________________
११६
षड्दर्शन समुचय भाग-१, श्लोक - १०, बोद्धदर्शन
કલ્પનાથી રહિત છે. શબ્દસંસર્ગવાળી પ્રતીતિને કલ્પના કહેવાય છે. જે જ્ઞાનમાંથી કલ્પના ચાલી ગઈ છે, તે કલ્પનાપોઢ = કલ્પનારહિત કહેવાય છે.
શંકા : માહિતી વિષ (સિ. હૈ. ૩/૧/૧પ૩) સૂત્રથી બહુવ્રીહિમાસમાં “વત્ત' અંતવાળા નામોનો વિકલ્પથી પૂર્વનિપાત થાય છે. તેથી અહીં પણ પોઢ', ‘ત્ત' અંતવાળું હોવાથી પૂર્વનિપાત કરીને પોઢત્પન' પ્રયોગ થઈ શકે કે નહિ ?
સમાધાન : “આદિતાન્યાદ્રિપુ” સૂત્રમાં “વા' નું નિર્વચન હોવાથી નિપાત વૈકલ્પિક છે. તેથી કલ્પનાપોઢ”ને વૈકલ્પિક પ્રયોગ માનવો જોઈએ. અથવા આહિતાગ્નાદિ આકૃતિ ગણપાઠમાં કલ્પનાપોઢ” રૂપની ગણત્રી ન હોવાથી આ સિ.હૈ. સૂત્ર તેને લાગુ ન પડે. (અથવા બહુવ્રીહિ સમાસ ન કરતાં, તૃતીયા તત્પરૂષ સમાસ કરીને આ રીતે વ્યુત્પત્તિ થશે.) છત્પના સપોઢ (દિત)
જ્યનાપોઢમૂ-કલ્પનાથી રહિત. અર્થાત્ નામ, જાતિ વગેરે કલ્પનાથી રહિત. તેમાં “તથા ડિત્ય' નામકલ્પના છે. “થા નોઃ” એ જાતિ કલ્પના. આદિ શબ્દથી ગુણકલ્પના, ક્રિયાકલ્પના અને દ્રવ્યકલ્પના લેવી. તેમાં ‘યથા વસ્ત્ર ગુણકલ્પના છે, “યથા પાવ' એ ક્રિયાકલ્પના છે, “યથા કુઠ્ઠી મૂથ: વા' આ દ્રવ્યકલ્પના છે. (કહેવાનો આશય એ છે કે - કોઈ કલ્પના નામ-ઇચ્છાનુસાર કરાયેલી સંજ્ઞાના અનુસારે થાય છે. જેમકે કોઈ વ્યક્તિનું નામ વ્યવહારના માટે ‘હિત્ય રાખવામાં આવે છે. જાતિની અપેક્ષાથી જણાતી કલ્પના જાતિકલ્પના કહેવાય છે. જેમ કે “ોત્વ' જાતિ સ્વરૂપ નિમિત્તને લઈને જણાતી ગોરૂપકલ્પના. તેમજ “આ શુક્લ છે” અહીં શુક્લગુણના નિમિત્તથી કલ્પના થાય છે, તેથી ગુણકલ્પના. “આ પાચક છે.” આ કલ્પના પાચનક્રિયાની અપેક્ષાથી થાય છે. દંડ આદિ દ્રવ્યના સંબંધી આ દંડી છે કે “આ પૃથ્વી પર રહ્યા છે આ બે કલ્પનાઓ દ્રવ્યકલ્પના છે. આ રીતે કલ્પનાઓ થતી રહે છે.) પ્રત્યક્ષ આ બધી કલ્પનાઓથી રહિત છે. કારણકે પ્રત્યક્ષ શબ્દરહિત સ્વલક્ષણરૂપ અર્થથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રત્યક્ષ એવા સ્વલક્ષણરૂપ પદાર્થથી ઉત્પન્ન થાય છે કે જે શબ્દના સંસર્ગથી રહિત છે. કહ્યું છે કે..
“દૃર્થે શદ્વા: સન્તિ, તાત્મિનો વા યેન તસ્મિન પ્રતિમાસમાને પ્રતિમાલે” અર્થાત્ પદાર્થમાં શબ્દો હોતા નથી કે પદાર્થ શબ્દસ્વરૂપ (પણ) નથી, કે જેથી પદાર્થ પ્રકાશિત થતે છતે (નામાદિ) શબ્દો પણ પ્રકાશિત થાય.”
આનાથી સ્થિર અને પૂલ ઘટ-પટાદિ વસ્તુને ગ્રહણ કરનારા સવિકલ્પકજ્ઞાનની પ્રત્યક્ષતાનું નિરાકારણ થાય છે. (કહેવાનો આશય એ છે કે બૌદ્ધમતમાં નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણ બની શકે છે. કારણ કે તે એક ક્ષણસ્થાયિ હોય છે તથા વિકલ્પોથી રહિત છે. તેથી વિકલ્પસહિતનું સવિકલ્પકજ્ઞાન પ્રમાણભૂત બની શકતું નથી.)
વળી તે પ્રત્યક્ષ કેવા પ્રકારનું છે? - તે પ્રત્યક્ષ ભ્રાન્તિથી રહિત છે. “ખ્રિસ્તવ્ર પ્રાન્તિઃ” અર્થાત્ અતસ્મિનું માં તદ્દનો ગ્રહ તે ભ્રાન્તિ. અર્થાત્ જે પદાર્થ જેવો ન હોય, તેવું જ્ઞાન કરવું