________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિનારે રાત્રિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે વખતે શૂલપાણી યક્ષે સિહુ આદિનાં રૂપે વિકૃર્થીને પ્રભૂને મહાન ઉપસર્ગ કર્યો હતા પરંતુ ભગવાને તેને આખર ભૂઝવ્યો હતો. તેની વિશેષ કથા શ્રી કલ્પસત્રથી જાણવી. ત્યાં આગળ શુસાભિત દેવળ છે અને તેમાં શ્રી મહાવીર પ્રભુનાં ચર્ણાવિંદ છે. દેરીના બારણાની દિવાલ ઉપર શુલપાણી યક્ષની મૂર્તિને કોતરવામાં આવેલ છે. ત્યાંના સંઘની સાર સંભાળ સારી છે. અહિયાંના શ્રાવકે અધ શ્રધ્ધાળુ નથી કિન્તુ શુદ્ધ ઉપદેશ દેવાવાલા જ્ઞાની ક્રિયાપાત્ર સાધુઓની પીછાણ કરવા વાળા છે. શ્રાવકનાં ઘર ત્રણસેાહ છે. ત્રણ દહેરાશર, ચાર ઉપાશ્રય અને તમામ જાતની સગવડતાવાળી બજારના મધ્યમાં નવીન બે મજલાવાળી માટી ધર્મશાળા છે. નીચેના ભાગમાં લાઈબ્રેરી, જૈન પાઠશાળા અને કન્યાશાળાદિ ધાર્મિક સથાઓ આવેલી છે. ત્યાં સંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી હતી.
--વઢવાણુથી વીરમગાંમ પધારવું. --
વઢવાંણ શહેરથી વિહાર કરીદેદાર થઇ લખતર પધાર્યા. ત્યાં શ્રાવકનાં ઘર ત્રીસ છે પણ ત્યાંના દિવાન સાહેબ નેણસી ભાઇની ધર્મમાં લાગણી સારી હોવાને લીધે જૈનેતર પ્રજા પણ જૈન સાધુએ માટે સારી લાગણી ધરાવે છે. અર્થાત્ વ્યાખ્યાનાદિ ધર્મકાર્યોમાં જૈનેતર પ્રજા પણ સારે લાભ લે છે. દિવાન સાહેબ પુરાણી ચાલના સાદા વેશ રાખે છે અને માન ગુમાન રહિત સારી સલાહમાં રહે છે, તેથી પ્રજામાં તથા રાજ્યમાં એટલા
For Private And Personal Use Only