Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ ૧૦ સુ
શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા
એ તા સર્વ વિદિત છે કે, નવ્વાણુ' યાત્રા કરનાર ગિરિરાજની ૧૫ ગાઉ, ૬ ગાઉ, કેટલાક ૧૨ ગાઉ એમ ત્રણ પ્રદક્ષિણા કરે જ છે. ખીજા પુણ્યશાળી આત્માએ છ ગાઉ અને ખાર ગાઉની પ્રદક્ષિણા કરે છે.
ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે પહેલી પ્રદક્ષિણા દોઢ ગાઉની, બીજી છ ગાઉની અને ત્રીજી બાર ગાઉની હાય છે.
પહેલી દાઢ ગાઉની પ્રદક્ષિણા: આ પ્રદક્ષિણામાં દાદાના દર્શન કરીને યાત્રાળુ રામપેાળની ખારીએથી બહાર નીકળે છે. આ પ્રદક્ષિણા કરતી વખતે યાત્રાળુ ગિરિરાજના બધાં મદિરાને ફરતા કાટ છે, તેને આવરી લેતી પ્રદક્ષિણા કરે છે, આ પ્રદક્ષિણા દરમ્યાન નવ ટૂંકની બારીના નીચાણના ભાગમાં એક તલાવડી જેવુ સ્થળ આવે છે. ત્યાં બેસીને યાત્રાળુ ગિરિરાજ અભિમુખ થઈ ચૈત્યવંદન કરે છે. અહીથી આગળ ચાલીને હનુમાન ધારા થઈ રામપાળમાં દાખલ થાય છે. આ પ્રદક્ષિણામાં દોઢ ગાઉ થવાથી આને દોઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે.
(૧૮૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org