________________
નહિ કરું. અર્થાત્ સર્વ પાપથી મુક્ત થઈ આત્મસ્વભાવમાં/શુદ્ધભાવમાં રહીશ.
૩. વિનય : સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકવંતનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, તે શું છે? પાપ વ્યાપરનો ત્યાગ કરવાનો નિયમ કેવળ આસન પર બેસી જવું એટલો નથી, પણ દસ મનના, દસ વચનના, બાર કાયાના, આવ બત્રીસ દોષો અર્થાત સર્વ પ્રકારના દોષોનો ત્યાગ કરવાનો છે. સંસ્કાર અને કર્મના ઉદયથી દોષો થાય ત્યારે પરાક્રમ વડે તેનો પરિહાર કરવાનો છે. જેમ જેમ દોષોનૅ જય થાય છે તેમ તેમ આત્મવિકાસ ઝડપી થાય છે. શ્રાવક-શ્રાવિકાને સામાયિકનો સમય મર્યાદિત છે, સાધુ-સાધ્વીને આ જીવન સામાયિક ચારિત્ર છે.
૪. સિદ્ધિઃ બે ઘડીના શુદ્ધ સામાયિકથી સાધક અનુક્રમે શુદ્ધિના શિખરે પહોંચી શાશ્વત સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત સંસારથી મુક્ત થાય છે. - પ. વિનિમય ઃ જ્ઞાનીજનોની પ્રાપ્તિ કરુણા - ઉદારતા એ છે કે તેઓ જેવું સુખ પામ્યા તેવું જગતના સર્વ જીવો પામો. ધનીમાં અને જ્ઞાનીમાં આવું આસમાન-જમીન જેવું અંતર છે. ધન ધનપ્રાપ્તિ, પછી પણ સાંકડો થતો જાય છે. જ્ઞાની પૂર્ણતાની પ્રાપ્તિ પછી ઉદાર થઈ જાય છે કે
સવી જીવ કરું શાસન રસી” “આત્મ સમ કરોમિ'.
૧૦૮