Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
તેવી જગ્યા (સ્થાન) જોઈએ. બાહા આત્યંતર શત્રુને નાશ કરવાના પરિણામની ધારાને વધારનાર અને તે વધારીને તે મેળવી આપનાર સ્થાન એટલે શ્રી “શત્રુંજય શત્રુને જીતી આપનાર.
જગતમાં પર્વતો-ગિરિઓ તે જગે જગ પર આવેલા છે, ઘણા છે. પણ તે ગિરિ એવા જોઈએ કે જેની પરમ પાવન ભૂમિ, આત્માને પોતાના ઉત્કર્ષ માટે, પરિણામની ધારાને ઉપર ચઢાવે. તે ધારાને ચઢાવનાર જે કઈ પરમ પાવન ગિરિ હોય તે તે આ ગિરિ છે. તેથી આને ગિરિરાજ કહેવાય. બાઈ એ તે બધીજ છે. બધી બાઈઓને “મા” ન કહેવાય. “મા” તો જનેતાને જ કહેવાય. તેમ આ પરમ પાવન ગિરિને ગિરિ, પર્વત કે ડુંગર ન કહેવાય. આને ડુંગર કહેનારા, ઉપર કહી તે વાતને લક્ષમાં રાખ્યા વિનાનું બેલે છે. તેથી આવી પરમ પાવન ભૂમિ તે “ગિરિરાજ.
પારમ પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીએ તે જ આત્માનો ઉદ્ધાર થઈ શકે. તેથી તેના “દશન આદિ કરવાં જ જોઈએ. તે બતાવનાર પુસ્તક આ છે.
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org