________________
આપણે ઘણું રાખી થોડું આપીએ છીએ.
અંધારામાં પડેલી ચીજ અજવાળામાં જઈને શોધે તો જડે? કે અંધારું છે ત્યાં અજવાળું કરે મળે? આત્મા મોહમાં મળે કે જ્ઞાનમાં મળે !
કાપડની દુકાન ન ચાલે ને હીરાની દુકાન બરાબર ચાલે તો કાપડની દુકાન બંધ કરે અને હીરાની ચાલુ રાખે. પૂજા કરે અને ક્રોધ આવે તો ક્રોધ બંધ કરે, પૂજા ચાલુ રાખે.
અરિહંતના ધ્યાને શબ્દના, સિધ્ધના ધ્યાનથી રૂપના, આચાર્યના ધ્યાનથી ગંધના ઉપાધ્યાયના ધ્યાનથી રસ અને સાધુના ધ્યાનથી સ્પર્શના વિષય જિતાય છે.
રોગ થાય દવા ખીસામાં રાખે રોગ ન મટે, ગુરુનો બોધ ફકત શ્રવણમાં રાખે તો પરિણામ ન આવે. સામયિક એટલે સર્વ જીવો આત્માતુલ્ય છે એવો અધ્યાસ.
નવકાર એટલે આત્મા પરમાત્માતુલ્ય છે એવી સાધનાનો અભ્યાસ.
- પંચપરમેષ્ટિમાં શ્રેષ્ઠ આલંબન છે. તેથી રોજ તેમના ધ્યાન વડે તેમની સાથે એકમેક થવું. એકાંતમાં ધ્યાન કરવું. તમામ અનુષ્ઠાનમાં મૂળમાં નવકારભાવ હોય તો તે શુદ્ધ અનુષ્ઠાન ગણાય છે. સંસારનું મૂળ જે કષાયો તે નમસ્કાર મંત્રથી શોષાય છે અને ક્ષમાદિ ચાર ગુણો નમસ્કારથી પોષાય છે. પુષ્ટ બને છે.
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય જણાવે છે કે વિનયનું ફળ ગુરુની સેવા, ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ આશ્રવ નિરોધ, તેનું ફળ સંવરની પ્રાપ્તિ, સંવરની પ્રાપ્તિનું ફળ તપ, તપથી કર્મ નિર્જરા, તેનું ફળ ક્રિયા નિવૃત્તિ, તેનું ફળ યોગ નિરોધ, યોગનિરોધનું ફળ ભવપરંપરાનો ક્ષય.
મનની અસ્થિરતાની ખબર પડે તો પછી મનની નિર્મળતાની ખબર પણ પડે.
ખીલે બાંધેલા ઢોરની રક્ષા થાય તેમ પ્રભુની આજ્ઞા માને તો રક્ષા થાય.
૨૦૫