાપવ્યાપારનો અંશતઃ ત્યાગ હોય છે. તે અણુવ્રતી હોય છે. દેશ વિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા તે દેશ વિરતિ સામાયિક છે.
અર્થાત્ સમતાના પરિણામયુક્ત ઉપયોગ હોય તો તે સામાયિક છે. ઉપયોગ સમતા યુક્ત હોય તો તે વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમય આત્મા જ સામાયિક સ્વરૂપ છે.
આથી એમ જણાય છે કે આવા મહિમામય સામાયિકની પ્રાપ્તિ કે સામાયિકધર્મ દુર્લભ છે. આ ત્રણ પ્રકારના સામાયિકનું પરમભાગ્ય માનવને મળ્યું છે. આવો ખજાનો ગુમાવી દેવો તે નર્યું અજ્ઞાન છે.
અનંત પુદ્ગલ પરાવર્તનકાલ સુધી જન્મમરણની પરિક્કમા થયા પછી મહાભાગ્યે ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં જીવ આવે છે અપુનબંધક અવસ્થામાં પહોંચે છે. કષાયોની અત્યંત મંદતા થાય છે. ત્યારે વળી ચરમયથાપ્રવૃત્તકરણ પછી વૈરાગ્યથી તીવ્ર પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાધક ગ્રંથિભેદ કરી સમ્યકત્વ કે શ્રુત સામાયિકની પ્રાપ્તિ કરે છે. આવું મૂલ્ય ચૂકવ્યા વગર અચિંત્ય એવું સ્વરૂપમય તત્ત્વ પ્રાપ્ત થતું નથી. શ્રુત તથા સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય:
સર્વજ્ઞ પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન, તત્ત્વબોધ