________________
ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્યદૃષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોતપોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ રાખ્યું. તેમનું પન્નર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલકમળનું જાણવું. ન ૨૨. શ્રી અરિષ્ટનેમિ પ્રભુનો શૌરીપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્નમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઊછળતું દીઠું, એવો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ રાખ્યું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું હતું.
૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી ઃ વારાણસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્પે જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઊંચો કીધો. તેથી રાજા ઊઠયો ને બોલ્યો કે શા માટે હાથ ઊંચો કિધો ? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે તમે જૂઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો ને રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ રાખ્યું. તેમનું નવ હસ્તપ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા લાંછન સર્પનું જાણવું.
ર૪. શ્રી વર્ધમાનસ્વામી : ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધનધાન્યાદિકના ભંડાર તથા દેશ-નગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ રાખ્યું. વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગૂઠે ચાંપ્યો તથા આમલકી ક્રિીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈદ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોંતેર વર્ષનું આયુષ્ય જાણવું.
૧૭૦